Join 1,288 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---
૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
nice article
LikeLike
રમણભાઈનો આભાર, આવા સારા લેખ બદલ. ગુણવંતભાઈને મળવા્નો અવસર મળશે તો આનંદ જ થશે. એમણે જે કર્યું તે જ ઉત્તમ રીત છે. કાં તો તમે આવી કથાઓમાં જાઓ નહીં અને જાઓ તો વિતંડાવાદ ઊભો ન કરો. વળી આયોજન દરમિયાન એક જવાબદારી સંભાળવી એને આસ્થા સાથે સંબંધ નથી. રામ વિશે રેશનાલિસ્ટિક ચર્ચા કરવી હોય તો કથાકારને રેશનાલિસ્ટ મંચ પર નોતરવા જોઇએ. નાસ્તિકો અંદરોઅંદર જ ચર્ચા કર્યા કરે એ તો અધૂરૂં ગણાય. બધા સંમત હોય એ ચર્ચા કેવી? ખરી ચર્ચા તો આસ્તિક સાથે જ થશે.
ધર્મ પાછળના તર્કને નકારવો એ જુદી વસ્તુ છે, પરંતુ, ધર્મ શા માટે આવ્યો એ સમજવું તો જરૂરી છે. તે સિવાય રેશનલિસ્ટો પણ અંધશ્રદ્ધાળુ જેવા જ બની જશે. એ્ટલે ખરેખર તો બધા રેશનલિસ્ટોએ ધાર્મિક પૂર્વગ્રહ વિના બધા ધર્મગ્રંથ વાંચવા જોઇએ અને કઈ સ્થિતિમાં એની રચના થઈ એ સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. ઇતિહાસમાં નજર કરશું તો જોઈ શકશું કે ઘણુંખરૂં સાહિત્ય ધાર્મિક કથાનક સ્વરૂપે જ મળશે. એની અવગણના કરવાને બદલે સાચાં સામાજિક અર્થઘટનો લોકો સમક્ષ રજૂ કરવાં જોઇએ.
LikeLike
i am still curious to know how gunvantbhai could handle both the responsibilities to the satisfaction of others and himself — particularly how he introduced the KATHAKAR and his KATHAKARI as udghoshak.
did he say the kathakar was talking nonsense and spreading superstitions just to fool the poor gullible masses and helping perpetuate privileges of a parasite class ?
or did he introduce the KATHAKAR in respectful non-committal parlance as is done with any religious man and leave the matter to him and his audience?
LikeLike
એક રૅશનાલીસ્ટ તરીકે પોતાની અડગતા તથા સંસ્થાના હીતાહીત તેમજ પ્રતીષ્ઠા
બધાનો સમતોલ વિચાર કરી રેશનલરીતે સહજતાથી જીવતા અને જીવવાદેતા
રેશનાલીસ્ટને સ લા મ
LikeLike
દિલીપભાઈની કોમેન્ટ આ લેખને સાચા અર્થમાં પરિપૂર્ણ કરે છે….રેશનાલીસ્ટ હોવું એનો મતલબ એ નથી કે,ફક્ત ધર્મ કે એના નિયમોનો વિરોધ જ કરવો….ધર્મ કહે છે,પાપ ના કરો…પણ ધર્મગ્રંથો કોને પાપ કહેવાય એ પણ જણાવે છે…..હવે રેશનાલીસ્ટ આ વિધાનનો વિરોધ કરે તો એને અણસમજુ જ કહેવાય….આતો ખાલી એક ઉદાહરણ છે….
અહિયાં મને એક સવાલ થાય છે….શ્રી રમણ પાઠક વારંવાર કહે છે….એક રેશનાલીસ્ટ તરીકે,પ્રતિષ્ઠ અને વિદ્વાન રેશનાલીસ્ટ, સુયોગ્ય કામગીરી કરનાર રેશનાલીસ્ટ,એક સચોટ ઉદાહર પૂરું પાડનાર રેશનાલીસ્ટ…વગેરે…વગેરે…
લો હવે તો રેશનાલીસ્ટ પણ એકબીજાના ગુણ-ગાન ગાવા લાગ્યા….
