મુફલીસ દેશના માલદાર ભગવાનો

–દીનેશ પાંચાલ

     ‘નયા માર્ગ’માં સુનીલ ચેતન લખે છે: ‘ભારત ભલે ગરીબ દેશ કહેવાય; પણ અહીંના ભગવાનો બેહદ અમીર છે.’ એમણે દેશનાં કયાં મંદીરની તીજોરી કેટલી તરબતર છે તેની વીગતે માહીતી પણ આપી છે. એ આંકડાઓ વાંચી ઈશ્વરની અસ્ક્યામત અંગે કોઈને પણ ઈર્ષા થઈ શકે. અહીં એક સાથે બે તારણો–રીઝલ્ટ સામે આવ્યાં છે. પહેલું એ કે માણસની શ્રદ્ધા એવો જાદુઈ ચીરાગ છે જે વડે આસાનીથી અબજો રુપીયા ભેગા કરી શકાય છે. અને બીજું એ કે શ્રદ્ધાના ઉપાર્જનમાંથી માણસ ધારે તો પોતાનાં સેંકડો દુ:ખો દુર કરી શકે છે; પણ ઓછા કીસ્સામાં તેમ થતું જોવા મળે છે. (એ માટે ફરી ફરી નવસારીના રામજી મંદીરને ધન્યવાદ આપવા ઘટે કે તેઓ મન્દીરની આશરે કુલ એક કરોડની વાર્ષીક આવકમાંથી વર્ષે દહાડે ૮૫ લાખથી પણ વધુ લોકકલ્યાણ અર્થે વાપરે છે. એ રુપીયા વીધવા સહાય, મૅડીકલ, શીક્ષણ, ભોજન, મૅડીકલના કેમ્પ તથા ગરીબોને અનાજની સહાય વગેરેમાં વપરાય છે.)

દોસ્તો, અહીં પ્રશ્ન થાય છે જે દેશના ભગવાનો આટલા અમીર છે તે દેશના લોકો આટલા ગરીબ કેમ ? કદાચ એ માટે માણસ જ જવાબદાર છે. શ્રદ્ધાળુ માણસે પોતાની ગરીબીમાં દુર્બુદ્ધીનું ખાતર નાંખીને તેને કાળજીપુર્વક ઉછેરી છે. પોતાની શ્રદ્ધાનો માનવજીવન સાથે બુદ્ધીપુર્વકનો વીનીયોગ કરવાનું તે ચુકી ગયો છે. એ સન્દર્ભે એક મુર્ખ ખેડુતની કથા યાદ આવે છે. એ ખેડુતના વાડામાં એક ઘટાદાર આંબો હતો. એ આંબા વીશે એની માતાએ મરતાં પુર્વે કહેલું, ‘આ આંબામાં મારો જીવ છે. એને કાપવાનું તો દુર; એનું એક પાંદડુંય તોડીશ નહીં.’ દર વર્ષે એ આંબા પર પુષ્કળ કેરીઓ આવતી પણ માતાના આદેશ પ્રમાણે ખેડુત એક પણ કેરી તોડતો નહીં. ન તો એ ખેડુત પોતે કેરી ખાતો, ન તો વેચીને કમાણી કરતો. અંતે બધી કેરીઓ કોહી–સડી જતી. આપણાં મન્દીરોની આવકની હાલત પણ એ કેરી જેવી થઈ છે. કેમ કે આપણે સૌ પેલા ખેડુત જેવા છીએ.

     દોસ્તો, એક વાત સાબીત થઈ ચુકી છે કે શ્રદ્ધા એ માણસની પ્રચંડ તાકાત ધરાવતી લાગણી છે. ધારો તો શ્રદ્ધાની આવકમાંથી આખા દેશની ગરીબી દુર થઈ શકે. પણ કોઈએ સાચું જ કહ્યું છે : ‘જીવનમાં સુખ હોવું પુરતું નથી. સુખી થતાં પણ આવડવું જોઈએ.’ એક માણસને ત્યાં રાત્રે ચોર બધું લુંટી ગયો. લોકોએ સવારે એને પુછ્યું : ‘પણ તારી પાસે બંદુક તો હતીને…?’ પેલાએ જવાબ આપ્યો: ‘એ તો મેં પલંગ નીચે સંતાડી દીધી હતી એથી બચી ગઈ.’ માણસ પાસે બંદુક હોવા છતાં તેને ચોર લુંટી જાય એમાં બંદુકનો વાંક ખરો ? (એણે ધડાકો કર્યો હોત તો ચોર બીજેથી ચોરેલી મતા પણ ત્યાં મુકીને ભાગ્યો હોત !) દોસ્તો, જેમ બંદુક ચલાવવા માટે તેમ પૈસા ખર્ચવા માટે હોય છે. શ્રદ્ધાને સાચે જ પ્રભુકૃપામાં ફેરવવી હોય તો મન્દીરોમાં જે આર્થીક ઉપાર્જન થાય છે; તેમાંથી ગરીબો માટે રોટી, કપડાં અને મકાનનો પ્રબન્ધ કરો. સરકારની ગરીબકલ્યાણ યોજના તરફ હાથ ફેલાવવાને બદલે ઈશ્વરની તીજોરીનાં નાણાં માનવકલ્યાણમાં વાપરો. નહીં વાપરશો તો પેલા ખેડુતની કેરી જેવી એની હાલત થશે. ઈશ્વરે પૈસાની પીસ્તોલ આપી છે. દુ:ખરુપી ધાડપાડુઓને એના ધડાકા વડે ભગાડવાના છે. પીસ્તોલ સ્વયં ધડાકો કરવાની નથી. તમે ગમે તેટલા શ્રદ્ધાળુઓ હશો તો પણ, તમારાં દુ:ખદર્દો નીવારવા ભગવાન ધડાકો કરવા આવવાનો નથી. તેના નીમીત્તે મળેલા પૈસાની પીસ્તોલ તમારે ચલાવીને જીન્દગીને ખુશહાલ કરવાની છે. ઈશ્વર સીક્કાનો નહીં; શ્રદ્ધાનો ભુખ્યો છે. માણસો પાસે અબજો ટન શ્રદ્ધા છે. તે દ્વારા સીક્કાની ટંકશાળ પડી શકે છે. મદ્રાસ સહીત દેશનાં હજારો મન્દીરોની દાનપેટીમાંથી એ વાતની સાબીતી મળે છે. એ સીક્કાઓ પેલી કેરીની જેમ નીરર્થક પડ્યા રહે. તેને બદલે માણસ ધારે તો તેમાંથી પોતાનાં મહત્તમ દુ:ખો અને સમસ્યાઓનું નીવારણ કરી શકે. અને તે જ ઈશ્વરનો આશીર્વાદ ગણાય. તાત્પર્ય એટલું જ કે ઘઉં ફાકીને તમે પેટની ભુખ ન મીટાવી શકો; પણ એ ઘઉંમાં તમારી બુદ્ધી અને આવડત વડે રોટી બનાવી શકો તો આખા કુટુમ્બની ભુખ મટી શકે. માણસ ઈશ્વરના ખજાનાને મન્દીરમાં જ સંઘરી રાખશે તો ન તો એ રુપીયા ઈશ્વરનું કલ્યાણ કરી શકશે, ન એનાથી માણસનું દળદર ફીટી શકશે.

