–પ્રા.સુર્યકાન્ત શાહ
વાસ્તુશાસ્ત્ર અને ફેંગસુઈ માત્ર ટુચકા છે. જેમની પાસે વધારે પડતા પૈસા છે અને શ્રીમન્ત થયા બાદ પણ, ફરી ગરીબ થઈ જવાનો ભય જેમને સતાવે છે; તેવા ભયભીત અને ભોળા લોકો આ ટુચકાવાળાઓના શરણે જાય છે. આ ટુચકાવાળાઓ એને ત્યાં આવતા અબુધ લોકોનાં મકાન કરતાં એમની ભયગ્રંથી અને પૈસાની કોથળીને વધારે ધ્યાનમાં રાખે છે. એમણે જોયું કે વાસ્તુ અને ફેંગસુઈના નામે આ અબુધ લોકો પૈસા ફેંકવાના જ છે, તેથી એમણે એમનું બજાર વીસ્તાર્યું છે.તેઓ મકાન ઉપરાન્ત બીજી અનેક ચીજો પર એમનું આક્રમણ કરી રહ્યા છે. તેમાંનું એક તે ડાઈનીંગ ટેબલ.
સમગ્રપણે ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ પ્રગતીશીલ વીચારધારાને પોષે છે અને વૈજ્ઞાનીક અભીગમનો પ્રસાર કરે છે. એ દર શનીવારે એની મુમ્બઈ આવૃત્તીમાં ‘ટાઈમ્સ પ્રોપર્ટી’ પુર્તી આપે છે. આ પુર્તીમાં અમારા દુ:ખદ આશ્ચર્ય વચ્ચે તે વાસ્તુશાસ્ત્રની એક કૉલમ પણ પ્રસીદ્ધ કરે છે !તારીખ 6 ઓગસ્ટ, 2005ના એક અંકમાં કોઈક દાઢીવાળા શ્રી. દૈવેજ્ઞ કે. એન. સોમૈયાજીએ ‘ફાઈન ડાઈનીંગ’વાળા મથાળા હેઠળ, ડાઈનીંગ ટેબલ પણ કેવું હોવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ તેની વાતો લખી છે. આમ, ટાઈમ્સ જેવા પ્રગતીશીલ અખબાર મારફતે, વાસ્તુશાસ્ત્રના નામે ડાઈનીંગ ટેબલ જેવી બાબતમાં વહેમનો પ્રસાર થાય છે !
શ્રી. સોમૈયા લખે છે કે ‘ડાઈનીંગ ટેબલ પર કુટુમ્બના બધા સભ્યો જમવા બેસે છે તેથી તેનું મહત્ત્વ ખુબ છે. ડાઈનીંગ રુમનું પણ એટલું જ મહત્ત્વ છે. એનું સ્થાન અને ટેબલની ડીઝાઈનનું પોતીકું મહત્ત્વ છે.’ આવું સામાન્ય નીવેદન કરીને પછી તે વાચકોને ગભરાવે છે. તેઓ જણાવે છે કે ‘ડાઈનીંગ રુમની રચના જો વાસ્તુશાસ્ત્રના નીયમો પ્રમાણે નહીં થાય તો ખાધેલા ખોરાકની ધારેલી અસર થતી નથી અને અન્ય પ્રશ્નો પેદા કરે છે !’ શ્રી. સોમૈયાનું આ આખુંયે નીવેદન ધડ–માથા વગરનું છે. જેઓ અલગ ડાઈનીંગ રુમ રાખી શકે અને જેઓને ત્યાં આખું કુટુમ્બ બેસી શકે તેવા મોટા ડાઈનીંગ ટેબલ રાખી શકે, તેમને માટે શ્રી. સોમૈયાનું આ નીવેદન છે. મતલબ કે, સોમૈયા શ્રીમન્તોને આ સલાહ આપી રહ્યા છે. જે ભોંય પર પલાઠી વાળીને કુટુમ્બના બે–ત્રણ સભ્યોની સાથે જમવા બેસી જાય છે એમને શું ડાઈનીંગ રુમ અને શું ડાઈનીંગ ટેબલ? શ્રી. સોમૈયાને તેવા મુફલીસોની જરુર પણ નથી. ત્યાં એમનું બજાર જ નથી !