‘ઈશ્વર છે કે નહીં’ ને બદલે અન્ધશ્રદ્ધા પર પ્રહાર કરો

‘ઈશ્વર છે કે નહીં’ ને બદલે અન્ધશ્રદ્ધા પર પ્રહાર કરો

ઈશ્વરના અસ્તીત્વ વીશે ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્ર વીભાગમાં ખાસ્સી ચર્ચાઓ થાય છે. ચર્ચાપત્રોમાં ઈશ્વરવાદીઓ કરતાં નીરીશ્વરવાદીઓ વધુ આક્રમક હોવાનું પ્રતીત થાય છે. નીરીશ્વરવાદીઓની આક્રમકતા પાછળ એમનો રાજકીય પુર્વગ્રહ અને નીરાશા પણ છતાં થતાં દેખાય છે.  નીરીશ્વરવાદીઓએ સમજવું જોઈએ કે ઈશ્વર છે એવી શ્રદ્ધાને નીર્મુળ કરવાનું કામ ભગીરથ છે.  ઈશ્વર છે કે નથી એવી ચર્ચા કરવાને બદલે, અન્ધશ્રદ્ધા ઉપર પ્રહાર કરવાનું જ યોગ્ય બની રહેશે.

ધર્મ આજકાલ વ્યસન જેવો બની ગયો છે. તીર્થધામોમાં માણસો કીડીયારાની જેમ ઉભરાય છે. બાબાઓ અને બાપુઓ  લોકોની  અન્ધશ્રદ્ધા અને  ધર્મભાવનાનો ગેરલાભ ઉઠાવે છે. આ બાબાઓ અને બાપુઓ શબ્દોના જાદુગર છે. શાસ્ત્રોથી આગળ વધીને રોજીન્દા જીવનમાંથી પણ હૃદયસ્પર્શી ઉદાહરણો ટાંકીને બાબાઓ/ બાપુઓને  પોતાનું માર્કેટીંગ  કરતાં આવડે છે. સમાજ ઉપર પકડ ધરાવતા બુદ્ધીજીવીઓ, વીદ્વાનો અને સાહીત્યકારોને લાડ લડાવતાં અને ‘મોટા ભા’ કરતાં એમને સરસ આવડે છે અને ‘મોટા ભા’ બનવાનું તો કોને ના ગમે ?

શીરડી, તીરુપત્તી, કેદારનાથ અને બદ્રીનાથ જેવાં યાત્રાધામોમાં રોજ લાખો રુપીયાની આવક થાય છે. ભગવાનની મુર્તીને સોનાનો મુગટ ચઢાવવો, સોનાચાંદીનું સીંહાસન બનાવી આપવું, આ બધું સહજ બનતું જાય છે. આપણાં શહેરોનાં મંદીરોમાં રોજ અઢળક નાણું આવે છે. આ મંદીરો પાછા મફત ભીક્ષુકભોજન આપીને ભીખારીઓની વસ્તીવૃદ્ધીમાં અગત્યનું  પરીબળ  બની રહે છે. મંદીરોને થતી આવકની ફીક્સ્ડ ડીપોઝીટ રસીદ બનતી રહે છે અને ટ્રસ્ટીઓ પણ જલસા કરે છે. આ લોકો સમાજ માટે કાંઈ કરી છુટતા હોવાનો દંભ જરુર કરે છે; પરન્તુ તેમાંથી સમાજ માટે એક ટકો રકમ પણ વપરાતી નથી. શીરડી, તીરુપત્તી કે અજમેર જેવાં ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓએ હૉસ્પીટલો ઉભી કરી હોય, ગરીબોને રોજી આપતા ગૃહોદ્યોગો શરુ કર્યા હોય, ગરીબોને પગભર થવા લોન આપી હોય કે ગરીબ વીદ્યાર્થીઓને મફત શીક્ષણ આપતી શીક્ષણસંસ્થાઓ શરુ કર્યાનું જાણ્યું નથી ! મંદીરો, દરગાહો, બાબાઓ અને બાપુઓ સમાજને નબળો પાડી રહ્યાં છે, સમાજનું શોષણ કરી રહ્યા છે, એમ કહેવામાં લગીરે અતીશયોક્તી નથી.

