સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 2
ઉત્ક્રાન્તી
–મુરજી ગડા
સર્વવ્યાપી, સર્વસ્વીકૃત એવી એક પુરાણી માન્યતાને ચારસો વરસ પહેલાં જોરદાર ફટકો લાગ્યો, જ્યારે પૃથ્વીનો સાચો આકાર અને તેનું સ્થાન જાહેર થયાં. આ બાબતે હવે બધું સ્વીકારાઈ ગયું હોવાથી વીવાદ શાન્ત થઈ ગયો.
એ જ રીતે આપણાં મુળ વીશેની બીજી સર્વવ્યાપી, સર્વસ્વીકૃત પુરાણી માન્યતાને દોઢસો વરસ પહેલાં જોરદાર ફટકો લાગ્યો, જ્યારે ઉત્ક્રાન્તીવાદની વાત જાહેર થઈ અને એનો વીવાદ તો હજીયે ચાલુ છે.
કોઈ નવી વાતનો અહેવાલ આપતાં પહેલાં એને સારી રીતે સમજવાની કે ચકાસવાની ધીરજ અને વૃત્તી પ્રસાર માધ્યમોમાં હોતી નથી. પરીણામે કોઈ ઉતાવળીયા પત્રકારે ‘વાંદરામાંથી માણસ થયો’ એવું છાપી માર્યું. મોટાભાગના લોકોની ઉત્ક્રાન્તી વીશેની સમજ આટલા પુરતી મર્યાદીત છે. આ એક અર્ધસત્યે ઉત્ક્રાન્તીવાદ સમજવામાં જેટલી અડચણો ઉભી કરી છે, એટલી કદાચ એના અઠંગ વીરોધીઓએ પણ નહીં કરી હોય! આ ગેરસમજને દુર કરવી જરુરી છે.
સજીવોના નૈસર્ગીક રીતે તબક્કાવાર થયેલા વીકાસને ઉત્ક્રાન્તી કહે છે. નીર્જીવોમાં દેખાતી વીવીધતા અને જટીલતા પણ તબક્કાવાર થઈ છે; છતાં એ ઉત્ક્રાન્તી નથી ગણાતી. જો એને પણ ઉત્ક્રાન્તી ગણવામાં આવે તો ઉત્ક્રાન્તીની શરુઆત શુન્ય સમયથી એટલે કે ‘બીગ બૅંગ’થી થઈ એમ કહી શકાય.
જીવવીજ્ઞાનને રસાયણશાસ્ત્ર સાથે ખુબ નજીકનો નાતો છે. એટલે ઉત્ક્રાન્તીની વાત આગળ વધારતાં પહેલાં શુષ્ક ગણાતા રસાયણશાસ્ત્રને થોડું સમજવું જરુરી બને છે. આપણી આસપાસ જે પણ દેખાય છે તે બધું અણુ અને પરમાણુઓનું બનેલું છે. ઘણા આ જાણે છે. એને થોડા ઉંડાણમાં જાણીએ.
પૃથ્વી પર 94 પ્રકારનાં મુળતત્ત્વો (એલીમેન્ટ્સ) નૈસર્ગીક રુપમાં જોવા મળ્યાં છે. (આમાંથી મોટાભાગનાં તત્ત્વો તારાઓના ગર્ભમાં બનેલા હોય છે.) આ ઉપરાંત બીજાં 24 મુળતત્ત્વોને વૈજ્ઞાનીકો અણુભઠ્ઠીમાં બનાવી શક્યા છે. આ બધાં જ તત્ત્વોના પરમાણુ (એટમ) માત્ર ત્રણ ઘટકોના બનેલા છે, પ્રોટૉન, ન્યુટ્રૉન, અને ઈલેક્ટ્રૉન. ફરક માત્ર એમનામાં સમાયેલા ઘટકોની સંખ્યાનો છે. સૌથી પહેલા અને સહેલા હાઈડ્રોજનના પરમાણુમાં માત્ર એક પ્રોટૉન એક ઈલેક્ટ્રૉન હોય છે. સૌને ગમતા સોનામાં 79 પ્રોટૉન છે જ્યારે પારામાં 80 અને સીસામાં 82 પ્રોટૉન છે. માત્ર આટલા નજીવા ફરકને કારણે આ તત્ત્વોના ગુણધર્મ, ઉપયોગ, કીમ્મતમાં કેટલો ફરક પડે છે એ બતાવવાનો મુખ્ય હેતુ આ વીગત આપવાનો હતો.