શ્રી. સોમૈયા જાણે છે કે શ્રીમન્તોને એકવાર ભયભીત કર્યા કે ‘વાસ્તુશાસ્ત્ર પ્રમાણેનો જો રુમ નહીં બનાવશો તો ખબરદાર ! તમારા ખાધેલા ખોરાકનાં ધારેલાં પરીણામ આવશે નહીં !’ આમ કરીને શ્રી. સોમૈયા અને એમના જેવા બજારપારખુ વાસ્તુ અને ફેંગસુઈવાળાઓ, બજારમાંના ચોક્કસ ગ્રાહકો તરફ તીર તાકે છે. પહેલાં તો એમણે શ્રીમંતોને શોધ્યા. ત્યાર બાદ એમાં ડફોળ કોણ છે તે શોધવાનું રહે. આથી, એમણે એક ધડ–માથા વગરનું નીવેદન કર્યું કે જો ડાઈનીંગ રુમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નહીં હોય તો ખાધેલા ખોરાકનાં ધારેલાં પરીણામ નહીં આવે. ટાઈમ્સ પ્રોપર્ટીના લાખ કરતાં વધારે વાચકો છે. એમાંના દશ–પંદરને પણભારે વરસાદવાળા અને રોગીષ્ટ વાતાવરણવાળા તારીખ 6 ઓગસ્ટ, 2005ના મુમ્બઈમાં પેટનો દુ:ખાવો, ઝાડા, ઉલટી, અપચો જેવું કંઈપણ બન્યું તો હશે જ. એક અઠવાડીયા માટે આટલા ગ્રાહકો સોમૈયાને મળે તો અધધધ… કમાણી કરાવી આપે તેમ છે. બીજા અઠવાડીયે આવું જ બીજું ગપ્પુ મારીને તે ભયગ્રંથીથી પીડાતા અબુધ શ્રીમન્તોને ઉલ્લુ બનાવશે જ. આમ, ટાઈમ્સ જેવા પ્રગતીશીલ અખબાર દ્વારા વહેમને પોષવાનું ચાલ્યા જ કરશે.
શ્રી. સોમૈયાએ ડાઈનીંગ રુમ બનાવવા માટે ત્યારબાદ સુત્રાત્મક ભાષામાં આદેશો આપ્યા છે. તે વાંચવા જેવા છે. રમુજ મળશે. ‘ડાઈનીંગ રુમ રસોડાનો એક ભાગ હોવો જોઈએ અથવા અલગ ઓરડો હોઈ શકે !’ આ એમનો પહેલો આદેશ છે. શ્રી. સોમૈયાએ જે બે વીકલ્પો સુચવ્યા છે તે ઉપરાન્ત કોઈ ત્રીજો વીકલ્પ હોઈ શકે ખરો ? ક્યાં તો એ રસોડાનો ભાગ હોય અથવા અલગ ઓરડો જ હોય ! શું કોઈ ત્રીજી જગ્યા છે ખરી તેને માટે ? કહેવાય છે કે ટાઈમ્સ એક એક લીટી છાપવાની જાહેરખબરના સેંકડો રુપીયા લે છે. ટાઈમ્સ આવી અક્કલ વગરની વાત પ્રસીદ્ધ કરી નાહકની કમાણી ગુમાવે છે. એમનો બીજો આદેશ એ કે બંગલામાં (સામાન્ય માણસના ‘ઘર’ની વાત અત્રે મુમકીન જ નથી !) ‘પ્રવેશ કરવાના બારણાની બરાબર સામે ડાઈનીંગ રુમ નહીં હોવો જોઈએ !’આ આદેશ આપવાની કોઈ જરુર જ નથી. જેનામાં બુદ્ધીનો થોડો ઘણો છાંટો હોય તે પ્રવેશદ્વારની સામે જમવા બેશે જ નહીં. આટલી કાળજી તો એક ખોલીવાળો ગરીબ પણ પડદો નાંખીને લેતા હોય છે ! એમનો ત્રીજો આદેશ : ‘ડાઈનીંગ રુમ પુર્વ, ઉત્તર, વાયવ્ય કે ઈશાનમાં હોવો જોઈએ.’ આવું સ્થાન શા માટે તેનું કોઈ કારણ એમણે આપ્યું નથી. સોમૈયાનો આદેશ એટલે આદેશ! એમાં વળતું કશું પુછી શકાય જ નહીં ! આ બધા પોતાને દૈવી અંશ ગણાવે છે અને મુર્ખાઓ તે સ્વીકારે છે એટલે કારણ પુછતાં જ નથી !
