સ્થળાન્તર – ધર્માન્તર – વીચારાન્તર

વહાલા વડીલો, વાચકમીત્રો અને શુભેચ્છક દોસ્તો,

નવા વર્ષ 2013ની હાર્દીક શુભેચ્છાઓ…

પારીવારીક કાર્યોનાં રોકાણને કારણે નવી પોસ્ટ મુકવામાં થયેલ વીલમ્બ માટે ક્ષમા પ્રાર્થી છું..

હાલ હવે અમે બેએ, અમારા નાના દીકરા જોડે નવી મુમ્બઈ રહેવા સ્થળાંતર કર્યું છે..

આશા રાખું કે હવે નીયમીત પોસ્ટ મુકાતી રહેશે..

–ગોવીન્દ મારુ

સ્થળાંતર – ધર્માંતર – વીચારાંતર

–મુરજી ગડા

જન્મ સાથે આપણને ઘણું બધું અનાયાસે વારસામાં મળી જાય છે. કર્મના સીદ્ધાન્તમાં ન જઈએ તો જન્મ એ વ્યક્તીની પોતાના હાથની વાત નથી. જન્મતાં જ આપણને જે લેબલ લાગે છે તે આપણી ઓળખ બની જાય છે. આ રીતે આપણને લાગેલાં લેબલ છે – વાણીયા, વૈષ્ણવ, ગુજરાતી, ભારતીય વગેરે વગેરે. મોટા ભાગના લોકો આવી ઓળખ સાથે આખું જીવન વીતાવે છે અને એમને જાળવી રાખવામાં ગૌરવ અનુભવે છે. એમના માટે વારસાગત વફાદારી ઘણી અગત્યની છે. આગળ જતાં શીક્ષણ કે વ્યવસાયને લીધે એક બે નવાં લેબલ પણ લાગે છે.

આ બધાં લેબલોનું ગૌરવ લેતી વખતે એ જાણવું જરુરી છે કે આ પ્રકારની ઓળખે માનવસમુદાય વચ્ચે હમ્મેશાં ઘર્ષણ પેદા કર્યું છે. જ્યાં વર્ણ, જ્ઞાતી, ધર્મ, પ્રાન્ત વગેરેના ભેદભાવ ઓછા છે અથવા હોય છતાં પ્રજા એના પ્રત્યે સભાન નથી એવા દેશોના આન્તરીક પ્રશ્નો ઘણા ઓછા હોય છે. ભારતની ઘણી શક્તી આવા પ્રશ્નો ઉકેલવામાં વપરાઈ જાય છે.

ગ્રામીણ સમાજમાં 4-5-6 દાયકા પહેલાં એક મોટું પરીવર્તન શરુ થયું. લોકો ગામડું છોડી મોટાં શહેરોમાં જવા લાગ્યા. આ સ્થળાન્તર, સ્વેચ્છાએ કરેલું છે; બળજબરીથી નથી કરવામાં આવ્યું. આની પાછળનું કારણ છે ત્યારની ગામડાંની પરીસ્થીતી કરતાં વધુ સારી પરીસ્થીતીની ખોજ જ્યાં આર્થીક પ્રગતી કરી જીવનધોરણ ઉંચું લાવી શકાય. આની પાછળ ગામ પ્રત્યે જરા પણ અણગમાની ભાવના નહોતી.

આવા સ્થળાન્તર કે દેશાન્તર છતાંયે મોટાભાગના લોકો પોતાની મુળ ઓળખ જાળવી રાખે છે, સમાજ સાથેના સમ્બન્ધ જાળવી રાખે છે. જે આવું સ્થળાન્તર નથી કરી શક્યા તેઓ પોતાના સંતાનો માટે આવી તક શોધતા હોય છે. સ્થળાન્તર સાથે આવતા ભાષાના, પહેરવેશના, ખોરાકના વગેરે ફેરફાર આપોઆપ અપનાવાઈ જાય છે. જીવનધોરણ સાથે જીવનશૈલી પણ સ્વેચ્છાએ બદલાઈ જાય છે. કોઈને આમાં જરા પણ ખોટું–અનુચીત થતું હોય એમ લાગતું નથી.

માનવસમુદાયો આદીકાળથી સ્થળાન્તર કરતા આવ્યા છે. વ્યક્તીગત ધોરણે હોય કે સમુદાયમાં હોય, સ્વેચ્છાએ સ્થળાન્તર કરનારે સરવાળે વધુ પ્રગતી કરી છે. આ વાતને બીજી રીતે પણ કહી શકાય. જેણે જન્મજાત વારસાનું બંધન ઢીલું કર્યું છે, તે વધુ પ્રગતી કરી શક્યો છે. અથવા તો પ્રગતી કરવા માટે જન્મજાત વારસાની માયા થોડી છોડવી પડે છે. આમાં વારસો દોષાયુક્ત હોય એવું નથી; પણ એ બંધનકર્તા હોઈ શકે છે. કોઈપણ જાતનું બંધન, પ્રગતીને ધીમી કરે છે.

સ્થળાન્તરની સરખામણીએ ધર્માન્તર વધુ નાજુક બાબત છે. એના પ્રત્યે લોકમાનસ એટલું ઉદાર નથી. છતાંયે વાસ્તવીકતા એ છે કે દરેક નવા ધર્મનો ઉદય અને ફેલાવો ધર્માન્તરથી જ થયો છે.

મધ્યયુગમાં ઘણા ધર્માન્તર બળજબરીથી કરવામાં આવતા હતા. એનો ભોગ બનેલા બધા સહાનુભુતીને પાત્ર છે. હવે એવા બળજબરીથી કરાતા ધર્માન્તર ઘટી રહ્યા છે.

સ્વેચ્છાએ થતાં ધર્માન્તર અને એની પાછળનાં કારણ અમુક અંશે સ્થળાન્તરને મળતા આવે છે. ઈતીહાસને પાને ચડેલા બે કીસ્સા જાણીતા છે. પ્રાચીન કાળના સમ્રાટ અશોકનું અને વર્તમાનના ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ધર્માન્તર. સ્વેચ્છાએ કરાયેલ ધર્માન્તર પાછળ જે પણ કારણ હોય, એવું કરનારને એમના મતે સરવાળે ફાયદો થયો છે.

વીચારાન્તર અને મતાન્તર બે અલગ બાબત છે. મતાન્તર એ બે વ્યક્તીઓ વચ્ચેનો મતભેદ છે, જ્યારે વીચારાન્તર એ વારસાગત માન્યતાઓને છોડી નવી વીચારસરણી અપનાવવાની પ્રક્રીયા છે. માણસ પોતાનો જન્મજાત વારસો ત્યારે છોડે છે જ્યારે તેને એમાં કોઈ ખામીઓ દેખાય તેમ જ અન્યત્ર વધારે સારી સ્થીતી દેખાય.