નીરીશ્વરવાદીઓએ ઈશ્વર છે કે નહીં એના વાદવીવાદમાં પડ્યા વીના ઈશ્વરના નામે થતા ગરીબો અને મધ્યમ વર્ગના શોષણ સામે સમાજને જાગ્રત કરવો જોઈએ. ધર્મસ્થાનોનું માહાત્મ્ય વધારવા થતા ધતીંગોનો વીરોધ થવો જોઈએ.

’ઈશ્વર નથી’ એ વાતનો સ્વીકાર કરાવવાના બળપુર્વકના પ્રયત્નો પણ સફળ થયા નથી. માણસની ઉપર કોઈ પરમતત્ત્વ છે એવી કલ્પનામાં (?) રાચવાનું મનુષ્યોને ગમે છે. ’ઈશ્વર નથી’ એવો સ્વીકાર થાય એવો દુરાગ્રહ કરવાને બદલે, સાદાઈથી ધર્માચરણ થાય એ માટે પ્રયત્નશીલ રહેવું જ ઠીક રહેશે.

સુરેશ એસ. દેસાઈ

લેખક–સમ્પર્ક:

સુરેશ એસ. દેસાઈ, તંત્રી, ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીક, દેસાઈ એન્ડ દેસાઈ ઈન્વેસ્ટમેન્ટ, નવસારી હાઈસ્કુલ શોપીંગ સેન્ટર, દુધીયા તળાવ, નવસારી-396 445 સેલફોન: 9824375241

ઈ–મેલ : sdesai_priyamitra@yahoo.com

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.8/08/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર


Dear Friends,

‘Vanche Gujarat’ is not only a slogan but it has a institutionalized programme.

It is a campaign.

It is a mass movement to read and to make people read.

It is a ‘Jan Andolan’ to make people Read, Think and Develop.

WANT TO KNOW MORE ABOUT VANCHE GUJARAT ?

READ THE PROJECT DETAILS ATTACHED HEREWITH.

Commit and volunteer yourself for ‘Vanche Gujarat’.

Thanking you,

Mahadev Desai

President

Shri Sayaji Vaibhav Library, Navsari-396445

Mob. 98251 27130

Phone : (02637) 250330 Fax: (02637)  280330

E.mail : mrd_mdev428@yahoo.comsdcplin@yahoo.com

Web : http://www.sayajilibrary.org/

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

અક્ષરાંકનગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 12/08/2010

 

 

 

 

 

 

29 Comments

  1. લાખ રૂપિયાની વાત!

    બળપૂર્વક કોઈની પણ માન્યતા બદલવાના પ્રયાસો મોટેભાગે નિષ્ફળ જ થવાના. એના કરતા ધીમેધીમે યોગ્ય વાત તરફ વાળવાનો પ્રયાસ કરવો વધુ પરિણામકારક થઈ શકે.

    Like

  2. સત્ય તો એ છે કે દરેક ધર્મમાં આ બાબાઓ, બાપુઓ, મુજાવરો, ધંધાર્થી મોલવીઓ, પાસ્ટરો વગેરેઓએ ધર્મમાં આસ્થા ધરાવનારા માનવીઓને બંધક બનાવી દીધેલ છે, અને આ રીતે જગતની ખરેખર પિડીત મનાવતાની આહો અને આંસુઓને વિસરીને અબજો ની માલમિલ્કત બનાવી લીધેલ છે. શું આ અબજો ની માલમિલ્કત ઇશ્વર ના નામે પિડીત માનાવતા પર ખર્ચ કરીને “માનાવતા એ પહેલો ધર્મ છે” ને સાકાર ન કરી શકાય? અવશ્ય કરી શકાય, પરંતુ અત્યારે તો “પૈસો એ પહેલો ધર્મ છે” એ સાકાર થઈ રહ્યું છે.

    કાસીમ અબ્બાસ

    Like

  3. This is one of the BEST Post for this Blog or any Blog !
    We, as Humans, often argue on the Existance of God…argue is one thing but often these arguements lead to “accusations”of one other. This is the sad part of Humans !
    A Rationalist,as he/she thinks forget that there may be “other point of view”too. A Believer of God also forgets that the others have the right to have “their point of view”.
    Sureshbhai…touches this “point” very well by saying “let us all stop these ‘charcha'”
    JanSeva can be applicable to ALL Humans.Let the “AndhaShradhdha” be removed.Let the Rationalist accept this his/her way..let the BhaktiPanthi accept it as “Prabhu
    Seva”
    DR. CHANDRAVADAN MISTRY (Chandapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai…Inviting you & your Readers to Chandrapukar to read Posts os “Tunki Varta” !