આટલું ઓછું હોય તેમ સોમૈયા ત્યાર બાદ એમનું આક્રમણ ડાઈનીંગ ટેબલ પર લઈ આવે છે. એમણે આદેશ આપ્યો છે કે ‘ટેબલ ચોરસ અથવા લંબચોરસ જ હોવું જોઈએ.’ શા માટે? હમ્મેશ મુજબ કોઈ કારણ આપ્યું નથી. ગોળ અને લંબગોળ ડાઈનીંગ ટેબલવાળા શ્રીમંત મુર્ખાઓના પેટમાં આ વાંચીને ગરબડ થવાની. તેઓ રાતોરાત સોમૈયા કે એવા ટુચકાવાળાને ત્યાં દોડવાના. હજારો રુપીયા ફી આપીને નવા ટેબલની ડીઝાઈન મેળવવાના. ભંગારવાળાને પણ ફાયદો! એને સસ્તામાં ગોળ, લંબગોળ, ત્રીકોણ આકારના નવાનકોર હોય તેવાં પણ ટેબલ મળી જવાનાં! અલબત્ત, શ્રી. સોમૈયાનું છેલ્લું સુચન પૈસા ખર્ચ્યા વગર અમલમાં મુકાય તેવું છે. એમનો છેલ્લો આદેશ છે કે ‘ડાઈનીંગ ટેબલ અને ખુરશીઓ ભીંતોને જરાય અડકે નહીં તે જુઓ !’ કેમ? કોઈ કારણ નથી. શ્રી. સોમૈયા અને એમના જેવા ટુચકાવાળા કહે તે સવાવીસ માનીને પેટ બચાવો, અન્યથા તમારો ખાધેલો ખોરાક ધારેલાં પરીણામ આપશે નહીં !
આ છે આપણું વાસ્તુશાસ્ત્ર અને ફેંગસુઈ ! આવા ટુચકા વાંચીને તેનો અમલ કરનારા પાસે સામાન્ય આંકવાળી બુદ્ધી છે કે નહીં તેની તપાસ કરાવવાની પણ જરુર ખરી ?
–પ્રા. સુર્યકાન્ત શાહ
લેખકસમ્પર્ક :
Prof. SURYAKANT SHAH, 17-Gayatri Ganga Nagar, Near Makanji Park, Adajan, Surat – 395 009 – Mobile : 98793 65173 – eMail : suryasshah@yahoo.co.in
Editor of ‘Satyanveshan’ – http://satyanveshan.com/ – Monthly magazine of ‘SatyaShodhakSabha’, Surat (GUJARAT)
ડૉ. બી. એ. પરીખનું પુસ્તક ‘નવા વહેમો’ વાસ્તુશાસ્ત્ર અને ફેંગસુઈ (વાસ્તુ અને ફેંગ એટલે પૈસા ફેંક)માંથી પ્રા. સુર્યકાન્ત શાહનો આ લેખ, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….
પ્રકાશક : ‘સત્યશોધક સભા’, 401, સ્નેહસ્મૃતી, જમરુખ ગલી, નાનપુરા, સુરત – 395 001 ફોન : (0261) 2590 847 પૃષ્ઠસંખ્યા : 56, મુલ્ય : 30/-.
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીયવેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 25–03–2016
હું જન્મે હિન્દુ છું.ઘાર્મિક શાસ્ત્રોની વાતો સવાલ પૂછયા વિના અને સંતોષકારક જવાબ મેળવ્યા વિના માની નથી લેતો. વિજ્ઞાન ભણીને પોતે પોતાની રીતે દરેક પ્રક્રિયા કેમ બને છે તે સમજવાની કોશીશ કરું છું. સવાલો કરું છું. તે સવાલોમાં ‘સંદર્ભ‘ તે વિષયને લગતાં હોય છે. તે વિષય ઉપરના લેખો, રીસર્ચ પેપરોનો અભ્યાસ કરું છું. પ્રા. સુર્યકાંત શાહનો આ લેખ વાંચ્યો. સંદર્ભો શોઘવા માટે પહેલાં Feng Shui ઉપરનો Wikipediaનો લેખ વાંચ્યો. ચીન, જાપાન, થાઇલેન્ડ…જેવાં પૂર્વના દેશોમાં ભારતીય વાસ્તુશાસ્ત્રના વિષય જેવા જ Chinese Feng Shui જેવાજ બીજા જુદા જુદા નામે ઓળખાતા વિષયો વિષે જાણયુ. વિગતો ખૂબ ઇન્ટરેસ્ટીંગ છે. Wikipedia define Feng Shui as ,” Chinese philosophical system of harmonizing everyone with the surrounding environment. It is closely linked to Daoism. The term Feng Shui literally translate as ‘wind-water’, in English.ગુજરાતીમાં ‘ વાસ્તુશાસ્ત્ર‘ વિષે, http://www.ganeshaspeaks.com/…/blog_VASTUમાં વાસ્તુ શબ્દનો અર્થ આ પ્રમાણે આપ્યો છે…‘ માણસ અને ભગવાનનું રહેથાણ‘ બીજો રેફરન્સ…karmkand.in છે. વાંચીને ગાંડા થવાની તૈયારી રાખવી. જ્ઞાન મેળવવા માટે વઘુ વાંચન જરુરી છે.