ગ્રામ્ય સમાજના સ્થળાન્તરને લીધે સામાજીક રીતરીવાજોમાં જે ફેરફાર આવ્યા છે તે વીચારાન્તરનો એક પ્રકાર છે. અગત્યની બાબત એ છે કે આ વીશે પુરા  સમાજમાં વીચારોની સમાનતા જળવાઈ રહેવાથી નવા પ્રશ્નો ઉભા થયા નથી. ભુતકાળમાં થયેલા સમાજના ભાગલા પાછળ વીચારાન્તરના સ્વીકાર–અસ્વીકારનાં કારણો હતાં.

પશ્વીમી દેશની કોઈ વ્યક્તી ભારતીય જીવનશૈલીની અમુક બાબતો અપનાવે ત્યારે આપણી સંસ્કૃતીની શ્રેષ્ઠતાને નામે ફુલાઈએ છીએ. આવા થોડા દાખલાઓની સરખામણીએ સેંકડોગણા વધારે ભારતીયો જ્યારે હોલસેલમાં પશ્વીમી જીવનશૈલી અપનાવે છે ત્યારે એમને ‘બગડી ગયા, અધોગતી, વીનાશ’ વગેરે કહીએ છીએ. બન્ને કીસ્સાઓમાં વીચારાન્તર રહેલું છે જે દરેક માનવીનો જન્મસીદ્ધ હક છે. ફરક આપણી મનોવૃત્તીમાં છે. પોતાના વીચારોથી ભીન્ન વીચારો તરફ કોઈ આકર્ષાય તે આપણને ગમતું નથી.

વીચારાન્તર બધાં ક્ષેત્રોમાં થાય છે. આ લેખનો મુખ્ય હેતુ ધાર્મીક વીચારાન્તરનો છે. આગલી બધી રજુઆત એની પ્રસ્તાવના રુપે હતી એમ કહી શકાય. ધાર્મીક વીચારાન્તર એ ધર્માન્તર કરતાં અલગ બાબત છે. કોઈ એક ધર્મ પાળતા માણસની પોતાની ધાર્મીક વીચારસરણીમાં સ્વૈચ્છીક રીતે કરવામાં આવતા ફેરફાર તે ધાર્મીક વીચારાન્તર છે.

ધર્મનો એક અર્થ ‘ફરજ કે કર્તવ્ય’ થાય છે. બીજો અર્થ ‘નીતી, સદાચાર, પ્રામાણીકતા’ વગેરે થાય છે. ધર્મના આ ખરા અર્થ છે. જો કે વ્યવહારમાં સંપ્રદાય, પંથ, ફીરકા વગેરેના ક્રીયાકાંડને ધર્મ ગણવામાં આવે છે. આને સંસ્થાકીય ધર્મ, Organized Religion કહેવાય છે. આ ધર્મ એ માણસની ઓળખ બની જાય છે.

આ પ્રકારના ધાર્મીક ગણાતા લોકો પ્રામાણીક કે સદાચારી હોય અને ન પણ હોય. તેમ જ ધાર્મીક ન ગણાતા લોકો પણ પ્રામાણીક હોય અને ન પણ હોય. ટુંકમાં, નીતી અને સદાચારને પ્રચલીત સંસ્થાકીય/વ્યાવહારીક ધર્મથી અલગ પાડી દેવાયા છે. આ જાહેર અનુભવની વાત છે.

ધર્મની આ વ્યાવહારીક વ્યાખ્યાના સન્દર્ભમાં લોકમાનસનું વર્ણપટ, (સ્પેક્ટ્રમ) અતી વીશાળ છે. એના એક છેડે ‘પથ્થર એટલા પુજે દેવ’વાળી માનસીકતા છે, જ્યારે બીજે છેડે આવા સંસ્થાકીય ધર્મમાં સદન્તર ન માનનારા પણ છે. મોટાભાગના લોકો આ બે અન્તીમોની વચ્ચેની અનેક શક્યતાઓમાં પોતાને ક્યાંક ગોઠવી દે છે.

લેખની શરુઆતમાં વારસામાં મળતી જે બાબતોનો ઉલ્લેખ કર્યો છે, એમાંની એક છે આપણી ધાર્મીક માન્યતાઓ. બાળક જન્મે છે ત્યારે એને કોઈ પ્રકારની માન્યતાઓ હોતી નથી. એ આસપાસના વાતાવરણમાંથી પોતાની માન્યતાઓ મેળવે છે.

ગામડામાં જન્મેલા અને મોટા થયેલા લોકોનું વીશ્વ ઘણું નાનું હોય છે. તેઓ એક ચોક્ક્સ પ્રકારના ચુસ્ત ધાર્મીક વાતાવરણમાં ઉછરેલા હોય છે. એ જ એમની ધાર્મીક વીચારસરણી બને છે. શહેરમાં રહેવા છતાં આસપાસના શહેરી વાતાવરણથી અલીપ્ત એવા પોતાના નાનકડા સંકુલમાં, સમાજમાં રહેનારાઓની વીચારસરણી પણ ગામડાં જેવી જ હોય છે. બે પેઢીઓ વચ્ચે કહેવાતી જનરેશન ગેપ પાછળ ઉછેર વખતના વાતાવરણનો ફરક ખુબ મોટો ભાગ ભજવે છે. વીચારસરણીનો વારસો આપણને મળેલી ભેટ નહીં; પણ ઉધાર છે. આ એક એવી ઉધારી છે જે આપનારને પાછી કરવાની નથી હોતી; પણ એને પોતાની સમજ અને અનુભવથી કસાવી, આવનારી પેઢીને આપવાની હોય છે. જેને બીજાઓ કરતાં પોતાની જાત પર વધુ વીશ્વાસ છે તે એને અમલમાં મુકે પણ છે. જે આવું નથી કરતા તે કસાયેલી નહીં; પણ કટાયેલી, વધુ ઘસાયેલી વીચારસરણી ભાવી પેઢીને આપી જાય છે.

મોટી ઉમ્મરે ધાર્મીક માન્યતાઓ બદલવી ઘણી અધરી હોય છે; અશક્ય નથી હોતી. ક્યારેક એ બદલાય પણ છે. માણસને પોતાને કે એની નજીકની કોઈ વ્યક્તીને જ્યારે હચમચાવી દેતો ગમ્ભીર અનુભવ થાય છે ત્યારે, ધાર્મીક ન હોય એ વ્યક્તી ધાર્મીક બની શકે છે. એ જ રીતે ચુસ્ત ધાર્મીક વ્યક્તી પણ સમ્પુર્ણ પણે શ્રદ્ધા ગુમાવી શકે છે. જાત અનુભવને લીધે આવતું આ વીચારાન્તર સ્વેચ્છાએ કરેલું હોવા છતાં; લાગણીના આવેશમાં થયું હોય છે. એની પાછળ ઝાઝો વીચાર નથી હોતો.

