આઝાદીનાં ૬૦ વર્ષો પછી પણ ભારત એક અલ્પવીકસીત દેશ તરીકે જ ઓળખાય છે. ૧૮૨ દેશોની યાદીમાં છેક ૧૩૪મા ક્રમે ભારત દેશનો નંબર આવે છે, શા માટે ? કારણ કે ભ્રષ્ટાચાર, અનામત, જાતીવાદ, પ્રાંતવાદ, બેઈમાની, અંધશ્રદ્ધા જેવાં દુષણો આ દેશના નેતાઓ તેમ જ દેશના રહેવાસીઓની આદત બની ગઈ છે.
આ દેશના નેતાઓનો પ્રથમ ધર્મ એ જનસેવા, દેશની [...]
Archive for the ‘મીત્રોના ચર્ચાપત્રો’ Category
ભારત અલ્પવીકસીત દેશ શા માટે છે ?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on November 9, 2009 | 22 Comments »
ધર્મ જેવું જ આજે ક્યાં છે?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on September 19, 2009 | 15 Comments »
તા. ૯/૦૮/૨૦૦૯ના ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્રી ‘ધાર્મીક માણસની અગ્ની પરીક્ષા‘માં વીણા પટેલે ખુબ જ સુંદર ચર્ચા કરી છે અને ખરેખર ષડ્ રીપુ દુર થાય તો મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ શંકા નથી; પરંતુ આજે ભારતમાં ધર્મ જેવું જ ક્યાં રહ્યું છે ? કેટલાંય મંદીરો છે અને દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં, મહંતો જુદા જુદા [...]
આપણી અધોગતીનું મુળ ઈશ્વર પરાયણતા
Posted in મીત્રોના ચર્ચાપત્રો on August 22, 2009 | 29 Comments »
જીવન અને જગતની સમસ્યા અને રહસ્યને વીવેક બુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના અધીષ્ઠાન પર સમજવાની જગ્યાએ, કાલ્પનીક ધર્મ-અધ્યાત્મની તરંગી શ્રદ્ધા-અંધશ્રદ્ધા પર સમજવાના આપણા અતાર્કીક અભીગમને કારણે આપણે વીશ્વમાં ઘણા પછાત રહી ગયા છીએ.
આપણી કુટુમ્બ સંસ્થા અને આપણી શીક્ષણ સંસ્થાઓ એ આપણા ધાર્મીક શ્રદ્ધા-અંધશ્રદ્ધાનાં સૌથી મોટાં પ્રચાર કેન્દ્રો છે. નવજાતશીશુ જન્મતાની સાથે વીસ્મય દૃષ્ટી અને નીરપેક્ષ [...]
વીશ્વશાંતી માટે ખતરો
Posted in મીત્રોના ચર્ચાપત્રો on June 18, 2009 | 7 Comments »
‘ગુજરાતમીત્ર’ ના તા.૧૬/૦૯/૧૯૯૧ના અંકમાં ‘સ્પોટલાઈટ’ મુજબ, ૧૮ વર્ષીય ઈઝરાયલી કીશોર ઘેરબેઠાં અમેરીકાના પેન્ટાગોનની કોમ્પ્યુટર સંચાલીત અણુમીસાઈલો પર નીયંત્રણ કરી શકે તેવી કોમ્પ્યુટર પદ્ધતી વીકસાવી છે. જો ૧૮ વર્ષીય કીશોર આવી પદ્ધતીનું નીર્માણ કરી શકે તો આવતી કાલે ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે વીકસેલા દેશો પણ તેમજ કરી શકશે. કદાચ ઈઝરાયલે આ રહસ્ય હસ્તગત કરી લીધું હશે.
આનો અર્થ એવો [...]
સુપર કોમ્પ્યુટર
Posted in મીત્રોના ચર્ચાપત્રો on May 14, 2009 | 14 Comments »
હવામાનના અત્યંત ચોકસાઈપુર્વક વરતારા માટે ભારતીય હવામાન ખાતાને છ વર્ષ પહેલાં સુપર કોમ્પ્યુટરની તાત્કાલીક જરુર હતી. અમેરીકા પાસેથી સુપર કોમ્પ્યુટર મેળવતા ભારત સરકારને નાકે દમ આવી ગયો. અમેરીકાએ ભારે કમને ભારતને સુપર કોમ્પ્યુટર આપ્યું તો ખરું, પહેલી કક્ષાનું નહીં, પણ ઉતરતી ત્રીજી કક્ષાનું આપ્યું. બેંગ્લોરની ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સે એવા સુપર કોમ્પ્યુટરની માગણી અમેરીકાને કરી તો [...]