હિન્દુઓને માટે વાસ્તુશસ્ત્રનો જન્મ થયો છે. પૂર્વના દેશોમાં પણ તેવું શાસ્ત્ર છે. મુસલમાનો કે ખ્રિસ્તીઓ માટે મારી જાણમાં નથી. તેઓ શું કરતાં હશે? પ્રોફેસર શાહની વાત સાચી છે. આ અેક બીઝનેસ બની ગયો છે અને મુરખોને ઉલ્લુ બનાવવાનો કિમીયો બની ગયો છે. લોભીયા હોય ત્યાં ઘૂતારા ભૂખે મરતાં નથી. પરંતુ લોભીયા ભૂખે મરવાની તૈયારી જરુરથી કરતાં થઇ જાય છે. વર મરો કે કન્યા મરો પણ બ્રાહ્મણનું તરભાણું ભરો કહેવત વિચાર કરાવે તેવી છે.
હસતાં હસતાં વેપાર કરતાં…લોકોને ઉલ્લુ બનાવતાં અને લોકોને રડાવવાની આવડતવાળો વાસ્તુશાસ્ત્રી જરુરથી કમાશે અને તીજોરી ક્યાં મુકવી, કેવડી માટી લેવી તે વાસ્તુશાસ્ત્રને પૂછીને નક્કિ કરશે.
ઘર રીપેરીંગવાળાને પણ લાભ.
જેટલાં લોકો વઘુ વાંચે તેવું પગલું ભરવું જોઇઅે.
હાઇ રે મારું કિસ્મત…..મને વાસ્તુશાસ્ત્રી બનતા કેમ નહિ આવડયુ? મને વિજ્ઞાન કેમ ભણાવ્યુ ?…કોનો વાંક? કોને પૂછું ?
કોઇ રસ્તો બતાઓ…મિત્રો……
અમૃત હઝારી.
LikeLiked by 3 people
Kaka,
Life is still young. Chaloo kari do ne….. USA ma to Dollar ma kamaani chhe aa business ma……!!!!
LikeLiked by 1 person
I do not have faith in vastushastra, for building there house they break yours…
LikeLiked by 1 person
You are 100%right.
LikeLiked by 1 person
Aa article per thi ek vaat yaad aavi…. thoda varso pahela mane em kahvaa ma aavelu ke aapnoo ghar east-west j hoovoo joi ye. North South Ghar hamesh nu apshookan laave. Ane aa vaat maani ne ne maaroo ghar no plot ye rite j lidho hato….. sanjog jataa ane thoda aur article vaanchi ne samaj aavi ke bhai badhaj loko east-west nu ghar karse to pachhi north-south na gharo nu shu?
Haal nu hamaaroo ghar north-south chhe…ane dining table lumgor (oblong) ane breakfast table gor (round) chhe….. ane American ghar ni design pramaane, dining room ghar na entrance ni bajoo ma j hoi chhe….
ane koi ne jo vaastushaastra pramaane kai karvoo hoi to mane contact kare… hoon mafat ma salaah aapish….
LikeLiked by 1 person
અમેરિકામાં એક પલ્લવીબેન વાસ્તુશાસ્ત્રમાં ખૂબ ફાલ્યા ફૂલ્યા છે. એમનો અને એક પ્રેમ જ્યોતિષ વાળો છે. એઓની દયાથી જ અમેરિકાના દેશીઓને ઇન્ડિયન ચેનલો જોવાનો લાભ મળે છે. જેમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આવા લેખો અને જાહેરાતથી પૈસા મળે છે તે જ રીતે દેશી ચેનલો વાળાને અમેરિકામાં ડોલર મળે છે. અરે ભાઈ આ તો “ધંધા હૈ ધંધા.”