આ માત્ર મુળ તત્વોની વાત થઈ. આ તત્વોનું એકબીજા સાથે સંયોજન થવાથી એક નવો જ પદાર્થ બને છે (કમ્પાઉન્ડ). જેના ગુણધર્મો મુળ તત્ત્વો કરતાં સાવ અલગ હોય છે. પૃથ્વી પર કુદરતી તેમ જ માનવસર્જીત સંયોજનો એક કરોડ કરતાં પણ વધારે છે. આ બધાં મુળ તત્ત્વો અને સંયોજનોના પોતાના વીશીષ્ટ ગુણધર્મો છે. દાખલા તરીકે, માત્ર ઑક્સીજનની હાજરીમાં જ વસ્તુઓ બળી શકે છે, માત્ર લોખંડ જ ચુંબકત્વ ધરી શકે છે, વગેરે… અગણીત દાખલા આપી શકાય.
કાર્બન એક એવું તત્ત્વ છે જે સાવ સહેલાઈથી કેટલાંયે અલગ મુળતત્વો સાથે સંયોજીત થઈ અતીજટીલ અણુઓ બનાવી શકે છે. આ કાર્બન અને હાઈડ્રૉજનના સંયોજનથી એક એવો અણુ બન્યો જેણે વાતાવરણમાંથી બીજા કાર્બન અને હાઈડ્રૉજનના પરમાણુઓને આકર્ષી, પોતાના જેવા બીજા અણુઓ બનાવી સાંકળ રચી. પોતાની પ્રતીકૃતી બનાવતા આ અણુઓ ઑર્ગેનીક મૉલીક્યુલ કહેવાય છે જે જૈવીક ઉત્ક્રાન્તીની શરુઆત છે. કોઈને આમાં દૈવી હસ્તક્ષેપ દેખાતો હોય તે એમનો દૃષ્ટીકોણ છે. બાકી જે રીતે ભેજમાં લોખંડ કટાય એના જેવી આ એક રાસાયણીક ક્રીયા માત્ર છે, જે યોગ્ય વાતાવરણમાં સ્વયમ્ભુ થઈ છે/ થાય છે. (ઑર્ગેનિક મૉલીક્યુલની શરુઆત સમજાવવા આટલા ઉંડાણમાં જવાનું જરુરી લાગ્યું છે.)
આ ઑર્ગેનીક મૉલીક્યુલ નીર્જીવ અને સજીવની બોર્ડર પર ગણાય છે. સામાન્ય શરદીથી લઈ એઈડ્સ સુધીની બીમારીઓ ફેલાવતા વાઈરસ આ મુળ ઑર્ગેનીક મૉલીક્યુલની સુધારેલી આવૃત્તી જેવા છે. વાઈરસ પરોપજીવી છે. એ શ્વાસ લેતા નથી; પણ પોતાના જેવા બીજા બનાવી શકે છે.
એક કોષીય બૅક્ટેરીયા પ્રમાણમાં ઘણા જટીલ અને વીકસીત છે. એમને અસ્તીત્વમાં આવતાં કરોડો વરસ લાગ્યાં. વધારે વીકસીત જીવો બનતાં બીજા કરોડો વરસ લાગ્યાં. ઉત્ક્રાન્તીની તબક્કાવાર વાત કરવા માટે એક લેખ પુરતો નથી, આખું પુસ્તક જોઈએ. એટલે સીધા વાંદરા–માણસની વાત પર આવીએ.
પુંછડીવાળા વાનર ઉત્ક્રાન્તીમાં આપણાથી ઘણા પછાત છે. એમની પુંછડી વગરની વીકસીત પ્રજાતી એપ (APE) કહેવાય છે. ભારતમાં એમનો વાસ નથી એટલે આપણી ભાષાઓમાં એમના માટે યોગ્ય શબ્દ પણ નથી. અન્યત્ર વસતા આ એપની ચાર જાતો છે: ગોરીલા, ચીમ્પાન્ઝી, ઉરાનગુટાન અને બોનોબો.
આ એપ પણ આપણા પુર્વજ નથી. બલકે એમના અને આપણા પુર્વજ એક હતા. એમની અને આપણી ઉત્ક્રાન્તીની શાખા 65 લાખ વરસ પહેલાં છુટી પડી છે. આ સમય દરમીયાન આપણા પુર્વજોની કેટલીયે પ્રજાતીઓ થઈ અને નાશ પામી છે. ટુંકમાં, વાનરમાંથી રાતોરાત માણસ નથી થયો; ન થઈ શકે. ઉત્ક્રાન્તીને લીધે થતા ફેરફારોને હજારો, લાખો વરસ લાગે છે. એપ આપણા પુર્વજ નહીં; પણ દુરના પીતરાઈ છે. એમના જનીન આપણા જનીન સાથે 98% મળતા આવે છે એટલે ‘લોહીનો સમ્બન્ધ છે’ એવું જરુર કહી શકાય.