     બચુભાઈ કહે છે: ‘અંગ્રેજો ગયા પછી સરદાર વલ્લભભાઈએ સાતસો દેશી રજવાડાઓનું વીલીનીકરણ કરી એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું હતું. તે રીતે ભારતના નામી–અનામી તમામ ભગવાનોની તમામ સ્થાવર જંગમ મીલકતને દેશની તીજોરીમાં ખાલસા કરવી જોઈએ. અને તે અબજો રુપીયામાંથી દુ:ખીઓનાં આંસુઓ લુછી શકાય એવા રુમાલો બનાવવા જોઈએ. અપંગોના અંગો ચાલી શકે એવાં સાધનો બનાવવાં જોઈએ. ભુખ્યાઓનાં પેટ ભરાઈ શકે એવાં ભોજનાલયો બનાવવાં જોઈએ. માણસની દરેક સમસ્યા મટી શકે એવાં આયોજનો કરવાં જોઈએ ભગવાનનાં મન્દીરો ભલે ‘દીન દુગુની; રાત ચૌગુની’ તરક્કી કરતાં રહે; પણ માણસના ઘરમાં પણ સુખશાંતી અને સમૃદ્ધીનાં સાધનો હોવાં જોઈએ. માણસ ધારે તો માત્ર મધ્યમ વર્ગ જ નહીં; ગરીબીની રેખા નીચે જીવતા સાવ રાંક માણસો આર.સી.સી.નાં મકાનોમાં રહી શકે. લાખ વાતની એક વાત એટલી કે ઈશ્વર માટે તો રોટી, કપડાં અને મકાન (અર્થાત્ નૈવેદ્ય, જરકસી જામા અને મન્દીરો)ની વ્યવસ્થા માણસે જ કરી છે. હવે આપણા જ આધ્યાત્મીક આંબાવાડીયામાં લાગેલી લુમખાબંધ કેરીઓનો માણસ સદુપયોગ કરે તો તેમાં કોઈ નુકસાન નથી. મન્દીરોની દાનપેટીમાં પડતા સીક્કાઓ એ ઈશ્વરનો આશીર્વાદ નથી તો બીજું શું છે ?

     દોસ્તો, હવે એક નજર ઈશ્વરની દાનપેટી પર કરીએ. ઈશ્વરની અસ્ક્યામતના આંકડાઓ જાણી તમે બોલી ઉઠશો – ‘અધધધ…! આ દેશને ગરીબ હોવાનો કોઈ અધીકાર નથી !’ બચુભાઈ કહે છે કે આપણે પ્રભુપીતાના સન્તાનો છીએ. ભારતીય સંવીધાન–બંધારણ મુજબ પીતાની તમામ મીલકતના વારસદાર તેનાં સંતાનો હોય છે એ નાતે તો આપણે આપણી જાતને ગરીબ કહેવાનો કોઈ અધીકાર નથી. (અને આપણને ગરીબ રહેવાનો પણ અધીકાર નથી) આપણે ૧૨૫ કરોડ ભારતવાસીઓ શા’આલમનાં સગાં છીએ… આપણે શેરીએ ભીખ માંગવાની જરુર નથી ! ઈશ્વરે મુકપણે ‘તથાસ્તુ’ કહીને એની તીજોરી આપણને અર્પણ કરી દીધી છે. એનો ઉપયોગ કરવો કે એને ઈશ્વરનાં ચરણોમાં જ પડી રહેવા દેવી એ નક્કી કરવાનું કામ આપણા રાજનેતાઓ અને ધર્મનેતાઓની વીવેકબુદ્ધી પર નીર્ભર છે. ઈશ્વરની સ્થાવર જંગમ મીલકત આ પ્રમાણે છે : (જુઓ ‘ધુપછાંવ’માં)

‘ધુપછાંવ’

     કેરળની રાજધાની તીરુઅનન્તપુરમના શ્રી પદ્મનાભસ્વામી મન્દીરના ભોંયરામાં છ ઓરડા ખોલવામાં આવ્યા છે. હજુ સાતમો ઓરડો ખોલવાનો બાકી છે. છ ઓરડાઓમાંથી આશરે એક લાખ (૧,૦૦,૦૦૦) કરોડની સમ્પત્તી મળી છે. ખજાનામાંથી મળેલી મુખ્ય વસ્તુઓ પર નજર કરીએ. (૧) સોનાનાં આભુષણોથી ભરેલા ૭૦ કોથળાઓ અને સાત મોટાં ખોખાં. (૨) દાણાના આકારમાં એક હજાર (૧,૦૦૦) કીલો સોનાનો ઢગલો. (૩) ઈસ્ટ ઈન્ડીયા કમ્પની સમયની ૧૦ કીલો સોનાની ઈંટો. ત્રાવણકોર ટંકશાળમાં ૧૪ કીલો સોનાના સીક્કાઓ. (૪) નેપોલીયનના સમયના બીજા ૧૦૦ સીક્કાઓ. (૫) ૧૮ ફુટ લાંબા એક હજાર (૧,૦૦૦)થીય વધુ સોનાના હાર. (૬) સુવર્ણ અને હીરાથી જડીત ૧૦ કીલો વજનનો સોનાનો એક નેકલેસ અને બબ્બે કીલોના સોનાના ચાર હાર. (૭) પાંચ હજાર (૫,૦૦૦) કરોડ રુપીયાની કીંમતના સોનાચાંદીનાં વાસણો, મુગટો અને સુવર્ણછત્રો. (૮) સોનાની એક હજાર (૧,૦૦૦) જંજીરો. (૯) પાંચ કરોડ (૫,૦૦,૦૦,૦૦૦) હીરા અને સેંકડો સોનામહોરો. (૧૦) એક ક્વીન્ટલથી વધુ વજનનો સોનાનો હાર, એક લાખ (૧,૦૦,૦૦૦) સોનાચાંદીના સીક્કાઓ અને અનેક મીણબંધ લોકેટ વગેરે. (૧૧) બે કીલો વજનવાળી સોના અને ચાંદીની સેંકડો છડીઓ. (આ તો કેરળના માત્ર એક મંદીરમાંથી પ્રાપ્ત થયેલી મીલકત છે. એ સીવાય તીરુપત્તી બાલાજી, શીરડીના સાંઈબાબા, હીમાચલ પ્રદેશનાં મન્દીરો સહીત દેશભરનાં તમામ મન્દીરોની બધી દાનપેટીઓ એક જગ્યાએ ખોલવામાં આવે તો તેમાંથી એક અંદાજ મુજબ આશરે ૯૧,૮૭,૮૯,૯૦,૦૦,૦૦૦ અબજ કરોડની અસ્ક્યામત પ્રાપ્ત થવા સમ્ભવ છે.)

-દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર,દૈનીક, સુરતની તા. 21 ઓક્ટોબર, 2012ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટારજીવનસરીતાનાતીરેમાંથી..લેખકનાઅનેગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ,સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર,નવસારી396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગનાહોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 30112012

 

27 Comments

  1. મંદીરની સંપત્તીઓનો સદુપયોગ કોણ કરશે? દીનેશભાઈએ કહ્યું છે તે રાજકારણીઓ અને ધર્માત્માઓ? એ શક્ય છે ખરું?
    નવસારીના રામજી મંદીરની વાત જાણી આનંદ થયો, પણ કેટલા ધર્માચાર્યો આ પ્રકારે ભગવાનની મીલકતનો ઉપયોગ કરતા હશે? જો કરતા હોત તો ઉપર જણાવેલ અઢળક મીલકત બીનઉપયોગી વર્ષોનાં વર્ષો સુધી પડી રહે?

    Like

  2. દીનેશભાઈ પાંચાલે ધુપ છાંવ પહેલા લખેલ છે કે ….એનો ઉપયોગ કરવો કે એને ઈશ્વરનાં ચરણોમાં જ પડી રહેવા દેવી એ નક્કી કરવાનું કામ આપણા રાજનેતાઓ અને ધર્મનેતાઓની વીવેકબુદ્ધી પર નીર્ભર છે….

    આ રાજ નેતાઓ અને ધર્મ નેતાઓમાં વલ્લભ ભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને મહાત્મા ગાંધી પણ આવી જાય. કોઈ જ કારણ વગર સ્વતંત્ર અને લોકતાંત્રીક ભારતમાં આ રાજનેતાઓએ સોમનાથ મંદીરનું નીર્માણ કર્યું.

    પછી સોમનાથથી રથ યાત્રાઓની શરુઆત થઈ. સુપરીમ કોર્ટમાં સોંગદ નામુ આપ્યા છતાં અયોધ્યામાં બાબરી મસ્જીદના ઢાંચાને ૬.૧૨.૧૯૯૨ના ઝનુની ટોળાએ તોડી પાડી.

    હવે આ રાજ નેતાઓ કે ધર્મ નેતાઓ ઉપર કેમ ભરોંસો કરવો? નાગરીકોએ વીવેકબુદ્ધીથી નક્કી કરવાનું છે…

    Like

  3. ભારત માં ઘણા મંદિરોની આવક સારા માર્ગે વપરાય છે તે હકીકત ને
    સ્વીકારીને આગળ કહીશ કે આપણે માનવતાવાદી સત્કર્મ કરીને નહિ પણ એના કમીશન
    એજન્ટો ને ત્યાં મગજ , શરીર અને બચત ત્વરિત લાભ માટે ગીરવે મૂકી આવીએ છીએ.
    ધર્મસ્થાનો અને ફક્ત મંદિરો બનાવી ( દાખતા તરીકે સ્વામીનારાયણ- પ્રમુખ સ્વામી)
    અને તેમાં પોતાની કુંડલી રચી લોકો ને મુર્ખ બનાવી છેતરે છે. આ લોકો એ અબુધ
    અને અભણ લોકો ના પૈસા પડાવી ને લોકો ને ભિખારી કરી નાખ્યા છે. અસંખ્ય એવા
    કિસ્સા છે કે જેવો પોતાનું સરસ્વ લુંટાવી ગરીબ થઇ ગયા. પણ આવા ધુતારા સાધુઓ
    તેવા નકામા શિષ્ય સામે જોવાની પણ ફુરસદ નથી હોતી. આવા ફક્ત મંદિરો રૂપી
    કારખાના ખોલી ને ધંધો કરતા સાધુઓ થી વિશેષ આપણા ધર્મ ના આસ્થાના પ્રતિક
    સમા સોમનાથ કે રામ ભૂમિ અયોધ્યા એ તો હિંદુઓની શ્રદ્ધાનું શીખર છે. ત્યાં લોકો
    છેતરાતા નથી પણ યાત્રા ધામ ના પવિત્ર સ્થળો હોવાથી અસંખ્ય લોકો ની આજીવાકા
    ચાલે છે. એ. કે. વોરા સાહેબ ને મોગલો એ સોમનાથ અને રામ ભૂમિ અનેકવાર દ્વંશ કર્યા
    હતા તેવા ઈતિહાસ નો ખ્યાલ નથી. બાબરી ઢાંચા ને તોડી પડાઇ તેમાં તે ગાંધીજી ની
    જેમ જ દુખી છે એમ લાગે છે. મુદ્દો મંદિરો માં થતી આવક નો છે. શ્રદ્ધા થી થતી આવક
    માનવતા કાર્યો માં વપરાય તેના કરતા લોકો જ આવા પૈસા ને સારી જગ્યા એ દાન આપે
    તે વધુ મહત્વ નું છે. સરકાર પાસે જો આ પૈસા જશે તો કોન્ગ્રેસ તેને ચટણી કરી નાખશે.
    તેવો નું મન હવે આવી આવક પર ખાટું થયું છે. માટે લોકો માં જાગૃતિ આવે કે તેવો
    આવા ધુતારાઓના મંદિરો માટે દાન ના આપે અને જે હિન્દુઓની શ્રદ્ધાના પ્રતિક સમા
    ધર્મ શિખરો છે ત્યાં સંપૂર્ણ વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરી ને જ દાન આપે તો લેખે લાગશે.

