Feeds:
Posts
Comments

Archive for the ‘મીત્રોના લેખ/કવીતા’ Category

લોકશાહી (ડેમોક્રસી)માં સાચું અને સમાજહીતકારી વીચારનારાઓ–બોલનારાઓની સાત્ત્વીકતા લઘુમતીમાં આવી જાય ત્યારે એ ઘટના બહુ જ ખતરનાક હોય છે, લોકશાહીનો પાયાનો આધાર જ બહુમતી અને લઘુમતી જેવું વીભાજન હોય છે. સમાજને તેનાથી ફાયદો જરુર થયો છે. આપણે બધાને જ ખબર છે કે સાચું બોલવાનો આ જમાનો નથી. તેનો મતલબ સાવ ચોખ્ખો છે. સાત્ત્વીકતા લઘુમતીમાં છે. એવાં [...]

Read Full Post »

અમેરીકાથી શ્રી દીપકભાઈ લલ્લુભાઈ પટેલ ( મુળ આફવા ગામ, તાલુકો બારડોલી )નો પત્ર છે; જે અત્રે હું, વ્યવસ્થીત લખાણના સંદર્ભે જરુરી સુધારા-વધારા સાથે, લગભગ શબ્દશ: પ્રસ્તુત કરું છું- ભાવકોની જાણ માટે તથા સંબંધીતોની આવશ્યક નોંધ અર્થે શ્રી દીપક પટેલ લખે છે:
હવે ‘ગુજરાતમીત્ર’ અખબાર અમે તમારા કરતાંય પહેલાં- અહીંના દીવસના લગભગ બપોર બાદ જ વાંચી શકીએ [...]

Read Full Post »

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં. મેં મીત્રના બરડે [...]

Read Full Post »

કવીતા, શેર-શાયરી, સોનેટ, હાઈકુ, ગઝલ, હઝલ, અછાંદસ… કેટલાં નામ ગણાવું ? એ સર્વમાં આ લખનારને કક્કાની ગતાગમ નહીં. કાળા અક્ષર ભેંશ બરાબર… ! રદીફ, કાફીયા, અંતરા કે મુખડા વચ્ચેનો ફરક પારખવાનું કામ પણ મારે માટે એરોપ્લેનના પાર્ટ્સ ઓળખી બતાવવા જેટલું અઘરું ! પણ કહે છે કે- ‘હર અચ્છે ખાનેવાલે કો રસોઈયા બનને કી જરુરત [...]

Read Full Post »

નવસારીમાં સાહીત્ય પરીષદનું અધીવેશન તારીખ ૨૫-૨૭ ડીસેમ્બર, ૨૦૦૯ દરમીયાન મળી રહ્યું છે એ આનંદદાયક ઘટના છે. સાહીત્ય પરીષદના અધીવેશનની જવાબદારી માથે લેવાનું કામ કપરું છે. આ અધીવેશનના આયોજનમાં નાની નાની અનેક બાબતોને ધ્યાનમાં લેવી પડે. દેશ–વીદેશ અને  મુંબઈ સહીત સમગ્ર ગુજરાતમાંથી આવેલા સેંકડો ડેલીગેટ્સનાં નીવાસ, અલ્પાહાર, ભોજનની વ્યવસ્થા કરવાનું કામ, સ્થળની પસંદગી, ઓડીયો સીસ્ટમનું સુપેરે [...]

Read Full Post »

      નવસારીમાં આગામી ડીસેમ્બરમાં-’૦૯ (તારીખ-૨૫,૨૬ અને ૨૭મી દરમીયાન) ત્રણ દીવસ માટે ‘બાનો ભીખુ જ્ઞાનપ્રસાર ટ્રસ્ટ’ તરફથી સાહીત્ય પરીષદનું અધીવેશન યોજાઈ રહ્યું છે. કહે છે કે ધગધગતા ઉનાળામાં તરસ્યા વટેમાર્ગુને પાણીની પરબ મળી જાય તો તેણે ભગવાનની સાથોસાથ પાણીની પરબ માંડનારનો પણ આભાર માનવો જોઈએ. નવસારીનાં પત્રકાર ચંદ્રકાંત પંડ્યાના નીધન બાદ સાહીત્યની એવી પરબ માંડવાનું પવીત્ર કામ [...]

Read Full Post »

પાપ–પુણ્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષના કરે દાવા,
સ્વર્ગ–નરકનાં ક્યાં જંક્શન, કહેશે કોઈ બાવા?
 
કંઠી બાંધી, કાન ફુંકી, સુગુરા કર્યાના દાવા,
બ્રહ્મ–સંબંધમાં બખેડા, ઘણા હકના કરે દાવા.
 
થાંભલે–થાંભલે દાઢી, દાઢીએ દાઢીએ બાવા !
બ્રહ્મચર્યના નીયમ ખોટા, ખોટા શક્તીપાતના દાવા.
 
ટીલાં તાણી, માળા ફેરવી, ગૌમુખીમાં ગોટાળા,
ધોતી, લંગોટ, જનોઈ પહેરી, ગજબ વાસનાવાળા!
 
મુખ જોવાથી પાપ લાગે, અડે કરે ઉપવાસ,
મોકો મળે મુકે નહીં, કાળાં કરમ કરનારા 1
 
દાન નહીં [...]

Read Full Post »

- પ્રો. જે. પી. મહેતા
       તા.16-3 ના, વીદ્વાન જોસેફ મેકવાનના ‘સમભાવ પર્વની ફલશ્રુતી’માં યોગ્ય હેવાલ છે; પણ મર્મજ્ઞ જોસેફભાઈ, વીંછીની પુંછડી જેવા ડંખનું અંતીમ વાક્ય લખીને કમાલ કરે છે કે : “ઉત્તમ પરમારે બાપુના ને બાપુએ તેમના સૌના વખાણ કર્યા; પણ ઉણપ રહી ગઈ એક કે કોઈએ શીશુસહજ ભાવે રાજાને નાગો ના કહ્યો…!” જોસેફભાઈ જેવા [...]

Read Full Post »