    Like

  4. સાવ સાચી વાત છે. ધર્મના નામે ઘણીવાર રેશનાલીસ્ટો પણ ફીફા ખાંડે છે. ધર્મનો નકાર નથી. અંધશ્રદ્ધાનો વિરોધ કરવો જોઇએ.

    Like

  5. Suresh bhai’s point of view is perfectly in order. The need of the hour is to educate people about so called merchants of religions. Instaed of contesting the existence of the God, Bhawan, Allah we all must join hands to expose these merchants and their fishy deeds. Actually people have become Dhamoholics. This is bad. Everyone seems to run after rituals forgetting the real essence of the religion i.e. Service to Humanity. I think this is a part of large conspiracy.

    We need schools, colleges, hospitals, education, employment, birth control etc for the propserity of humans. Rcently I met a visiting religious leader in a local mandir here in Toronto. We had discussion about this. I was bewildered to hear him say that Bhagwan is there to take care of all thes and we should take care of the religion. We sholuld NOT poke our noses into this!! Do you remeber the words of Kavi Pradeep? Long back he wrote, ‘Dekh tere sansar ki haalat kya ho gayee Bhagwan, Kitna badal gaya insaan.”

    I think the message of Suresh bhai and all those who subscribe to it should be taken to every corner of the world. Thanks Suresh bhai.

    Firoz Khan
    News Editor
    Hindi Abroad (www.hindiabroad.com)
    Toronto (Canada).

    Like

  6. Real nice article. Looks like Sureshbhai was reading my mind. Last night only we were talking about this. People donate in temple with shraddha. It is temple’s duty to give it back to people in different way. School, hospital, senior center, temporary housing, during festival time help needy. All our dharmsthan have maximum beggars. Make them earn their wages by doing chores needed to keep place clean. Whatever we are talking is not new, it was use to be in India. Taken care by wealthy in society.
    I see in USA all the churches do lots of social work regularly and during holiday season it multiplies like any thing.
    Last about 7 years my kids and their friends decided not to exchange gifts during christmas time instead adopt needy family and help them for holiday season. Then also be careful in giving where you are not making them beggar. Help them to standup on their own.
    No one else then for Nathdwara now Mrs. Ambani being in trust hope she takes lead and set new bar for temples.

    Like

  7. ખુબ જ આવશ્યક વાત કરી જે મૂળભૂત આશય કે સિદ્ધાન્તને લોકો સુધી, આચરણ સુધી ન લઈ જાય તેના પર પ્રહાર કરવા જ રહ્યા.
    અશ્રદ્ધા જેમ સારી નહિ તેમ અંધશ્રદ્ધા પણ સારી નહિ.
    ધર્મને નામે જગે અધર્મ જગમાં વ્યાપશે
    કોઈપણ વિચારશીલને ચીઢ ભારે આવશે.-દિલીપ
    મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી આ પથ્થરનો ઈશ્વર શાના જલસા મારે
    ને મંદિરની બહાર ભભૂક્યા કરતી આ જઠરોની જ્વાળા કોઈ ન ઠારે ? કોઈ ન ઠારે ?

    Like

  8. ઈશ્વર પોતે જ એક અંધશ્રદ્ઘા છે.આપણા દરેક સુખ–દુ:ખને ટાંગવાની ખીંટી છે. જ્યારે કઈંક ન સમજાય એવો રોગ થાય ત્યારે દાક્તર ગંભીર મોઢું રખીને કહે “વાઇરલ ફીવર” છે. આપણે જ્યારે કૈંક ન સમજાય એવું થાય ત્યારે કહીયે “ભગવાન જાણે”. જો ભગવાન આ દુનીયાની કંપની નો સી.ઈ.ઓ. હોય તો તે ખુબ નીષ્ફળ છે, એને ડીસમીસ (ગ્રેજ્યુઇટી અને પી.એફ. આપ્યા વગર) કરી દો – જરા હાલત તો જુવો એની કંપનીની ! પણ ઈશ્વરવાદીઓ કહેશે તે તો આપણા કર્મનું ફળ છે. આ સારું.. વાંક બધો આપણો ને રાજ ભગવાનનું !

    Like

  9. સરસ વાત કરી છે. કશુંયે બળપૂર્વક કોઈ પાસે કરાવી ન શકાય.
    હેમંતભાઈએ સાચું જ કહ્યું કે, ધીમેધીમે યોગ્ય વાત તરફ વાળવાનો પ્રયાસ કરવો વધુ પરિણામકારક થઈ શકે.