    Like

  4. “(આ તો કેરળના માત્ર એક મંદીરમાંથી પ્રાપ્ત થયેલી મીલકત છે. એ સીવાય તીરુપત્તી બાલાજી, શીરડીના સાંઈબાબા, હીમાચલ પ્રદેશનાં મન્દીરો સહીત દેશભરનાં તમામ મન્દીરોની બધી દાનપેટીઓ એક જગ્યાએ ખોલવામાં આવે તો તેમાંથી એક અંદાજ મુજબ આશરે ૯૧,૮૭,૮૯,૯૦,૦૦,૦૦૦ અબજ કરોડની અસ્ક્યામત પ્રાપ્ત થવા સમ્ભવ છે.)”

    આંકડા ફેંકવામાં કૃપણતા શા માટે? ઉપર દર્શાવેલ આંકડામાં (૯૧,૮૭,૮૯,૯૦,૦૦,૦૦૦ અબજ કરોડ) કેટલાં મીંડા લાગે તેની લખનારને ખબર નથી લાગતી. આખો દેશ વેચી નાંખીએ તો પણ કદાચ આટલી રકમ મળે કે કેમ તે શંકાજનક છે.

    કહેતાભી દિવાના સુનતાભી દિવાના.

    Like

  5. Friends,
    I will write my comment afterwards. I am tempted to recommend that the most recent english movie based on Indian background novel…”Life of Pi”…is a must see for all rationalists and others with the thinking pattern like ours….

    “Life of Pi” Also if possible please do not miss “Lincoln.”
    Thanks,
    Amrut(Suman)Hazari.

    Like

  6. Dear Rationalist Friends:

    There is No Need for any Temple for Any GOD in India and around the World. Human Souls are Living Gods in All Living Beings. “RELIGIONS are The OPIUM of MASSES”. All the Wealth of All Temples be opened up for Food, Clothing, Shelters, Education/Schools and Health/Hospitals for Needy Human Beings.

    This is Not going to Happen. Therefore, Let us NOT Go to Any Temple and Put Not even a Penny there. We have to Promote This Idea starting from/by Exemplifying by ourselves. Whatever One wants to Donate has to be Given to a School, Hospital, Hostels of students, including Women, Orphanages, Abondoned Women Homes, etc. for/of Needy People.

    Nationalize All Temples as Sardar Patel did with All the INDIAN Rajas and Maha-Rajas and made them WORK and Earn. All Pundits, Gurus, Sadhus,etc. Roaming in the Streets be Put in Jails and Make them Work Hard before giving trhem any Food.

    All People/Ministers/Bureaucrats in The Present Government of India must be Put in Jail, First. Their Estates in India and abroad be Confiscated and Put to Work for the Benefit of the Poor and Needy People. There is No Easy Way out of this without Closing down All Temples. “JAY AHINSA”. “JAY RATIONALISTS and RATIONALISM”

    Fakirchand J. Dalal
    Friday, November 30, 2012.
    U.S.A.

    Like

  7. “All Pundits, Gurus, Sadhus,etc. Roaming in the Streets be Put in Jails and Make them Work Hard before giving them any Food.

    All People/Ministers/Bureaucrats in The Present Government of India must be Put in Jail, First. Their Estates in India and abroad be Confiscated and Put to Work for the Benefit of the Poor and Needy People. There is No Easy Way out of this without Closing down All Temples. “JAY AHINSA”. “JAY RATIONALISTS and RATIONALISM””
    How many of the readers here can support/promote this RATIONAL (?) idea? Please vote here in support.

    Like

      1. ઘણા બધા કહેવાતા રેશનાલીસ્ટો ફ્કત અંગ્રેજીમા જ લખે છે. એક તો અંગ્રેજી બોલો કે લખો એટલે બુધ્ધીમાન છો તેવી મોટાભાગના ભારતિય લોકોની ધારણા છે અને બીજું કે અંગ્રેજીમાં લખો એટલે ૭૦% ઉપરના તો સમજવાના જ નથી અને બાકીના જે સમજશે તેમાંના મોટાભાગે દલીલબાજીથી દુર રહેવાના છે તેની આ લોકોને ખબર છે.
        અહી રેશનાલીસ્ટોનો બ્લોગ છે છતાં ઉપરોક્ત રેશનલ(?) આઈડિયાને સપોર્ટ કરનાર એક જ રેશનાલીસ્ટ મળ્યો છે.એટલે અત્રે ઉપરોક્ત વચનોનુ ગુજરાતી કરી લખું છું કદાચ કોઈ અન્ય રેશનાલીસ્ટ સમજી શકે અને આવા રેશનલ વિચારોને સમર્થન આપે.

        “બધા પંડિતો,ગુરુઓ,સાધુઓ (ફકીરો નથી લખ્યા કદાચ લખનારને પોતાનુ નામ આડું આવ્યું હશે.) વગેરે જેઓ ગલીઓમાં ભટકે છે (દિનેશભાઈ લખે છે આ બધા ગુરુઓ અને પંડિતો અતિ ધનવાન થઈ ગયા છે અને અહીં દર્શાવેલ કે આ બધા મુફલીસ લોકો ગલીઓમાં ભીખ માંગે છે અને આવા ભિખારીઓને જ ફક્ત જેલમાં બંધ કરવાનુ સુચન કરે છે) તેમને જેલમાં બંધ કરી દેવા જોઈએ અને તેમની પાસે સખત મજુરી કરાવ્યા પછી જ તેમને ભોજન આપવું જોઈએ.

        પહેલાં તો બધા જ લોકો,( આ બધા લોકો એટલે બધા ભારતિયો? કે ગલીઓમાં ભટકતા અને ભીખ માંગતા લોકો કે અન્ય લોકો તે સ્પષ્ટ નથી થતું) મંત્રીઓ,(ફક્ત કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના? પણ સ્પષ્ટ નથી થતું) અને હાલની કેન્દ્ર સરકારના તમામ નોકરોને (રાજ્ય સરકારોના નહી) જેલમાં બંધ કરી દેવા જોઈએ.તેમની ભારતમાં તેમજ વિદેશોમાં જે અસ્કયામતો છે તે જપ્ત કરી ગરીબો અને જરુરિયાતમંદ લોકોના ઉપયોગમાં લાવવી જોઈએ. બધા જ મંદિરોને (મસ્જીદો, ગુરુદ્વારાઓ, ચર્ચ, સિનેગોગ્સ, દેરાસરો, મઠો નહી) તાળા મારી દેવાથી સરળ રસ્તો બીજો કોઈ નથી.”જય અહિંસા”,(લોકોનુ ધન છીનવી લેવું, કોઈપણ કાયદાકિય પ્રક્રિયા વગર જ બધાને જેલમાં બંધ કરી દેવા એને કદાચ અહિંસા સમજતા લાગે છે.) જય રેશનાલીસ્ટ” “જય રેશનાલિઝમ” (જો આ જ રેશનાલીસ્ટ અને રેશનાલીઝમ છે તો ઈડિયોટિઝમની વ્યાખ્યા શું? તે પ્રશ્ન છે.)
        મને લાગે છે ગુજરાતી વાંચ્યા પછી હવે આવા રેશનલ (?) વિચારોને રેશનાલીસ્ટ બ્લોગપર અનેક રેશનાલીસ્ટોનુ સમર્થન મળી રહેશે. જય રેશનાલીઝમ….