એક નાનો વર્ગ એવો છે કે જે લાગણીના આવેશમાં નહીં; પણ વીશાળ વાચન, ઉંડો અભ્યાસ તેમ જ મનોમંથન પછી વીચારાન્તર કરે છે. એ પરમ્પરાગત ધાર્મીક માન્યતાઓથી વીમુખ થાય છે. એની આ વીમુખતા સંસ્થાકીય ધર્મ પ્રત્યે હોય છે. ધર્મના આદર્શો, નીતી, પ્રામાણીકતા, ફરજ વગેરે પ્રત્યે નથી હોતી. છતાંય ધાર્મીક સમાજ એમને નાસ્તીક માને છે.

આ રીતે પોતાની માન્યતાઓ બદલનાર વીચારોના ક્રાન્તીકારી કહેવાય છે. તેઓ પોતાના સમયથી ઘણા આગળ હોય છે. વૈચારીક ક્રાન્તીકારો સાચા કે ખોટા ઠરી શકે છે, સફળ કે નીષ્ફળ થઈ શકે છે; પણ અજ્ઞાની તો ક્યારેય નથી હોતા. એમને અજ્ઞાની માનનાર પોતાના જ અલ્પજ્ઞાનનું પ્રદર્શન કરે છે.

ધાર્મીક ક્ષેત્રના આધુનીક ક્રાન્તીકારો પોતાને ઉદાર મતવાદી, વાસ્તવદૃષ્ટા, વીવેકબુદ્ધીવાદી, રૅશનલ થીન્કર વગેરે ગણે છે. આ બધામાં થોડો ફરક ખરો; પણ મુખ્ય પ્રવાહથી તેઓ ઘણા અલગ છે. વર્તમાન ભારતમાં રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રે કેટલાક રૅશનલ નેતાઓ થઈ ગયા છે. જવાહરલાલ નહેરુ એમાંના એક હતા. આ નેતાઓને ધાર્મીક પ્રજા સાથે કામ કરવાનું હોવાથી પોતાના રૅશનલ વીચારોને મોખરે લાવવું વાજબી નહોતું માન્યું. એમના મુખ્ય કાર્યક્ષેત્રમાં એ બાધારુપ બનત. છતાં જરુર પડે તેઓ પોતાના વીચાર છુપાવતા પણ નહોતા.

વીચારાન્તર એ વીચારધારાની જનેતા છે. લાંબા ગાળાના પ્રશ્નોનો ઉકેલ શોધવો હોય તો ચીલાચાલુ ઘરેડથી દુર જવું પડે છે. જો કોઈએ પણ વીચારાન્તર ન કર્યું હોત તો માનવસમાજ જરાપણ પ્રગતી કરી શક્યો ન હોત. વૈશ્વીક સ્તરે આ પ્રકારના વીચારાન્તર આર્થીક, સામાજીક, રાજકીય, બધાંય ક્ષેત્રે થતાં જોઈ શકાય છે.

ધાર્મીક વીચારાન્તરના સન્દર્ભમાં જોઈએ તો દુનીયાના બધા જ ધર્મ પરીવર્તકોને તત્કાલીન ધાર્મીક વીચારધારાઓમાં જે ખામીઓ જણાઈ એનો તેમણે વીકલ્પ શોધ્યો હતો. એમની તપસ્યા, ધ્યાન, ચીન્તન, સાધના જે પણ કહીએ તે એક પ્રકારનું વીચારાન્તર જ હતું. એમની નવી વીચારધારાને પણ તરત સફળતા નહોતી મળી.

ભારતમાં મહાવીર અને બુદ્ધને તત્કાલીન વૈદીક–સનાતન ધર્મમાં ખામીઓ જણાઈ એટલે જ એમણે પોતાની નવી વીચારધારા શરુ કરી. પણ તેઓ છેલ્લા નથી. એમના પછી પણ નવી અને ભીન્ન ધાર્મીક વીચારધારાઓ આવતી રહી છે. અહીં મુદ્દો કોણ વધુ સાચું કે સારું એનો નથી. મુદ્દો છે કોઈપણ વીચારધારા શાશ્વત કે સનાતન ન હોવાનો છે. જ્યાં સુધી કોઈ ચોક્કસ વીષય પર માનવ સમાજમાં પાયાના મતભેદ છે ત્યાં સુધી એ વીષય પરનું કોઈપણ ધાર્મીક વીચારધારાનું કથન સર્વવ્યાપી સર્વકાલીન સત્ય તરીકે સ્વીકારી શકાય નહીં.

દુનીયાના બધા જ સંસ્થાકીય ધર્મો વચ્ચે થોડી સમાનતા અને થોડી વીષમતા રહેલી છે. એમના વચ્ચેની સૌથી મોટી સમાનતા છે રહસ્યવાદની. કોઈપણ ધાર્મીક વીચારધારા એનાથી બાકાત નથી રહી. એનું મુખ્ય કારણ એ છે કે માણસને જન્મજાત રીતે રહસ્યમય વાતો ગમે છે. ‘લોજીક’ કરતાં ‘મેજીક’માં વધુ મઝા આવે છે.

જે પ્રશ્નોનો બધાને ગળે ઉતરે એવો ચોક્કસ ઉકેલ નથી તેને રહસ્ય કહેવાય છે. એના જુદા જુદા ચીન્તકો દ્વારા અપાયેલ જવાબ રહસ્યવાદ બની જાય છે. વીશેષમાં ધર્મપ્રણેતાઓને નામે આજે જે ફેલાવવામાં આવે છે તેની વીશ્વસનીયતા પણ સંશયાત્મક છે. દરેક ધર્મના આટલા ફાંટા, એમાં પાછળથી કરવામાં આવેલી ભેળસેળનું તેમ જ મનફાવતાં અર્થઘટનોનું પરીણામ છે. ધર્મોમાં મોજુદ રહસ્યવાદનો મોટો ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યો છે. કાળક્રમે થઈ ગયેલા ધર્મગુરુઓ પોતાનો નવો પંથ કે સમુદાય સ્થાપવા આ રહસ્યવાદને થોડાં જુદાં સ્વરુપે રજુ કરતા રહ્યા છે. એના વડે કેટલાયે અઘરા પ્રશ્નોના ઉત્તર સહેલાઈથી આપી શકાય છે અથવા એમને સદન્તર ટાળી શકાય છે.