આતો ” કુવામાંથી નીકળ્યા ને ખાઈ માં પડ્યા ” જેવું થયું……
LikeLike
દિલીપભાઈ…નહી DIPAK DHOLAKIA
LikeLike
ગુજરાતી ગીત-સંગીતનું સૌથી પ્રખ્યાત ગીત ” તારી આંખનો અફીણી ” કે જેના કંપોઝર શ્રી અજીત મર્ચન્ટનો ઈન્ટર્વ્યું જોયો તો તે ગીત શ્રી દિલીપ ધોળકિયાએ ગાયું હતું…એટલે થોડી ગફલત થઇ ગઈ એ પણ બે જગ્યાએ…તે બદલ ક્ષમા યાચું છું….ધ્યાન દોરવા બદલ હિમાંશુભાઈ તમારો આભાર….
LikeLike
મારા મત અનુસ્સર:
રૅશનાલીસ્ટ જન તો તેને રે કહીએ…
જે માનવતાને સૌથી મોટો ધર્મ માનતો હોય.
કાસીમ અબ્બાસ
LikeLike
સુંદર લેખ. હોદ્દાવાળી રેશનાલીસ્ટ વ્યક્તી તો ધર્મ સંકટમાં મૂકાઈ જતી હોય એ સમજ્યા પણ સામાન્ય રેશનાલીશ્ટ આમ વ્ય્ક્તીને રોજબરોજ આમાંથી પસાર થવું પડે છે, અને આનો સરસ રસ્તો ગુણવંતભાઈની માફક કાઢવો પડે. અમો ઘણા ધાર્મીક પ્રસંગોમાં યજમાનનું માન રાખીને હાજરી આપતા હોઈએ છીએ અને ભાગ લેતા હોઈએ છીએ એક સોસીયલ ઈવન્ટ સમજીને, જેમ કોઈના લગ્ન પ્રસંગમાં હાજરી આપીએ છીએ એ રીતે એક વ્યહવાર સમજીને. “I don’t believe in it” કહીને સમાજ્થી અળગા રહેવું એ બીજો રસ્તો!
LikeLike
Expressed in a nice way.
LikeLike
રેસ્નાલિસ્ટની ફરજ બરોબર બજાવી કહેવાય.
LikeLike
સરસ લેખ રહ્યો વાંચવાની મજા આવી.
LikeLike
ખૂબ સુંદર લેખ. ગુણવંતભાઇ જેવા સાચુકલા કલાકારને બિલકુલ નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરીને રમણભાઇએ મોટુ કામ કર્યું છે. શ્રી રમણ પાઠક અને શ્રી શશિકાંત શાહ જેવા કટારલેખકો આવી સારી સારી, પ્રેરક વાતો અને વ્યક્તિઓને પોતાની કટારોમાં સ્થાન આપે છે એનાથી એમની કટારોની ગરિમા ઓર વધે છે.
LikeLike
શ્રી દીપકભાઈની વાત સાથે શબ્દશઃ સહમત છું તેથી પુંરાવર્તન કરવાનું ટાળું છું.
LikeLike
મારા મત મુજબ રેશનાલીસ્ટ એટલે માત્ર ને માત્ર ધર્મ અને ધાર્મિક વ્યક્તિઓનો વિરોધ . રેશનાલીસ્ટ મિત્રોએ રેશનાલીસ્ટ નો ગુજરાતી અર્થ જણાવવો જોઈએ . રેશનાલીસ્ટોએ અંધશ્રદ્ધાનો વિરોધ કરવા ને બદલે આખા ધર્મ અને ધાર્મિક સમાજના વિરોધી બનવાનું પસંદ કર્યું છે . રેશનાલીસ્ટો માત્ર તાંત્રિકો , રખડતા સાધુ બાવાઓ અને ધતિંગ કરતા ચેલાઓના અનુસંધાનમાં જ ધર્મ ને જાણ્યો છે . રેશનાલીસ્ટોએ માત્ર રામાયણ ,ગીતા , મહાભારત જેવા સરળતાથી ઉપલબ્ધ ગ્રન્થો વાંચી તેમાંની કેટલીક ટીકાઓ કરી ધર્મને બદનામ કરવાના અસફળ પ્રયત્નો કર્યા છે .તેઓએ બીજા પણ પૌરાણિક ધાર્મિક ગ્રન્થોનો અભ્યાસ કરી પછી તારણ કાઢવું જોઈએ . કોઈ રેશનાલીસ્ટે રેશનાલીસ્ટ ગ્રન્થ લખ્યો હોય એવું ધ્યાનમાં નથી , જયારે ધર્મમાં કેટલાંય સંતો ,મહાત્માઓએ કેટલાંય ગ્રંથ લખ્યા છે તો શું આ બધા ગ્રંથો વ્યર્થ , ખોટા કે ગપગોળા છે .