જ્યારે આવી એડ જોઉં ત્યારે મને ટીવી પર પથરો મારવાનું મન થાય. અને એ જ કારણે હું ઈન્ડિયન ચેનલ જોતો નથી. બસ ખેલ ખતમ.
વ્હાઈટ હાઉસને પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગોઠવ્યું હોત તો પ્રેસીડન્ટ વધુમાં વધુ આઠ વર્ષને બદલે અઢાર વર્ષ ટકતે. એક જગ્યાએ વાંચ્યું હતું કે બેડરૂમમાં મિરર ના હોવો જોઈએ. તારી ભલી થાય; મારા બેડરૂમમાં ત્રણ દિવાલોમાં આયનાઓ છે. જેમણ્ર રોમેન્ટિક બેડરૂમ જોયા હોય તેને ખબર હશે કે રાઉન્ડ બેડની ઉપ શિલીંગ પર પણ મિરર હોય જેથી ગર્લફ્રેન્ડ બોય ફ્રેન્ડની ક્રિડા પણ સૂતા સૂતા જોઈ શકે.
વધુ કોમેન્ટ કરું તો અભદ્ર ગણાય. વાત એમ છે કે આ બધું ન માનવા જેવું તૂત જ છે. ગરમ અને ઠંડા પ્રદેશમાં સૂર્ય પ્રકાશની દિશા, અને પવનની દિશા જોઈ જાણીને થવી જોઈએ કે ફર્નિચર ગોઢવાવું જોઈએ એ કોમન સેન્સની વાત છે. રોજીંદા જીવનમાં સગવડને પ્રાધાન્ય અપાય એ અંગત વાત છે એમાં શાસ્ત્ર ક્યાં આવ્યું? આમ છતાં જો કોઈને પૈસા વેડફવાથી શાંતિ મળતી હોય આપણે તો ખભા ઊંચા કરીને પ્રેમથી કહેવુ, જા દોસ્ત તને જે ગમે તે તું કરીને તારું જીવન જીવ.
LikeLiked by 2 people
Saras lekh,
Ganda na gam na hoi ne garib ne vahem na hoi, garibne mate ramni raksha ne bhim no doro.
LikeLiked by 1 person
આ તો હરામ હાડકાના એક નાબરના તુક્કાબાજોનો કરોડો પેદા થાય તેવો ધંધો છે. બુદ્ધિ વગરના ધર્મ અને અંધશ્રદ્ધાના ભય- ગભરાટ અને ડરથી જીવતા સ્થીતીપત્ર લોકોનો ખાસ કરીને હિંદુઓમાં સુમાર નથી. રીને
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLiked by 1 person
મારા બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર, ગોવિદભાઈ !
LikeLiked by 1 person
વહાલા વડીલ અરવીન્દભાઈ,
‘વાસ્તુશાસ્ત્રીઓનું ડાઈનીંગ ટેબલ પર પણ આક્રમણ !’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ..
LikeLike
ભણેલા ગણેલા જ્યારે વાસ્તુમાં અંધશ્રધ્ધાથી ફેરફાર કરાવતા જોઈએ છીએ ત્યારે હસવું આવે છે. તેમની મૂર્ખાઈ ઉપર.
LikeLiked by 1 person
ઍક મુસ્લિમ તરીકે મને આ લેખ વાંચી ને નવાઈ નલાગી, કારણકે “ઝૂકતી હે દુનિયા, ઝૂકાને વાલા ચાહીયે” અનુસાર, અમારા મુસ્લિમ ધર્મમાં ઍક ગેર માર્ગે દોરાયેલ સાંપ્રદાય “બરેલવી” ઑ ના પુસ્તકો અનુસાર જમતા સમયે જો લાલ રંગના કપડા (દસ્તરખવાન) પર ખાવાથી પાર વગરના ફાયદાઓ થાય છે, જેમકે તે વ્યક્તિ સ્વર્ગમાં જશે, ઍક હજાર ભૂખ્યાઓને ખવડાવવાનુઁ પુન્ય મળશે વગેરે,વગેરે.
ખરેખર “ઝૂકતી હે દુનિયા, ઝૂકાને વાલા ચાહીયે.”