આ રહસ્યવાદ મુખ્યત્વે સ્વર્ગ, નરક, પુનર્જન્મ જેવા વીષયો વીશે છે. માનવ– સમાજ પાસે દરેક રહસ્યમય વીષય પર કેટલાક અલગ મત પ્રવર્તે છે. એક વીષયના આવા ભીન્ન મત બધા તો સાચા ન હોઈ શકે. કદાચ કોઈ એક સાચો હોઈ શકે; પણ કોનો ? જો પાંચમાંથી ચાર ખોટા હોય તો પાંચેપાંચ ખોટા હોઈ શકે છે. આપણી પાસે અત્યારે સર્વમાન્ય ઉકેલ નથી એટલા માટે કોઈએ ભુતકાળમાં આપેલ ગમે તે ઉકેલ સાચો નથી બની જતો. વાસ્તવમાં કેટલીયે પુરાણી ધાર્મીક માન્યતાઓ ખોટી સાબીત થઈ છે. એ જ બતાવે છે કે બધી રહસ્યમય માન્યતાઓ માટે ખુલ્લી દૃષ્ટી રાખવી જરુરી છે.

ભુતકાળમાં જેમણે રહસ્યવાદરહીત માત્ર નૈતીક વીચારધારા ફેલાવવાની કોશીશ કરી હતી તે સફળ નથી થયા. એમની નીષ્ફળતાનું કારણ રહસ્યપ્રેમી માનવ પ્રકૃતી ઉપરાન્ત ભુતકાળમાં તાર્કીક કે વૈજ્ઞાનીક રીતે વીચારવાનો બહુધા અભાવ હતો.

વર્તમાનની રાજકીય, આર્થીક, સામાજીક વગેરે બધી જ વીચારધારાઓ પશ્વીમના દેશોમાં શરુ થઈ આખી દુનીયામાં ફેલાઈ રહી છે. સ્વેચ્છાએ કે અનીચ્છાએ બધા દેશો તે અપનાવી રહ્યા છે. ધાર્મીક ક્ષેત્ર અતી સમ્વેદનશીલ હોવાથી તે સૌથી છેલ્લે આવશે. તે ધર્માન્તર સ્વરુપે નહીં; પણ ધાર્મીક વીચારાન્તર સ્વરુપે હશે.

મધ્ય યુગમાં પશ્વીમમાં પણ રહસ્યવાદ અને અન્ધશ્રદ્ધા મોટે પાયે અસ્તીત્વમાં હતાં. ત્યા વર્તમાન યુગ પાંચસો વરસ પહેલાં શરુ થયો હોવાથી આ બધું હવે ઘણું ઓછું થઈ ગયું છે. ભારત એકસાથે બધા યુગોમાં જીવે છે. એટલું જ નહીં; ઘણી વ્યક્તીઓ પણ જુદા જુદા સમયમાં જીવતી હોય છે. ધંધા–વ્યવસાયની બાબતમાં એકવીસમી સદીમાં જીવનાર માણસ સામાજીક રુઢીઓ બાબતે ઓગણીસમી સદીમાં અને ધાર્મીક માન્યતાઓ સંદર્ભે ચૌદમી સદીમાં જીવતો હોય એ સામાન્ય બાબત છે.

ટુંકમાં, પશ્વીમના વીકસીત દેશોમાં રહસ્યવાદ હજી કેટલેક અંશે ચાલુ છે જ્યારે ભારત સહીત પુર્વના અન્ય દેશોમાં તાર્કીક/ વૈજ્ઞાનીક વીચારધારા પ્રસરી રહી છે. એટલે પુર્વ–પશ્વીમના શબ્દ પ્રયોગને બદલે જુની દુનીયા અને નવી દુનીયાનો શબ્દપ્રયોગ વધુ યોગ્ય રહેશે.

હવે જ્યારે વૈજ્ઞાનીક વીચારસરણીને જગતના ભૌતીક પ્રશ્નો ઉકેલવામાં વ્યાપક સફળતા મળવા લાગી છે ત્યારે રહસ્યવાદમાં ન માનનારાઓને આશાનું કીરણ દેખાય છે. એમના પ્રયત્નો પથ્થર પર રેડાતા પાણી નહીં; પણ બાલદી પાણીમાં ઉમેરાતા રંગનાં થોડાં ટીપાં બનવાની પુરી શક્યતાઓ છે. પાંચ હજાર વરસ જુના રહસ્યવાદે માનવ સમાજનું જેટલું ભલું કર્યુ છે એનાથી વધારે ભલું છેલ્લાં બસો વરસમાં વૈજ્ઞાનીક શોધોએ કર્યું છે. આ તો હજી શરુઆત છે.

જે ઝડપે દુનીયાનું એકીકરણ થઈ રહ્યું છે તે જોતાં એમ લાગે છે કે એકવીસમી સદી વીવીધ ધાર્મીક વીચારધારાઓની પીછેહઠ અને એકમાત્ર ‘નૈતીક વીચારધારા આધારીત માનવવાદ’ની સદી તરીકે વીદાય લેશે. એનો યશ કોઈએક વ્યક્તીને નહીં પણ વૈજ્ઞાનીક/તાર્કીક વીચારસરણીને અનુસરતા સમુદાયને જશે. શુદ્ધ નૈતીકતામાં વૈવીધ્ય કે રહસ્યને સ્થાન નથી.

એક ધાર્મીક વીચારધારામાં અનેકાન્તવાદને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. અનેકાન્તવાદ એ માત્ર વીવાદને નીવારવાનો સમાધાનકારી માર્ગ નથી. સાચો અનેકાન્તવાદ તો ભીન્ન વીચારધારા પર પુરતો વીચાર કરી, જો વાજબી લાગે તો અપનાવવામાં છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com  

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્ર ‘પગદંડી’ માસીકના ૨૦૦૮ના માર્ચ માસના અંકમાં અને  કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના ૨૦૧૦ ના જુન માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ જરુરી ફેરફાર સાથે, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

♦● રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Appartments, B Wing, Opp. Balaji Garden, Sector 12, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 11/01/2013                

()()()

22 Comments

  1. I am very thankful to author for a very good article to think & improve our life. He is pretty much right.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. રહસ્યવાદ, સ્વર્ગ, નરક, જન્મ, પુન:જન્મ કે કર્મ એ ભારતના ઋષી મુનીઓની ભેટ છે.

    પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ફરે છે એ સીધી સાદી વાત સમજવામાં એ ઋષી મુનીઓ કે એમના અનુયાયીઓને સમજવામાં હજી સમય લાગશે.

    આજે નેટ પર સમાચાર છે કે પૃથ્વી, સુરજ વગેરેની બનેલી દુધ ગંગા કે મીલ્કીવે ગેલેક્ષીથી પાંચ ગણી મોટી એનજીસી ૬૮૭૨ નામની ગેલેક્ષીની એક છેડાથી બીજા છેડા સુધીની લંબાઈ ૫૨૨૦૦૦ પ્રકાશ વર્ષ છે અને એ પૃથ્વીથી ૨૧૨ મીલીયન પ્રકાશવર્ષ દુર છે.