ભારતમાં અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો આવ્યો કે અહિયાં રામલલાનું મંદિર હતું , કેમકે ત્યાં અનેક પુરાવાઓએ સાબિત કર્યું છે ભારતમાં ધર્મ અને ધાર્મિકતા સદીઓથી ચાલી આવે છે . કેમ ત્યાં ( કોર્ટમાં ) કોઈ રેશનાલીસ્ટે પોતાની રેશનાલાઝિમ બતાવી નહી કે આ બધું ખોટું છે , ધર્મ જેવું કઈ ના હોય . રેશનાલીસ્ટ કે રેશનાલાઝિમ માત્ર સમાચાર પત્રની પૂર્તિમાં કે બ્લોગ પરના લેખમાં જ અસ્તિત્વ છે , વાસ્તવમાં આવું સમાજમાં કાંઈ નથી . જાહેરમાં હું રેશનાલીસ્ટ કે ધર્મ ( કોઈ પણ હોય ) નો વિરોધી કહેવા વાળા શોધે તોય મળે તેમ નથી . રેશનાલીસ્ટ એ ઇસ્લામમાં પ્રવર્તે છે તેઓ ( ધર્મના કટ્ટર વિરોધી ) એક આંતકવાદ પણ ગણાવી શકાય .
LikeLike
રૂપેનભાઈ ખુબ જ તાર્કિક અને બૌદ્ધિક ભાષામાં કોમેન્ટ કરી છે….રામાયણ,મહાભારત કે ગીતા જેવા ગ્રંથો જે સાગરબંધુઓએ આપણને એટલે કે સામાન્ય પ્રજાને સીરીઅલ કે ફિલ્મ દ્વારા સમજવાની તક આપી એનો આ રેશનાલીસ્ટ પીડિતોએ ધર્મ અને એના ગ્રંથોને બદનામ કરવાનો સરળ અને સસ્તો ઉપાય ગણ્યો…..બાકી શાસ્ત્રોની ચર્ચા તો શું કરી શકવાના?????
જે રેશનાલીસ્ટ ધાર્મિક તહેવારોનો વિરોધ કરે છે એજ પોતાના ઘરે જોર-શોરથી તહેવાર મનાવે છે…..દશેરામાં રાવણ થોડી બળાય….હા…પણ ફાફડા-જલેબી તો ખાવા જ પડે ને!!!!! શરદપૂનમની રાતે દૂધ-પૌંઆ અને ઉત્તરાયણમાં કેટલો ધ્વની પ્રદૂષણ અને બિચારા પક્ષીઓની જાન જાય પરંતુ પતંગ તો ચગાવા જ પડે ને અને તલ-સિંગની ચીક્કી તો ખાવી જ પડે ને!!!!!
સાહેબ આ બધા તો ડબલ-ઢોલકી બજાવવા માટે પોતાની તો શું બીજાના સ્વમાન કે ઈજ્જતની પરવા પણ ના કરે…..
બાકી ધર્મનો વિરોધ કરવો હોય તો કરો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિષે…..હાહાહા…..હિંમત હોય તો કરે ને!!!!!!
અમીચંદો હિંદુ ધર્મમાં પણ હજી રેશનાલીસ્ટ સ્વરૂપે જીવે છે….એ દુખની વાત છે….
LikeLike
સરસ લેખ,રૅશનાલિઝમ શું છે ? તે જાણવું હોય તો જમનાદાસ કોટેચા દ્વારા સંપાદિત ‘રૅશનાલિઝમ મારી દ્રષ્ટીએ’ પુસ્તક વાંચવુ જોઇએ.અને આ પુસ્તકનું લોકાર્પણ પ્રખ્યાત રામકથાકાર મોરારીબાપુએ કર્યુ હતું. રૅશનાલિઝમ કોઇ ‘વાદ’ નથી. રેશનાલિઝમ વિવેકબુદ્ધિથી જીવન જીવવાની એક શૈલી છે,એક સત્ય છે,નૈતિકતા છે,માનવકલ્યાણનું કાર્ય છે.મારી દ્રષ્ટીએ રૅશનાલિઝમ કોઈ સમુદાય કે વર્ગ નથી.રેશનાલિઝમમાં “મારુ જ સાચુ નહીં,પણ સાચુ એજ મારુ” હોય છે.
