નવસારીમાં ‘સર્જન’ ના નેજા હેઠળ ચાલતા ચીલ્ડ્રન થીયેટરનો દ્વીતીય વાર્ષીક ઉત્સવ યોજાયો હતો. જેમાં (૧) છેલ્લી રમત, (૨) ચલો જીતવા જંગ અને (૩) જંગલ કેડીએ મીચ્યાં લોચન. આ ત્રણે એકાંકીઓમાં બાળ કલાકારોએ શીસ્ત, અપુર્વ ધીરજ અને ખુબ જ ઉત્સાહથી પોતાની ભુમીકાને સરસ રીતે ભજવી હતી. ત્યારે એક વાતની ખાતરી થઇ કે નાના બાળકોને યોગ્ય [...]
Archive for August, 2008
સર્જનના સર્જકોને સમર્થન
Posted in કલા - સાહીત્ય on August 30, 2008 | Leave a Comment »
વીજ્ઞાનના પારીભાષીક શબ્દો
Posted in મીત્રોના ચર્ચાપત્રો on August 30, 2008 | Leave a Comment »
શ્રી ચંદ્રકાંત બક્ષીની કટાર ‘સ્પીડબ્રેકર’ (ગુ.મીત્ર ૨૧-૦૨-૧૯૯૧) ના સંદર્ભમાં લખવાનું કે જે દેશોમાં વીજ્ઞાન અને ટેકનોલોજીનો વીકાસ થયો ન હોય, તે દેશની ભાષામાં વીજ્ઞાનના પારીભાષીક શબ્દો ન હોય તે સ્વાભાવીક છે. જાપાનમાં વીજ્ઞાન અને ટેકનોલોજીનો વીકાસ બહુ મોડો થયો એટલે જાપાને અંગ્રેજી શબ્દોને અપનાવી લીધા છે, એટલું જ નહી પણ તેમની લીપીમાં અંગ્રેજી શબ્દો લખવાનું [...]
ટર્નીંગ પોઇંટ
Posted in વીજ્ઞાન/ટેકનોલોજી on August 30, 2008 | 1 Comment »
‘દૂરદર્શન પર દરેક મહીનાના પહેલા રવીવારે સાંજે 5-05 કલાકે પ્રસારીત થનાર નવી સીરીયલ ‘ટર્નીંગ પોઇંટ’ નો તા. 1/09/1991 અને 6/10/1991 ના રોજ પ્રસારણ પામેલ હપ્તાઓમાં વીજ્ઞાનની અવનવી સીદ્ધીઓ જોવા જાણવા મળી. એમાય અનુક્રમે જ્યોતીષ અને ચમત્કારોનો પર્દાફાસ કરવામાં આવ્યો તેનાથી અંધશ્રધ્ધાળુઓના દીલો દીમાગ ખુલસે. પરંતુ આ દેશમાં અંગ્રેજી સમજનારની વસ્તી કેટલી? જે દુનીયાની [...]
‘આર. કે. મહેતા’ ચર્ચાપત્રોની જીવંત યુનીવર્સીટી
Posted in શ્રધ્ધાંજલી on August 27, 2008 | 2 Comments »
ચર્ચાપત્રી મંડળ તથા વીજ્ઞાન મંચ, નવસારીના સ્થાપક પ્રમુખ આર. કે. મહેતાએ વૈજ્ઞાનીક અને રેશનલ અભીગમ ધરાવતા વીધેયક વીચારો રજુ કરતા ચીંતન પ્રધાન ચર્ચાપત્રોની જીવંત યુનીવર્સીટી સ્થાપી છે. તેમના ચર્ચાપત્રોના ૧૦ જેટલા આલ્બમો જોતાં ૧૨૦૦ થી પણ વધુ ચર્ચાપત્રો પ્રકશીત થયા હશે. તેઓનો જન્મ ૮મી નવેમ્બર, ૧૯૨૩ ના રોજ કરાંચીમાં થયો હતો. તેઓનો [...]
ઋણ સ્વીકાર
Posted in ઋણ સ્વીકાર on August 26, 2008 | 1 Comment »
મારા સહકર્મી અને મીત્ર શ્રી ભુપેન્દ્ર ઝેડ. ના ચર્ચાપત્રો અવાર નવાર ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વાંચવા મળતાં હતા. આ ચર્ચાપત્રો અંગે રુબરુમાં મારો અભીપ્રાય વ્યકત કરતો ત્યારે ભુપેન્દ્રભાઇ મને પણ ચર્ચપત્ર લખવા માટે પ્રોત્સાહીત કરતો. તેમની પ્રેરણાઓથી પ્રેરાઇને મેં ચર્ચપત્ર લખીને ‘ગુજરાતમીત્ર’ ને મોકલ્યું અને ચર્ચાપત્ર છપાયું. બીજું, ત્રીજું અને પછી તો ચર્ચાપત્રોની યાત્રા [...]
વીજ્ઞાનની આરસીમાં
Posted in રેશનલ on August 23, 2008 | 2 Comments »
વર્તમાન વીજ્ઞાન યુગમાં દુનીયાભરમાં અંધશ્રધ્ધા, ચમત્કારો, દૈવીશક્તી, જાદુ-ટોના, ભુત-પ્રેત, પરત્વે પારાવાર વહેમો અને ધર્મના ધતીંગોમાં બહુજન સમાજ ઉપરાંત વૈજ્ઞાનીકો, ડૉકટરો, વકીલો, બૌધ્ધીકો સામાજીક/ રાજકીય કાર્યકરો ફસાયેલા છે. આ ઉપરાંત વીજ્ઞાન શીખતાં/ શીખવતાં કેટલાંક શીક્ષણકારો વીજ્ઞાનને જાણતા હોવા છતાં ઉંડાણમાં ઉતરવાની કે કહેવાતા ચમત્કારી પાખંડીઓને પડકારવાની કે ખુલ્લા પાડવાની હીમ્મતના અભાવે પ્રયોગશાળામાં અને સમાજમાં તેઓ [...]