    Like

  10. સાચે જ, લાખ રૂપિયાની વાત કરી શુરેશભાઇએ.
    ઇશ્વર હોવા ન હોવાથી આપણને શું ફર્ક પડશે ? અને આપણા માનવા ન માનવાથી ઇશ્વરને શું ફર્ક પડશે ?
    એથી તો ઉત્તમ કે લેખકશ્રીએ કહ્યું તેમ નક્કર પાયા પર અંધશ્રદ્ધા અને સમાજને દેખીતી નુકશાનકારક એવી કેટલીયે પ્રવૃતીઓ પરત્વે (જે ધાર્મિક, આર્થિક કે સામાજીક પણ હોય) જાગૃત બનીએ અને બનાવીએ. સુંદર લેખ. આપનો અને લેખકશ્રીનો આભાર.

    Like

  11. જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન રાખવું જોઈએ,એને ધર્મો ના લેબલ ની શી જરૂર?ઈશ્વર છે કે નહિ તેની પળોજણ માં જે કરવાનું છે તે ભૂલી જવાય નાં તે માટે આ લેખ યાદ કરાવે છે,કે હવે જાગો.ત્રણ જણાં નો મેળો જામેલો છે.ગીધડાં,ઘેટા અને ગુરુઓ.ભક્તો પણ સાવ ભોળા નથી.એમને પણ કરેલા ગોટાળાઓ અને કહેવાતા પાપો માંથી મુક્તિ જોઈએ છે.સ્વર્ગ માં સીટ બુક કરાવવી છે.કરેલા કર્મો ને નિયમ થી ઉપર જઈને ભોગવવા નથી.આખું વર્ષ લોકો ને છેતરી ને લુંટ્યા હોય તેનાં ફળ માંથી બચવું છે.અને એના માટે એજન્ટો બેઠાજ છે.દાન કરો વાર્તા પતિ.કર્મ નો નિયમ ગયો ભાડ માં.પરલોક માં જલસા ની સંપૂર્ણ ગેરંટી.મીસીસ અંબાણી ને ટ્રસ્ટી બનાવી નાથદ્વારા વાળા વધારે પૈસા એંઠી લેશે.એમની સીટો વૈકુંઠ માં રીજર્વ.’વલ્લભ કુલ મેં સભી વલ્લભ’ વલ્લભાચાર્ય આરામ થી મહેનત કર્યા વગર રોટલા તોડવાની સગવડ પછી ની પેઢીઓ માટે કરતા ગયા છે.અરે પણ આ બધા તો પોતાને કૃષ્ણ ના અવતાર કે અંશ ગણાવે છે?તો ૫૦૦ વર્ષ માં તો કેટલા બધા કૃષ્ણ વધી ગયા હશે?હા!હા!!હા!.અને આ વ્રજ વાસી બ્રાહ્મણો કૃષ્ણ જેવા ક્ષત્રીય ના વંશ કઈ રીતે બની ગયા?ખાલી ગુજરાત માં જ કેટલા બધા કૃષ્ણો ફરી અને ચરી રહ્યા છે?લાલજીઓ ની માયા અકળ છે.બ્રહ્મ સબંધ બાંધી ને કૃષ્ણાર્પણ પણ થવું પડે છે.પછી વૈકુંઠ final.

    Like

  12. ખૂબ જ સરસ લેખ. અંધશ્રદ્ધાનો તો વિરોધ થવો જ જોઈએ. અને ભવ્ય ધર્મસ્થાનોના મહત્વ વધારતા ધતીંગોનો પણ વિરોધ થવો જોઈએ.

    Like

  13. There are people who deny the very existence of God. I do not. A young man once told me that he did not believe in Him because he could not see Him. Our conversation ran somewhat like this.

    “I don’t believe in God because I can’t see Him with my own eyes.” “Have you seen your eyes?” “Yes.” “Where?” “In a mirror.” “So, what you have seen is the image of your eyes, but have you seen your eyes themselves? How do you know that they exist?” “I have seen the eyes as well as their images of other persons and therefore I know that the images of my eyes truly represent my real eyes.” “Just the same way, we accept the existence of God by experience and not by seeing Gim. Ge is not for us to see but to feel and realize just as one can experience electricity without seeing the electrons. We believe in things like China’s Great Wall, North and South poles, etc. without seeing them and without ever intending to see them, don’t we?”