        Like

  8. ભારતમાં સામ્યવાદ નથી. બજારવાદ પ્રમાણે બધુ ચાલે છે.એટલે મફતમાં કોઇ ચીજ કોઇ લોકોને કે સંસ્થાને મળી ના શકે. અને આપણને ના ગમતી હોય એવી સંસ્થાઓ પાસે થી ધન છીનવી લેવું એ પણ ના બને.
    કમાવા માટે માણસ ૮-૧૦ કલાક જ કામ કરી શકે. બાકીના ૧૨-૧૪ કલાક માણસે શું કરવું એ માણસે શોધી લિધું છે. ૬-૭ કલાક આરામ અને બાકીના સમયે ઈતરપ્રવૃત્તિઓ. બીજાને નૂકસાન ના થાય એવી બધી પ્રવૃત્તિઓ માણસ કરી શકે અને કરે પણ છે. સરકારો પણ રોકે નહી, નવરો માણસ અવળા વિચારે ચડે તો ભલભલી સરકારોને ઉથલાવી નાખે.

    આમાં, રમત ગમત, મનોરંજન, કલા સર્જન, ફરવા જવું, ધર્મની પ્રવૃત્તિ, અનેક બાબતો છે જેનુ લિસ્ટ કરવું અસંભવ છે. અને વળી પાછી આ બધા માંથી પણ માણસે રોજગાર શોધી કાઢ્યો, આમાંથી માણસો કમાવા લાગ્યા. નવા ઉદ્યોગો બન્યા. ઇતર પ્રવૃત્તિઓ દેશના અર્થતંત્રનો મુખ્ય ભાગ બની ગઈ.

    હવે બજારવાદ છે એટલે આ બધી વસ્તુઓ બજારુ બની જાય એ સ્વાભાવિક છે. એક પછી એક દાખલા લઈએ. રમત ગમતમાં ખેલાડીઓ પોતાની મહેનત કરતા લાખગણુ વધુ કમાય છે. અબજો રુપિયા એ લોકો પાસે એકઠા થઈ ગયા છે. એમની પોતાની જરૂરિયાત કરતા ખૂબ વધુ. બજારવાદમાં જરૂર કરતા વધુ ધન હોવું ગુનો નથી. એ વધારાના પૈસા એમની પાસે થી આંચકી શકાતા નથી. સામ્યવાદ હોત તો વાત જુદી હોત.
    મનોરંજનના મહારથિઓનું પણ આવુ જ સમજી લો.
    અસલી ઉદ્યોગપતિઓ અને આ નવી પ્રવૃત્તિથી પેદા થયેલા ઉદ્યોગોના માલિકો જનતાનું શોષણ કરીને ખૂબ માલ કમાય છે. શોષણ બાજારવાદનું એક અંગ છે.એ લોકોનો ભેગો કરેલો માલ પણ ગરીબોમાં વહેંચી શકાતો નથી. બજારવાદ આ માલને નફો કહે છે.

    ધર્મ સાથે પણ ધંધા રોજગાર જોડાઈ ગયા છે એ વાત નાસ્તિકોને ગળે નથી ઉતરતી. આ તે કેવી નાસ્તિકતા ? નાસ્તિક થયા પણ ધર્મ પ્રત્યેનો અહોભાવ ના ગયો. ધર્મ એટલે ધર્મ એમાં ધંધો કઈ રીતે હોય શકે ? આવા સવાલો ધર્મનો અહોભાવ હોય તો જ ઉઠે. સાચા નાસ્તિક આને સામાન્ય માનવિય પ્રવૃતિ જ માને. ધંધો છે એ હકિકત છે. ભારતમાં મોટાભાગનો પર્યટન ઉદ્યોગ ધાર્મિક જાત્રાનો છે બધા જાણે છે. એમાથી થતી કમાણી ધર્મ સંસ્થા પાસે હોય એ સ્વાભાવિક છે. તો કયા ન્યાયે એ ધન છીનવી લેવાની વાત થઈ શકે ?
    નેતાઓ અને નોકરશાહો તો રીતસરની ચોરી અને લૂટ કરીને ધનના ભંડારો ભરે છે. એ ભંડારો જનતા માટે ખુલા મુકી દેવા વ્યાજબી છે.

    ઉપર કોઇએ એક રકમનો આંકડો આપ્યો છે. એ જો ભારતની જનતામાં વહેંચવામા આવે તો ભારતનો દરેક નાગરિક કરોડપતિ બની જાય. દેશમાં ગરીબ જ ના રહે અને બધા જ કરોડપતિ હોય તો કોણ કોને ત્યાં નોકરી કરે ? ખેડુત પણ ખેતી શુંકામ કરે, રોકડે થી અનાજ ના ખરીદે ? આવી કઈ ગાંડી સરકાર હોય કે પોતાના દેશનું અર્થતંત્ર જ ખોરવી નાખે ? અને મફતની વધુ પડતી કરન્સી લોકોના હાથમા આવી જાય તો એની કોઇ વેલ્યુ રહે ખરી ? ફુગાવો બધુ જ તાણી જાય. લાખના બાર હજાર ! લોકો હતા ત્યાના ત્યા.

    ગરીબો તો ભારતની મૂડી છે. યુરોપ અને અમેરિકાના લોકો ભારત પાછળ પડ્યા છે એનું મુખ્ય કારણ ભારતના ગરિબો છે. એની પાસે થી જ ધાર્યુ કામ લઈ શકાય. એને જ સસ્તા પ્રલોભન આપી શકાય. એને જ ગુલામ બનાવી શકાય. વિકાસ ના નામે આટલો હોબાળો ચાલે છે એ વિકાસ ગરીબ ગધેડાઓની પીઠ પરા લાદીને કર્યો છે.