આજે કાળા, ધોળા, ઘઉંવર્ણા કે પીળાશ પડતા, જેટલા પણ રંગના માણસો છે, એ બધાના પુર્વજ પુર્વ આફ્રીકામાંથી આવેલા છે. આધુનીક માણસ આશરે દોઢ–બે લાખ વર્ષો પહેલાં જ અસ્તીત્વમાં આવ્યો છે અને માત્ર 60,000 વરસ પહેલાં આફ્રીકાની બહાર નીકળી અન્યત્ર ફેલાયો છે. વાતાવરણ, રહેણીકરણી અને ખોરાક જેવી વીવીધતાને લીધે આપણામાં કેટલો ફરક થયો તે જોઈ શકાય છે. ઉત્ક્રાન્તીનું આ એક ઉદાહરણ છે.
ઉત્ક્રાન્તી ‘હાઈપોથીસીસ’ નથી; અનુમાન કે માન્યતા માત્ર નથી; એ વાસ્તવીકતા છે. એના પુરાવા છે; જમીનમાંથી મળી આવતાં પ્રાણીઓ અને વનસ્પતીઓ; એક જ પ્રજાતીનાં પ્રાણીઓ વચ્ચે સ્થળ અને કાળને લીધે દેખાતો તફાવત; ને હવે DNA પરીક્ષણનાં પરીણામો. આ બધું વીસ્તારથી સમજાવતાં થોકબંધ પુસ્તકો લાયબ્રેરીમાં ઉપલબ્ધ છે. આપણે વાંચવાની તસ્દી લેવી પડે.
હવે માત્ર કુદરતી નહીં; પણ માનવસર્જીત ઘટનાઓ અને પ્રયત્નોથી આ ઉત્ક્રાન્તીની પ્રક્રીયા ઝડપી બની છે, જેનાં પરીણામો હજારો વરસમાં નહીં; પણ ટુંક સમયમાં જોઈ શકાય છે. છેલ્લા થોડા દાયકાઓમાં તબીબી ક્ષેત્રે થયેલ સંશોધનથી સરેરાશ આયુમર્યાદા વધી છે. ખોરાકમાં થયેલ ફેરફારને લીથે સરેરાશ ઉંચાઈ વધી છે. યૌવન વહેલું શરુ થઈ લાંબો સમય જળવાઈ રહે છે, આ ઉત્ક્રાન્તી છે.
કુતરા, ગાય, ઘોડા જેવાં પાલતુ પ્રાણીઓની ઉંચી નસલ મેળવવા કરવામાં આવતું ‘ક્રોસ બ્રીડીંગ’ ઉત્ક્રાન્તીની ક્રીયા ઝડપી બનાવે છે. અનાજ, શાકભાજી વગેરેમાં હાઈબ્રીડથી કરવામાં આવતું વાવેતર પણ ઉત્ક્રાન્તી લાવે છે. લગ્નો દ્વારા (આંતરજ્ઞાતીય નહીં) થતાં બાળકો પણ આવું જ ઉદાહરણ છે.
આંખો અને મન ખુલ્લું રાખીએ તો ઉત્ક્રાન્તી ચારે બાજુ દેખાય છે. કોઈએ લખેલા એક અર્ધસત્ય વાક્ય પરથી ઉત્ક્રાન્તીવાદને વખોડાય નહીં. સત્ય સામે આવીને ઉભું છે. દુનીયાની સાથે ચાલવું હોય તો એને સ્વીકાર્યા વગર છુટકો નથી.
ઉત્ક્રાન્તીનો અંત આવ્યો નથી કે આવવાનો નથી. આજે માણસ પોતે કુદરતનું કામ કરી પોતાના લાભ માટે પૃથ્વીની કાયાપલટ કરી રહ્યો છે. એનું પરીણામ સર્વનાશ કહી શકાય એટલું નકારાત્મક આવે તો કુદરત પોતાની રીતે અને પોતાની ઝડપે ઉત્ક્રાન્તી ચાલુ રાખશે. ટેકનોલૉજીમાં માનવ જો ધારી પ્રગતી કરતો રહ્યો તો…? બન્ને શક્યતાઓ પર ઘણાં પુસ્તકો લખાયાં છે.
ઉત્ક્રાન્તીવાદની શોધનું શ્રેય ચાર્લ્સ ડાર્વીન અને આલ્ફ્રેડ વૉલેસને મળે છે. ખરી રીતે તો એ એમણે કરેલ વીસ્તૃત અભ્યાસ માટે ગણાય. એમનાથી સદીઓ પહેલાં પણ કેટલાક લોકોને ઉત્ક્રાન્તીનો ખ્યાલ હતો. પણ તેઓ જાહેરમાં એવું કહેતા ડરતા હતા, એટલે એમણે ઉંડાણમાં સંશોધન પણ કર્યું નહીં. ઝનુની વૃત્તીવાળા લોકો ત્યારે પણ હતા અને આજે પણ છે, જે પોતાની માન્યતાથી ભીન્ન વીચારને દબાવી દેવા સદા તત્પર હોય છે. પોતાનું હીત જાળવી રાખવા, પ્રગતીને રોકવાનો કે સત્યને દબાવી દેવાનો આ જુનો અને જાણીતો માર્ગ ભુતકાળમાં કામયાબ થયો છે. હવે વર્તમાનમાં એની અસરકારકતા ઓછી થતી જાય છે. પુરવાર થયેલાં સત્યો હવે પ્રમાણમાં સહેલાઈથી સ્વીકારાઈ જાય છે, થોડાક અપવાદ બાદ કરતા.