    So, I do not question the existence of God. But I do question the validity of the tall claims made by Krishna, Buddha, Jesus, Mohamed etc. of being His incarnation or His sole representative authorized by Him to make rules for all mankind to follow forever.

    Like

  14. ખૂબજ સુંદર લેખ ! મારાં બ્લોગ ઉપર મંદિરોની સમૃધ્ધિ વિષે ચાર લેખો મૂકેલા છે જેમાં અંધશ્રધ્ધા વિષે પણ જણાવેલ છે જે વાચક મિત્રોને રસ હોય તે બ્લોગની મુલાકાત લઈ વિગતે વાંચી શકશે ! બાકી તો અંધશ્રદ્ધા વિષે તો આ કહેવાતા ગૂરુઓ-સંતો-સાધુઓ-મહંતો અને મૌલવીઓ સામાન્ય જન સમુદાયની અબુધતા અને અજ્ઞાનતાનો લાભ લઈ ડરાવી કે લાલચ વશ બનાવી રહ્યા છે અને અબજો રૂપિયા એકઠા કરી રહ્યા છે. જે વિષે થોડુંક મારું ચિંતન/મનન અત્રે રજૂ કરુ છું

    ધર્મની આણ બે બાબતો ઉપર નભેલી હોય છે.ભય અને લાલચ ! પાપની સજાનો ડર અને ભગવાનના આશીર્વાદની લાલચ ! જો આ બે બાબતો વિષે વારંવાર ઠોકી ઠોકીને કહેવામાં ના આવે તો કહેવાતી ધર્મસંસ્થાઓ ટકી ના શકે ! અને આવી સંસ્થાના અંધ શ્રધ્ધાળુઓ ભલે ગર્ભ પાત અને માંસાહારનો વિરોધ કરે પણ જીવતા માણસને મારે છે-છેતરે પણ છે. ધન અને ધન પાછળ પાગલ સંસારીઓને વખોડતા આ ધર્મગુરૂઓ કરોડોની સંપત્તિ ઉપર ફણીધર થઈને બેઠા હોય છે. અબજોરૂપિયાનો વહિવટ ઈશ્વરને નામે કરે છે. માતાજીના પરચા એકના ત્રણ ગણા કે દસ ગણા નામે અબજો રૂપિયા અબુધ-અજ્ઞાન અને અંધશ્રધ્ધાળુઓ પાસેથી એકઠા કરતા રહે છે. રૂડા-રૂપાળા શબ્દો દ્વારા જબરજસ્ત માર્કેટીંગ કરાય છે. બધા ધર્મસાંપ્રદાયિકો પોતે જ સર્વ શ્રેષ્ઠ હોવાનો દાવો કરતા રહે છે અને વધુ અને વધુ ધન ઉસેડતા રહે છે. સેવા ભાવના ઘટતી રહે છે અથવા સંપૂર્ણ રીતે હોતી જ નથી માત્ર દેખાડો કરવામાં આવતો રહે છે. સંપ્રદાયના વડાની મહત્વાકાંક્ષા આભને અડવા મથે છે અને પોતે જ સુપ્રીમો છે તેવું તેમના અનુયાયીઓ પાસે પ્રચાર કરાવ્યા કરે છે. અને સામાન્ય લોકોના મન ઉપર પ્રભાવ પાથરવા સતત મથામણ કરતા રહે છે. મૂળભુત રીતે ધર્મ શું છે તે ભૂલવાડી પોતે જ સર્વોત્ત્મ અને શ્રેષ્ઠ છે માટે તેમને શરણે આવનાર મોક્ષના અધિકારી બને છે તેવી ભ્રામક વાતો ઠસાવવા પ્રયાસો કરતા રહે છે. અને આપણી પાસે કર્મકાંડ બાહ્યાચાર ને ધર્મ તરીકે ઠસાવી દે છે.અસ્તુ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  15. સરસ લેખ

    અંધશ્રધ્ધા અને શ્રધ્ધા વચ્ચે બારીક રેખા છે

    Like

  16. ધાર્મિકતા અને આત્મિકતા વચ્ચે જમીન આસમાનનો ફરક છે.

    દરેક ધાર્મિક વ્યક્તિ કદાચ આત્મિક ન પણ હોઈ સકે,

    આત્મિક વ્યક્તિને કોઈ ધાર્મિક બંધનો ના નડે, અને એને કોઈપણ ધર્મનો અનુયાયી હોવાની જરુર નથી રહેતી.

