હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને
અપનાવ્યા વીના છુટકો નથી

–પ્રા. ધવલ મહેતા

 ‘Culture Can Kill’ પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકે ન્યુ જર્સીમાં રૅશનાલીસ્ટ મીત્રવર્તુળ ઉભું કર્યું છે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય દમ્ભ છોડ્યો નથી.

માત્ર હારનો જ ઈતીહાસ :

‘હીન્દુ સંસ્કૃતીને જગતની શ્રેષ્ઠ સંસ્કૃતી અને હીન્દુ ધર્મને જગતનો શ્રેષ્ઠ ધર્મ’ એવું સમજનારને લેખક એક પ્રશ્ન કરે છે : ઈ.સ. 1198માં વીદેશી મુસ્લીમ (મહમ્મદ ઘોરી)ને હાથે પૃથ્વીરાજ હારી ગયા પછીનાં લગભગ 800 વર્ષ કેમ વીદેશીઓએ સતત આપણા પર રાજ કર્યું ? છેક ઈ.સ. 1947 સુધી કેમ આપણે પરદેશીઓને રાજ કરવા દીધું ? આપણને ગઝની, તૈમુર, ચંગીઝખાન, નાદીરશાહ તથા હુણો લુંટી ગયા, આપણા લોકોની કત્લેઆમ ચલાવી અને આપણે કોઈપણ પ્રતીકાર વીના બેસી રહ્યા તે શું હીન્દુ ધર્મ અને હીન્દુ કલ્ચરની શ્રેષ્ઠતા બતાવે છે? કેમ આપણે પરદેશીઓ સામે (ઈ.સ. પુર્વે 300થી પહેલા એલેક્ઝાંડર નામના ગ્રીક સેનાપતીએ આપણને  હરાવી દીધા હતા) હમ્મેશાં માર ખાધો છે ! (અહીં એક આડ વાત કરી લઈએ કે ભારતના હજારો વર્ષના ઈતીહાસમાં માત્ર પહેલી જ વાર ઈન્દીરા ગાંધીએ વીદેશી રાષ્ટ્ર(પાકીસ્તાન)ને નીર્ણાયક પરાજય આપ્યો હતો.) હજી પણ આપણે એ સવાલ કરતા નથી કે છેલ્લાં પાંચસો વર્ષોથી ભારતે કે ચીને કેમ દુનીયાનું આર્થીક, બૌદ્ધીક કે સાંસ્કૃતીક નેતૃત્વ ગ્રહણ કર્યું નથી ? કેમ પશ્ચીમ જગતના યુરોપ અને અમેરીકાએ દુનીયાનું નેતૃત્વ લીધું છે ? યુરોપના એક દેશ પોર્ચુગલના વાસ્કો–ડી–ગામાએ કેમ ભારત ખોળ્યું અને ભારતે કેમ પોર્ચુગલ કે સ્પેન કે અમેરીકાને ના ખોળ્યા ? વળી, પશ્ચીમી જગતે મુડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, ડેમોક્રસી, ઉદ્યોગવાદ જેવી માનવકેન્દ્રી, સેક્યુલર વીચારસરણીઓ ખોળી અને ભારતે તે કેમ ના ખોળી ? વળી ભારતમાં આર્યભટ્ટ, વરાહમીહીર, ભાસ્કરાચાર્ય જેવા વૈજ્ઞાનીકો થઈ ગયા; પરન્તુ પશ્ચીમી જગતની જેમ ભારતે વૈજ્ઞાનીક પદ્ધતી (સાયન્ટીફીક મેથડ)ની ખોળ કેમ ના કરી ? તેણે બ્રહ્મન્, આત્મન્, જીવ, માયા, મનોભયકોષ જેવી ફીલોસોફી કેમ વાગોળ્યા કરી ? ચાર્વાક અને કણાદની તથા તેના અનુયાયીઓની વીજ્ઞાનને જન્મ આપે તેવી ભૌતીકવાદી ફીલોસોફીનો ભારતીય બ્રાહ્મણવર્ગે નાશ કર્યો. ટુંકમાં, પશ્ચીમી જગતે એશીયાને ખોળ્યું અને ખુંદ્યું; પરન્તુ ભારતે તેમ ના કર્યું. આ સવાલ આપણને ભારતીય કલ્ચરનાં મુલ્યોની ચકાસણી કરવાનું સુચવે છે. એક બાબત સ્પષ્ટ છે – જ્યારે પશ્વીમી જગત ઈ.સ. 1450 અને તે પછી રેનેસાં (પુનર્જાગરણ) અને રેફર્મેશન (એટલે કે પોપની સત્તા અને કેથલીક ધર્મ સામે પ્રચંડ વીરોધ)માંથી તથા વૈજ્ઞાનીક પદ્ધતીની સ્થાપનામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સમગ્ર ભારત ભક્તીયુગમાંથી પસાર થઈ રહ્યું હતું. સાધુ, સન્તો, પ્રાર્થના, ગુરુપુજન, ભજનો, પદો, પુજા વગેરેમાં તે લથપથ હતું. હજી પણ તે ચાલુ છે. ભારતના અને ગુજરાતના મધ્યમવર્ગમાં (ખાસ કરીને નવા ધનીક બનેલા વર્ગમાં) તો ભક્તીનું જાણે પુર ઉમટ્યું છે ! નવધનીક લોકોમાં ગુરુઓની કે સ્વામીજીઓની, કથાકારોની સેવા કરવાની કે તેમને હાથે ઉદ્ ઘાટન કરાવવાની તીવ્ર હરીફાઈ જામી છે ! આ પુસ્તકના લેખક હીન્દુ ધર્મની આલોચના કરતા કહે છે કે દુનીયાના દરેક ધર્મમાં રીતરીવાજો કે વીધીઓ (Rituals) હોય છે; પરન્તુ હીન્દુ ધર્મે વીધીઓની બાબતમાં હદ વટાવી દીધી છે. ઘરમાં, મન્દીરમાં, મેળાવડાઓમાં, (નદી પર–ધર્મસ્થળો પરના વીધી) સ્નાનવીધી, મન્ત્રોચ્ચારવીધી, પુજાવીધી, વાળ ઉતરાવવાનો વીધી, તર્પણવીધી, નદીમાં અસ્થી પધરાવવાનો વીધી, મોટા મોટા ઘાંટા પાડીને ભજનો ગાવાનો વીધી, સત્યનારાયણની કથાનો વીધી, મન્દીરોના ફેરા ફરવાનો વીધી, જનોઈવીધી, લગ્નવીધી, મૃત્યુવીધી, નાગપુજા, વડપુજા, પીપળાની પુજા વગેરે વીધીઓનો હીન્દુ ધર્મમાં પાર નથી. હવે ગુજરાતના સોફીસ્ટીકેટેડ ધનીકજનોમાં અને મધ્યમવર્ગમાં સત્યનારાયણની કથાને બદલે ‘સુન્દર કાંડ’ના પઠનનો વીધી વધુ લોકપ્રીય બન્યો છે; કારણ કે હનુમાન વધુ આક્રમક છે. વળી, ગુજરાતમાં પતીના આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત કે વીધી ન હતાં; પરંતુ હીન્દીભાષી પ્રદેશોમાંથી આયાત થયેલું કડવા ચોથનું વ્રત ગુજરાતી મહીલાઓએ ઉત્સાહપુર્વક અપનાવી લીધું છે. ચાર્વાક અને બુદ્ધ સીવાય અહીં હીન્દુ ધર્મ, તેની માન્યતાઓ તથા બ્રાહ્મણો અને પુરોહીતો સામે કદાચ રીબેલ–બળવો થયો નથી. માત્ર બાબાસાહેબ ડૉ. આમ્બેડકરે આ રીબેલ શરુ કર્યો હતો.

ભારતીય (હીન્દુ) સંસ્કૃતી: કશું ગમ્યું તો મર્યા જ સમજો

હીન્દુ સંસ્કૃતીનાં અનેક પાસાં છે. તે કુદરતનાં તત્ત્વોને ઉલ્લાસમય રીતે સ્વીકારે છે. તે અંગે નાચ કે નૃત્યો કરે છે, સમુહમાં એકબીજા પર રંગ છાંટે છે, પીચકારીનું પાણી છોડે છે, રાસ કરે છે વગેરે. પરન્તુ તેની બીજી બાજુ પણ છે. તમે કોઈ સાધુ, સંત, મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયા તો તેમાં, ‘આ સંસાર અસાર છે, માનવીનું ખરું ધ્યેય પ્રભુની ભક્તીનું છે અને સંસારના મોહમાયાથી અળગા થવાનું છે.’ તેવા જ વ્યર્થ ઉપદેશો સાંભળવા મળશે. તમને સારું ખાવા–પીવામાં મઝા પડે છે ? ના, તેનાથી તમે  જીભને લાડ લડાવો છે અને તેનાથી શરીર બગડે, માટે દેહશુદ્ધી માટે ઉપવાસ કરો. તમને આઈસક્રીમ કે ચોકલેટ ભાવે છે ? ના ખાશો – તેનાથી દાંત બગડે. તમને ચા ભાવે છે ? ચા – કોફી છોડી દો. તમને પૈસા કમાવાનું ગમે છે ? ‘પૈસો તો હાથનો મેલ  છે’ – તેને છોડી દો. તેવું બોલતો કથાકાર, સાધુ, સન્ત કે સ્વામીજી પોતે તો પુષ્કળ ધન એકઠું કરે છે. શું તમને SEX ગમે છે ? છીછીછી… તે અધ:પતનની નીશાની છે. શું તમને શીયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું ગમે છે ? તેવું ના કરતા; કારણ કે તમે ઈન્દ્રીયસુખને વશ થઈ જશો. રેફ્રીજરેટરનું  ઠંડું પાણી પીવાનું ગમે છે ? ના પીતા; તેનાથી શરદી થઈ જશે. શું મીઠાઈઓ ખાવાની ગમે છે કે રુની પોચી પથારીમાં સુવાનું ગમે છે ? એમ ના કરતા. ઈન્દ્રીયોને વશમાં રાખો. ચટાઈ કે શેતરંજી પર સુઓ. હૉટેલમાં શું કામ ખાઓ છો ? માંદા પડશો. ચા કે કોફી ના પીતા. સીનેમા જોવા કેમ જાઓ છો ? તમારો કીમતી સમય બગડે છે. જે કોઈ પણ પ્રવૃત્તી આનન્દ પમાડે તેનાથી દુર રહો. એક વૃદ્ધ અને બહુ વંચાતા પત્રકાર દર થોડે થોડે દીવસે નવો વીષય ના જડતાં, જગતના તમામ લોકોને ખબર છે તેવી વાત લખ્યે રાખે છે: દા.ત. જંકફુડ ના ખાતા, ચરબીયુક્ત ખોરાક ના ખાતા. ફણગાવેલાં કઠોળ, ફળફળાદી, શાકભાજી અને ફળોનાં રસ ખાઓ–પીઓ. વળી શું ખાવાથી કેન્સર મટી જાય કે કેન્સર ના થાય તેની જગતના નીષ્ણાતોને  પુરેપુરી ખબર નથી; પરન્તુ કોઈપણ સાબીતીના આધાર વીના તેમને કેન્સર મટાડતાં આહાર-વીહારનું પુર્ણ અંતરજ્ઞાન કે સ્ફુરીત જ્ઞાન છે ! કોઈપણ વીધાન માટે કે દાવા માટે વૈજ્ઞાનીક સાબીતી જોઈએ તેની ભારતના લોકોને ખબર નથી. આ પ્રકારના ઈર્–રૅશનલ વલણ સામે પણ આ લેખક લાલબત્તી ધરે છે. બધું જ કુદરતી સારું અને માનવકૃત ક્રીયાઓ, ચીજો કે પદાર્થો (દવાઓ, ઈન્જેક્શન્સ, ફીલ્મો વગેરે) ખરાબ કે નુકસાનકારક એવું ગાંધીજી અને વીનોબામાં તથા તેમના અનુયાયીઓમાં વધુ જોવા મળે છે. આ વીચારધારા નેગેટીવ છે. સામાજીક કે કલ્ચરલ ક્રાન્તી માટે આવાં વળગણો (ઓબસેશન્સ)ની કોઈ જરુર નથી. અબ્રાહમ લીંકન, માર્ક્સ, એન્જલસ, કાસ્ટ્રો, માઓ, માર્ટીન લ્યુથર કીંગ, દક્ષીણ આફ્રીકાના તારણહાર મેન્ડેલા વગેરેએ જબરજસ્ત બૌદ્ધીક રાજકીય ક્રાન્તી આવાં વળગણો વીના કરી છે. જગતને બદલી નાખનાર પ્રખર વૈજ્ઞાનીકો પણ ઉપરોક્ત પ્રકારના ગાંડપણભર્યા નીષેધોમાં માનતા નથી. તેઓ વારમ્વાર ઉપવાસ કરતા નથી કે ચટાઈ પર સુતા નથી કે બ્રહ્મચર્ય પાળતા નથી. પરન્તુ જગતને બદલી નાખે તેવી જબરદસ્ત શોધો કરે છે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ કે આઈનસ્ટાઈન કે ન્યુટન આનાં ઉદાહરણો છે. ઈન્દ્રીયો પર સંયમ જરુર જોઈએ; પરન્તુ તેની કોઈ આત્યન્તીક ઘેલછામાં જગતના ચીન્તકો અને ક્રાન્તીકારો જીવતા નથી. તેમનું જીવન બહુધા ‘બેલેન્સ્ડ’ (સંતુલીત) હોય છે. તમારે વહેલા સુઈને વહેલા ઉઠવું કે સ્નાન કરીને જ જમવું, સાંજ પહેલાં સાદું ભોજન લેવું, ભગવાનમાં મન પરોવવું – આ અર્થહીન ઉપદેશો છે. તેને વ્યર્થ ગણવા.