    અંગ્રેજી માધ્યમની શાળાઓમાં બાળકો શીખતા જશે એમ આ ઋષી મુનીઓની પોલ ખુલતી જશે.

    લેખક શ્રી મુરજીભાઈ ગડાએ અંતમાં ઠીક જણાવેલ છે કે જેમ જેમ દુનીયાનું એકીકરણ થશે એમ લોકો સુખી થશે.

    Like

    1. માફ કરજો વોરાસાહેબ, પણ આપ આર્યભટ્ટને યાદ કરી લો તો વધારે સારુ. ઋષિમુનીઓ સુધી નહી જવું પડે.

      Like

      1. પૃથ્વી ઉપર ૭૦૦ કરોડથી વધારે લોકો વસે છે.

        એમાંથી કોપરનીકસ, ગેલેલીયો કે શીતળા રસી શોધક એડવર્ડ જેનરના નામ પ્રાથમીક શાળાના બાળકોને ખબર હશે પણ આર્યભટ્ટના નામ અને કામ વીસે માંડ માંડ ગણ્યા ગાંઠ્યાને ભારતમાં ખબર હશે.

        આર્યભટ્ટને યાદ કરવાથી મંત્રના ઉચ્ચાર સંસ્કૃતમાં કેમ કરવા એ જ થાય છે.

        Like

      2. પૃથ્વી પરની વસ્તિના આંકડાઓથી જ્ઞાનનું માપ ન નીકળી શકે, જાણકારી ન હોય તો સત્ય બદલાઈ જતું નથી અને આ તો તમે ‘ઋષિઓની પોલ ખુલી જશે’ એમ લખ્યુ, એટલે જાણ કરવી પડી. ખરેખર તો પોલ ખુલશે તો સત્ય બહાર આવશે.
        હું ગણ્યા-ગાંઠ્યામાં આવું છું તે જાણી આનંદ થયો.
        http://en.wikipedia.org/wiki/Aryabhata

        Like

  3. મીત્ર મુરજીભાઈ ગડાના લેખની શરુઆતમાં ગોવીન્દભાઈ મારુએ જણાવેલ છે કે હાલ નવી મુંબઈ સ્થળાંતર કરેલ છે.

    મુંબઈની બાજુમાં નવી મુંબઈ શહેર બનાવવામાં આવેલ છે અને બન્ને વચ્ચે વાસીની ખાડી કે ઠાણે ક્રીક્ર આવેલ છે.

    આવડી મોટી દરીયાની ખાડીમાંથી પોલીયોના વાઈરસ મળી આવે એ વીજ્ઞાનને આભારી સમજવું.

    મુંબઈથી નવી મુંબઈ હાર્બર ટ્રેનમાં જઈએ તો નવી મુંબઈમાં પહેલું સ્ટેશન વાશી આવે. પછી સાનપાડા, જુઈ નગર, નેરુળ, સી વુડ દારાવે અને બેલાપુર સીબીડી રેલ્વે સ્ટેશન આવે.

    વાસીના રેલ્વે સ્ટેશનની બીલ્ડીંગને ઈન્ટરનેશનલ ઈન્ફો પાર્ક કહેવામાં આવે છે.

    શાયન પનવેલ અને પનવેલ પુના મહા માર્ગ મોટો એક્ક્ષપ્રેસ હાઈવે અહીંથી પસાર થાય છે.

    જેના પર યુવાનો ઝડપથી ગાડીઓ ચલાવતા હોય છે અને અકસ્માત કરે છે. અકસ્માત માટે આ હાઈવે પ્રખ્યાત છે.

    મુંબઈનો પોલીસ કમીશનર હોય કે મ્યુનીસીપલ કમીશનર. આ હાઈવે પર જતાં ડરી ભગવાનને જરુર યાદ કરે છે…..

    Like

  4. રહસ્યવાદ,પુનર્જન્મ, સ્વર્ગ નર્ક. એ એકલા ભારત્ના જ ઋષિ મુનીયો નથી કહેતા .બધા ધર્મવાળા એક નહી તો બીજી રીતે આવું માને જ છે. પણ ભારતના તત્વ્વેત્તા બૃહસ્પતિએ તો એવું પણ કીધું છેને કે इन्सान जब मरता है तब उसका वजूद ख़त्म हो जाता है उसका न जात होजाता है.. इन्सांके अंदरसे कोई शे निकल कर बहार जिंदा नहीं रह सकती, इन्सान एक गैर फानी रूह नहीं रखता.

    Like

    1. એ જ રીતે, “હમકો માલુમ હૈ જન્નતકી હકીકત લેકિન, દિલ બહાલાનેકો ગાલીબ યે ખયાલ અચ્છા હૈ।”
      🙂

      Like

  5. શ્રી મુરજીભાઈની ખૂબ સરસ વિચારધારા અને ઍનાલિસિસ.
    અંતરમાંથી ઉદ્ભવેલું પરિવર્તન એ વ્યક્તિગત વિકાશ તરફ લઈ જાય છે. પ્રચારાત્મ્ક પરિવર્તન માનસિક સંઘર્ષ વધારે છે..
    ખૂબ સરસ પોસ્ટ ગોવિંદભાઈ.
    પ્રવીણ શાસ્ત્રી.

    Like

  6. ખુબ જ સુંદર લેખ.
    હજારો વર્શોથી વરતાતા ક્રિયાકાંડ-હોમહવન-પુજાપાઠ-્ટિલાટપકા-પુર્ન્જન્મ-કર્મના સિંધ્ધાંતની માન્યતા જેવા અંધ્ધશ્રધ્ધાના દુશણોમાથી મુકત બનતા હજી થોડા દાયકા લાગશે.
    કબીરજી કહે તેમ ” આપ મુએ પિછે ડુબ ગઈ દુનિયા”-

    Like

  7. Thouhght provoking and truthful (Reality) article. Congratulations. My thoughts are…….

    (0) Dear Govindbhai and family,
    Wish you all the best at your new “Shtharanter” place and Home Sweet Home. We wish health, peace of mind, and progress with prosperity in your new ‘Family Home’.

    (1) The article starts with……’We born with family values, characteristics and …lables of religion, cast, subcast and what not…….’………2nd paragraph of this article is a universal truth. The whole artile is reality represented.

    Very true.

    (2) The subjects….”Shtharanter”, “Dharmanter”, “Vicharanter”….I feel, they are interlinked. History of last 200 years of Hindus, Muslims, Christians does tell about these subject’s links and interdependance.