LikeLike
રૂપેનભાઇએ રૅશનાલિઝ્મ વિશે જે મુદ્દો ઉઠાવ્યો છે તે બાબતમાં એક-બે વાત કહેવા માગું છું. તર્કથી ઘટનાઓને સમજવાના પ્રયાસ પહેલાં લગભગ અઢી હજાર વર્ષ ગ્રીક ચિંતક સોક્રેટિસથી શરૂ થઈ ગયા હતા.આ પરંપરામાં ત્રણ મુખ્ય ફિલોસોફર દ’કાર્તે (૧૫૯૬–૧૬૫૦) રૅશનલિસ્ટ હતા પરંતુ ઈશ્વરમાં માનતા હતા. બીજા સ્પિનોઝાએ એમ કહ્યું કે ઈશ્વરનું અસ્તિત્વ માત્ર ફિલોસોફીમાં છે. ત્રીજા લાઇબનિત્સે કહ્યું કે ઇશ્વર ‘સારો’ છે પરંતુ એ સારાપણાનો ગુણ એનાથી સ્વતંત્ર પણ છે! પરંતુ ઈશ્વર છે એમ દર્શાવવા એમણે તર્કનો રસ્તો લીધો. દ’કાર્તેએ કહ્યું કે જે કઈં સ્પષ્ટ અને વિલક્ષણ ન હોય તેનો અસ્વીકાર કરો; પ્રશ્ન નું નાના-નાના ભાગમાં વિભાજન કરીને ચર્ચા કરો. આ ગણિતની રીત થઈ (અને લાઈબનિત્સે તો કલન ગણિતની પણ શોધ કરી છે). આ જ પ્રક્રિયા આગળ વધતાં ઈશ્વરના અસ્તિત્વને નકારતા ચિંતનનો જન્મ થયો. ઇશ્વર અને ધર્મ વચ્ચે એવો સંબંધ છે કે આપણે ઇશ્વરને સ્વીકારીએ તો ધર્મ આપમેળે જ એની પાછળ આવી જાય. આમ રૅશનલિસ્ટ (અથવા એથિસ્ટ) ભગવાનને ન સ્વીકારે તો ધર્મને પણ ન જ સ્વીકારે. મોટા ભાગે ધર્મ પ્રત્યેની વિરક્તિની પાછળ ધાર્મિક પાખંડો કારણભૂત હોય છે. એટલે દ’કાર્તેએ સૂચવેલી રીત લાગુ કરીએ તો સમાજમાં વિચારવાની પ્રવૃત્તિ વધે અને પાખંડો આપમેળે જ ઓછાં થશે. આ કારણસર વ્યવહારના સ્તરે રૅશનાલિસ્ટે રિફૉર્મિસ્ટની ભૂમિકા ભજવવી જ પડે છે. અને એમાં તો સૌ સાથે મળીને કામ કરી શકે ને? હમણાં ઈશ્વરને છેડવાની જરૂર નથી. ધર્મગ્રંથો વાંચવાની તમારી દલીલ ખૂબ જ વાજબી છે. આપને પાખંડ સામે લડવું હોય તો શાસ્ત્રમાં શી સ્થિતિ છે તે કહેવું પડશે, એનું દ’કાર્તેની પદ્ધતિથી પૃથક્કરણ કરવું પડશે. ઍટલે ધર્મગ્રંથો વાંચવા જ પડશે. પરંતુ સવાલ એ છે કે આસ્તિકો ધર્મ ગ્રંથો વાંચે છે ખરા? કારણ કે ધર્મ કે ધર્મ ગ્રંથોની વાત આવે ત્યારે એમને બહુ ખોટું લાગી જતું હોય છે. રૅશનલિઝ્મ આપણને જાતે વિચારવાનો અધિકાર આપે છે.
LikeLike
Our Minds should be Clean, Clear, unclutterred and receptive. Human biases and prejudices colour our Thinking. We all need Open Minds to absorb and appreciate Newer and Fresher Ideas. They are a breeze of pleasing thoughts. Let us prepare our minds to visit newer vistas.
Fakirchand J. Dalal
9001 Good Luck Road,
Lanham, Maryland 20706.
U.S.A.
sfdalal@comcast.net
LikeLike