–મુરજી ગડા
‘સત્ય સામે આવીને ઉભું છે. હવે પુરાણી માન્યતાને છોડીએ’ ક્રમશ: રસીક ભાગ ત્રીજો ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૨ને ગુરુવારે….
નવી વ્યવસ્થા..
સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.
વળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..
-ગોવીન્દ મારુ
લેખકસમ્પર્ક:
શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેઈલ: mggada@gmail.com
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ૨૦૧૧ના ફેબ્રુઆરી માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
♦●♦ દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
અક્ષરાંકન: ગોવીન્દ મારુ – 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય:ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 19–01–2012
●♦●♦●♦●
સન્તોને બગાડવાનું બન્ધ કરો
[12મી જાન્યુઆરીએ સ્વામી વીવેકાનન્દની જન્મ જયન્તી છે. ભારતવર્ષ સ્વામી વીવેકાનન્દની 150મી જન્મજયન્તી ઉજવી રહ્યું છે. આ અવસરે ડૉ. ગુણવન્ત શાહનો આ લેખ, સાચા સન્તને ઓળખવાની આપણને દૃષ્ટી સાંપડે તેવી શુભેચ્છા સાથે પ્રસ્તુત છે..ગોવીન્દ મારુ]
મારા તાબામાં રહેલી સધળી નીખાલસતા નીચોવીને મારે કહેવું છે: ‘‘હે હીન્દુઓ ઉઠો, જાગો અને સન્તોને બગાડવાનું બન્ધ કરો.’’ અજ્ઞાની પ્રજા કદી ધાર્મીક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હીન્દુઓની શક્તી અપાર છે.
કોઈ પણ માણસને સન્ત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વીરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હીસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મીક હોય છે; તેથી ઑડીટમાં પણ વાંધો આવતો નથી. ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રીયજનો હોય છે. કહેવાતા સન્ત બહારથી અલીપ્ત હોય છે; પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના પી.આર.ઓ. ઈમેજ બીલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લમ્પટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મીક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધીકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે છે. તેઓ શક્તીપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું, સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું, આશ્રમના અજવાસ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હીન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.
કોઈ કહેવાતા લોભાનન્દજી કે લમ્પટેશ્વર કે મોહાનન્દજીને પનારે પડનારી અન્ધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનીષદ’ નથી વાંચતી. હે હીન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીને છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યે રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજા અરમાનોનો મેળ પાડવો પડશે. અન્ધશ્રદ્ધાની આરતી ઉતારવાનું બન્ધ કરવું પડશે. અશ્વમેધ જેવા બોગસ યજ્ઞો બન્ધ કરવા પડશે. અસ્પૃશ્યતા નાબુદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દુર કરવું પડશે. વીધવાઓની અવદશા દુર કરવી પડશે. આશ્રમોનો અને મન્દીરોનો કચરો, માનસીક કચરો અને આર્થીક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવવું પડશે. નવી સદી, વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફીલ્મ ‘જુએ’ છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !
રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ જરુર સૌએ વાંચવું જોઈએ; પરન્તુ વાંચીને પણ આપણા વીવેકને ગીરવે મુકવાનો નથી. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નીર્માલ્ય પ્રજાને કેશવાનન્દ ન મળે તો શું વીવેકાનન્દ મળે ? હીન્દુઓ ક્યારે જાગશે ? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું ? એ બીચારી મુલ્લાગ્રસ્ત છે ! બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં; બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચક્ચક્તો કરવાનો છે.
- ગુણવન્ત શાહ
‘ગરવી ગુજરાત’ સાપ્તાહીક – ૨૦૦૨ તેમ જ ‘અક્ષરનાદ.કોમ’ (http://aksharnaad.com/2009/01/19/do-not-spoil-saints-by-gunvant-shah/)વેબસાઈટ પર જાન્યુઆરી 19, 2009ના રોજ પોસ્ટ થયેલ આ લેખ લેખકશ્રી તેમ જ ભાઈશ્રી જીજ્ઞેશ અધ્યારુના સૌજન્યથી સાભાર….
