Feeds:
Posts
Comments

Archive for September, 2008

૨૯મી એપ્રીલ, ૧૯૯૩

વર્ષો પહેલાં હીંદી ફીલ્મના મશહુર અભીનેતા અને આજના મુઠ્ઠી ઉંચેરા માનવતાવાદી સાંસદશ્રી સુનીલ દત્તે વીશ્વની પ્રથમ અનોખી હીંદી ફીલ્મ ‘યાદે’ નું નીર્માણ કર્યું હતું. જેમાં સમગ્ર ફીલ્મ સુનીલ દત્તે પોતાના ખભા ઉપર ઉઠાવીને બનાવી હતી. એ ફીલ્મમાં ફક્ત એક જ પાત્ર હતું. અને એ પાત્ર સુનીલ દત્તે બાખુબીપુર્વક ભજવેલ હતું. જેમાં [...]

Read Full Post »

             
            
              શ્રી વીકાસ ઉપાધ્યાય તેમના લેખ ‘કહેવાતી જ્યોતીષ વીદ્યા’ માં કહેવાતી જ્યોતીષ વીદ્યાની ઘણી ક્ષતીઓ તરફ અંગુલી નીર્દેશ કરેલ છે, પણ સાથે સાથે જયોતીષ વીદ્યામાં સાચા જ્યોતીષીઓ આ વીદ્યામાં વૈજ્ઞાનીક ઢબે સંશોધન કરે, એવો મીથ્યા આશાવાદ પણ સેવ્યો છે. વૈજ્ઞાનીક ઢબે જ્યોતીષનું સંશોધન શક્ય છે? જ્યાં જ્યોતીષનો પાયો તદ્દન અવૈજ્ઞાનીક-કાલ્પનીક અને બીનપાયેદાર છે ત્યાં તેનુ વૈજ્ઞાનીક [...]

Read Full Post »

જય ભગવાન એકયુપ્રેસર સર્વીસ (ઇન્ટરનેશનલ) તરફથી જુનીયર ચેમ્બર્સ અને લાયન્સ કલબ (મેઇન), નવસારીના ઉપક્રમે નવસારી ખાતે ચરણતળ દાબ વીજ્ઞાન (એક્યુપ્રેસર) પ્રશીક્ષણ અને સારવાર શીબીર અંગે ગુજરાતમીત્રમાં પ્રસીદ્ધ થયેલ સમાચાર વાંચી કૌતુક થયું કે, એક્યુપ્રેસરને વળી “જય ભગવન” સાથે શું સંબંધ! જેથી જાણકારી મેળવવાના આશયથી તાલીમાર્થી તરીકે જોડયો અને સંચાલક તરફથી લેવાયેલ સૈધ્ધાંતીક અને [...]

Read Full Post »

         નહેરુ પ્લેનેટોરીયમના જોઇન્ટ ડીરેકટર ડૉ. જે. જે. રાવલ ભારતના અગ્રગણ્ય ખગોળ વીજ્ઞાની છે અને ગુજરાતના ગુર્જર-રત્ન છે. તેમણે ૧૯૭૯માં વીશીષ્ટ પ્રકારનું ગણીત વીકસાવ્યું. આ ગણીતની મદદથી તેમણે સાબીત કર્યું કે યુરેનસ કે જેને પાંચ ઉપગ્રહો છે, તેને આ પાંચ ઉપગ્રહો ઉપરાંત બીજા ચાર ઉપગ્રહો હોવા જોઇએ, એટલું જ નહીં, પણ આ વણશોધાયેલ ચાર ઉપગ્રહો યુરેનસથી [...]

Read Full Post »

‘દેવ દ્રવ્યનો સદુપયોગ કરીએ’ શીર્ષક હેઠળ તા. ૫-૦૩-૧૯૯૨ના ચર્ચાપત્ર દ્વારા શ્રી આર. કે. મહેતાએ મંદીરો, મસ્જીદો અને ગુરુદ્વારાઓના સંચીત થયેલ ધનને પ્રજાના કલ્યાણ માટે વાપરવાનું કરેલ સુચન આવકાર્ય છે. તેઓના ચર્ચાપત્રમાં જણાવ્યાનુસારના ધાર્મીક સ્થળો ઉપરાંતની ધાર્મીક સંસ્થાઓ, ધાર્મીક ટ્રસ્ટો અને આશ્રમો જેવા ભારતભરના તમામ ધાર્મીક સ્થળો પાસે વીપુલ પ્રમાણમાં ધન/સંપત્તીનો સંગ્રહ હોવા છતાં આપણા [...]