    એટલે ધાર્મિક બનવા કરવા કરતા આત્મિક બનવુ અતિ અતિ ઉત્તમ કર્તવ્ય છે.

    આત્માને પરમાત્મામાં ઓળખ અને મેળાપ કરાવવાની તાલાવેલી જ જીવન નો ધ્યેય છે.

    માનો યા ન માનો,

    નહિ તો મર્યા પછી મોઢામા ગંગાજળ નાંખવાથી પણ પરમાત્માને નથી મળાતુ કે મોક્ષ પમાતુ.

    Like

  17. રૅશનાલિસ્ટે ઈશ્વરને બાજુએ મૂકીને અંધશ્રદ્ધા ઉપર આક્રમણ કરવું જોઇએ એવું ઘણા મિત્રો માને છે. પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની કહેવાતી પાતળી ભેદરેખા માત્ર આપણા મનનો સંતોષ છે. મારી શ્રદ્ધા તે શ્રદ્ધા અને બીજાની શ્રદ્ધા તે અંધશ્રદ્ધા. આટલો જ ભેદ છે. જ્યારે આપણે ’અંધશ્રદ્ધા’ શબ્દ વાપરીએ છીએ ત્યારે એવું કહેતા હોઈએ છીએ કે શ્રદ્ધામાં કઈંક તર્કનો પુટ હોવો જોઈએ – અને આ વાત જે લોકો શ્રદ્ધાળૂ હોય છે તેઓ પણ કહે છે! હવે કોઈ એમને કહે કે ’તમારી શ્રદ્ધામાં પણ કઈંક તર્કનો પુટ હોવો જોઇએ’ તો તેઓ એ વાત સ્વીકારશે? તમને ઈશ્વરમાં શ્રદ્ધા છે, એમાં પણ તર્કનો પુટ હોવો જોઈએ – કોણ માનશે? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો આ વિવાદ આપણને ઈશ્વરના અસ્તિત્વ સુધી લઈ જશે એમાં શંકા નથી.
    આમ છતાં પણ, જ્યારે શ્રદ્ધાને અંધશ્રદ્ધાથી અલગ પાડીને કઈં પણ કહીએ ત્યારે આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે આજે જે કઈં અંધશ્રદ્ધા જોવા મળે છે તેનો આધાર આ મૂળભૂત શ્રદ્ધા જ છે. આપણે કઈ રીતે એ બન્નેને જુદાં પાડીશું? જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે તેઓ (એટલે કે ગુરુઓ, સાધુઓ, મુલ્લાઓ, પાદરીઓ) શું ઈશ્વરનું, પરલોકનું નામ લીધા વિના જ એમની દુકાનો ચલાવે છે?
    એટલે નિરીશ્વરવાદીઓ કરતાં જેમને ઇશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ હોય તેમની એ વિશેષ જવાબદારી છે કે ઈશ્વર વિશેની માન્યતાઓમાં ફેરફાર કરવામાં મદદ કરે. માનો કે ઈશ્વર છે – તો એ આપણા રોજનાં કામો કરવા નથી આવતો. ઈશ્વરે આપણને બે હાથ, બે પગ અને એક મગજ આપીને બહુ ઘણું આપી દીધું છે; હવે એનો ઉપયોગ કરીએ અને એને વારંવાર તકલીફ ન આપીએ તો ચાલે. આટલું જો આસ્તિકો લોકોને ગળે ઉતારી શકે તો બધા ગુરુઓની દુકાન બંધ થઈ જાય, કારણ કે લોકો આ દુનિયાની તકલીફો લઈને જ ગુરુ પાસે જાય છે, ભગવાનની શોધ માટે નહીં!
    રૅશનલિસ્ટોએ ઈશ્વર કરતાં અંધશ્રદ્ધા પર નિશાન તાક્વું જોઈએ, એ વાત સાંભળવામાં સારી લાગે છે, પરંતુ, રૅશનલિસ્ટ અને રિફૉર્મિસ્ટ વચ્ચે અંતર છે. રૅશનલિસ્ટ સમાજસુધારક અવશ્ય થઈ શકે પરંતુ સમાજસુધારાની જવાબદારીમાંથી આસ્તિકો કઈ રીતે મુક્ત થઈ શકે? સુરેશભાઈએ આ મુદ્દાની છણાવટ કરી હોત તો બહુ સારું થયું હોત.
    રાજા રામમોહન રાય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, મહાત્મા ફૂળે, મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ વગેરે નિરીશ્વરવાદી નહોતા પરંતુ એમણે માત્ર સમાજ સુધારાનાં કાર્યો નથી કર્યાં, ઈશ્વર દ્વારા નાનીમોટી વાતોમાં હસ્તક્ષેપ થતો હોવાની ધારણા પણ બદલવા પ્રયાસ કર્યો. આપણા ભક્તોએ પણ એ જ કર્યું. ઈશ્વર મર્યાદિત સંખ્યામાં પંડિતો માટે નથી, જનસાધારણ માટે છે, એવું એમણે કહ્યં આ એમનું મહત્વનું પ્રદાન છે. એટલે આસ્તિકો શ્રદ્ધાને પવિત્ર માનતા હોય તો અંધશ્રદ્ધાને દૂર કરવામાં એમનો ફાળો ન હોય તે ન ચાલે.