    (3) Gandhiji’s, Autobiography “Satyana Prayogo, is providing some thoughts in Chapter No: 15…” Dharmic Manthan”. Also Chapter No: 22…”Dharmanirikshan”.
    Also, the life of Ramdas, Gandhiji’s son is a case to study for DHARMANTER.

    (4) In BHARAT, (India), even today there is none is INDIAN or BHARTIYA. Everybody is living with the lables of Cast, sub cast, and the name of the state.
    e.g. Gujarati, Marathi, Bengali, Tamil, Rajashthani, UPan, and …Vaniya, Brahmin, Mochi, Ghanchi, Suthar, Luhar, Hajam, Koli, Dubra, and……………..

    (5) In America, even today we have associations based on state of origin and cast / sub cast lables.

    (6) For my social articles, I have created one character, named Maneklal. This persons birth and philosophy of life are explained as…………

    One day in the early morning sant shri Laluprashadji of a Ashram, while having morning walk in Manek chawk, finds a abondened boy /child. He tries to find out the childs parents but could not find. He takes this boy to his Ashram. He names him…MANEKLAL.
    When Maneklal grows up, he comes to America and starts helping people in their hard time…..He does not believe in any religion. His dharma is MANAVDHARMA. He was telling people of all religions coming to attend GYANGOSTI at his place that, because Laluprashadji found me, he gave me this name…Maneklal. If, a muslin would have found me, he would have givemn me the name…Mohamad and likewise a Christian would have done. That is why I am human first and my religion is humanity.

    (7) Dharmanter is well known fact of our India. Poor and lower cast people’s transformation into other religions was a fact.

    Like

  8. સ્થળાંતર અને વિચારંતર વિષે ની હકીકત વિષે નો લેખ ગમ્યો. પણ ભારત માં આ વિષે
    અમુક જ્ઞાતિઓ એ આ પ્રવાહ નો લાભ લીધો નથી તેનું કારણ ફક્ત રાજકારણ છે.
    આદિવાસી અને અન્ય શુદ્ર અને પિછડી જાતિના લોકો ને સરકારે મતબેંકનો લાભ લેવા
    આ પ્રજાને સહાયો આપી આપી ને તેમને આર્થીક અને સામાજિક એમ બેઉ રીતે ત્યાં ના
    ત્યાં જ રહ્યા તે હકીકત પણ તેટલી જ સત્ય છે. આ જાતિઓને હજુ પણ સરકારી સહાય આપીને
    ઠેર ના ઠેર રાખવાનો અને પછી તેમને આપતી સહાયો ના નામે કરોડો રૂપિયા કમાવવાનો એક
    પેતરો આઝાદીથી ચાલતો આવ્યો છે. સવર્ણો આવી ભ્રામિક અને છેતરામણી સહાયો થી
    વંચિત રહ્યા જેના લીધે આ વર્ગ આજે સારી જિંદગી મહેનત અને ઈમાનદારીથી અને
    સંતોષપૂર્વક જીવી રહ્યો છે. આ વર્ગ આર્થિક રીતે આગળ નીકળી જવાથી ગામડા માં હજી પણ
    પેલા પિછડી જાતિના લોકો ઈર્ષાના ભાવથી જોવે છે. પણ તેઓને મહેનત કે સ્થળાંતર કરી
    સુખી થવાના સપના જોવાની આદત છેજ નહિ અને પછી તે પિછડી જ રહે તેમાં તેવોનુ
    અને સાથે સાથે કોંગ્રેસ સરકારોનું પણ ભલું થાય છે. આમજનતા ના પસીનાના કમાયેલા પૈસાથી
    પછી આવી સખાવતો ક્યાં સુધી ??. દુનિયા માં બધું બધા માટે છે તો પણ કેમ આમ ???
    કેમ કે પેલી મહેનત કરવાની વૃત્તિ નો વિકાસ થતો જ નથી તેમનામાં. તેવો તેમની જાત ને ત્યાં જ છે તે
    બરાબર છે એમ સમજી સરકારની નવી નવી મફતિયા યોજનાઓ ની રાહ જોતા હોય છે.
    પણ જે કોક તેમનામાંથી બહાર નીકળ્યા તે ખુબ સુખી થઇ શક્યા અને પ્રવાહ માં ભળી શક્યા.
    મારો સમાજ જે પહેલા આર્થિક રીતે ખુબ નબળો હતો તે આજે બધી રીતે ખુબ જ આગળ
    નીકળી ગયો અને તે પણ સરકારની કોઈ પણ મદદ કે સહાય કે સરકારી નોકરી વિના .કેમ આમ ??
    આજે સમાજ માં લાખો નહિ પણ અસંખ્ય કરોડપતિઓ છે. કેમ ?? કેમ કે તેમને કદી સરકારી સહાયની
    લાલચ રાખી નથી અને લીધી પણ નથી. મહેનત થકી જ તે આ સુખ મેળવી શક્યા છે તે નિર્વિવાદ છે.
    અને તેમાં તેમને આનંદ છે .

    Like

  9. શરૂઆતથી જા કંઈક ગળે ના ઉતરે એવી દલીલો, જેમકે “વ્યક્તીગત ધોરણે હોય કે સમુદાયમાં હોય, સ્વેચ્છાએ સ્થળાન્તર કરનારે સરવાળે વધુ પ્રગતી કરી છે. આ વાતને બીજી રીતે પણ કહી શકાય. જેણે જન્મજાત વારસાનું બંધન ઢીલું કર્યું છે, તે વધુ પ્રગતી કરી શક્યો છે. ” આ તો 2+2=4 થાય એટલે એમા કહી શકાયા કે 100+100=400 થાય એ પ્રકારનું ગણિતા થયું, ખરૂં કે નહિ? આગળ જતા લેખક લખે છે કે “વીચારસરણીનો વારસો આપણને મળેલી ભેટ નહીં; પણ ઉધાર છે.” પણ પાછું તરત જ સિદ્ધા કરવામાં આવે છે કે તે પાછું ચુકવવાનું નથી હોતું આવનારી પેઢીને આપવાનું હોય છે. આ તો તાર્કિક પોકળતા થઈ, એવું તે કયું ઉધાર હોયા જે ચુકવવાનું ના હોય પણ બીજા કોઈના ગળામાં ભેરવવાનું હોય?

    “એમને અજ્ઞાની માનનાર પોતાના જ અલ્પજ્ઞાનનું પ્રદર્શન કરે છે.” આ તો બેઠે બેઠી જે સનાતન ધર્મના શાસ્ત્રો અને ઋષિઓની બદાઈ કરવામાં આવે છે તેની જ પ્રેરણા લઈને તેમનું જા ઉઠાઁતરી કરેલું વાક્ય છે, આ તે કેવી ધૃષ્ટતા?