    Like

    1. ભારોડિયા સાહેબ ઉપર લખેલો આકડો છે.”(૯૧,૮૭,૮૯,૯૦,૦૦,૦૦૦ અબજ કરોડ)”. એમ સમજીએ કે પાછળથી કરોડ ભુલમાં લખી નાંખ્યું હશે (અને આપણે ૯૧,૮૭,૮૯,૯૦,૦૦,૦૦૦ અબજ વાંચીએ)તો પણ ભારતની ૧૨૫ કરોડની જનતામાં આ રકમ વહેંચવામાં આવે તો દરેક વ્યક્તિને ભાગે લગભગ રુપિયા ૭૩૫૦/- અબજ આવે. ચાલો એમ સમજીએ કે અબજ ભુલમાં લખાઈ ગયું છે પણ ખરેખર કરોડ જ લખવાનુ હતું( અને આપણે ૯૧,૮૭,૮૯,૯૦,૦૦,૦૦૦ કરોડ જ વાંચીએ) તો પણ ૧૨૫ કરોડ વ્યક્તિને આ રકમ વહેંચતા દરેકને ભાગે ૭૩.૫૦ અબજ રુપિયા આવે. અને આટલા રુપિયા તો ટાટા-બિરલા પાસે પણ છે કે કેમ તેમ મને તો શંકા છે. ભારતદેશના મંદિરો અને ધાર્મિક ટ્રસ્ટો પાસેથી આવા ધનના ભંડારો લઈ પ્રજામાં વહેંચવાની કોઈ ખાત્રી આપે તો એવી ચળવળમાં આ દેશના એકસો પચ્ચીસે એકસો પચ્ચીસ લોકો પોતાની જાન નિછાવર કરવા તત્પર ઉભા છે. આ એકસો પચ્ચીસ કરોડ લોકો એવા રેશનલ આગેવાનની તલાશમાં છે. આશા છે કોઈક રેશનાલીસ્ટ અવશ્ય આગળ આવશે જ.

      Like

  9. Great topic. Reality of life in India, which is being discussed. Today I was reading the Gujarat Times (Published from New York) dated December 7, 2012. Gunvant Shah in his section “TAHUKO” was replying to a question from Dipak Chauhan….few sentences of the question….” hu manni shanti mate divasma be vakhat eva mandirma jau chhu, jyan bhagavan ane Bhakto vachhe koi manushya nathi hoto…………Hun em manu chhu ke Bhagavan ane Manasni vachhe koi kamisan dalal na hova joiye………..Bhagavan ane Bhakto vachhe aajkal je swami ke guru biladina topni jem futi nikariya chhe te shun saacho rah batave chhe ke pachhi potana faida mate potana shishyoni sankhiya vadharine, mandiro banavine dharmana naame dhandho kare chhe. Aa babatma tame shun vicharo chho ?
    First few sentences from Shri Shah’s answer: Dharma ane dhandhane shun sambandh ? Manushya ane Ishwar vachhe koi dalalni jarur nathi., parantu badha guruo ‘Dalal’ nathi hota. Ramkrishna Paramhansha aava guru hata. aava guru jadi jai chhe temne marketing nathi karvu padatu……..Marketing karanarne na orkhe tevi murkhatano laabh guru ghantalne male chhe…….Loko santone bagade chhe ane mure saara aeva guruone pan paade chhe. GURUONE BAGADAVANI BABATE BHARATNI HINDU STRIONE KOI NA PAHONCHE.

    I am with Shri Sharad Shah. I agree with his suggestion,but the question is Who can do it? We can have only one Vallabhbhai Patel and that too only once.
    Not FAITH but it is BLIND FAITH that is creating this problem.
    A blind man has to follow a person with eyes and sight…( Good or Bad ???????)
    When a primary school teacher from a distant village can become LAKSHADHAPATI, within few years……………………………………………………………………………………Only BLIND FAITH can make that CHAMATKAR and NOT RAM or RAMAYAN.
    If he has MANAVTA…He can use his LAKHNI MUDI for gariboni seva…We have many more of his kind…Gita bodh, Mahabharat path…and what not…can make you RICH……But where is SOUL ?????
    A Police officer in New York bought pair of Shoes for a person in the street and helped the person fighting the cold……Do we have such souls…????/
    Let this CHARCHA can be continued…..

    Amrut Hazari.

    Like

  10. Here in America in the state of New Jersey and small city of ISELIN,a SAIBABA MANDIR (Place) was created in a small place about 3 years ago. Here is the solid example of the hand in hand relation between “Dharam and Dhandho”….It is said that a trustee of this place is a Doctor.
    Today the place has flurished to an extent that they bought a next door property and are negotiating to purchase next door GAS STATION………..(Petrol Pump) to create car parking. This property is on a state highway….must be very expensive.
    A imigrant with Doctor degree,Engineering degree, Chemist,Pharmacist has to pass qualifying certificate exams in America. After qualifying there is no guarantee to get job.A Priest,Temple pujari and personality related to DHARMA does not require any qualifying test. He can have job easily available and that too with guaranteed high income……
    If any body in India is thinking to migrate to USA, I suggest that he/she should come with Dharmic, Pujari qualification having a contact with one of the trustees in a temple. He/She will be rich in few years…..guaranteed…..

    Like

  11. હું પણ માનુ છુ કે લોકોએ આપેલું લોકો ના કલ્યાણ માટે વપરાવુ જ જોઇએ. પણ આપણાં દેશના સરકારી લુંટારુઓ – પ્રધાનો અને અમલદારોના – હાથમાં જે કાંઇ આપવામાં આવ્યુ તેનો ઉપયોગ તેમણે પોતાના ખીસ્સા ભરવામાટે અને પોતાની સાતેય નહીં પણ સત્તર પેઢીઓ તારવા માટેજ કરતા આવ્યાં છે. માટે આ મંદીર સંપત્તિ (એને ભગવાન ની સંપત્તિ નહીં કહું) નુ સરકારીકરણ ન કરતાં ધાર્મિક લોકોએ જ સંગઠીત થઈ મંદીરના વિશ્વસ્થો (ટ્રસ્ટીઓ) ઉપર દબાણ લાવી દર વર્ષે થનારી આવક ના મોટા ભાગ ની નીશ્ચિત સકમ લોકક્લ્યાણ ના કાર્યો માં પારદર્શક રીતે વપરવામાં આવે તેવી યોજનાઓ ઘડાય ત જોવું જોઈયે. કોઇ ભગવાન ભક્તો પાસે કંઇ માંગતો નથી તેથી તેને ભાંડવાની સસ્તી અને લોકપ્રિય પ્રવૃત્તી માં કોઇએ પડવાની જરુર નથી. વળી બધાજ ભક્તો કંઇ શ્રધ્ધાથીજ મંદીરો માં દાન કરે છે તેવું નથી. કાળાં નાણાંનો થોડો ઘણોં નીકાલ, આડંબર, અંધશ્રધ્ધા, વ્હેમ, સ્વાર્થ, દેખાદેખી વિ. જેવાં અનેક કારણોં પણ આવાં દાન આપવા પાછળના કારણોં હોય છે અને એટલેજ જો ધાર્મિક દૃષ્ટીએ કહીયે તો આ તમામ પાપોનુ આંશીકરીતે પણ નીરસન સત્કાર્યોમા તેના વપરાશથીજ થઈ શકે અને એટલે પણ આમ થવુ જોઇએ.