લેખકસંપર્ક : શ્રી ગુણવન્તભાઈ શાહ, ‘ટહુકો’ - ૧૩૯ – વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા - ૩૯૦ ૦૨૦
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ - govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ – 12–01–2012
♦●♦●♦●♦●♦●♦
‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૧
–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
જ્ઞાની પુરુષને સત્ય સમજાવવું, એ સરળ કાર્ય છે. એ જ રીતે સમ્પુર્ણ જ્ઞાનીને સત્ય સમજાવી શકાય. પરન્તુ જે અર્ધદગ્ધ છે, તેને સત્ય સમજાવવું અત્યન્ત દુષ્કર છે.
–ભર્તૃહરી
ગુજરાતી લેખનક્ષેત્રે ‘ઉંઝાજોડણી’ બાબતમાં ખરેખર ભર્તૃહરીના આ સુભાષીત જેવું જ બન્યું છે. ગુજરાતના જે સાક્ષરો ઉંઝાજોડણીનો વીરોધ કરે છે, તેઓને કયા વર્ગમાં મુકી શકાય, એ તેઓ સીવાયના સમજદાર કે વીચારશીલ શીક્ષીતોને તો સહેજે ખ્યાલ આવી શકે. ‘સાક્ષરા: વીપરીતા:’ –એવો ખેલ ગુજરાતી લેખનક્ષેત્રે જામ્યો છે. આ પ્રશ્ન જ, અર્થાત્ ‘ઉંઝા– જોડણી’ એ મુળભુત રીતે તો વીજ્ઞાનનો, ભાષાવીજ્ઞાનનો પ્રશ્ન છે. તદનુસાર, સમજી લો અથવા તો સ્પષ્ટત: સમજાય છે કે સવાલ લેખન–પદ્ધતી (રીતી)નો છે, જેને ભાષા–પદાર્થ કે એના સૌંદર્ય–ગરીમા સાથે કોઈ જ સમ્બન્ધ નથી. છતાં આવા પ્રશ્નો અકારણ જ ઉભા કરવામાં આવે છે. તો કોઈ વળી કાવ્યના છંદો અને અક્ષરમેળ વૃત્તોની ચીન્તા વ્યકત કરે છે. એવા સમક્ષ અહીં જ એક દાખલો પ્રસ્તુત કરું:
ભુરો ભાસ્યો ઝાંખો
દુરથી ધુમસે પ્હાડ સરખો !
–નર્મદ
આ એક જ (પહેલી જ) પંક્તીમાં કવીએ હ્રસ્વ–દીર્ધ પરત્વે ત્રણ છુટ લીધી છે, અર્થાત્ કોશગત જોડણી મુજબ, દીર્ધ ‘ઊ’વાળા ત્રણ શબ્દોમાં, એનો હ્રસ્વ ઉચ્ચાર કરવો રહે છે. નર્મદે આ કાવ્ય રચ્યું, એને સવાસો–દોઢસો વર્ષ આસાનીથી વીતી ગયાં, કવીને તો આ બાબતે કશી ફરીયાદ કરવાપણું હતું જ નહીં; કારણ કે ત્યારે આ સાક્ષરમાન્ય ગણાતો જોડણીકોશ પણ ન હતો અને એની મીથ્યા માન ખાટી જનારી અગડમ્ બગડમ્ જોડણી પણ નહોતી જ ! ત્યાર બાદ ગાંધીયુગમાં તો બ.ક.ઠા. જેવા વીદ્વાનોએ સ્પષ્ટ ઘોષણા કરી કે હ્રસ્વ–દીર્ધની છુટ લઈ શકાય. પરન્તુ આ દીર્ઘ સમયગાળા દરમીયાન આ કાવ્ય કદાચ લાખો વાર વંચાયું–ઉચ્ચારાયું હશે, અદ્યાપી ક્યારેય ક્યાંયથી એવી ફરીયાદ સાંભળવા નથી મળી કે, કવી નર્મદે હ્રસ્વ–દીર્ધની લીધેલી છુટને કારણે આ કાવ્યના પઠનમાં કે અભ્યાસમાં આયાસ પડે છે અથવા કષ્ટ અનુભવાય છે.