આ પુસ્તકના લેખક ગીતામાં પ્રબોધેલા નીષ્કામ કર્મ અને સ્થીતપ્રજ્ઞના વીચારોની વીરુદ્ધ છે. ફળની આશા વીના કોઈ પણ કામમાં ‘મોટીવેશન’ જ કેવી રીતે ઉભું થાય ? વળી, માણસ સુખ દુ:ખમાં સન્તુલન જાળવે તે સ્થીતપ્રજ્ઞતાનો વીચાર ઠીક છે; પરન્તુ  આનન્દમાં કે સુખમાં કે દુ:ખમાં લાગણીઓ જ ના અનુભવવી કે તેની અભીવ્યક્તી ના કરવી તેવો સ્થીતપ્રજ્ઞતાનો વીચાર અવ્યવહારુ છે. સમાજમાં આટલો બધો અન્યાય હોય અને મન ખળભળી ના ઉઠે તેવું સ્થીતપ્રજ્ઞતાનું લક્ષણ, જડત્વભર્યું ને અરુચીકર છે.

ધર્મની વીરુદ્ધ :

લેખક ધર્મની વીરુદ્ધમાં છે; કારણ કે દુનીયાનો દરેક ધર્મ એવો દાવો કરે છે કે તે સર્વશ્રેષ્ઠ છે. જો દરેક ધર્મ પોતાને શ્રેષ્ઠ માને તો ધર્મને નામે યુદ્ધો થવાનાં જ છે. દુનીયામાં અસંખ્ય ધર્મયુદ્ધો થઈ ચુક્યાં છે. દરેક ધર્મ ઈર્–રૅશનલ છે અને નાનપણથી જ વ્યક્તીનું તેના ધર્મમાં બ્રેઈનવૉશીંગ કરવામાં આવે છે; જેથી તે તેના ધર્મને શ્રેષ્ઠ માને. અમેરીકામાં સાધુ, સન્તો, મહાત્માઓ, મહન્તો, ગુરુઓની પધરામણીને તથા તેમની પધરામણીઓ કરાવનાર લોકો માટે લેખક સખત નારાજગી પ્રગટ કરે છે. લેખક કટાક્ષ કરી કહે છે કે પહેલાં એવું મનાતું જે કોઈ સાધુ, સન્ત કે યોગીએ હીમાલયમાં તપસ્યા કરી ના હોય, તેઓને સાચા યોગી કે મહાત્મા ગણવામાં આવતા ન હતા. હવે ભારતના લોકો, જે યોગીઓ, સન્તો કે સ્વામીઓના, પશ્ચીમ જગતની ધોળી પ્રજાના ભક્તજનો ના હોય તેમને સાચા સન્ત કે મહાત્મા ગણતા નથી. એવું જણાય છે કે આવતા સો કે બસો વર્ષ પછી હીન્દુ ધર્મના વ્રતો, ફીલોસોફી અને રીતરીવાજો માત્ર પશ્ચીમ જગતમાં જ બચ્યા હશે !! લેખક આ પુસ્તકના સાર રુપે મુદ્દાને રજુ કરતા કહે છે કે જ્યાં સુધી ભારતમાં હીન્દુ ધર્મ અને તેની ફીલોસોફી તથા સાધુસન્તોની સત્તા સામે રીબેલ–બળવો નહીં થાય ત્યાં સુધી આપણે પછાત જ રહીશું.

શોધોનો વીરોધ :

     ભારતનું કલ્ચર નવી ચીજવસ્તુઓ કે નવા વીચારોની શોધ (ઈનોવેશન્સ) અને સ્વતંત્ર વીચારશક્તીને રુંધે છે. અંગ્રેજ પ્રજાએ જગતને બદલી નાખનાર નવી નવી શોધો દ્વારા ઔદ્યોગીક ક્રાન્તી કરી. ઈંગ્લેંડના જેમ્સ વૉટે સ્ટીમ એન્જીન ખોળ્યું. આપણે કેમ ના ખોળ્યું ? આપણે તો માત્ર ઈન્દ્રીયજન્ય સુખો પર કાબુ મેળવવામાં  જ આપણી તાકાત વેડફી નાંખી. હીન્દુ રાજા પુષ્યમીત્ર શૃંગે (ઈ.સ. પુર્વે 187 થી ઈ.સ. પુર્વે 157) જે કોઈ બૌદ્ધ ધર્મના અનુયાયીનું માથું રજુ કરે તેને સોનું આપવાની જાહેરાત કરી હતી. બૌદ્ધ ધર્મ શું કોઈ હીંસા વીના એકાએક ભારતમાંથી અદૃશ્ય થઈ ગયો ? વળી, લેખક કહે છે કે આપણે બહુ બધી વીદેશી પ્રજાઓને હાથે પરાજયનો સ્વાદ ચાખ્યો છે અને તેવી હારેલી પ્રજાએ તો સહીષ્ણુ બનવું જ પડે છે. (જેમ અત્યાર સુધી દલીતોને ગામડાઓમાં ફરજીયાત સહીષ્ણુ બનવું પડ્યું હતું અને બનવું પડે છે.)

ટુંકમાં, લેખકના મતે ધાર્મીક માન્યતાઓ પ્રજાના પગની બેડીઓ છે. વળી હીન્દુધર્મીઓ હીન્દુ–મુસ્લીમ હુલ્લડો દરમીયાન  બહુ સહીષ્ણુ હોય તેમ જણાતું નથી. બન્ને પક્ષો અસહીષ્ણુ હોય છે. ‘હીન્દુ ધર્મ શ્રેષ્ઠ છે અને જગતે તેના શરણે આવવું પડશે’ તેવી કપોળ કલ્પના હેઠળ ઘણા લોકો જીવે છે. લેખક ભારપુર્વક માને છે કે આપણી ગરીબીનું  કારણ બાહ્ય પરીબળો નથી. આપણે બહારના વીલનો એટલે કે ખલનાયકો (બ્રીટન, અમેરીકા, પાકીસ્તાન)ને શોધવાની જરુર નથી. અંગ્રેજોની હકુમત પહેલાં પણ આપણે ગરીબ હતા. આપણો અંદરોઅંદરનો કુસંપ અને ધાર્મીક માન્યતાઓ તથા તદ્દન નબળું રાજ્ય (સોફ્ટ સ્ટેટ) આપણી ગરીબી માટે જવાબદાર છે.

-પ્રા. ધવલ મહેતા

(બે હપ્તે આ લખાણ અહીં સમાપ્ત થાય છે.. ગયા સપ્તાહનો આગલો ભાગ અને તેને મળેલા વાચકોના રસપ્રદ પ્રતીભાવો માણવા  https://govindmaru.wordpress.com/2012/03/22/dhawal-mehta-3/ આ લીંક પર ક્લીક કરશો. ગોવીન્દ મારુ)

તા. 21 ડીસેમ્બર, 2011 ના ‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નવું વાચન–નવા વીચારમાંથી, લેખક અને ’ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..

પુસ્તકલેખક–સંપર્ક :

Subodh Shah,

7 Nightfall court, OFALLON, MO – 63368 – USA

Ph : 001-636-240-5230   eMailssubodh@yahoo.com

પુસ્તકમાહીતી:

The title of the book is ‘Culture Can Kill’.  It is divided in 27 Chapters  & has 167 Pages. The Book is Published BY  http://www.authorhouse.com/  Price 12 dollars.

Books are available at http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586   Price 18 dollars.

The book is also published in INDIA  by Lokvangmaya Grih, 85- Sayani Road, Prabhadevi, Mumbai – 400 025. But now there is no stock so these books are not available in India.

પુસ્તકપરીચય આપનાર :

પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ-15 ફોન નંબર: (079) 2675 4549 ઈમેઈલ: dhawalanjali48@yahoo.com

@@@

રૅશનાલીઝમ – મુક્તકો

(૧)

અર્થ વગરના રીતરીવાજો સ્વીકારો છો શા માટે ?

સમજ વગરની વાત હૃદયમાં ઉતારો છો શા માટે ?

સાચુ શું ને ખોટું શું છે ? આધારોથી શોધ કરો–

બીજાના મત મુજબ કાયમ વીચારો છો શા માટે ?

(૨)

હજુ કેમ લોકો કથા સાંભળે છે !

વીતેલા સમયની વ્યથા સાંભળે છે.

ગયું તે ભુલી જા, થયું તે ભુલી જા.

જીવન તો વહેતા સમયમાં મળે છે.