    “વર્તમાનની રાજકીય, આર્થીક, સામાજીક વગેરે બધી જ વીચારધારાઓ પશ્વીમના દેશોમાં શરુ થઈ આખી દુનીયામાં ફેલાઈ રહી છે.” કોણે કીધું? કૌટિલ્યનું નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એ આજના તે શાસ્ત્રોનો પાયો છે, અને આ કૌટિલ્ય એ કોઈ પશ્ચિમનો નહિ પણ આપણા અધમ પૂર્વનો જા હતો, અને દુર્ભાગ્યે આપણા ભારતનો જા હતો (કદાચ લેખકા શ્રી એમ નહતું તે પર 100+100=400 વાળી કોઈ થિયરી અજમાવીને પુરવાર કરી શકે) “સ્વેચ્છાએ કે અનીચ્છાએ બધા દેશો તે અપનાવી રહ્યા છે.” સ્વેચ્છાએ કેટલું અને અનિચ્છાએ કેટલું? અગાઉ લેખક અનિચ્છાએ ધર્માંતર કરેલાઓને અલગ વર્ગમાં મુકે છે અને કહે છે કે તેથી ખાસ લાભ થતો નથી, તો અહિં અનિચ્છાએ અને સ્વેચ્છાએ થયેલા પરિવર્તનને ફક્ત લેખકની સગવડ ખાતર જ એકા સાથે એકા જ વર્ગમાં રહેવા દેવાની કેમકે આંકડો મોટો દેખાય? “ધાર્મીક ક્ષેત્ર અતી સમ્વેદનશીલ હોવાથી તે સૌથી છેલ્લે આવશે. તે ધર્માન્તર સ્વરુપે નહીં; પણ ધાર્મીક વીચારાન્તર સ્વરુપે હશે.” આ કેમ માની લેવું? ફક્ત લેખક કહે એ બધુ સત્ય એટલે? શાસ્ત્રોમાં પેલું લખ્યું છે ને કે વ્યાસો બ્રુતે ના સંશય: એવું રેશનલ વિચારધારામાં પણ ક્યાંય લખ્યું છે કે “રેશનલ લેખક બ્રુતે ના સંશય?”

    “મધ્ય યુગમાં પશ્વીમમાં પણ રહસ્યવાદ અને અન્ધશ્રદ્ધા મોટે પાયે અસ્તીત્વમાં હતાં. ત્યા વર્તમાન યુગ પાંચસો વરસ પહેલાં શરુ થયો હોવાથી આ બધું હવે ઘણું ઓછું થઈ ગયું છે.” શું ખરેખર? અને વાંચકો આ દલીલને સ્વિકારે છે પણ ખરા? 100-150 વરસ પહેલાનું પશ્ચિમ જરા ચકસી જુઓ, કેટલી અંધશ્રદ્ધા, સમાજમાં સ્ત્રિઓને મળતા હક્કો, વગેરેમાં બહુ મોડેથી પરિવર્તન આવ્યું છે, 500 વર્ષ ઘણી અતિશયોક્તિ છે.

    મને તો એકંદરે તાર્કિક રીતે પોકળ લાગેલો લેખ, પણ લાગે છે કે ધર્મનું આંધળું અનુકરણ કરનારા લોકોની ટિકા કરનારા બૌદ્ધિકો પણ એ દુષણથી બચી શકતા નથી, જે આવા લખાણની વગર વિચાર્યે વાહવાહ કરનારા લોકો પરથી ફલિત થાય છે.

    Like

    1. શ્રી વ્યાસ સાહેબ:
      આપે એમ લખ્યું છે કે “આ કેમ માની લેવું? ફક્ત લેખક કહે એ બધુ સત્ય એટલે? “.

      અરે સાહેબ, રશાનાલીઝ્મ ની એ જ તો ખૂબી છે કે અહીં ‘બાવો બોલ્યા તે બ્રહ્મવાક્ય’ તે નથી ચાલતું! લેખકે જે કહ્યું તે તમને પોતાની વિવેકબુદ્ધિથી ગળે ઉતરે તો માનવું ને ના ઉતરે તો ના માનવું. શ્રી ગોવિંદભાઈ એ તો ગૌતમ બુદ્ધ નું સુવાક્ય મથાળે જ મુક્યું છે – કોઈ ના કહેવાથી સાચું ના માનવું – પોતાની વિવેકબુદ્ધિ જેમ કહે તેમ કરવું. આપને જે વાત ગળે ના ઉતરે તે કદાચ બીજાને ઉતરે પણ ખરી ને વળી ત્રીજાને તો દીવા જેવી સ્પષ્ટ લાગે, એમ તો બને ને? લેખકનું કામ તો ફક્ત વાત ની રજૂઆત કરવાનું છે. આપણું કામ મનોમંથન કરવાનું છે.

      બીજી થોડી આપની વાત પણ અજુગતી લાગે છે. ઇતિહાસમાં લાખો ઉદાહરણો છે, કે જે લોકો સ્વેચ્છાએ સ્થળાન્તર કરે છે તે ઘણું-ખરું કૈંક પામવાની ધગશથી આગળ વધે છે, કદાચ તેમનામાં વધુ શક્તિ કે ઉમંગ હશે! પણ સ્થળાન્તર કરવાથી, કોઈ અજાણી પ્રજા સાથે ભળવાથી, કૈંક જુદું જોવા-જાણવાથી, માણસનો અભિગમ બદલાય છે અને દૃષ્ટિ વિશાળ થાય છે તેમાં બે મત નથી. જુનવાણી વિચારોમાં ના થોડા વિચારો તે વ્યક્તિ છોડે છે અને તેથી તેમની પ્રગતિ થાય છે। એમાં કોઈ ખોટું ગણિત નથી – માનવ જાતિના ઉદય કાળથી લઈને આ બનતું આવ્યું છે. લાખો વર્ષ પહેલા આપણા પૂર્વજોમાંના જે ઝાડ પર બેસી રહ્યા તે વાનર રહ્યા ને જે નવા ખોરાકની શોધમાં દરિયા-કિનારે પહોંચ્યા, તે માણસ (homo sapiens) બન્યા. આજથી પચાસ-હજાર કે એંશી-હજાર વર્ષો પહેલા, આફ્રિકાથી હજારો વર્ષની ખેપ મારીને જે ભારત કે યુરોપ ગયા તે આર્થિક રીતે કે સંસ્કારીક રીતે વધુ વિકસ્યા, ને જે ત્યાં રહ્યા તે પછાત રહ્યા. આજે પણ જે મહેનત કરીને ક્યાંક બીજે જાય છે, તે વધુ સમૃદ્ધ થાય છે ને જે ત્યાં ને ત્યાં બેસી રહે છે, તે વંચિત રહે છે, પછાત રહે છે. આ તો બધાને ગળે ઉતારે તેવી સ્પષ્ટ વાત છે, તો બોલો, એમાં ખોટું ગણિત ક્યાંથી આવ્યું?