Read Full Post »

 
        એમ કહેવાય છે કે તીરુપતી બાલાજી અને શ્રીનાથદ્વારાના મંદીરોની વાર્ષીક આમદાની કરોડો રુપીયાની છે. દેશભરના સેંકડો હજારો મંદીરો, મસ્જીદો અને ગુરુદ્વારાઓને સેંકડો વર્ષોથી ભાવીકજનો યથાશક્તી દાન આપતા આવ્યા છે. આ હીસાબે અંદાજીએ તો આ દેવસ્થાનોનું સંચીત દ્રવ્ય કદાચ સેંકડો અબજો રુપીયાનું હશે. આ દ્રવ્ય કોનુ? અલબત્ત આ દ્રવ્ય પ્રજાનું જ કહેવાય. અને છતાં પ્રજા [...]

Read Full Post »

રાજકોટમાં અનેક ધર્માચાર્યોની સંગઠીત કથા થઇ હતી. કથા અંતર્ગત મોરારીબાપુ, રમેશભાઇ ઓઝા, મનહરલાલજી મહરાજ તથા સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાય ધર્માચાર્યો ભેગા થયા હતા. આવા માનવ મેળા દરમ્યાન રાજકોટના મીત્ર કાંતીલાલ ભુત પોતે ત્યાં જઇ પહોંચ્યા. કથા આયોજકો, વક્તાઓ અને શ્રોતાઓને પડકારતી માહીતીવાળી પત્રીકાઓ તેઓએ ત્યાં વહેંચી હતી. નાનકડી એવી આ પત્રીકામાં પાયાના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા [...]

Read Full Post »

         ગુજરાત મીત્ર તા.૨૩-૦૧-૧૯૮૮માં આવેલ સરોજબેન પાઠકનો લેખ ‘નારી સમસ્યાઓ… વીચારે છે’ બદલ તેમને અભીનંદન. તેમણે મન મુકીને કશો ક્ષોભ રાખ્યા વીના નારી સમસ્યાઓનું જે નીરુપણ કરેલ છે તે ખરેખર મનનીય છે (પુરુષો માટે).
        યત્ર યત્ર નાર્યઃ પુજ્યન્તે, તત્ર તત્ર રમન્તે દેવતાઃ એ સુત્ર સદીઓથી વીસારે પડ્યું છે. તેના સ્થાને મનુસ્મૃતીના કથનો, સુત્રો અને નીતીનીયમોનું જ [...]

Read Full Post »

કેન્દ્ર સરકારે ‘હરીજન – ગીરીજન’ શબ્દનો ઉપયોગ કરવા પર 1982 થી પ્રતીબંધ મુક્યો છે. છતાં પણ આપણા નેતાઓ આ શબ્દનો બેફામ ઉપયોગ કરે છે. તેને બદલે બંધારણમા કરેલ જોગવાઇ મુજબ ‘અનુસુચીત જાતી/ અનુસુચીત જનજાતી’ શબ્દનો ઉપયોગ કરવો જોઇએ. આ પ્રતીબંધના અમલ માટે લડત આપવાનો સમય પાકી ગયો છે.
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના [...]

Read Full Post »

 
       ‘ગુજરાત મીત્ર’ના તા.૯-૧૦-૧૯૯૧ના તંત્રી લેખમાં આજના આપણા સમાજનું જે વીશ્લેષણ કરાયું છે, તે યથાર્થ છે, અને આજે જે ‘નીયો-રીચ’ વર્ગ ઉભો થયો છે, તે વસ્તીના પ્રમાણમાં દસ ટકાથી વીશેષ નથી, અને છતાં આપણા રાજકીય, આર્થીક, સામાજીક, સાંસ્કૃતીક, ધાર્મીક અને વૈચારીક તખ્તા પર તે વર્ગની જ બોલબોલા છે. આ ‘નીયો-રીચ’ વર્ગની સરાસરી વાર્ષીક આવક, યુરોપના [...]

Read Full Post »