– મનસુખ નારીયા,

આચાર્ય, એમ.વી. પટેલ હાઈ સ્કુલ, માતા વાડી, વર્ષા સોસાયટી, વરાછા રોડ, સુરત– 395 006

ફોન: (0261) 254 5772 મોબાઈલ: 94268 12273

ઈ–મેઈલ: vu2mnariya@gmail.com

@@@@@

  દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ : http://govindmaru.com

અક્ષરાંકન : ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર –  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29–03–2012

@@@@@

52 Comments

  1. મને આશા હતી કે આ બીજા ભાગમાં કઈંક નવું જાણવા મળશે. પહેલા ભાગ પર પ્રતિભાવ આપતાં મેં સામુદાયિક અંધશ્રદ્ધાઓ તરફ ધ્યાન દોર્યું હતું.

    Like

  2. It always good to learn from past mistakes but it is really stupid not to adjust & change with time.
    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  3. શ્રી ધવલ મહેતાનો સરસ લેખ છે.

    હિંદુ ધર્મના લોકોએ પદ્ધતિસરનો માર ખાધો છે. ઋષિઓનો કાળ જુદો હતો. ઋષિકાળમાં ધનુર્વિદ્યા સહિત બધીજ વિદ્યાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. બુદ્ધ અને મહાવીર પછી જે સાધુકાળ ચાલુ થયો ત્યાં કંચન અને કામિનીના ત્યાગે લોકોને મોક્ષ કે નિર્વાણના નામે નિષ્ક્રિય બનાવ્યા. તલવારના જોરે મુઠ્ઠીભર લોકોએ હિન્દુસ્તાન પર જેમ ફાવે તેમ રાજ કર્યું. સમર્થ રાજા અશોક જે પોતાના રાજ્યનો વિસ્તાર કરતો હતો તો તેને બુદ્ધના ભિક્ષુકોએ દિક્ષા આપી નિષ્ક્રિય કર્યો. મહાવીરના જૈન ધર્મે પણ આંવુંજ કર્યું. જૈન ધર્મ તેના કઠોર નિયમો જેવાકે કાંદા, લસણ અને બટાકા પણ ન ખવાયને લીધે ત્યાનો ત્યાંજ રહી ગયો. જેણે જેટલા સખત નિયમો બનાવ્યા તેટલા તેઓ બીજા કરતાં ચઢીયાતા છે એવો દંભ ઊભો થયો. બુદ્ધનો પ્રભાવ ઘટાડવા શંકરાચાર્યે પાછું હિંદુ ધર્મને જીવન આપ્યું. બ્રાહ્મણોએ ધર્મને આજીવિકાનું સાધન બનાવ્યું. વર્ણ-ભેદો થયા અને પછી જે થયું તે તો બધાને ખબર છે.

    રામાયણ તથા મહાભારત મહાકાવ્યો છે. રામાયણમાં યજ્ઞમાં વિજ્ઞ થવાથી જે શમ્બુક(શુદ્ર)ને મારી નાખવાની વાત આવી તથા મહાભારતમાં એકલવ્યને દ્રોણાચાર્યે નહિ સ્વીકારવાની વાતથી ભારતમાં વર્ણભેદ વિકર્યો એવું મારું માનવું છે.

    વધુ શું લખું? વાત તો બધી સાચી છે. આખી દુનિયાની પ્રજા માનવતાનેજ ધર્મ સમજે તો પ્રજાનું કલ્યાણ થાય. પોતાના ધર્મને શ્રેષ્ઠ મનાવવામાં હિંદુઓ તો એટલા દુરાગ્રહી નથી. મુસલમાનને કોઈ દિવસ સમજાવી ન શકાય કે ઇસ્લામની જેમ બીજા ધર્મો પણ સારા છે. ચુસ્ત ક્રિશ્ચિઅનોને પણ આ વાત ગળે ઊતરે એવી નથી. માનવતાની વાત હિન્દુઓને તો સમજમાં આવેજ છે પરંતુ બીજા ધર્મો વાળાને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એના શું પ્રત્યાઘાત પડે એ જોવું રહ્યું. હિંદુઓ તો બધી વાતને સ્વીકારતાજ હોય છે એટલેજ તો લેખક છૂટથી અહિ લખી શકે છે. આપણે ત્યાં પોતાના વિચારો રાખવાની છૂટ છે.

    મને એવું લાગે છે કે દુનિયાના ધર્મોને મિટાવી તો નજ શકાય. પરંતુ દરે ધર્મવાળા એકબીજાને સમજે અને માનવતા પર વધારે ભાર મૂકે તો સર્વનું કલ્યાણ થાય.

    લેખ બહુ લાંબો હોવાથી થોડા વાક્યોજ વાંચ્યા છે અને સમયનો અભાવ એટલે તે પ્રમાણે પ્રતિભાવ આપ્યો છે.

    Like

  4. શ્રી ભિખુભાઇએ લખ્યું છે તેમ હિંદુ ધર્મ વિરુધ્ધ લખવું બહુ સહેલું છે. હિંદુ ધર્મને “અસહિષ્ણુ” કહેતાં કોમી હુલ્લડોનો લેખક દાખલો આપે છે તેનાથી હુલ્લડોના ઈતિહાસનું અજ્ઞાન પ્રદર્શિત થાય છે. હકિકતમાં વધારે પડતી સહિષ્ણુતા જ હિંદુઓની નબળી કડી હતી. જેને કારણે મોગલો અહિં વસી શક્યા. ઇસ્લામ અને ક્રિશ્ચિયન ધર્મની જેમ હિંદુ ધર્મે કદી રાજકારણમાં હસ્તક્ષેપ નથી કર્યો. વિદેશી આક્રમણો સામેની હાર એ રાજકીય પરિસ્થિતિ હતી. લખક ધર્મ અને રાજકારણ વચ્ચેનો ભેદ પામી શક્યા નથી. રેશનાલીસ્ટોનું એક દુ:ખ એ છે કે તેઓ પોતાને હમેશાં સર્વશ્રેષ્ઠ માનતા હોય છે. અને બીજાને આવી માન્યતા ધરાવવાના અધિકારને નકારતા હોય છે. એક આડવાત, પાકિસ્તાનને પરાજય ભારતીય લશ્કરે આપ્યો હતો. વિજય પછીનો કરાર રાજકીય પરાજય હતો. મૂળ પુસ્તક વાંચ્યા વગર સમીક્ષા પરથી પ્રતિભાવમાં આનાથી વધારે લખવું ઉચિત નથી.

    Like

  5. ધવલભાઇ અને સુબોધભાઇ,
    પ્રાચીન ભારતની પડતીના વિવેચનો તો ઘણા સાંભળ્યા અને મોટે ભાગે બધાનો એની પાછળ આશય કોઇ પણ ઠોસ સુઝાવ વગર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે હોઈ છે કે પછી બીજા કોઈ ઉદેશથી હોઈ છે! ધર્મનો નાશ કરવાનો સુઝાવ રૅશનાલીઝમનI propaganda માટે હશે પણ તે રૅશનાલીઝમનું અધૂરાપણું અને છીછરાપણું સૂચવે છે! ધર્મ વગરના દેશોની રાજકીય પરિસ્થિતિ ચીનનI લોકો જેવી થઈ જાય! આપણે Atulbhai કહ્યા મુજબ રૅશનાલીઝમ જેવI બીજા કોઈ નવા ISMની જરૂર નથી! ભારતે તો પોતાના ભવ્ય pastથી પોતાની ધુરંધતI બતાવી આપેલ છે! રૅશનાલીઝમ વાતોના ગપગોળI થકી પરિસ્થિતિની લાચારતાનો ક્યાંક તો ફાયદો ઉઠાવે છે અથવા બીજા ધર્મનI હાથI થઇ પ્રાચીન ધર્મનો નાશ કરવા માંગે છે! હું આવI 3 દેશવાસીઓને અમેરિકામાં મળ્યો કે જેઓએ પોતાના હિંદુ નામનો ઉપયોગ કરી, પોતાને હિંદુ કહેવડાવી, હિંદુ-ismની પેટભરીને ટીકા કરી મને ઈશુનI શીખવવાની નિરર્થક કોશિષ કરી!!
    પશ્ચીમના દેશોની સફળતાની વાત કરતા આ લોકો, સફળતાની દેખીતી ચાવી જેવા મોટાઅંશે શુદ્ધ રાજકારણ અને તેમને શુદ્ધ રહેવાની ફરજ પાડતા મજબૂત જર્નાલિઝમની વાત કેમ નથી કરતા અને બસ સગવડયI પીપુડી વગાડ્યા કરે છે??
    મિત્રો બીજાનો મહેલ જોઈને આપણી ઝુંપડી ન તોડાય!
    આપણા ઘરના રસોડાના માળીયા પર પકવવા મૂકેલ કેરીમાંથી બગડેલી વાસ આવે તો દેખીતી રીતે સડેલી કેરીને ફેકી દેવીતે “ગણેલા લોકોનુ” કામ થયું!!
    પણ તે જ ઘર કેરી બગડી જતી હોવાથી તોડી નાખવાની સલાહ તે “ભણેલા લોકોનુ” કામ થયું!!

    Like

  6. લેખક શ્રી સુબોધ ભાઈ શાહે સાચું લખ્યું છે કે હીન્દુ ધર્મ કે જન્મ થી મરણ સુધીની વીધીઓમાં દંભ સીવાય બીજું કાંઈજ નથી.

    દરેક જણ અભીમાન કરવા લાગ્યો કે હું કે મારો વર્ણ ઉચ્ચ અને હું જ ખરો ક્ષત્રીય કે વેદના જાણનારો બ્રાહ્મણ.

    ૨૬.૦૧.૧૯૫૦ના ભારતના બંધારણમાં આભળછેટ બાબત સ્પસ્ટ ઉલ્લેખ છે જેણે દંભ ખુલ્લો કર્યો છંતા આજની તારીખમાં હીન્દુઓ જાત પાત કે ઉચ્ચ નીચ્ચ જાતીની દેખરેખ અને સુંઘ સુંધ કરવામાંથી ઉચાં આવ્યા નથી.

    હીન્દુ સમાજની આ વર્ણ વ્યવસ્થા અને દંભી અભીમાન વૃત્તીમાં મહાભારત અને રામાયણની કાલ્પનીક કથાઓએ ટેકો આપ્યો.

    કોપરનીક્સ, ગેલેલીયો, એડવર્ડ જેનેર, ન્યુટન, વગેરે જે કર્યું એ તો અમને અને અમારા વેદ, ઉપનીસદમાં લખેલ છે એટલે ખબર છે બસ આજ હીન્દુ સમાજે ગાંણુ ગાયું અને મુઠીભર ઈસ્લામના સાસકોએ હીન્દુઓને એમના કર્મની સજા કરી જે મોક્ષ મલસે એ માન્યતામાં હજી ભોગવે છે.

    વીધવા પુન લગ્ન પ્રતીબંધ હતો કારણ વીધવા પુનઃ લગ્ન કરે તો નરકમાં જાય અને પુનઃ લગન કરનાર વીધવાને મારી નાખવામાં આવતી એટલે ૧૫૦ વરસ પહેલાં વીધવા પુન લગ્ન કાયદો બનાવવામાં આવેલ.

