Feeds:
Posts
Comments

Archive for October, 2008

       
        આપણે તો આ દુનીયા પર ‘વીદ્યુત વીભાજનની રીત’  જેવા છીએ, જેમાં ‘કેથોડ’ અને ‘બેનોડ’ બે ધ્રુવો છે, પરંતુ આપણે તો માનવરુપી ધ્રુવ તરીકે ‘કેથોડ +’ પરથી પોઝીટીવ  આયનો છુટા પાડવા છે અને હંમેશા પોઝીટીવ થીન્કીંગ કરવું છે. ‘બેનોડ’ પર તો એસીડ જેવા અનીષ્ટ તત્વો રહે છે.
       આપણી ચોતરફે ભય, ભુખ, ભ્રષ્ટાચાર,  લાગવગ… તત્વોની ભરમાર વચ્ચે [...]

Read Full Post »

અમદાવાદના માઉન્ટ કારમેલ શાળા પાસે વીશાળ રસ્તાની મધ્યમાં કોઇ એક નાનકડું મંદીર છે. મળેલ જાણકારી મુજબ આ મંદીરની આમદાનીમાં પારાવાર વધારો થતો હોવાથી ઇમારત આલીશાન બનતી જાય છે. રેશનાલીસ્ટ મીત્ર કીરણભાઇ સાથે આ મંદીર પાસેથી મોટર સાયકલ ઉપર અમે બન્ને મીત્રો પસાર થતાં હતા, તે સમયે અમારી પહેલાં એક બસને ત્યાંથી પસાર થતાં [...]

Read Full Post »

                              હમણાં જ ‘Torstar Books-New York’ ‘ દ્વારા પ્રકાશીત પુસ્તક ‘The Brain’ હાથમાં આવ્યું. આ ૧૬૦ પાનાનાં પુસ્તકમાં મગજના નીષ્ણાતોને અમેરીકન પ્રજા સમજી શકે તેવી રીતે અને તેવી અદ્યતનમાં અદ્યતન માહીતી સુંદર રીતે અપાઇ છે. એવી જ રીતે, હૃદય-આંખ ઇત્યાદી વીષયઓ પર પણ પુસ્તકો બહાર પડેલ છે.
        આપણે ત્યાં વીજ્ઞાનના દરેક ક્ષેત્રમાં નીષ્ણાતો છે અને તેઓ [...]

Read Full Post »

આજથી ૧૦૦ વર્ષ પહેલાં ઝારખંડના ઝાડી-ઝાંખરા, કોતરો, જંગલી પ્રાણીઓ તેમજ અનેક જાતના ઝેરી સર્પોથી હર્યુ ભર્યું જંગલમાં નવસારી (ગુજરાત રાજ્ય)ના જમશેદજી તાતાએ પોલાદનું કારખાનું નાખવાનો નીર્ધાર કર્યો હતો. ત્યારે અંગ્રેજોએ અવાક થઇને પ્રશ્ન કરેલ કે આ જંગલમાં કેવી રીતે કારખાનું નાખશો ? જમશેદજી તાતાએ પૂરા વીશ્વાસ અને અડગ ધ્યેય સાથે હસતાં મોઢે જણાવેલ “એ [...]

Read Full Post »

        તા.૨૬-૦૧-૧૯૯૩ના દીને નવસારી શહેરમાં ‘મારી કલ્પનાનું નવસારી’ વીષય પર એક પરીસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેરના અગ્રગણ્ય મહનુભવોએ નવસારી શહેરની સુધારણા માટે અનેક ઉપયોગી સલાહસુચનો કર્યા. નવસારી નગરપાલીકા સલાહસુચનોથી અજાણ હોય તે માનવાનું કોઇ કારણ નથી, બલ્કે તેની પાસે  નવસારી શહેરની પ્રમાણીત આંકડાકીય માહીતી, સમસ્યાઓના નીવારણ માટે યોગ્ય ટેકનીકલ જાણકારી અને વહીવટી અનુભવ તેમજ તંત્ર [...]

Read Full Post »

શ્રી નાની પાલખીવાલાનું પુસ્તક ‘અમે, ભારતના લોકો’ ના એક ફકરાને સમૃધ્ધ ભારતીય પરંપરાના શીર્ષક હેઠળ તા. ૧૩-૦૧-૯૨ ની ‘અક્ષરની આરાધના’ કોલમમાં સ્થાન મળેલ- જેના સંદર્ભમાં ચર્ચા પ્રસ્તુત કરવાની કે, આધુનીક વીજ્ઞાન અને પ્રાચીન દાર્શનીકો (તે ભારત, ચીન કે પછી ગ્રીસના હોય) ના કથનો એક જેવા જ છે, છતાં તેઓના કથનોમાં આસમાન-જમીનનો તફાવત છે. પ્રાચીન [...]

Read Full Post »

       શ્રી દીનેશ પાંચાલની કટાર (ગુજરાત મીત્ર ૨૩-૦૬-૧૯૯૧) ના સંદર્ભમાં લખવાનું કે માનવીની બુધ્ધીનો આંક (IQ) તેના સામાજીક દરજ્જા, શીક્ષણ કે કાર્યક્ષેત્ર પર આધારીત નથી, એટલે મનોવીજ્ઞાનીઓ બુધ્ધીના આંકની ચકાસણી માટે સામાજીક દરજ્જો, શીક્ષણ કે કાર્યક્ષેત્રને લક્ષમાં રાખી યોગ્ય પ્રશ્નાવલી તૈયાર કરે છે. શહેરી બાળક અને ગામડાના બાળકની બુધ્ધીના આંકની ચકાસણી માટે એક જ પ્રશ્નાવલી હોઇ [...]

Read Full Post »