Feeds:
Posts
Comments

Archive for the ‘રેશનલ’ Category

માનવ સમાજ માટે હાનીકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રદ્ધાનું વ્યાપક સ્વરુપ પકડ્યું છે. ગાય, કુંવારી કન્યા વગેરે સામે મળે તો શુકન ગણાય; જ્યારે બીલાડી, વીધવા સ્ત્રી કે પછી કુદરતી હાજતેથી પાછી ફરતી કોઈ વ્યક્તી સામે મળે તો અપશુકન ગણાય. એવી આમજનતામાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધાએ ભારત સીવાયના અન્ય દેશોમાં પણ વ્યાપક સ્વરુપ પકડ્યું છે. જેમ [...]

Read Full Post »

છેંતાળીસ વર્ષીય આપણા યુવાન વીજ્ઞાનશીક્ષક અને ઉગતા ગઝલકાર (કવીતાનો ‘ક’) મીત્ર, શ્રી. સુનીલ શાહ એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતમાં સેવા કરતા હતા, તે જ હાઈ સ્કુલમાં તા. ૬ અક્ટોબર ૨૦૦૯ને મંગળવારથી આચાર્યનો હોદ્દો સ્વીકારશે.. આપણા સૌના એમને ખુબ ખુબ અભીનન્દન..
આજની આ પોષ્ટ આચાર્ય શ્રી સુનીલભાઈ શાહને અર્પણ કરું છું.
-ગોવીન્દ મારુ

અતીધાર્મીકતા અને અતીહીંસા
‘દીકરા, [...]

Read Full Post »

‘ભગવાન કેવો દયાળુ છે કે તેણે પૃથ્વીને સુર્યથી બરાબર સાડા આઠ કરોડ માઈલ દુર ગોઠવી છે. જો થોડીક નજીક હોત તો આપણે બળીને ભસ્મ થઈ ગયા હોત’ એમ કોઈ સ્વામીજીએ તેમના પ્રવચનમાં ભાવીકજનોને કહ્યું, અને પ્રા. રમણભાઈ પાઠકે કાનોકાન સાંભળ્યું. (સંદર્ભ: ‘રમણભ્રમણ’ “ગુજરાતમીત્ર” દૈનીક, સુરત તા. ૧/૦૮/૧૯૯૨) આ સ્વામીજીને વીજ્ઞાનનો કક્કો કદાચ નહીં આવડતો હોય, [...]

Read Full Post »

‘સારાં કાર્યો કરીશું તો સ્વર્ગમાં જવાશે અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે. પણ સ્વર્ગમાં જઈને મળશે શું ? સ્વર્ગીય સુખ એટલે શું ? સ્વર્ગીય સુખ એટલે હર્ષોલ્લાસ, દુ:ખ વીનાનું – યાતનારહીત જીવન. સ્વર્ગમાં અપ્સરાઓ સેવા માટે હાજર રહેશે. કલ્પવૃક્ષ હશે જેની નીચે બેસવાથી દરેક મનોકામના પુર્ણ થશે. બેસીને ઈચ્છા માત્ર કરો અને તે વણમાંગ્યું મળી [...]

Read Full Post »

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી
ભગવાનને કર્તાહર્તા માનનારા લોકો જાતજાતના માનસીક તનાવ લઈને એ વીચારથી મંદીરમાં જતાં હોય છે કે ભગવાન તેઓનાં દુ:ખ દુર કરી દેશે. મોટા ભાગના લોકો મંદીરમાં ભગવાનને પગે લાગવાથી જ શાંતી મળે એવી અંધશ્રદ્ધા ધરાવે છે. પણ એ લોકો ક્યારેય એવો વીચાર કરતાં નથી કે બીજે ક્યાંય નહીં પણ મંદીરમાં જ જવાથી [...]

Read Full Post »

સાધારણ રીતે એવું માનવામાં આવે છે કે, ધર્મ દ્વારા મનુષ્યને નૈતીકતાનો પાઠ શીખવા મળ્યો. સ્થુળ રુપે જ્ઞાન, કર્મ અને ભક્તી આ ત્રણ ધારાઓમાં ધર્મને વીભક્ત કરવામાં આવ્યો છે. પરંતુ સર્વસાધારણને ધ્યાનમાં રાખી વીચાર કરવામાં આવે તો ભક્તીનો જ અધીક પ્રભાવ જોવા મળે છે. ધાર્મીક સ્થળોમાં ભક્તીનું જ વાતાવરણ વીશેષ હોય છે. તેની પાછળ  નૈતીકતા અને [...]

Read Full Post »

ભ – ભયથી ઉત્પન્ન થયેલું
ગ – ગભરાવી નાંખે તેવું
વા – વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું
ન – નકારી ન શકાય તેવો ભ્રમ
વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું ભયથીઉત્પન્ન થયેલું કે
જે આજદીન સુધી માનવસમુદાય દ્વારા નકારી શકાઈ નથી
તેવી ભ્રમણા ભગવાનના નામે ઓળખાય છે.
–ગોવીન્દ મારુ

Read Full Post »

ગુજરાતમીત્ર, સુરતના વરીષ્ઠ પત્રકારશ્રી ભગવતીકુમાર શર્માએ ‘આપણે બધા’માં તા.17/06/1992ના રોજ આજના બ્રાહ્મણના બ્રાહ્મણત્વ ઉપર શંકા કરી અને સાચા બ્રાહ્મણ બનવા માટે જે બાબતો ઉપર ભાર મુક્યો છે- તે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ બાબત મારી નજરે ભ્રમણા જ માત્ર હોય એવું લાગે છે. વ્યવહારમાં આવું બનતું નથી અને બનશે પણ નહીં. વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા [...]

Read Full Post »

મારા એક પાડોશી-મીત્રને ત્યાં હું ગયો ત્યારે તેઓના એક સંબંધી- તેઓની દીકરીના લગ્નની કંકોત્રી દેવા આવ્યા હતા. તે સમયે ટી.વી. પર રામાયણની સીરીઅલ ચાલતી હતી. રામ-રાવણનો યુધ્ધ-કાંડનો પ્રસંગ હતો. તેવામાં આવેલ સંબંધીએ કહ્યું, રામાયણના જમાનામાં અસલમાં બ્રહ્માસ્ત્ર એ જ હાઈડ્રોજન બોમ્બ હતો. એટલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન છુટકે કરવો પડે તો જ કરવો એવો વણલખ્યો [...]

Read Full Post »

કુમળી વયના નીર્દોષ બાળકો દીક્ષા ગ્રહણ કરે તેવી બીના કાને પડે કે તરત જ અંતરમન દ્રવી ઉઠે છે. સામાન્ય રીતે આ બનાવ  કોઈ વ્યક્તીગત નથી. પરંતુ સમાજ જીવન અને સામાજીક મુલ્યોને સ્પર્શતો પ્રશ્ન છે. માનવજાતના કાયદાનો ઈતીહાસ એમ તારણ કાઢે છે કે, સગીર વયના માણસે (!) કરેલો નીર્ણય તો તેના મા-બાપ જ કરતાં [...]

Read Full Post »

Older Posts »