જોડણીનું આંદોલન આવકાર્ય નથી ?
Posted in મીત્રોના ચર્ચાપત્રો on May 8, 2009 | 7 Comments »
છેલ્લા પંદરેક વર્ષથી ગુજરાતી ભાષાની જોડણી વીશે એક એવું આંદોલન શરુ થયું છે કે જે ગુજરાતી ભાષાની લીપીમાં લખનારા લોકોને નવા જ પ્રકારની અનુભુતી કરાવે છે. હ્સ્વ ઇ/ઉ અને દીર્ઘ ઈ/ઊ એમ જે ચાર સ્વર છે તેમાના માત્ર બે જ રાખીએ તો ચાલે એવું આ આંદોલનકારો માને છે. તેમના મતે દીર્ઘ ઈ અને હ્સ્વ ઉ- [...]
વીજ્ઞાન કુદરતના નીયમોની ખોજ કરે છે
Posted in મીત્રોના ચર્ચાપત્રો on April 16, 2009 | 6 Comments »
જગત યાને વીશ્વ યાને કુદરત જે કહો તે અસ્તીત્વ ધરાવે છે એટલે સત્ય છે, મીથ્યા નથી અને આ કુદરત સંપુર્ણપણે તેના નીયમોથી બદ્ધ છે, તેના નીયમો અનુસાર અચુકપણે વર્તે છે. જો કુદરત મનસ્વીપણે ગમે તેમ અવકાશમાં ધુમતી હોત, સુર્ય એક દીવસે પ્રકાશ આપત અને બીજે દીવસે પ્રકાશ આપવાનું બંધ કરતો હોત, પણ તેમ થતુ નથી. [...]
‘ઈશ્વર’ માણસનું સર્જન છે
Posted in મીત્રોના ચર્ચાપત્રો on April 2, 2009 | 13 Comments »
વીજ્ઞાન અને ધર્મનો વીવાદ ગેલેલીયો (૧૫૬૫-૧૬૪૨)થી ચાલતો આવ્યો છે. વીજ્ઞાન ધર્મનો વીરોધ કરે છે, પણ માનવીય મુલ્યો, માનવતા, નૈતીકતાનો વીરોધ વીજ્ઞાન જરા પણ કરતું નથી. બલકે નૈતીક મુલ્યોને સ્વીકારે છે, અને તેનું સમર્થન કરે છે. હું તો કહીશ કે વીજ્ઞાન – માનવતા = અણુબોમ્બ અને સંહારના શસ્ત્રો. વીજ્ઞાન + માનવતા = આલ્બર્ટ આઈન્સ્ટાઈન, મેડમ ક્યુરી. [...]
સંબંધનું વૃક્ષ
Posted in મીત્રોના ચર્ચાપત્રો on March 19, 2009 | 7 Comments »
માનવી સામાજીક પ્રાણી છે અને તેની સમગ્ર અસ્મીતા એ સામાજીક દેન છે. તે જે ભાષા બોલે છે, જે વીચારો ધરાવે છે – તેની જે રહેણીકહેણી છે – તે સામાજીક નીપજ છે. સમાજથી વીખુટો પડેલ અને વરુના ટોળામાં ઉછરેલ બાળ – વરુ જેવું જ વર્તન કરે છે, એવો એક કીસ્સો ઈતીહાસના ચોપડે નોંધાયેલ છે.
માનવી તેની [...]
સ્ત્રી મુક્તીની દીશામાં જાગૃત સ્ત્રીઓના પગલાં
Posted in મીત્રોના ચર્ચાપત્રો on March 7, 2009 | 1 Comment »
તા.૮/૦૩/૧૯૯૨
૮ માર્ચ સ્ત્રીમુક્તી દીને જાગૃત સ્ત્રીઓની પ્રવૃત્તી પર પ્રકાશ પાડવું ઉચીત બની રહે છે:
૧૯૭૫નું આંતરરાષ્ટ્રીય મહીલા વર્ષ, ત્યાર પછીનું મહીલા દશક, સાર્ક બાલીકા વર્ષ અને હવે આ બધી રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય ઘટના પ્રવૃત્તીઓ સમાજને સ્ત્રીઓની સમસ્યાઓ, સ્ત્રીનો દરજ્જો- તેની સ્થીતી સમજવા માટેની અનીવાર્યતા તરફ ગંભીર ધ્યાન ખેંચે છે. ભારત જેવા દેશમાં સ્ત્રીઓને આઝાદીના પ્રથમ ચરણે [...]