દરેક માનવી તેના લોજીક અનુસાર વીચારે છે, વદે છે, લખે છે અને વર્તન કરે છે. પછી જેવું તેનું લોજીક. તે સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ હોય, તરંગી હોય કે વાસ્તવીક હોય, પણ છે તેનું આગવું લોજીક. ક્યારેક તે કહે છે કંઈક અને કરે છે કંઈક બીજું. તેના વાણી અને વર્તનનો વીરોધાભાસ તેના ‘લોજીક’ ના ભાગરુપે હોય છે. [...]
Archive for January, 2009
જેનું જેવું લોજીક
Posted in મીત્રોના ચર્ચાપત્રો on January 31, 2009 | 13 Comments »
સ્ત્રીઓનો સ્વૈચ્છીક અગ્નીદાહ ક્યારે અટકશે ?
Posted in રેશનલ on January 23, 2009 | 11 Comments »
વીજ્ઞાન મંચ, નવસારીના ઉપક્રમે અને આ બ્લોગરના નેતૃત્વ હેઠળ સર્વશ્રી ભુપેન્દ્ર ઝેડ., વીજય દેસાઈ અને રાજેન્દ્ર સોની સાથે બે જુથમાં ગણદેવી તાલુકાના ધનોરી ગામના પ્રખ્યાત ભગત મંગુ મહારાજના કહેવાતા ચમત્કારો ઉઘાડા પાડવાનું અભીયાન તા.૭/૦૮/૧૯૯૪ના રોજ સફળતાપુર્વક પાર પાડ્યું હતુ. આ અભીયાનનો એક કીસ્સો પ્રસ્તુત છે:
મુજ નાસ્તીકને ત્યાં બે દીકરાઓ હોવા છતાં બહુજન હીતાય [...]
સ્ત્રી શક્તીનો પરચો
Posted in સમાજજીવન on January 16, 2009 | 16 Comments »
દારુના દૈત્યથી કેટલીય યુવાન બહેનોના સેંથાના સીંદુર ભુંસાયા, કેટલીય બહેનોના સંસાર ઉજડયા, કેટલાંક વૃધ્ધ માતા-પીતાનો સહારો છીનવાયો તો કેટલાંક બાળકોના પીતા અને ઘરનો મોભ ન રહેવાથી બહેનોને પરીવારના ભરણ પોષણ માટે સંઘર્ષ કરવો પડે છે. દારુના દુષણથી યુવા પેઢીમાં ટી. બી. ના દર્દી વધી રહ્યા છે. સમાજમા ફેલાયેલા દારુના આવા દુષણોથી ત્રસ્ત સુરત અને [...]
સાહીત્ય અને વીજ્ઞાન વીશે વીશેષ
Posted in મીત્રોના ચર્ચાપત્રો on January 9, 2009 | 1 Comment »
જયન્ત પાઠક
તા.૨૯-૦૨-૧૯૯૧ ના ‘ગુજરાતમીત્ર’ ના અંકમા ચર્ચાપત્ર વીભાગમાં ‘સાહીત્ય અને વીજ્ઞાન’ શીર્ષક હેઠળ પ્રગટ થયેલ શ્રી આર. કે. મહેતાના ચર્ચાપત્ર સંબંધમાં આ લખી રહ્યો છું- એમણે મને વીચારવાનો અનુરોધ કર્યો છે એટલે.
ચર્ચાપત્રના પ્રથમ ત્રણ પરીચ્છદોમાંથી ઉપસ્થીત થતા કેટલાંક મુદ્દાઓ વીશે વીચાર કરવાનું પ્રાપ્ત થાય છે, પહેલા પરીચ્છેદોમાં શ્રી મહેતા લખે છે કે ‘વીજ્ઞાન પણ સાહીત્યનું [...]
ભુત-પ્રેત એ તુત છે
Posted in રેશનલ on January 3, 2009 | 4 Comments »
‘ભુત-પ્રેતની અગોચર સૃષ્ટી’ શીર્ષક હેઠળ ગુજરાતમીત્રમાં તા.૨૪/૦૬/૧૯૯૨ના રોજ પ્રસીધ્ધ થયેલ શ્રી સંજયભાઈ પટેલના ચર્ચાપત્ર પરત્વે લખવાનું કે, ભુત-પ્રેત, ડાકણ-સાકણ, જીન-ઝંડ, ચુડેલ વગેરેની વાતો અભણ-અજ્ઞાન માણસો માની લે તે સ્વાભાવીક છે. પરંતુ કહેવાતા કેટલાંક શીક્ષીતો અને વીજ્ઞાનીઓના દીલો દીમાગમાં વડીલો, ધર્માધીકારીઓ તેમજ ધાર્મીક પુસ્તકો દ્વારા બાળપણથી જ આવી મીથ્યા અંધશ્રધ્ધા ઠોકી બેસાડવામાં આવે છે. [...]