    સતી રીવાજ, વીધવા પુનઃ લગ્ન કાયદો અને આભળછેટ બાબતમાં આટ આટલી માર ખાવા છંતા દંભી હીન્દુ સમાજ મીયાભાઈની ટંગળી ઉંચી રાખવા હજી ગીતા રટણ દ્વારા હવાતીયા મારે છે.

    અભીવ્યક્તીમાં અક્ષરાંકન, પ્રુફ વાંચનમાં યોગદાન આપવા બદલ ગોવીન્દ મારુ અને ઉત્તમ ગજ્જરને અભીનંદન.

    Like

    1. થોડુંક બીજા ધર્મ વિશે સંભળાવુ હો 🙂

      મૃત્યુ પછી મૃત દેહ ફરી કદી જીવીત ન થાય. આવા મૃત દેહને સાચવી રાખવા માટે કબર અને કોફીન કેટલી બધી જીવતા લોકોને રહેવા માટેની જગ્યાનો દુર્વ્યય કરે છે તેની નોંધ લેતા દંભી રેશનાલીસ્ટો ને માથાના ઘા થાય. જો બીજા ધર્મ વિરુદ્ધ બોલે તો ફતવો બહાર પડે. બીચારા સલમાન રશદી જાહેરમાં નીર્ભય રીતે ફરી પણ નથી શકતાં. જ્યારે અહીં તમે ખુલ્લેઆમ અને બેફામ રીતે હિંદુ ધર્મની નિંદા કરી શકો છો કારણ કે હિંદુ ધર્મ સહિષ્ણુ છે. હિંદુ ધર્મ સહિષ્ણુ છે તેનો અર્થ તેમ નથી કે મુરખ લોકો અહીંયા રહે છે પણ નાહકનું થુંક શું ઉડાડવું તેમ સમજીને ચૂપ રહે છે.

      બાકી હજાર વાર કહીશ કે ઈંટનો જવાબ પથ્થર જ હોય અને આવું કહેવા બદલ થાય તે કરી લેવું.

      Like

    2. રામાયણ અને શ્રીમદ ભાગવત ગીતાજી ને કાલ્પનિક કહેનાર કદાપી ઇસ્લામ કે ખિસ્તી ધર્મ ના ધાર્મિક પુસ્તકો ને કાલ્પનિક કેહવાની હિંમત કરી શકશે ખરા?

      તાજેતર માં જ રામાયણ માં આલેખવામાં આવેલ, જે શ્રી હનુમાનદાદા એ શ્રી રામ ના નામે પથ્થરોથી બનાવેલ શ્રીલંકા અને ભારત ને જોડતા સેતુને નાસા સંસ્થાએ શોધી અને તેની તસ્વીરો જાહેર કરી. તો એ કાલ્પનિક સેતુ હતો ? વોહરાજી જે જગ્યા રામાયણ માં દર્શાવી છે ત્યાં જ આ સેતુ નાસા એ શોધ્યો છે.

      મારે હિન્દુ ધર્મ ની કઈ અંધ શ્રદ્ધાઓ છોડી દેવી?
      અહિંસા પરમો ધર્મ છોડી ને હિંસા પરમો ધર્મ અપનાવવો?
      કે ભગવાન રામ નો આદર્શ છોડી વિદેશો માં ચાલતા વ્યભિચાર ને અપનાવવો?
      કે દારૂ નું વ્યશન નું લત લગાડી ને દારૂડીયા થવું?
      કે કેફી પદાર્થ નું સેવન કરી જેલ ને ઘર બનાવવું?

      ભગવાને આપેલ અન્ન નો આભાર માની પ્રસાદ ધરાવવો, જમવાના મેજ ઉપર બેહાથ જોડી ભાગવાને આપેલ અન્નનો અભાર માનવો કે આ શિષ્ટાચાર (અંધ શ્રદ્ધા) ને છોડી દેવી અને પ્રાણીઓ ની જેમ ખોરાક નું સેવન કરવું.

      શ્રી કૃષ્ણ ભગવાને આપેલી વર્ણ પ્રથા વેસ્ટર્ન world અપનાવેલી જ છે જો તમારી ધ્રષ્ટિ હશે તો જોવા મળશે. એક સામાન્ય દાખલો આપું મેનેજર, કે બેંક નો કારકુન એ કચરા પોતું નથી કરતો તેના માટે જુદા માણસો ની વ્યવ સ્થા કરેલ હોય છે.આ એક સુઆયોજિત પ્રથા હતી પરંતુ આપણાજ સમાજ ના ભણેલા ગણેલા હોશિયાર માણસો એ પોતાનું નામ કમાવવા આ પ્રથાને બદનામ કરી રહ્યા છે

      અશ્વીનભાઈ, આપની વ્યવહારિક અને કોઠાસુજ થી આપેલ દલીલો ખુબજ દાદ માગી લે એવી છે,હું પણ આપની સાથે સહેમત છું કે આપણી ભ્રષ્ટ સરકારો તથા જુજ નામના કમાવવા મથતા અને પરધર્મ ની ચાકરી કરતા મણસોએજ આપણા ધર્મ નું નીકંદન કાઢ્યું છે.

      ગાય માતા નું ચામડું ઓઢી શિયાળ શિકાર કરવા નીકળો હોઈ તેમ લાગેછે.

      Like

  7. બીજા ધર્મ નાં લોકો તેમના ધર્મ વિષે ખરાબ ક્યારેય લખતા નથી કે બોલતા નથી જયારે આપણા ધર્મ નાં વધારે ભણેલા અને પોતાને વધારે બુદ્ધિમાન ગણતા લોકો જ આપણા જ ધર્મને વખોડે છે તે ખુબ જ દુખદ છે. “વિશ્વ લેવલે દરેક ધર્મ ની ચર્ચા માટે સ્વામી વિવેકાનંદજી આપણી “ગીતા” લઈને ગયા હતા અને ગીતા ને સૌથી નીચે મુકવામાં આવેલી એ બાબતે ચર્ચામાં સ્વામી વિવેકાનંદજી એ કહ્યું હતું કે અમારી ગીતા સૌથી નીચે છે એ બતાવે છે કે એ પાયો છે અને પાયા નાં લીધે જ ઉપરની ઈમારત ટકી રહે છે ” એ બાબત તો આપણે યાદ હશે જ , તેથી આપણા ધર્મ ને ન માનો તો કઈ નહી પણ વખોડશો તો નહી જ.

    Like

  8. સફેદ પીંછા લગાવવાથી કાગડો હંસ ન થઈ જાય! વિજ્ઞાનના આડંબરમાં રચાતા નાસ્તિકોએ સમાજને તેમની ઉપદ્રવીતા સિવાય શું આપ્યું? વિજ્ઞાનની કઈ શોધ કરી? કઈ આઝાદીની ચળવળમા મર્દાનગી બતાવી? હિન્દુ ધર્મની ઉણપો તેની સમઝણની ઉણપને લીધ છે અને યુગે યુગે યુગપુરુષ આવી તેની સંભાળ લે છે! અને એ વસ્તુ નાસ્તિકોની લાયકાત બહારની છે! દેશપ્રેમી થઇ ભ્રષ્ટાચાર સામે હરફ ઉચ્ચારવાની તો હિંમત નથી! જનકલ્યાણ કે માનવતાનો ઝંડો લઈ ફરવાનો શોખ હોય તો પ્રજાને ભ્રષ્ટાચારમાથી બચાવવાનો પ્રયત્ન કરવાની મર્દાનગી કરો! મર્દાનગીના પાઠ લેવા હોય તો સ્વામી સચ્ચિદાનંદ હજી હયાત છે! અગ્નિવેશને જ follow કરશો તો આડંબર, નામર્દIઈ અને ઉપદ્રવીતા સિવાય કશું નહીં આવડે! રૅશનાલીઝમમા માનતા હો તો ઉપરની વસ્તુઓ પર રૅશનાલ thinking કરી સમાજ ને સાચા દિલથી મદદ કરી દેશદાઝ દર્શાવેI! પશ્ચિમના દેશોની 200-500 વર્ષોની સફળતાને કાયમી સફળતા માનવામાં કયું રૅશનાલ thinking છે તે સમજાતું નથી!! તેમની economyને તો અત્યારે પણ stimulusની જરૂર પડે છે! રૅશનાલીઝમના નામ હેઠળ પણ જો રૅશનાલ thinkingને અભરાઈ પર ચડાવી દઈ સગવડિયા thinkingને અપનાવવું તેમાંને પાખંડી ધર્મગુરુઓમા ફેર નથી! પેટલાદની હવેલીઓમા રહેતા લોકો છે!

    Like

  9. પેટલાદની હવેલીઓમા રહેતા લોકો વધુ પ્રામાણિક છે!

    Like

  10. બીજું આપણાં રેશનાલીસ્ટો ગુજરાતી ભાષામાં લખવાનું શીખવાની તસ્દી કેમ નથી લેતાં?

    એટલું જ નહીં આ પ્રશ્નનો જવાબ આપવાની યે તસ્દી કેમ નથી લેતાં?

    નવું શીખવાની ધગશ હોવી જોઈએ ને?

    Like

  11. દરેક દેશને કાયદા હોય અને કાયદાનું પાલન કરવાનું નાગરીક માટે તેમ જ પાલન કરાવવાનું સરકાર માટે જરુરી હોય છે. આપણી સરકાર અને ભ્રષ્ટ અધીકારીઓ કાયદાનું પાલન કરાવવામાં શા માટે આટલા ઉદાસીન છે તે બાબતે રેશનાલિસ્ટોનું ધ્યાન શું નહીં જતું હોય?

    ભયંકર ભ્રષ્ટાચારને લીધે ભારત અત્યારે પતનની ગર્તામાં જઈ રહ્યો છે તે શું રેશનાલીસ્ટોને નથી દેખાતું?

    કે પછી સહેલા અને ચવાઈ ગયેલા ટારગેટ શોધીને વિરતાનો દંભ?

    Like

  12. મીત્રો, લેખક અને પુસ્તક પરીચય આપનારે હીન્દુઓના દંભ વીસે ઠેર ઠેર જણાવ્યું છે. આ કોમેન્ટ લખનાર કે અન્ય સૌ જાણે છે કે મંદીરમાં જઈએ એટલે જોડા ઉતારવા પડે.

    બધાને ખબર છે કે ઢોલ, તબલા, ખંજરી વગેરેમાં ચામડું વપરાય છે અને આવા ઘણાં વાંજીત્રો મંદીરમાં હોય છે જેમાં મરેલા જાનવરોનું ચામડું વાપરેલ છે. એટલે કે જોડા મંદીરની બહાર ઉતારો કે પહેરીને દર્શન કરવા જાઓ શું ફરક પડવાનો છે?

    જોડા પહેરી મંદીરમાં પ્રવેશ કરવાથી રેશનલ વીચારસરણીની ખબર પડે છે પણ જોડા ઉતારી મંદીરમાં પ્રવેશવાથી દમ્ભ ખબર પડી જાય છે.