      બીજા એક ફકરામાં કદાચ આપની ગેર-સમજ થઇ છે, લેખકે એમ નથી કહ્યું કે પાંચસો વર્ષ પહેલાં પશ્ચિમમાં અંધ-શ્રદ્ધા નાબુદ થઇ ગઈ હતી – પણ પાંચસો વર્ષ પહેલાં પશ્ચિમમાં વર્તમાન યુગ અને પરિવર્તનની શરૂઆત થઇ, જેના ફળો આજે જોવા મળે છે. ત્યાં દોઢસો વર્ષ પહેલા પણ અંધશ્રદ્ધા હતી અને આજે પણ છે, પણ બેઉ કિસ્સામાં આપણા કરતા ઘણી ઓછી, કારણકે લગભગ પાંચસો વર્ષ પહેલા ત્યાં પરિવર્તન ની શરૂઆત થઇ હતી. આ વર્તમાન યુગ અને પરિવર્તનની શરૂઆતનો ઉલ્લેખ તો ઇતિહાસના બધા પુસ્તકો માં છે (beginning of renaissance).

      આશા રાખું છું કે આપણે આ બ્લોગ પર વિવેકબુદ્ધિ વાળા વિચારોની વિનયપૂર્વક આપ-લે કરી શકીશું – વ્યક્તિગત હુમલા વગર (બીજા વાચકોના મને થયેલા અનુભવો પર થી કહું છું – આપની પ્રત્યે નહિ).

      સવિનય,
      A. Dave (દવે)

      Like

      1. વાહ વાહ !!!!
        @ A. Dave (દવે) :
        …..લાખો વર્ષ પહેલા આપણા પૂર્વજોમાંના જે ઝાડ પર બેસી રહ્યા તે વાનર રહ્યા ને જે નવા ખોરાકની શોધમાં દરિયા-કિનારે પહોંચ્યા, તે માણસ (homo sapiens) બન્યા. આજથી પચાસ-હજાર કે એંશી-હજાર વર્ષો પહેલા, આફ્રિકાથી હજારો વર્ષની ખેપ મારીને જે ભારત કે યુરોપ ગયા તે આર્થિક રીતે કે સંસ્કારીક રીતે વધુ વિકસ્યા, ને જે ત્યાં રહ્યા તે પછાત રહ્યા…….

        Like

  10. ધવલભાઈ તમારી વાત બિલકુલ સાચી છે કે અહી ફક્ત વાહ વાહ જ કરવાની હોય.
    ધર્માંતરણ મોટે ભાગે બળજબરીથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કરાવે છે અને તે જગ જાહેર છે.
    રેશનાલીસ્તો આપણા હિંદુ ધર્મની ટીકા વધુ કરે છે જેનાથી સામાજિક જીવન જોખમાશે અને
    આવતી પેઢી ને નુકસાન થશે. અને જેનો દાખલો વી. કે. વોરા છે જેમને હિન્દુઓનું કોઈ પણ
    સંસ્કૃતિક કે ધાર્મિક કે કર્મ કે ક્રિયા કાંડ મંજુર નથી. જીવન માં ઉત્સવો ની પણ એટલી જ જરૂર છે
    ભલે પછી તે ધાર્મિક કેમ ના હોય . જીવન માં સત્ય ની સાથે શિવમ અને સુન્દરમ પણ એટલું જ
    મહત્વનું છે

    Like

    1. હીન્દુઓમાં દંભ દાખલ થઈ ગયેલ છે.

      જેમકે મીયાભાઈની ટંગળી ઉંચી તે ઉંચી.

      માથા વગરનું ધડ ત્રણ દીવસ સુધી લડાઈ કરતું હતું અને એ યાદગીરીનું આ પાડીયું કે ગામે ગામ પાડીયા છે.

      પછી તો મેળાઓ અને ઉત્સવો થવા માંડ્યા…

      Like

    2. અરે જોશી સાહેબ, આપણે આજે મહિનાઓ પછી પાછા ઠેર ના ઠેર આવી ઉભા રહ્યા છીએ! આપણે આ પહેલા કેટલી બધી વખત વાત થઇ છે કે આપણે હિંદુ ધર્મ માં ઉછર્યા હોઈએ ને તે વધુ જાણતા હોઈએ તો તેના વિષે લખીએ. આજે જગતમાં ઘણા મુસ્લિમો ઇસ્લામમાં આવેલ સમસ્યાઓને વખોડે છે, અને ખ્રિસ્તીઓ તેમના ધર્મને. જેને જે ખબર હોય તેના વિષે તે લખે. અને છતાં મેં પોતે આપને પહેલા બીજા ધર્મના પણ ઉદાહરણો આપેલા છે.

      અને આ બ્લોગ તો “રશાનાલીઝ્મ” નો છે, હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તી ની લડાઈ નો નહિ. છતાં આપને એ જ મુદ્દો કેમ પકડી રાખવો છે તે સમજાતું નથી. અને આપ લેખનો મૂળ મુદ્દો તો ચુકી ગયા લાગો છો. લેખકે લખ્યું છે કે “ધાર્મીક ક્ષેત્ર ,,, સૌથી છેલ્લે આવશે. તે ધર્માન્તર સ્વરુપે નહીં; પણ ધાર્મીક વીચારાન્તર સ્વરુપે હશે.” અને “એકવીસમી સદી વીવીધ ધાર્મીક વીચારધારાઓની પીછેહઠ અને એકમાત્ર ‘નૈતીક વીચારધારા આધારીત માનવવાદ’ની સદી તરીકે વીદાય લેશે.”. તો આપણે આ બાબતને ધર્મો વચ્ચેની લડાઈ તરીકે લેવાને બદલે એ સમજવા પ્રયત્ન કરીએ કે અંતે તો આ બધાએ ધર્મો ઉણા ઉતરશે અને એકમાત્ર ‘નૈતીક વીચારધારા આધારીત માનવવાદ’ નો વિકાસ થશે।
      સવિનય,
      A. Dave (દવે)

      Like

  11. Friends,
    To meet with the philosophy of these subjects, I would reccomend to see a movie named, LIFE OF PAI. A Hollywood movie with Indian background & philosophy. please do not miss. This movie is reccommended for Oscar & Golden Globe awards 2013.

    Like

  12. બહુ સરસ તહેવાર ની વાતો હતી .પણ
    नई तःज़िब्मे दिक्कत जियादा तो नहीं होती
    मज़ाहब रहते है कायम फकत इमां जाता है

    Like

Leave a comment