    પણ અહીં એક બીજો મુદ્દો પણ ઉપસ્થિત થાય છે. આવી અઢળક સંપત્તિ કેવળ હિંદુ મંદીરો ની જ હોય છે તેવું નથી. અન્ય ધર્મોના લોકો પણ શ્રધ્ધા કે અંધશ્રધ્ધા ને કાઋણે તેમના પ્રાર્થના સ્થાનો – પછી તે ચર્ચ હોય કે મજારો, મસ્જિદો હોય કે સ્તુપો – માં પણ ઘણીં સંપત્તિ ભેગી કરતાં હોય છે અને તે હજુ સુધી કોઇ ના નજરે ચડ્યુ નથી. વળી તેનો ઉપયોગ થાય છે કે દુરુપયોગ , દેશહીત માં કે દેશદ્રોહી કાર્યોમાં થાય છે તેની કોઇએ પરવા કરી નથી. તો જ્યારે ધાર્મિક સ્થાનોની આપણેં વાત કરતા હોઇયે ત્યારે તમામ ધર્મના સ્થાનો ની સંપત્તિ નો સમગ્રતયા વિચાર કરવો જોઇએ તોજ તે ન્યાયપૂર્ણ અને હેતૂપૂર્ણ ગણી શકાય.

    Like

  12. માનનીય દિનેશભાઈ
    બહુ જ સરસ લેખ છે. તદ્દન સાચી વાત છે કે ધર્મસ્થાનો (મંદિર, મસ્જીદ, કે ચર્ચ) માં બધા પૈસા ભેગા જ કરે છે અને પછી પરદેશી એસી ગાડીઓમાં ફરે છે. પણ આજના રાજકારણીઓ અને સરકાર તો એમનાથી એ જાય તેવા છે! સારા માં સારો રસ્તો એ જ છે કે મંદિર માં પૈસા મુકાવનું બંધ કરી શાળાઓ માં કે દવાખાનાઓ માં કે સદાવ્રતો માં સીધા પૈસા આપવા.
    A. Dave (દવે)

    Like

    1. ખુબ સુંદર અને રેશનલ વિચારો.

      “સારા માં સારો રસ્તો એ જ છે કે મંદિર માં પૈસા મુકાવનું બંધ કરી શાળાઓ માં કે દવાખાનાઓ માં કે સદાવ્રતો માં સીધા પૈસા આપવા.”

      અહીં કોને પૈસા આપવા? લખનારે કે વાંચનારે એવો અભદ્ર પ્રશ્ન હું નહી કરું અને સ્વિકારી લઊં છું કે આ સલાહ મારા માટે છે.

      પણ મારી સમસ્યા એ છે કે શાળાઓમાં સીધા પૈસા આપું તો કઈ શાળાઓને આપું? સરકારી (જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, મ્યુનિસિપાલિટિ કે પંચાયતો દ્વારા ચલાવાતી શાળાઓ છે, પ્રાઈવેટ શાળાઓ અને કોલેજો છે, જે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી એડ્મિશન વખતે ફરજીયાત ડોનેશનો દ્વારા કરોડો રુપિયા ભેગા કરે છે,કેટલીક શાળાઓ હોંશિયાર ટ્રસ્ટીઓ કે કો-ઓપરેટીવ સોસાયટી રચી ઉભી કરવામાં આવેલી છે અને તે પણ તગડી ફી વસુલે છે, અન્ય કેટલીક શાળાઓ કહેવાતા ધાર્મિક ટ્રસ્ટો કે જ્ઞાતિ-જાતિના આધારે બનાવેલ ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવે છે. આ સિવાયની કોઈ શાળાઓ ભારતમાં ચાલતી હોય તેવું મારા ધ્યાનમાં નથી.

      મને થોડી વધુ સ્પસ્ટ સલાહની જરુર છે કે મારે કઈ શાળામાં દાન આપવું કોઈ રેશનાલીસ્ટ સલાહ આપી શકશે તો તેમનો આભાર ગણીશ.

      ભારતમાં ચાલતા દવાખાનાઓની પણ આવી જ પરિસ્થિતિ છે. અને સદાવ્રતો તો કદાચ ૯૯% કે તેથી વધુ ધાર્મિક કે જાતિ સંગઠનો કે મંદિરો દ્વારા જ ચલાવવામાં આવે છે. તો સમસ્યા એ થઈ કે દાન આપવું તો કોને આપવું? કઈ શાળાને,દવાખાનાને કે સદાવ્રતને?
      કોઈ રેશનાલીસ્ટ આવા દાન કરતા હોયતો તેમને કરેલા દાનની માહિતિ અને પુરાવાઓ આપશે તો મારા જેવા મુંઝાતા અનેક લોકોને યોગ્ય જગ્યાએ દાન કર્યાનો સંતોષ થશે અને ભારતના જરુરીયાતમંદ લોકોનુ કલ્યાણ થશે.

      Like

      1. જેને સારી જગ્યાએ આપવું હોય છે તેને સુયોગ્ય શાળા કે દવાખાનું સહેલાઈથી મળી જાય છે। જેને વાંકું બોલીને ટીવીની સિરિયલોની જેમ મેણાંટોણા મારવા છે તેવા લોકોની વાત જુદી છે! હા, કેટલાક નમૂનાઓ એવા પણ હોય છે કે બીજાની ઉપર હસે અને પોતે કરોડપતિ ગુનેગારોને પ્રેમથી પૈસા ધરે (જેને દુનિયાના કોઈ દેશમાં ના સંઘર્યો તે ક્રિમીનલ રજનીશને પુજ્નારાઓએ બીજા પર કટાક્ષ કરવા જતા પહેલા પોતાના કાચના ઘર સામું જોવું જોઈએ).