હકીકત તો એવી છે કે, સાર્થ જોડણીકોશ મુજબ જોડણી કરવાથી કે એના નીયમો અનુસરવામાં અપરમ્પાર કષ્ટ પડે છે. એનું કારણ એ છે કે પ્રસ્તુત કોશમાં જે જોડણી સ્વીકારવામાં આવી છે તથા એના જે નીયમો બાંધવામાં આવ્યા છે, એમાં કોઈ જ ભુમીકા યા વૈજ્ઞાનીકતા પ્રવર્તતી નથી. માટે જ હું એને અગડમ્ બગડમ્ જોડણી ગણાવું છું. જોડણીના નીયમોમાં પ્રથમ જ નીયમ એવો છે કે, ‘સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મુળ પ્રમાણે કરવી.’ આ નીયમનું પાલન કરવા ઉત્સુક એવા ‘લેખક’ માટે તત્કાળ પ્રશ્ન એ ઉદ્ ભવવાનો કે કયો શબ્દ તત્સમ ? એ જાણવું જ કેવી રીતે ? ગાંધીજી કાંઈ ભાષાવીજ્ઞાની નહોતા, તેઓ એ ક્ષેત્રનું કોઈ જ જ્ઞાન ધરાવતા નહોતા. તેઓનો શુભ આશય તો ફક્ત એટલો જ હતો કે, ‘જ્યાં જ્યાં ગુજરાતી લખાય, ત્યાં ત્યાં સર્વત્ર એનાં લખાણમાં જોડણી એક સરખી જ લખાવી જોઈએ.’ તેઓની હાકલ કે ઈચ્છા જે એવી છે કે, ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી !’ આવા ફરમાનનો, આવી શુભેચ્છાનો સાચો અર્થ પણ આપણી ઉંઝાજોડણી વીરોધી એવા, એનો અક્ષરેય નહીં સમજનારા ‘સાક્ષરો’, કરી શકતા નથી. ગાંધીજીએ જોયું, નોંધ્યું કે ગુજરાતી લેખનમાં એકન્દરે સર્વત્રે મનફાવે તેમ જોડણી કરવામાં આવે છે, તે અવ્યવસ્થા નાબુદ થવી જોઈએ અને બધે જ એકસરખી જોડણીમાં લેખન થવું ધટે. તેઓનો ઉપર્યુક્ત ફરમાનનો અર્થ બસ, આટલો જ છે. એને બદલે અમુકતમુક સાક્ષરો તથા ગાંધીવાદીઓ એવું ખોટું સમજે છે, ખોટું જ અર્થઘટન કરે છે કે, બસ, કોશગત માન્ય જોડણી એ આખરી નીર્ણયજનીત છે, એમાં હવે કોઈ ફેરફાર નહીં ! મતલબ કે ફેરફાર કરવો એ ગાંધીજીની આજ્ઞાનું ઉલ્લંઘન છે. સાચી વાત તો એ છે કે, સ્વયમ્ ગાંધીજીએ એ પછી કહેલું જ કે, ‘આથી જોડણીમાં સુધારા કરવાનાં દ્વાર સદન્તર બન્ધ થઈ જતાં નથી.’ આવી સ્પષ્ટતાનું કારણ વળી એ હતું કે, જોડણીકોશ પ્રગટ થતાંની સાથે જ, કેટલાક ગુજરાતી સાક્ષરોએ એની અનેક ક્ષતીઓ–અસ્પષ્ટતાઓ સામે અસ્વીકારની લાગણી દર્શાવી હતી. માટે સાહેબો, કૃપા કરીને ઉંઝાજોડણી વીરુદ્ધ ગાંધીજીનો હવાલો ન આપો; કારણ કે એ બીલકુલ અસ્થાને છે.
હવે ઉપર ટાંકેલા નીયમ–૧ની અવૈજ્ઞાનીકતાની ચર્ચા કરીએ: કોઈ પણ બોલાતી જીવન્ત ભાષામાં તત્સમ–તદ્ ભવ એવા ભેદ હોતા જ નથી ! અહીં ‘બોલાતી’ શબ્દનો પુરો વૈજ્ઞાનીક અર્થ યથાર્થ પામવો પડશે. મતલબ એ જ કે, બોલનાર એટલે કે સમ્બન્ધીત ભાષાના સામાન્ય ભાષકો કયો શબ્દ તત્સમ અને કયો તદ્ ભવ એ તત્વત: જાણતા જ નથી હોતા; કારણ કે એની કશી આવશ્યકતા જ નથી હોતી. ભાષા બોલવી, એટલે એનો ફક્ત એટલો જ અર્થ થાય કે અમુક વીચાર કે ઘટના, ચોક્કસ મૌખીક ઉચ્ચારણો દ્વારા સામાને વીદીત કરવી. એ સંદર્ભે, કોઈ પણ ભાષાના શબ્દો તે એ ભાષાના જ શબ્દોમાં, એમાં તત્સમ–તદ્ ભવ જેવો કશો ભેદ, બોલવાની ક્રીયા સન્દર્ભે પ્રવર્તતો જ નથી. આપણા તમામ શબ્દો ગુજરાતી એટલે ગુજરાતી જ. હા, એવો ભેદ જરુર છે; પરન્તુ એ તો વીદ્વાનો માટે ફક્ત અભ્યાસના એક વીષય તરીકે જ. વળી, તત્સમ શબ્દો જાણે કેવળ સંસ્કૃતના જ હોય, એવું આ કોશકર્તાઓ સમજ્યા છે. પરીણામે અંગ્રેજી, ફ્રેન્ચ, પોર્ટુગીઝ શબ્દોય તત્સમ હોઈ શકે છે અને છે જ, એની જોડણીનું શું ? આવી તમામ મુંઝવણો અને અવ્યવસ્થાનો એક માત્ર રામબાણ ઈલાજ ઉંઝાજોડણી છે.