કાસીમ અબ્બાસ,
LikeLiked by 1 person
સામાન્ય રીતે કશું પણ નવું કરતા પહેલા શુભ દિવસ અને ચોઘડીયા જોવડાવવાનો રિવાજ છે પણ અમારા જાણીતા એક ડૉક્ટર ક્યારેય કશુ જોવડાવતા નથી અને તેમ છતાં શહેરમાં રિટાયર્ડ થયા ત્યાં સુધી સૌથી સફળ સર્જન તરીકે નામના મેળવતા રહ્યા. કહેવાય છે કે ત્રીકોણીયા જમીન પર બંગલો ના બંધાવાય પરંતુ તેમણે આવા ત્રિકોણીયા પ્લોટ પર બંધાવ્યો હતો.
માન્યતા કરતાં તેમનો આત્મવિશ્વાસ ચઢીયાતો નિવડ્યો હતો.
LikeLiked by 1 person
It is heartening for me to know that all of the commentators have condemned the Vastu and Feng. We have to be active in our area and among our near-dears that they do not become victim of these frauds. We, in Satyashodhak Sabha are doing somewhat in this direction. Thanks to all who responded to my article. Special thanks to Govind Maru as he floated this article on his blog. Suryakant Shah
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઈ મારુ અને પ્રિય સૂર્ય કાન્ત શાહ
વસ્તુ શાસ્ત્રીઓનો દૈનીંગ ટેબલ ઉપર આક્રમણ ની વાત વાંચી મને ગમી આ માટે હું તમારો અને સુર્યકાન્તભાઈ નો આભાર માનું છું . હવે વાસ્તુ શાસ્ત્રીઓ ટોયલેટ ઉપર આક્રમણ કરે તો મને નવાઈ નહી લાગે . ટોયલેટ નું દ્વાર અમુક દિશામાં હોવું જોઈએ . ગુદા પ્રક્ષાલન માટે અમુક ધાતુનો અથવા અમુક જ રંગની માટીનો હોવો જોઈએ જમીન ઉપર જાજરૂ બેસ્નારોએ કઈ દિશામાં મોઢું રાખીને બેસવું . આવી વાતો કરે યો ગરીબ પણ સપાટામાં આવે .
આવા વાસ્તુ શાસ્ત્ર્વાળા ઓને કેવા મુહુર્તમાં અને કેવા પ્રકારે મારી નાખવા જોઈએ એવું જ્યોતિષ મુહુર્ત કાઢનારા ની તાતી જરૂર છે .
LikeLiked by 1 person
रखे भुल करतां?
आ टाइम्स ओफ ईन्डीयामां आखा पानानी जाहेरात आवे अने एमां कोणे मोकली, शा माटे मोकली, वगेरे लखेल ज न होय?
जेमां लखेल होय मानव हेराफेरीमां बत्रीस हजार करोडनो वेपार…
आवी जाहेरातो वांची में समाचार पत्र अने घणांने लख्युं के आ जाहेरातो कोण अने शा माटे आपे छे ए खबर पडवी जोईए. मने लागे छे ए जाहेरातो वेश्या व्यवसाय साथे संकडायेल ग्रुपे आपेल.
पण समाचार पत्रे कोई खुलासो न आपेल. आवुं पोलम पोल आ टाइम्स ओफ ईन्डीया वरसोथी चाले छे.
वास्तुशास्त्र अने डायनींग टेबल ए तो पाशेरमां पहेली पुणी समजवी.
LikeLiked by 1 person
haram nu khadhel aava raste jay chhe
LikeLike
દક્ષિણ ગુજરાતમાં અને હવે દેશ વિદેશમાં વસ્તી અમારી ભક્ત જ્ઞાતી કબીરજીના પૂજક છે, અંદાજે દેશ વિદેશમાં ૮ હજાર પરિવારો છે. અમો જન્મથી મરણ સુધીના નાના મોટા શુભ અશુભ પ્રસંગોમાં પૂજાપાઠ, લગ્નોમાં ગ્રહષાતક બારમું તેરમું કે શ્રાધ વગેરેમાં બ્રાહ્મણોનિ ક્રીયાકાંડ ઠગારી-ધુતારી કોઈપણ પ્રકારની વિધિ વિના ઉકેલતા આવ્યા છે.
નતો અમારા પૂર્વજો કોઈ પાછા આવ્યા છે કે નથી કોઈ દાદ ફરિયાદ. એકંદરે અમારો આ નાનો સમાજ ખુબ સન્તોશી, સબંધ ભૂખ્યો અને દાનેશ્વરી પણ છે.
LikeLike