ગુજરાતમીત્ર, સુરતના વરીષ્ઠ પત્રકારશ્રી ભગવતીકુમાર શર્માએ ‘આપણે બધા’માં તા.17/06/1992ના રોજ આજના બ્રાહ્મણના બ્રાહ્મણત્વ ઉપર શંકા કરી અને સાચા બ્રાહ્મણ બનવા માટે જે બાબતો ઉપર ભાર મુક્યો છે- તે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ બાબત મારી નજરે ભ્રમણા જ માત્ર હોય એવું લાગે છે. વ્યવહારમાં આવું બનતું નથી અને બનશે પણ નહીં. વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા [...]
Archive for June, 2009
સાચા બ્રાહ્મણ
Posted in રેશનલ on June 25, 2009 | 7 Comments »
વીશ્વશાંતી માટે ખતરો
Posted in મીત્રોના ચર્ચાપત્રો on June 18, 2009 | 7 Comments »
‘ગુજરાતમીત્ર’ ના તા.૧૬/૦૯/૧૯૯૧ના અંકમાં ‘સ્પોટલાઈટ’ મુજબ, ૧૮ વર્ષીય ઈઝરાયલી કીશોર ઘેરબેઠાં અમેરીકાના પેન્ટાગોનની કોમ્પ્યુટર સંચાલીત અણુમીસાઈલો પર નીયંત્રણ કરી શકે તેવી કોમ્પ્યુટર પદ્ધતી વીકસાવી છે. જો ૧૮ વર્ષીય કીશોર આવી પદ્ધતીનું નીર્માણ કરી શકે તો આવતી કાલે ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે વીકસેલા દેશો પણ તેમજ કરી શકશે. કદાચ ઈઝરાયલે આ રહસ્ય હસ્તગત કરી લીધું હશે.
આનો અર્થ એવો [...]
બકરી : પ્રદુષણરહીત દવાનું કારખાનું
Posted in આરોગ્ય/ઉપચાર્ on June 11, 2009 | 19 Comments »
વીજ્ઞાને પ્રાણીઓના દુધમાં પર્યાય મળે એવું સંશોધન કર્યું છે. જેમાં દવા ઉત્પન્ન કરવા માટે બકરીનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરીકા, બ્રીટન અને નેધરલેન્ડ દવાના પર્યાય તરીકે ટી.પી.એ. નામનું પ્રોટીન તત્વ બકરીના દુધ દ્વારા પેદા કરે છે. આ પ્રોટીન તત્વ હ્રદયરોગના દર્દીઓની હ્ર્દુધમનીમાં જમાં થયેલી ગાંઠને દુર કરે છે. બાયોટેકનોલોજી/ જીનેટીક એન્જીનીયરીંગના વીશેષજ્ઞોએ બકરીના ગર્ભમાં એવાં [...]
આસ્તીકના ઉકાળા
Posted in મીત્રોના લેખ/કવીતા on June 4, 2009 | 16 Comments »
પાપ–પુણ્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષના કરે દાવા,
સ્વર્ગ–નરકનાં ક્યાં જંક્શન, કહેશે કોઈ બાવા?
કંઠી બાંધી, કાન ફુંકી, સુગુરા કર્યાના દાવા,
બ્રહ્મ–સંબંધમાં બખેડા, ઘણા હકના કરે દાવા.
થાંભલે–થાંભલે દાઢી, દાઢીએ દાઢીએ બાવા !
બ્રહ્મચર્યના નીયમ ખોટા, ખોટા શક્તીપાતના દાવા.
ટીલાં તાણી, માળા ફેરવી, ગૌમુખીમાં ગોટાળા,
ધોતી, લંગોટ, જનોઈ પહેરી, ગજબ વાસનાવાળા!
મુખ જોવાથી પાપ લાગે, અડે કરે ઉપવાસ,
મોકો મળે મુકે નહીં, કાળાં કરમ કરનારા 1
દાન નહીં [...]