    Like

    1. શ્રી વોરાસાહેબ,
      જોડા પહેરીને આપણે જ્યાં ત્યાં ફર્યા હોઈએ ને? આપણાં જોડામાં ધુળ લાગી હોય, છાણ ચોંટ્યા હોય તેથી સ્વચ્છ્તા માટે બહાર કાઢી નાખવા જોઈએ 🙂

      Like

      1. જોડા ઉતારી મંદીરમાં પ્રવેશવાથી દમ્ભ ખબર પડી જાય છે.

        Like

      2. એટલે કે જોડા મંદીરની બહાર ઉતારો કે પહેરીને દર્શન કરવા જાઓ શું ફરક પડવાનો છે?
        What is the ruling on praying in shoes in the university mosque, on the grounds that it is difficult to take off the shoes and untie them because there is very little time?.

        http://islamqa.info/en/ref/69793

        Applicant gets 1 month for wearing shoes in mosque
        http://www.vanguardngr.com/2011/11/applicant-gets-1-month-for-wearing-shoes-in-mosque/

        Like

  13. આપણે તો માત્ર ઈન્દ્રીયજન્ય સુખો પર કાબુ મેળવવામાં જ આપણી તાકાત વેડફી નાંખી……..
    Look at art at Kajuraho Temple.
    http://en.wikipedia.org/wiki/History_of_sex_in_India
    Didn’t India give kamasutra to the world?

    You may read rationalism in Islam…………………..
    http://hindurashtra.wordpress.com/
    http://www.islamreview.com/faq.htm

    દા.ત. જંકફુડ ના ખાતા, ચરબીયુક્ત ખોરાક ના ખાતા…….
    What’s wrong in following home remedies if they work?
    http://en.wikipedia.org/wiki/Home_remedy
    http://www.homeremedytreatment.com/
    http://www.myhomeremedies.com/topic.cgi

    Like

    1. મનની ગંદકી લઈને મંદીરમાં જવાય,
      પણ જો ચંપલ પર લાગેલી ગંદકીને પણ મંદીરમાં લઈ જવાનો આગ્રહ રાખતા હો,
      તો ઘરના રસોડામાં જ સંડાસ કેમ ઊભું નથી કરતા !!

      Like

  14. ઘર ની ગીતા પણ જેની વાત સાંભળે નહીં તેવા સજ્જનની સગવડિયા વાતો સાંભળીને જાણીતો મુહIવરો યાદ આવે કે, ” સગાભાઈઓની પીઠ પાછળ છૂરી ભોંકનાર ઔરંગઝેબે હવે “मरदाना फौज बनाई है!”

    Like

  15. બ્રાહ્મણોએ ધર્મને આજીવિકાનું સાધન બનાવ્યું……………..

    શું રેશનાલીસ્ટ હજારો વર્ષ થી ચાલુ રહેલ આ આજીવિકા ના સાધન ને તોડી શકશે??

    http://en.wikipedia.org/wiki/Federation_of_Indian_Rationalist_Associations
    http://en.wikipedia.org/wiki/Faith_and_rationality
    http://en.wikipedia.org/wiki/Indian_Rationalist_Association

    (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં ! http://saralhindi.wordpress.com/

    Like

    1. ઘણા મંદિરોના પૂજારીઓ આજની તારીખમાં પણ કંગાળ હાલતમાં રહે છે! બધા બ્રાહ્મણો ભ્રષ્ટ હોતાં નથી ! ગુજરાતના એક પૂજારીએ હાલમાં જ પોતાની નોકરીની પરવા કર્યા વિના અગ્નિવેશને ભરી સભામાં લાફો માર્યો !
      ધર્મને આજીવિકાનું સાધન બનાવનાર લોકોને ભગવાન સાથે કોઇ લેવાદેવા ન હોઇ શકે તેથી તેઓ પાખંડી છે અને ભગવાનની વિરુદ્ધ કામ કરતી નાસ્તિકતામા જ રાચે છે !

      Like

  16. મિત્રો,
    મારી કટુ વાણી બદલ સૌની માફી માગુ છુ! સરદારની ભૂમિ પર 18-20 વર્ષ વિતાવેલ તેથી જીભ થોડી કડવી છે! ઘણા બધા હિંદુઓ વ્યવહારુ અને વાસ્તવિક thinkingના સમંવયથી પોતાના ધર્મને વળગી રહે છે (બીજા શબ્દોમાં રૅશનલ કહી શકાય) કારણ કે તેમને અનુભવ થઈ ગયો છે કે તેમને કન્વર્ટ કરવા માટે અને પ્રાચીન ધર્મ નો નાશ કરવા બીજા ધર્મો, બીજા સંપ્રદાયો અને બીજા સમૂહો કેવા કેવા પ્રકારના જૂઠાણાં ચલાવે, આડંબર કરે અને બહુરૂપીયા ખેલ કરે!! આજનો હિંદુ આ બધાથી માહિતગાર થવા માંડ્યો છે! અમુક સાધુ સંતો કે ધર્મગુરુઓના પાખંડથી પણ તે પરિચિત છે! ઉપર મુજબના બધા ધર્મો/સંપ્રદાયો/સમૂહો/સાધુ સંતો કે ધર્મગુરુઓને ભગવાન સાથે કોઇ લેવાદેવા ન હોઇ શકે તેથી અમે તેમને પાખંડી નાસ્તિકો કહીયે કારણ કે ભગવાન ના નામે ઢોંગ રચે છે, સાચા નાસ્તિકો પ્રામાણિક હોય છે.
    તો મિત્રો હિન્દુ સમાજે આ બહુરૂપીયા ચેલેન્જથી સાવધ રહેવાની બહુ જરૂર છે કારણ કે હિંદુધર્મની અંદર અને બહાર, ભગવાન સાથે કોઇ લેવાદેવા ન હોઇ શકે તેવા, પેંતરેબાજોનું દૂષણ અને ષડયંત્ર છે!!
    આપણે તો આવાજ મોટા ષડયંત્ર રૂપી ભ્રષ્ટ રાજકારણીઓની સામે પણ બાથ ભીડવાની છે! કોઇ નો સથવારો નહીં હોય તો એકલા હાથે! સુદર્શનધારી હંમેશા સત્યની સાથે હોઈ છે!
    માભોમે આપણને શું આપ્યું છે તે ન પૂછય કારણ કે તેની ગણના ન થઇ શકે! આપણે તેનુ ઋણ કઈ રીતે અદા કરી શકીયે તે વિચારવાનું છે………

    Like

    1. વહાલા અશ્વીનભાઈ,

      તમારું આ વાક્ય બહુ ગમ્યું :

      મિત્રો,
      મારી કટુ વાણી બદલ સૌની માફી માગું છું ! સરદારની ભૂમિ પર 18-20 વર્ષ વિતાવેલાં તેથી જીભ થોડી કડવી છે!

      બસ, આટલું વાંચી મને થયું કે તમે સાચ્ચા અર્થમાં રૅશનાલીસ્ટ છો.. તે સીવાય આવું કબુલાતનામું જાહેરમાં લખાય જ નહીં ! તમને ઘણા ધન્યવાદ.. (બાય ધ વે, રૅશનાલીઝમ કોઈ સમ્પ્રદાય હોય એમ હું માનતો નથી..)

      ભાઈ, આપણને હીન્દુ માબાપને ત્યાં જન્મ મળ્યો એટલે હીન્દુ છીએ.. પોતે પોતાનું કે પોતે જે જે ધાર્મીક માન્યતા કે રીતરીવાજો કે કરાતાં કર્મકાંડો પાળતા હોઈએ એ વીશે ઉંડું નીરીક્ષણ કરવું અને જે મીથ્યા લાગે તેને નીરર્થક પુરવાર કરવા પોતાને જે તર્ક સુઝ્યા હોય તે નીખાલસતાથી, કોઈની લાગણી દુભાવવા માટે નહી: પરંતુ તેની શુદ્ધી માટે લખવું કે પ્રબોધવું એમાં કશું ખોટું નથી.. હા, એ વાત કબુલ કે હીન્દુ ધર્મ સીવાય એવું બીજે ઝાઝું થતું નથી કે કેટલાક ધર્મોમાં તો થતું જ નથી.. તો તેમાં શુદ્ધીને અવકાશ રહેતો નથી.. તેમાં જો કશો ગેરલાભ થતો હોય તો તેમને જ થશે ! આપણે માત્ર આપણી જ ત્રુટીઓ ચકાસીએ અને જ્યાં કશું સુધારવા જેવું જડે તે સુધારીએ.. અન્યોના દોષ જોવાની આપણને મનાઈ ફરમાવાઈ છે..

      વીવેકાનન્દજી–દયાનંદજી જેવા કેટલાય આદરણીય સન્તોએ એ કામ કર્યું છે અને આજેય હજી એવા સન્ત છે કે જે પુરા આસ્તીક છે; છતાં હીન્દુઓની સામાજીક અને ધાર્મીક કચાશ વીશે બોલવા કે લખવામાં જરાયે કચાશ રાખતા નથી.. આ આપણા જ ભલા માટે ને..? સુબોધભાઈ પણ હીન્દુ જ છે.. તેમણે પણ જે ધર્મમાં જનમ લીધો છે તેનું ઋણ અદા કરવા માટે થઈને જ આ લખ્યું છે એમ માનીએ તો તેમની વાતો સાથે ખુબ નમ્રતાથી સમ્મત કે અસમ્મત થવાનું અઘરું નથી જણાતું..
      લીખતે રહો..

      ..ગોવીન્દ મારુ

      Like

    2. Ashvinbhai,
      I like your following ideas:
      1. ધર્મને આજીવિકાનું સાધન બનાવનાર લોકોને ભગવાન સાથે કોઇ લેવાદેવા ન હોઇ શકે
      2. આપણે તો ભ્રષ્ટ રાજકારણીઓની સામે પણ બાથ ભીડવાની છે!
      3. હિન્દુ સમાજે આ બહુરૂપીયા ચેલેન્જથી સાવધ રહેવાની બહુ જરૂર છે
      4. ઘણા બધા હિંદુઓ વ્યવહારુ અને વાસ્તવિક thinkingના સમંવયથી પોતાના ધર્મને વળગી રહે છે (બીજા શબ્દોમાં રૅશનલ કહી શકાય) હિન્દુ સમાજે આ બહુરૂપીયા ચેલેન્જથી સાવધ રહેવાની બહુ જરૂર છે I admire rational Hindus when I see them. Do you think they are in a big majority?
      I have only one question for you : Four good religions started in India. We have no shortage of preachers, prophets and saints. In that case, why do you think a vast majority of Hindu society became so corrupt and degraded as we see it today? Please share your views with me.
      Thanks. —Subodh– 3/31/12

      Like

      1. Subodhbhai,
        It is not the Hindu only but all most whole nation of India is infested with corruption & degradation of moral values! To get elected politicians uses all kinds of agendas to degrade Indian public’s moral & religious values so they can just stay in power! Since Hindu religion is the main religion, it is a main political target in India! Unfortunately other religions take it as an opening for self to take over this majority spot without realizing the ultimate truth that “though other religious agendas are the means politicians use to just say in power, corruption is their only religion”!
        As far as nuisance in Hindu religion is concern, it could be done only by push that nuisance from inside out! Standing outside & just criticizing is not going to do anything but to discourage people with high moral & ambition to stay with that religion! For some that could be the mission accomplished! If one loves the religion than making good people stronger from inside should be the beginning! Relieving Indian population from political corruption may generate insight & inside courage to kick religious nuisance out! We can always learn from what US achieved by imposing harsh sanctions on Cuba from outside! It did nothing for people of Cuba except made them more weaker to overcome dictator, sanctions now made people of Cuba weaker since they could not get life-saving medicines or good foods & other strong people who can overcome Castro now left Cuba & I am sure Castro could still get any medicine or any food he wanted for himself! That is the reason one should always honestly choose better of the two evils!
        Current congress administration who is deeply indulged in to above political & corrupt activities! It is the most corrupt administration India ever had! Detailed study of politics & issues in India very important because without doing that & targeting any group randomly creates nothing but the power vacuum & any such activity will increase the corruption as a whole! Even western countries also takes power vacuum in first consideration before targeting intervening in any country’s political arrangement! So politicians & corruption needs be targeted first in India for the well being & love for India!
        People with rational thinking are true rationalists and keeping biased & dishonest agenda away should be self-imposed moral responsibility of rationalist to make a positive difference in our society & our country!