    Like

  18. ઈશ્વર છે કે નહિ તે ચર્ચા કરવાથી આપણું ધ્યાન વહેંચાઇ જાય છે તેથી તે કરવાનો લાભ નથી. તેવી જ રીતે જ્યોતિષ અંગે પણ ચર્ચા કરવા જેવી નથી કારણ કે તે સાચું પડતું હોવાના છુટાછવાયા દાખલાઓને લીધે તેમાં લોકોને શ્રદ્ધા બેસતી હોય છે. અલબત્ત, નડતા ગ્રહોના જે ઉપાયો કરાવવામાં આવે છે તેનો વિરોધ કરવો જોઈએ.

    Like

  19. નીરીશ્વરવાદીઓનું લક્ષ્ય અંઘશ્રઘ્ઘા નિર્મુલનથી વિશેષ ‘ઈશ્વર નથી‘ એ સિઘ્ઘ કરવાનું છે. આસ્તિકો ઈશ્વરના અસ્તિત્વની સાથે સંકળાયેલી અંઘશ્રઘ્ઘાની દરકાર કરતા નથી. આસ્તિકો કદાચ એવું માને છે કે અંઘશ્રઘ્ઘા વડે ઘર્મભાવના ર્દઢ બને છે. અંઘશ્રઘ્ઘાને નિર્મૂળ કરવાનું કામ રૅશનાલીસ્ટો અને આસ્તિકો– બન્નેનું છે. રૅશનાલીસ્ટો અને આસ્તીકોએ ‘ઈશ્વર છે કે નહીં?‘ એવી ચર્ચામાં સમય ગૂમાવ્યા વિના અંઘશ્રઘ્ઘાને ઉઘાડી પાડવી જોઈએ. એથી ગરીબ, મઘ્યમવર્ગના કુટુંબોના ખર્ચ ઓછા થશે. વહેમ અને અંઘશ્રઘ્ઘામાં નહીં માનનારો સમાજ સ્ત્રીઓ અને બાળકો ઉપર થતા ઘાર્મિક અત્યાચારોથી વેગળો રહે તો ય બસ. અછબડા થાય ત્યારે બાળકની વૈદકિય સારવાર ના કરવી, કોઈ સ્ત્રીને ડાકણ માની લેવી આ પણ અંઘશ્રઘ્ઘાનું જ પરિણામ છે. શનિ અને મંગળ નડે છે એવી ભ્રમણાથી કેટલાયે યુવા–યુવતિઓની લગ્નની ઉંમર વીતી જાય છે.આ બઘું બંઘ થવું જોઈએ.
    –સુરેશ દેસાઈ

    Like

  20. વિદેશોમાં શા માટે આપણા દેશમાં છે એટલા બાબાઓ નથી? કારણ કે ત્યાં લોકો જાગૃત છે..જો બાબા કહે તેમ ના થાય તો તેમને જેલ થઇ શકે એવા કાયદા અમલમાં છે યા તો વિચારાઇ શકે છે.આથી ધૂતારાઓ ડરે છે.ભારતમાં નિરક્ષરતા,અંધશ્રદ્ધા વગેરે અનેક દૂષણો ને કારણે બાબાઓને લીલા લહેર છે અને આ દેશના લોકો તેમને માટે સોનાના ઇંડા આપતી મરઘી સમાન છે..જય હિંદ જય હનુમાન

    Like

Leave a comment