શબ્દકોશ (સાર્થ જોડણીકોશ)ની જોડણીવ્યવસ્થા, સુચન કે આજ્ઞા સદન્તર નીષ્ફળ ગઈ છે, એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. મતલબ કે, પ્રસ્તુત કોશના જન્મને આજે આઠ દાયકા ઉપરાન્તનો સમય વ્યતીત થઈ ગયો; છતાં આજે પણ ક્યાંય પુરેપુરી કોશમાન્ય જોડણીમાં લખાયેલું જોવા મળતું નથી, સીવાય કે વીદ્વાનોનાં અમુક ચોક્કસ લખાણો. બાકી કોઈ, પણ નગરમાં ફરીને જુઓ, દુકાનો વગેરેનાં પાટીયાં, મકાનો આદીનાં નામો પુરેપુરી કોશમાન્ય જોડણીમાં લખાયેલાં જોવા મળતાં જ નથી. અરે ! શીક્ષણસંસ્થાઓના ખુદનાં પરીપત્રાદી લખાણોમાંય જોડણીની ગમ્ભીર અવ્યવસ્થા જોવા મળે છે. અખબારોએ, સામયીકોએ તો જાણે સત્યાગ્રહ જ આદર્યો છે કે, કોશમાન્ય જોડણી તો નહીં જ ! (પરીક્ષાની મોસમમાં ખુદ ગુજરાતીના જ પ્રશ્નપત્રો જોડણીની દૃષ્ટીએ જરા તપાસી જોવા વીનન્તી ! કારણ એ જ કે ગુજરાતીના શીક્ષકોને પોતાનેય કોશગત જોડણી આવડતી નથી !)
કેટલાક વીદ્વાન મીત્રો વળી, એવી ફરીયાદ કરે છે કે, ઉંઝાજોડણીના સ્વીકારથી શબ્દોના અર્થમાં ગોટાળા ઉભા થઈ શકે, અનેક ગરબડો ઉદ્ ભવે. આવી દહેશત એ સામાન્ય મનોવ્યાપારનું પરીણામ છે. દાખલા તરીકે ઘાસતેલના દીવા આવ્યા, ત્યારે સામાન્ય લોકો દીવેલનાં કોડીયાંના દીવાની તરફેણ તથા તારીફ કરતાં કહેતા કે, એથી આંખોને ઠંડક મળે છે. પછી એ જ અપવાદ (નીન્દા) વીજળીના ગોળા અને ટ્યુબ–લાઈટ સુધી ફટકારાતો જ રહ્યો. આજેય અનેકોને મેં એવું ભારપુર્વક કહેતા સાંભળ્યા છે કે ગેસ પરની રસોઈ ચુલા જેવી સ્વાદીષ્ટ નથી લાગતી ! એ જ મનોદશા આ ઉંઝાજોડણી પરત્વે પ્રવર્તી રહી છે. એમાં આવા વાંધાવચકા વાંચતા સ્પષ્ટ સમજાય છે. બાકી ઉંઝાજોડણીથી ગુજરાતી લેખન એકદમ સરળ અને એકસરખું બની જાય છે. એ જોઈને મહાત્મા ગાંધીજીનો આત્મા ખુશી અને તૃપ્તી જ અનુભવે. મારી બાજુના મકાનનું નામ ‘અમરદિપ’ (હ્રસ્વ ‘ઇ’) એવું લખાયું છે, એ જોઈને મહાત્માજીનો આત્મા જરુર પીડાતો હશે. ઉંઝાજોડણીના સ્વીકારથી એ આપોઆપ ‘અમરદીપ’ (દીર્ધ ‘ઈ’નું ચીહ્ન) બની જાય. આમ, ઉંઝાજોડણી એ ગુજરાતી લેખનનું સરલીકરણ તથા શુદ્ધીકરણ જ છે. હા, ફરીયાદ ફક્ત એક જ થઈ શકે કે એથી અનેકાર્થી શબ્દોની સંખ્યા થોડી વધે. બાકી દુનીયાભરની ભાષાઓમાં અનેકાર્થી શબ્દો તો છે જ. શબ્દોનો અર્થ વાક્યમાં એના વીનીયોગથી જ સ્પષ્ટ સમજાય છે. દા.ત. મારો બનાવેલો જુનો અને જાણીતો દાખલો: ‘મારા પીતા ચા પીતા નથી !’