        Like

  17. Dear Friends,
    Honesty & accuracy of information information is as important in any writing or discussion as mutual respect & brotherhood. Discussion can make a lots of difference if, everybody involved has same deep love for the country they are discussing.

    Like

  18. સન્માનીય ગોવીન્દભાઈ સાહેબ,
    એક રૅશનાલીસ્ટ વિચારધારા હેઠળ જ, હિંદુઓની સતત આલોચનાના સચોટ જવાબ આપવાનું, આપણI ઘણા મહાનુભાવોએ અહીં વ્યાજબી માન્યું છે કે જેથી કોઈ ઠોસ સુઝાવ મળે! લેખકે હિન્દુઓની અને હિન્દુ સમાજની પેટભરીને આલોચના તો કરી પણ કોઈ ઠોસ સુઝાવ વિના જ!
    લેખકે ભારતની સ્વત્રંત્રતા પછીની પરિસ્થિતિનો પણ જો સચોટ અભ્યાસ કર્યો હોત તો સમજાવી શકત કે ભારતની ભ્રષ્ટ વહીવટીતંત્ર અને પશ્ચિમની મજબૂત અને મહદ્ અંશે સ્વચ્છ રાજનીતિ અને જર્નાલિઝમ થકી ભારત છોડી ગયેલ સામાન્ય પણ નીતિમાન વ્યક્તિ પણ જોત જોતામાં આગળ વધે છે! બીજા કેટલાક મિત્રોએ પણ લેખકની ભારતના ઇતિહાસ અંગેની સમીક્ષામા અપ્રમાણિકતા જણાવી! તો આવું લખાણ કેટલા અંશે રૅશનાલીસ્ટ કહેવાય?
    પરદેશમાં જન્મી અને પરદેશમાં મોટા ભાગની જીંદગી જીવી મેં પણ, દીપક ચોપડાને વૈદિક અને આયુર્વેદિક ફિલોસોફીના માધ્યમ થકી millionaire થતાં જોયા અને પછી વૈદિક સંસ્કૃતિથી પોતાને અલગ કરતા પણ જોયા! પરદેશમાં હિન્દુ નામ હોવાનો, હિન્દુ માબાપ હોવાનો અને હિન્દુ હોવાનો દુરુપયોગ હિન્દુની સામે જ કરતા જોયો! સુઝાવ વિનાનો સંકેતો આપી હિન્દુ મટી નાસ્તિક બનવાની કે પછી બિનહિન્દુ ધર્મની હિમાયત કરતા જોયા! બીજી તરફ ભારતમાં ભ્રષ્ટ ધર્મગુરુઓને લાખોપતિ અને ભ્રષ્ટ રાજકારણીઓને કરોડોપતિ થતાં જોયા! અને ત્યાંજ ઘણા પૂજારીઓ અને ઘણા બ્રાહ્મણોને કંગાળ હાલતમાં પણ જોયા!
    આ તરફ USમાં વિવેકાનંદ કે યોગાનંદના આશ્રમમોમા કે ISCONના મંદિરોમાં ગોરા લોકોની ભીડ જોઈ! માંસમછી અને મદિરા છોડી મુંડન કરાવતા, ધોતિયું પહેરી, દિલમુગ્ધ કરી દે તેવા ભજનો ગાતા જોયા! આપણો જ ધર્મ આપણા થી વધુ સારી રીતે સમજતાં અને સમજાવતા જોયા! હનુમાન મંદિર, રાધારાણી મંદિર, કાળી માતનું મંદિર પણ પોતાના જ પૈસે પોતાની જ જમીન પર બાંધી ભક્તિ કરતાં જોયા! Hawaii ના kawaii ટાપુ પર રુદ્રાક્ષનું જંગલ ઊભું કરી તેમાં ગોરા શિવભક્તોની જમાત શિવતપમાં લીન થયેલ જોઇ! પોતાનો સગવડિયો ધર્મ મૂકી આપણા અસગવડિયા ધર્મમાં ભૂખે મરતા છતાં દિલવિભોર બની નાચતા જોયા!
    બોલો સાહેબ, આપણે કયા અને કોના આડંબર અને રૅશનાલીસ્ટ વિચારધારાની વાત કરીએ છીએ? પ્રજાને બચાવો, ભ્રષ્ટાચારીઓ ને ઉઘાડા પાડો અને ભગાડો, મીડિયાને મજબુત કરો! એજ તો હાલની રૅશનાલીસ્ટ વિચારધારા હોવી જરૂરી છે! આવું થાય તો ઉલ્લાસથી હરખેલી પ્રજા ભગવાન સાથે કોઇ લેવાદેવા ન હોઇ શકે તેવા અનિષ્ટોને ધર્મના મૂડમાંથી પણ પકડીને રગદોળી નાખશે! પણ પહેલું કામ તેમનામાં ઉલ્લાસ જગાડવાનું છે અને નહીં કે મરતાંને આપણે પોતે કોઈ પણ મદદ કર્યા સિવાય બસ ટીકાઓની ચાબુક મારે રાખવી તે કયાંની રૅશનાલીઝમ?

    Like

  19. વળી શું ખાવાથી કેન્સર મટી જાય કે કેન્સર ના થાય તેની જગતના નીષ્ણાતોને પુરેપુરી ખબર નથી; પરન્તુ કોઈપણ સાબીતીના આધાર વીના તેમને કેન્સર મટાડતાં આહાર-વીહારનું પુર્ણ અંતરજ્ઞાન કે સ્ફુરીત જ્ઞાન છે ! કોઈપણ વીધાન માટે કે દાવા માટે વૈજ્ઞાનીક સાબીતી જોઈએ તેની ભારતના લોકોને ખબર નથી. ………..

    How often we see this Disclaimer statement on over the counter medicines that we use frequently……………………………..

    Disclaimer
    These statements have not been evaluated by the FDA. These products are not intended to diagnose, treat, cure, or prevent any disease.

    (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

    Like

  20. ” gujaratisampradayo ” નો ખુબ ખુબ આભાર! તમારી માહિતી પ્રાચીન ભારતની indisputable પ્રગતિ, વિદ્વતા અને achievementsના અણમોલ પુરાવા પરદેશીઓના મોઢેથીજ પુરા પડે છે! ખુબ ધન્યવાદ…

    Like

  21. Dear Subodhbhai,
    1.Prithiviraj was defeated by Shahabuddin Ghauri and not Mohammad Ghauri.Similarly Chengizkhan never invaded India.[ his son Kublaikhan declared Budhdhism as his state religion] Indira Gandhi won the first victory for India in 1972? Congress under her father became the first Hindu organisation to concede victory to Islam [ by agreeing to division of India]in Hindusthani subcontinent.Hindus fought and lost.They were not cowards.Poras,Rana Sanga, Bhimdev, Sidhdharaj, Kharvel, Chanakya, Chandra Gupta, Rana Pratap, Shivaji, Bajirao, Netaji Bose….or do we go back to Ram, Krishna, Arjun? Pl do not denigrate our history just because yu are angry with modern Hindu society.World will remain indebted to the Europe for renaissance and industrial revolution.Whom will we hold accountable for two world wars, violence in the name of Marx in Russia and China? [ Stalin and Mao were responsible for killing of millions of their own countrymen]
    Till 1500 AD , India and China were the two largest economies in the world.Now in 2012, China is second largest and India 4th largest.If we were not adoptive, how have we survived for 20000 thousand years? How is it that we have adopted IT,nuclear power,all modern ideas?
    Hindus are trying to return to their roots because of so m uch of violence and injustice that Islam and Chrstianity have brought to the world.Hindus are only REACTING.If we can teach them rationalism in proper way,they are bound to adopt and accept it.Hindus are the most adoptive race that the planet has produced.Reason why they have survived for so long.

    Like

    1. ==

      મહમુદ્દ સાહબુદ્દીન ગોરી કે મહમ્મદ ગોરે પૃથ્વીરાજ ચૌહાણ સાથે ૧૧૯૧ અને ૧૧૯૨માં બે યુદ્ધ કરેલ.

      કનૌજના જયચંદની કન્યા સંયુકતાનું પૃથ્વીરાજે અપહરણ કરેલ અને એના વેરનો હીસાબ ચુકતે કરવા પૃથ્વીરાજને મહમ્મદ ગોરીએ હરાવેલ.

      પૃથ્વીરાજ યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો અથવા એની યુદ્ધના મેદાનમાં કતલ થઈ.

      ચંદ બારોટનો રાસ તો ભાટાઈનો નમુનો છે.

      પૃથ્વીરાજની ૧૧૯૨માં કતલ પછી ૧૨૦૬ સુધી મહમ્મદ ગોર જીવતો હતો……

      Like

      1. Welcome to descendents of Ghauris Gazanis!
        What BHATAI ? You want to only go on lamenting about what we could not do? If some one speaks about his/her heros in glowing terms it becomes BHATAI? are you not doing BHATAI for rationalism.Get rational man! You have not read my reply fully.Answer, why we are already at number 4. Answer why we have become largest producers of milk, paultry,wheat, cotton, fruits, vegetables… why we are in top 10 in terms of production of steel, power,plastics,forgings,automobiles,phones….
        Why [ and how] we are able to maintain second largest standing army in the world [ now don’t mention corruption]

        Like

  22. જીતેન્દ્રભાઈ ઐતિહાસિક રસપ્રદ મીહીતી માટે આપનો ખુબ અભાર.

    રામાયણ અને શ્રીમદ ભાગવત ગીતાજી ને કાલ્પનિક કહેનાર કદાપી ઇસ્લામ કે ખિસ્તી ધર્મ ના ધાર્મિક પુસ્તકો ને કાલ્પનિક કેહવાની હિંમત કરી શકશે ખરા?

    તાજેતર માં જ રામાયણ માં આલેખવામાં આવેલ, જે શ્રી હનુમાનદાદા એ શ્રી રામ ના નામે પથ્થરોથી બનાવેલ શ્રીલંકા અને ભારત ને જોડતા સેતુને નાસા સંસ્થાએ શોધી અને તેની તસ્વીરો જાહેર કરી. તો એ કાલ્પનિક સેતુ હતો ? વોહરાજી જે જગ્યા રામાયણ માં દર્શાવી છે ત્યાં જ આ સેતુ નાસા એ શોધ્યો છે.