        Like

      2. Dear Mr. Sharad Shah,

        I read all your comments above and feel that I need to respond to those briefly. Yes, I write in English on this or any other blog. (My articles are hand written in Gujarati.) Since this is addressed to you, and you understand English rather well, it is sufficient for now.

        You nit-picked some points from Fakirchand Dalal’s comment and rather distorted those to some extent. Only one person took up your “challenge” to stand up in his viewpoints support. This itself tells a whole lot about rationalism. Rationalists do not subscribe to a mob mentality. Everyone has his own convictions and stands by those. I do agree with Fakirchand’s observations about the state of matters but do not endorse his suggestion of the action to be taken against all these people. Do you really believe that all the rationalists must agree to everything anyone of them says? There is no GURU in rationalism. This, I hope even you would understand.

        You were rather sarcastic about asking “rationalists” to suggest/ recommend you where you can donate. I would overlook your sarcasm and try to help you only because you asked for it. My simple suggestion is that you start looking back at the institutions which played a positive role in your life. Visit those institutions and if you find they are still doing a good job as they did with you, then that is a right place. Another way to pay back to the society is to be fair and honest with people who come in your contact. There is lot to be said on this subject. You will get to read all that in one of my future article, if you still choose to visit this blog considering your frustrations.

        I rest my case for this article.

        Like

  13. I receive The Star-Ledger news paper being published from New Ark in New Jersey in The USA. The paper dated December 2, 2012, Sunday carries one small booklet named “PARADE”.
    On Dec 2,2012 9ssue this Parade carries a eye opening article. The front page title of the article is, ” The Good Farmer…..One man’s crusade to stamp out hunger in America. And how you can help.”
    Detail info. on front page, ” Philantropist Howard G. Buffett, son of Warren Buffett, photographed last month on his farm in Decatur,Illinois.
    Inside on page 8, the title is…THE GIVING ISSIE….” There’s no reason we can’t put hunger out of business in America.”
    ” In the land of plenty, more than 50 million Americans, including one in five children, don’t always know where their next meal is coming from. That is unacceptable, says Howard G. Buffett – midwestern farmer, philantropist, and son of Warren – who is working to strike back against hunger, starting in the breadbasket. ( Howard is son of billionaire, Warren Buffett).
    One question ,asked to him in this interview, is : ” You have supported global hunger relief for years; what made you turn your attention to America?
    There are many other like Howard who are working on this line…reported in this issue. ( One may find out this article using computer and read)
    Here is one example of a person who is disturbed by poor’s hunger and to irradicate this hunger he is working day and night….
    Worth reading truth…
    Where are we, in India ? Our temples have billions of Rupees, unused. There are many philantropists in India who are dedicated to help irradicate poverty in India without any expectations in return. Why not they be helped to help poor ????????????
    There can be many more suggestions for better use of this treasure lying unused in temples.
    Bill Gate is helping Indian students. Likewise there are many more American rich people who are helping india and many other poor countries on their own.When will our millionaire politicians learn ?

    Thanks….
    Amrut(Suman)Hazari.

    Like

  14. પોસ્ટમાં લેખકે સ્પષ્ટ લખ્યું છે કે આપણે અને બીજાને ખુશ રહેવા, સુખ સમૃદ્ધી વધારવી જોઈએ.

    મંદીરો એનાથી વીરુદ્ધની કાર્યવાહી કરે છે.

    Like

  15. Bill Gates and Warren Buffet are both openly athiest, and both are far better philanthropists than any religious millionnaires.

    Like

  16. Shri Sharadbhai,
    To the best of my knowledge, a social medical center in Zagadia named “SEVA RURAL” can be considered for helping them to expand their services to the surrounding poor area of Zagadia, near Ankleshwar, Bharuch.
    Dr. Anil Desai, Dr. Lata Desai, Dr. Dilip desai, Dr. Ajay Shah,Dr. Jayashri Shah, Shri Arvind Desai & many more whom I may not name here(Please forgive me for that) and a team of dedicated / sevabhavi, doctors, workers are running this institution. The trustees I named have left their rich practce/ job in USA and have started this seva sanshtha. No expectations in return.
    Before selecting the institute, a detail study of the institution and its working be done. There may be few more institutions being run on the similar basis of “SEVA RURAL”.
    Many of us may have information regarding such SEVA SANSHTHAO.
    Thanks.
    Amrut(Suman)Hazari.

    Like

  17. ધર્મ અને મંદીરના નામે થતી પ્રવૃત્તીઓ છેવટે તો લોકોને હેરાન અને પરેશાન જ કરે છે.

    રસ્તામાં ઢોલ ત્રાંસા પીટવા કે અન્ય ધાર્મીક વીધી કરવી અંતે તો કોઈકને ત્રાસ આપે છે.

    સરકારી ઓફીસોમાં નાના મંદીર બનાવવા કે ધર્મના ફોટાઓ લગાડી પુજા પાઠ કરવી કે પછી શાળા ખુલતા પહેલાં પ્રાર્થના કરવી એ બધી પ્રવૃતીઓ અંતે તો નુકશાન કારક છે.

    Like

  18. haju nava nava bhagvan bharatmaa paida થતાજ જાય છે હવે તો અખિલ બ્રહ્માંડનો રચનાર અને તેનું સંચાલન કરનાર સર્વ વ્યાપી સર્વજ્ઞ સર્વ શક્તિમાન પરમેશ્વર એક પ્લેગ જેવો રોગ પૈદા કરે અને આવા ધુતારા કે જે લોકો ભગવાન કહેવડાવીને લોકોના પૈસા પડાવે છે અને ગેરમાર્ગે દોરે છે .ફક્ત તેવા લોકો નેજ લાગુ પડે નેજ લાગુ પડે અને મારી જાય તો થાય

    Like

  19. મારી મંદિર વાળા ભગવાન અને તેઓની સંપત્તિ ઉપર સવાર થઇ બેઠેલા ,અધિકારીઓને વિનતી છેકે ,જનતાએ આપેલા નાણા જનતાના હિત માટે વાપરવાનું વહેલામાં વહેલી તકે શરુ કરી દેવું જોઈએ .જનતા સુખી હશેતો તેઓની શ્રદ્ધા અથવા અંધ શ્રદ્ધધા ભગવાનને માલા માલ કરી દેશે .

    Like

Leave a comment