    મારે હિન્દુ ધર્મ ની કઈ અંધ શ્રદ્ધાઓ છોડી દેવી?
    અહિંસા પરમો ધર્મ છોડી ને હિંસા પરમો ધર્મ અપનાવવો?
    કે ભગવાન રામ નો આદર્શ છોડી વિદેશો માં ચાલતા વ્યભિચાર ને અપનાવવો?
    કે દારૂ નું વ્યશન નું લત લગાડી ને દારૂડીયા થવું?
    કે કેફી પદાર્થ નું સેવન કરી જેલ ને ઘર બનાવવું?

    ભગવાને આપેલ અન્ન નો આભાર માની પ્રસાદ ધરાવવો, જમવાના મેજ ઉપર બેહાથ જોડી ભાગવાને આપેલ અન્નનો અભાર માનવો કે આ શિષ્ટાચાર (અંધ શ્રદ્ધા) ને છોડી દેવી અને પ્રાણીઓ ની જેમ ખોરાક નું સેવન કરવું.

    શ્રી કૃષ્ણ ભગવાને આપેલી વર્ણ પ્રથા વેસ્ટર્ન world અપનાવેલી જ છે જો તમારી ધ્રષ્ટિ હશે તો જોવા મળશે. એક સામાન્ય દાખલો આપું મેનેજર, કે બેંક નો કારકુન એ કચરા પોતું નથી કરતો તેના માટે જુદા માણસો ની વ્યવ સ્થા કરેલ હોય છે.આ એક સુઆયોજિત પ્રથા હતી પરંતુ આપણાજ સમાજ ના ભણેલા ગણેલા હોશિયાર માણસો એ પોતાનું નામ કમાવવા આ પ્રથાને બદનામ કરી રહ્યા છે

    અશ્વીનભાઈ, આપની વ્યવહારિક અને કોઠાસુજ થી આપેલ દલીલો ખુબજ દાદ માગી લે એવી છે,હું પણ આપની સાથે સહેમત છું કે આપણી ભ્રષ્ટ સરકારો તથા જુજ નામના કમાવવા મથતા અને પરધર્મ ની ચાકરી કરતા મણસોએજ આપણા ધર્મ નું નીકંદન કાઢ્યું છે.

    ગાય માતા નું ચામડું ઓઢી શિયાળ શિકાર કરવા નીકળો હોઈ તેમ લાગેછે.

    Like

    1. જીતેન્દ્રભાઈ અને નીલભાઈ આનંદ,
      તમારી ખુબ સચોટ, ખંતીલી , બહુજ જીણવટ ભરેલી નાની નાની પણ ઊંડાણ વાળી વિગતોથી ભરપુર માહિતીઓ મારી જાણકારી માટે ખુબ ઉપયોગી થઇ. મારો આપને અભાર!

      Like

    2. Dear Neil, Glad the way you have commented.You are right.Everything that we [ Hindus] do may not be right but then most of our traditions do have some basis in science of health or in some useful social custom.Ratonalists are doing grave injustice to their movement by ridiculing everything that is from our past.They should tell us the cost of replacing knee cap in Ahmedabad.It is Rs2.75 lakh.So if you are old and your knee caps are damaged , you will need Rs5.5 lakhs.Ayurveda has evolved several preventive systems,including those that can help prevent knee damage or damage to bones in old age.Do we burn all our books on Ayurveda and line up for knee caps with so much money?

      Like

  23. ઉપરની કોઈ કોમેન્ટ મેં વા;ચી નથી. મને વાંધો છે લેખના ટાઈટલ વિષે– હિંદુ ધર્મ કે માનવ શ્રધ્ધા– આ દુનિયામાં હજારો વરસોથી ચાલી આવી છે. એ રહેશે જ. અને રેશનાલીઝમનો પવન તો હજુ હમણાં ફુકાયો છે.રેશ્નાલીસ્ટો ના હિંદુ ધર્મ વિસેના વિચારો તદ્દન સાચા છે. પણ હિંદુ ધર્મને સ્હેજ પણ હલાવી શકવાના નથી. રેશનાલીસ્ટોએ પોતાના પ્રયાસ ચાલુ રાખવા જોઈએ કદાચ બીજા હજાર વરસે લોકોના મગજમાં પેસે.

    Like

  24. ==

    ૨૬.૧.૧૯૫૦ પહેલાં હીન્દુઓમાં મહીલા અત્યાચાર અને આભળ્છેટ વીસે જે વીચાર કે પ્રથા હતી અને હીન્દુ લો કોડીફાય માટે જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હીન્દુઓના પેટમાં ફાળ પડવાની શરુઆત થઈ.

    પછી લગ્ન ધારો અને વારસા ધારો આવ્યો. મહીલા અત્યાચાર ઘણાં ઓછા થયા. વીધવાઓને ફરી લગ્ન માટે કોઈ બંધન ન રહ્યું. આભળછેટ માટે સજાઓ થવા લાગી અને હીન્દુ મંદીરોના દરવાજા બધા માટે ખુલ્લા થયા.

    માહીતીના અધીકારની જેમ ફરીયાદ નીવારણ અને લોકપાલ કાયદો આવશે એટલે રસ્તા ઉપરની રથયાત્રાઓ બંધ થઈ જસે.

    પરીક્ષા વખતે ઢોલ ત્રાંસાઓનો ત્રાસ દુર થસે.

    લોકસાહીનો વીકાસ થતાં ધ.ધુ.પ.પુ.ઓ પોપાબાઈનું રાજ સમજી જે તુત ફતુર ચલાવે છે એ બંધ થસે.

    હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી

    Like

    1. Your knowledge of Hindu history goes back only to 19th or 18th century.All our customs of past 1000 years are the result of muslim invasions.While we have started reforming ourselves since 1870, why don’t you go and teach some rationalist ideas to muslims in India,Pakistan and beyond?
      Pl do find out the number of RISHIKAS [ meaning female Rishis] who have composed Suktas in Rigveda.They number 25 and the number of Suktas they cmposed number 250. Gargi, Arundhati, Sita, Draupadi all were historic figures.Hindus are the earliest worshipers of Adya Shakti. Get rational before propagating it to some one.

      Like

  25. પોતાની વેર વૃતિને પોષનાર જયચંદ રાઠોડે દેશને ગીરવે મૂકી મુસ્લિમોને અમાન્ત્ર્યા અને એવા જયચંદ રાઠોડને પોતાના “રોલ મોડેલ” સમજનારા વ્યક્તિ પોતાને રેસ્નાલીસ્ટ કઈ રીતે કહેવડાવી શકે? ભારતની પ્રજામાં રહી ભારત અને ભારતની પ્રજાથી પોતાને અલગ માનનારા દેશભક્તોની પણ ભારતમાં ક્યાં ખોટ છે? પોતાના ચંપલની ગંદકીને મંદિરમાં લઇ જવાની સલાહ આપનાર પોતાના રસોડામાં સંડાસ ન બંધાવે તો ” ડાહી સાસરે ના જાય અને બીજાને ગાંડા સમજીને શિખામણ આપે ” સાચું લાગે! ” ખાલી કીટલી વધુ અવાજ કરે ” અને અધૂરા ઘડા વધુ છલકાઈ ” નું પ્રખર વિજ્ઞાન પણ ઉપરના દેશપ્રેમિઓએ જ શોધું હતું !!

    Like

    1. That was very well said dear Park land. Yes, in the name of canvassing of rational ideas, Hindus should not allow their fellow Hindus to ridicule them.Or spread lies.

      Like

  26. Subodhbhai,
    મારા મંતવ્ય પ્રમાણે સાહેબ, મોટા ભાગના હિંદુ “રેસનલ થીંકીંગ” કરનારા છે! તેટલું જ નહિ “રેસનલ થીંકીંગ” હિંદુ ધર્મના મૂળમાં જ ગુંથી દીધેલ છે! આપણે જયારે “રેસ્નાલ થીંકીંગ”ની વાત કરતા હોઈએ ત્યારે “સત્ય બોલવું” અને પછી “જે સત્ય લાગે તે અપનાવવું” ખુબ જરૂરી છે! હિંદુ ધર્મમાં “અસત્ય એ પાપા છે” તેવું હજારો વર્ષોથી (કે જયારે બાકીની દુનિયા હિંસા અને જંગલયતમાં રહેતી હતી) ત્યારે પણ શીખવવામાં આવતું! ૧૦,000 હાજર વર્ષ પહેલા થયેલ યુંધિસ્થીર ની વાત કરીને આજે પણ હિંદુ માતા પોતાના બાળકને “સાચું બોલવાનું ” શીખવે છે! ૨૦,૦૦૦ વર્ષ પહેલા શ્રીરામ પણ પોતાના પિતાના વચન કે શબ્દો ખોટા ન પડે માટે સત્યની હિમાયત કરતા ૧૪ વર્ષનો વનવાસ માથે વહોરી લીધો! તે હિશાબે પોતાને રેસ્નાલીસ્ટ કહેવડાવતા કેટલા લોકો સત્યના હિમાયતી હોય છે અને સત્ય સામે હોય તો પણ કેટલા રેસ્નાલીસ્ટ તે અપનાવે છે, તેનું Statistics હજુ આપણી પાસે નથી! ? હિંદુ ધર્મમાં પણ તેવું જ થયું છે, ભગવાન સાથે જેને કોઈ લેવાદેવા ન હોય તેવા અને હિન્દુધર્મને બહારથી ન હલાવી શકનારા નાસ્તિકો અને બીજા વિઘ્નસંતોષી ધર્મોના તકવાદિ અને ઉપદ્રવી તત્વોએ ધીરે ધરે ભોળા પણ થીલા હિન્દુત્વમાં પગ પેસારો કરવા મળ્યો! હિન્દુધર્મમાં વિકસેલ બીજા બધા દુષણો આ ઉપદ્રવીયોના ઉપદ્રવને લીધે થયા એટલેકે તે ઉપદ્રવનું પરિણામ છે નહીકે ઉપ્દ્રવનું કારણ! હાલમાં London માં ટીનેજરોએ જે લુંટફાટ કરી તેમાં થી દુકાનોને તોડવાનું કામ બહુ થોડા (ઉપર મુજબના) તકવાદિયો અને ઉપદ્રવી તત્વોનું હતું પણ પછી લુટ ચલાવવમાં બધા લાગી ગયા! ઘરના માળીયામાં પકવવા મુકેલી કાચી કેરીઓમાં જો એક કેરી બગડી જાય કે પછી બગડેલી એક કેરી મૂકી દેવામાં આવે અને તેનું જો આપણે ધ્યાન ન આપીએ તો આજુબાજુની બીજી કેરીઓ પણ બગાડવા માંડે ની હાલત હિંદુ ધર્મમાં જ નહિ પણ આખા ભારત દેશમાં થઇ છે અને તેનો જ આ ભ્રષ્ટાચાર ફેલાયો છે!
    દેશ-દેશ વચ્ચેની લડાઈમાં જેમ કોઈ Traditional weapons તો કોઈ Chemical કે પછી કોઈ Nuclear વાપરે! તો વળી કોઈ Terrorist-group અમેરિકાની પણ ઊંઘ હરામ કરે તેવું Anthrax નો રોગ કે જે ભલભલા Almighty દેશને પણ સાફ કરી શકે! છેલ્લા ૧૦૦૦ વર્ષોથી ભારત પર પરદેશીઓ અને પરદેશી ધર્મોના જે પ્રમાણે હુમલા થયા તે પર થી કહી શકાય કે હિંદુધર્મ અને અIખા ભારત દેશ સામે પણ આવી terror પ્રવૃત્તિ થઇ અને Anthrax જેવો આંતરિક ઉપદ્રવ ઉભો કરી આખા સમાજને સાફ કરવાનું ષડયંત્ર થયું! તો બીજી બાજુ ભારત જેવા દેશોની ટેકનોલોજી ચોરી કે લુટી ને આખી દુનિયા પર રાજ કરનાર બ્રિટીશ સલ્તનત તો થીડી સદીઓમાં જ કોઈ ષડ્યંત્ર સિવાય સાફ થઇ ગયો તની તો કોઈ વાત પણ નથી કરતુ અહિયાં!
    હિંદુ ધર્મમાં ઘુસેલ આ ઉપદ્રવ દુર કરવા, રેસ્નાલીસ્ટ કહેડાવતા લોકોમાં પ્રમાણિકતા હોવી અને બીજા કોઈ ધર્મ કે ગ્રુપના Agenda ન હોવા અને હિંદુ ધર્મ પર પ્રેમ હોવો બહુ જરૂરી છે! હિદુ ધર્મ રેસ્નાલીસ્ટઓ નો જ ધર્મ છે, હજારો વર્ષોથી હતો અને રહેશે! તેના જેવો બીજો કોઈ લોકશાહીક, પ્રમાણિક અને અહિંસક ધર્મ નથી! સ્વામી વિવેકાનંદ પ્રમાણે આ સનાતન ધર્મ માણસના અસ્તિત્વ કાળથી માણસની અંદરથી જ ગૂંથાઈ ગયેલ છે અને રહેશે! એ ફીલોસોફીનો નાશ ન હોઈ શકે અને એને નિર્બળ કરવાથી આ દુનીયામાં રહેલ સારા મનુષ્યોને જ નિર્બળ કરવા બરાબર છે! જેમ બીમાર પડેલી પોતાની જ માતાના ચાર દીકરાઓમાંથી, એક માતાને ફોન કરી આ ખાધું હોત અને પેલું ન ખાધું હોત તો આવું ન થાત ની હાજર સલાહો આપે, તો બીજો હું પત્ની સાથે વેકેશનની તૈયારીમાં વ્યસ્ત છું કહે, તો ત્રીજો માતા માટે Taxi બોલાવી આપવાની ઓફર કરે અને ચોથા પાસે તો માતાનો ફોન નંબર જ ન હોઈ! તો મિત્રો આપણે સહુ પણ તેવી જ Offers રેસ્નાલીસ્ટ કહેવડાવી આપણી હિંદુ/ભારત માતાને આપીએ છીએ! માતાને લેકચર આપનારા કોઈ છોકરાની જરૂર નથી પણ માતાનો હાથ પકડી કે માતાને પોતાના હાથમાં ઉચકીને દવાખાને લઇ જનાર છોકરા નહિ પણ દીકરાની જરૂર છે!
    માતાને જો મદદ ન કરી શકતા હો, કે મદદ કરવાનો ઈરાદો ન હોઈ, કે માતાને પીડાતી જોવામાં આનંદ પામનારી તમારી પત્ની સાથે હોઈ તો પણ મહેરબાની કરી માતાને એકલી છોડી દેવાનું માતા પર રૂણ કરજો! માતાની ઝુપડીમાં ખાલીખોટી ભીડ ઉભી નહિ કરતા! બીમાર માતાને Atleast પળ વારની પણ શાંતિની નીંદર લેવા દેજો! ગંદા ચંપલ માતા પાસે લાવી માતાની બીમારીમાં વધારો નહિ કરો તો પણ મિત્રો, માતાનું રૂણ ચુકવ્યું કહેવાશે!

    Like

  27. મીત્રો,

    ” ડાહી સાસરે ના જાય અને બીજાને સીખામણ આપે અને અધુરો ઘડો વધુ છલકાય ” આ કહેવત છે જે મોટા ભાગના જાત પાત વર્ણ વ્યવસ્થા માનતા કે ધાર્મીક વીધી વીધાન કરતા અને પત્થરને પુજતા હીન્દુઓને લાગુ પડે છે.

    લેખક શ્રી. સુબોધ શાહ નું તારણ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય દમ્ભ છોડ્યો નથી.

    લી.
    vkvora, Sewree, Mumbai 400015
    email : vkvora2001@yahoo.co.in
    Mobile : +91 98200 86813
    Blog : http://www.vkvora2001.blogspot.in

    Like

  28. Mr Vora Saheb,
    Unfortunately your talks are so nonsense that it tell me you have no good standards for calling yourself a Rationalist! Subodhbahi probably never cooked his Roti on a stove, he watched a smoke coming out so now he is calling firebrigade! He never did any good home work before publishing book thinking Indians are bunch of stupids who will buy any rubbish!
    If he jumps in to a Kuva (well), we would save him calling him a our Maheman (Atithy) but if you follow his act by jumping in to same Kuva we have to save you also for playing Joker very well on this blog!

    Like

  29. મીત્રો,

    કુવામાં ઉતરવું, ઠેકડો મારવો કે કુવામાં કુદવું એ પ્રશ્ર્ન નથી.

    લેખક શ્રી. સુબોધ શાહ કુવામાં પડેલાને દંભ છોડી દેવાનું કહે છે.

    Like

  30. મને એક્પણ દલિલ આત્મિક નથી લાગતી, કે ધાર્મિક પણ નથી લાગતી, કે રેશ્નલ પણ નથી જણાતી……… બૌધ્ધ ધર્મ કે નાસ્તિક્તા ની વાતોથી ચીના જેવા જક્કી બની જઈશુ જે અંદરખાને પુર્વજોના આત્માઓની પુજાની કરતા હોય છે, અમેરીકા કે બ્રિટન જેવા વસવા લાયક બનવા માટે આત્મિક બનવુ અતિશય જરુરી છે. હિંદુ ધર્મ વિષે અહિ ઘણુ બધુ લખાઈ ગયુ છે. સંપુર્ણ સત્ય કોઈ કરતા કોઈ પુરુ પાડવા સમર્થ નથી. એટલે……

    *** ‘ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જયન્તી’ ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે, રામકથાકાર શ્રી. મોરારીબાપુ ‘આમ્બેડકર કથા’નો પ્રારમ્ભ કરવા જઈ રહ્યા હોવાના એક સમાચાર જાણવા મળ્યા છે. ત્યારે આદરણીય શ્રી. મોરારીબાપુને મારી એક જાહેર નમ્ર વીજ્ઞપ્તી છે કે ભારતની પ્રજાને જગાડવાની આ મોંઘેરી સુવર્ણ તક આપે સ્વબળે પ્રાપ્ત કરી છે, ત્યારે ભારતની પ્રજાને એના સાચા અર્થમાં જગાડવામાં જરાય કસર છોડશો નહીં; કારણ કે છેલ્લાં કદાચ ૪૫ વર્ષથી આપ સતત રામકથાઓ કરતા રહ્યા હોવા છતાં; આજે જોઈ શકાય છે કે આપણો સમાજ વહેમો, અન્ધશ્રદ્ધાઓ, વ્યર્થ અને હાનીકારક ક્રીયાકાંડો, કુપ્રથાઓ અને કુરીવાજોમાંથી બહાર નીકળવાને બદલે નીશદીન તેમાં વધુને વધુ ફસાતો જાય છે તથા સ્થાપીતહીતો દ્વારા તન–મન–ધનથી લુંટાઈને બરબાદ થતો જોવામાં આવી રહ્યો છે. ઉપરાન્ત આજે આપણો દેશ દુનીયાનો શ્રેષ્ઠ ભ્રષ્ટાચારી દેશ પણ બની ગયો છે. જે દર્શાવે છે કે રામકથાઓ આપણા દેશમાં સામાજીક, આર્થીક, રાજકીય અને ધાર્મીક સુધારણાઓ લાવવામાં નીષ્ફળ ગઈ છે.********* શ્રી ચાવડાસાહેબ ઉવાચ…….

    Like

  31. આ બ્લોગ પર ચર્ચા કરવામાં ઘણા જોખમો છે એમ લાગવાથી હું મારી કોઈ કોમેન્ટ મૂકવા માંગતો નથી. ચર્ચાનું નિશાન અને ધોરણ આવું જ રહ્યું તો સમાજ સુધારો તો બાજુએ રહ્યો, પણ સમય અને મગજ ચોક્કસ બગડશે એની ગેરંટી! જેમણે પોતાની માન્યતાને જડતાથી પકડી રાખી છે તેને કોઈ વાંધો આવશે નહિ, પણ મને તો આ બધું પાણી વલોવવા જેવું લાગે છે, લોકોને ચર્ચામાં ઉતારીને રેશનલ બનાવી શકાય નહિ, લોકો સુધરે તો પ્રેમથી સુધરે, મહેણા અને અપમાનથી તો કદી યે નહિ. માફ કરજો ગોવિંદભાઈ, ઉત્તમભાઈ! ચર્ચામાં ભાગ લેવાની મારી કોઈ હેસિયત હું જોતો નથી.

    Like

    1. ફોરમ ઉપર ચર્ચાનો મતલબ થાય છે કે પોતાનો મત વ્યકત કરી એનો કંઇક હલ કાઢવો. લોકસાહીના વીકાસ સાથે લોકો પોતાનો મત વ્યકત કરી નક્કી કરી સકે છે કે સું યોગ્ય છે અને સું કરવું જોઈએ.

      પ.પુ. ધર્મ ગુરુઓ કહેતા હતા એ જમાનો ગયો. લોકસભાની ચર્ચા આપણે જોઈ સકીએ છીએ. આપણને ગમે કે ન ગમે, માહીતી અધીકારનો કાયદો આવ્યા પછી સરકારી કર્મચારીઓ ને જવાબ આપવાનો સમય મળવા લાગ્યો. એવી જ રીતે લોકપાલ નો કાયદો આવ્યા પછી ચાર્ટર આવસે એટલે કે કંઈક નીતી નીયમ જેવું જરુર આવસે.

      રસ્તા ઉપર ઢોલ ત્રાંસા પીટનારાઓનો પીંઢારાની જેમ નાસ થસે.

      કથાઓ કે યાત્રાઓ એ વ્યકીતગત થઈ જસે એટલે કે જાહેરમાં કે જાહેર જગ્યાએ બંધ થસે.

      કાનુન દ્વારા જાહેરમાં તમ્બાકુ પ્રદર્શન બંધ છે છતાં આપણે ચુપ રહીએ છીએ અને લોકો બીન્દાસ જાહેરમાં તમ્બાકુ ખાય છે.

      ચુપ રહેવાથી તમ્બાકુ ખાવાવાળા રાજી થાય છે.

      Like

Leave a comment