–ક્રમશ:
ભરતવાક્ય
ઉંઝાજોડણી એટલે ગુજરાતી ભાષાપરીષદે (મુળ ભાષાશુદ્ધી–અભીયાન) તેના ઉંઝામાં મળેલા અધીવેશનમાં ઠરાવ્યા મુજબ, ગુજરાતી લીપીમાં હ્રસ્વ અને દીર્ધ એમ બબ્બે ‘ઇ’–‘ઉ’ ને બદલે એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ વાળી, જોડણી જેમાં ‘ઇ’ માટે દીર્ધ ‘ઈ’નું ચીહ્ન ( ી ) અને ‘ઉ’ માટે હ્રસ્વનું ચીહ્ન ( ુ ) અપનાવવાનું ઠરાવવામાં આવ્યું, તે મુજબની નવી કે સુધારેલી જોડણી.
–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી એમની, (શનીવાર તા. 24 ડીસેમ્બર, 2૦11ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ માંથી, લેખક અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
સમ્પર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606
જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ, 405–સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા ગેટ સામે, વીજલપોર. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ – 5–01–2012
●♦●♦●♦●
ચાણક્ય અને ચાર્વાક
–ચન્દ્રકાન્ત બક્ષી
હીન્દુ વીચારધારામાં વીરોધને સમ્પુર્ણ અવકાશ છે. તર્કની સામે પ્રતીતર્ક કે વીતર્ક, વાદની સામે પ્રતીવાદ, સાદની સામે પ્રતીસાદ, પક્ષની સામે વીપક્ષ, સંકલ્પની સામે વીકલ્પ, જેવા શબ્દો છે. માતાનો વીરોધી શબ્દ કુમાતા કે પુરુષનો વીરોધી શબ્દ કાપુરુષ કદાચ સંસ્કૃત સીવાય અન્ય પ્રમુખ ભાષાઓમાં આયાસ કરીને શોધવા પડે. આપણી સંસ્કૃતી માટે અપસંસ્કૃતી શબ્દ આપણે વાપરતા નથી. તર્કની સામે વીતર્ક કરનારને પણ આપણે સ્થાન આપ્યું છે અને એ જ આપણી શક્તી પણ છે અને અશક્તી પણ છે. ઈસ્લામમાં કુરાનની ખીલાફ કંઈ નથી, કંઈ થઈ શકે નહીં. કેથલીક વીચારધારા એટલી જ જલદ છે. સ્પેનમાં ૭૦૦ વર્ષો સુધી મુળ આરબોએ રાજ કર્યું; પણ સ્પેનમાંથી મુસ્લીમોને કાઢી મુકાયા; કારણ કે કેથલીક ધર્મ પણ સખત કટ્ટર હતો. પુરા દક્ષીણ અમેરીકાની પ્રજા લગભગ કેથલીક છે, સ્પેનીશભાષી છે; (માત્ર બ્રાઝીલ પોર્ટુગીઝ બોલે છે) પણ ત્યાં એ પુરા ખંડમાં, મુસ્લીમો નથી ! પશ્ચીમ અને ભારતવર્ષના ફરક વીશે એક વાર મારે ઈતીહાસકાર ડૉ. મોરાએસ સાથે ચર્ચા થતી હતી. મેં કહ્યું કે જોન ઓફ આર્કથી જ્યોર્ડાનો બ્રુનો સુધી, એ પહેલાં અને પછી પણ હજારો માણસોને પશ્ચીમે વીરોધ, વીતર્કી વીચારધારા માટે જીવતા સળગાવી મુક્યા છે. (એક કીસ્સામાં લોહી ન પડવું જોઈએ એ ‘દયાભાવ’ રાખીને એ ચીન્તકને જીવતો સળગાવ્યો હતો ! એ વખતે સ્પેનમાં ઈન્ક્વીઝીશન ચાલતું હતું.) હીન્દુઓએ વીતર્ક માટે કોઈને જીવતો સળગાવ્યો હોય એવું ઈતીહાસમાં પ્રમાણ મળતું નથી. પછી ઈતીહાસકાર ડૉ. એલ. બી. કેણી સાથે આ વાત કરતો હતો ત્યારે ડૉ. કેણીએ કહ્યું કે આપણે ત્યાં ચાર્વાકને જીવતો સળગાવ્યો હતો એવી કથા છે! ચીન્તક ચાર્વાક હીન્દુ પારમ્પરીક વીચારધારાથી બીલકુલ વીરોધી વીચારો ધરાવતો હતો. એના વીશે ચુપ રહેવાનું ષડ્યંત્ર આપણા આધ્યાત્મીકોએ સદીઓથી અપનાવેલું છે. ચાણક્ય બીજો એક ચીન્તક હતો; પણ તેની વીરોધીતા જરા નમ્ર પ્રકારની હતી, ચાર્વાક જેટલી ઉદ્દીપક ન હતી. ચાણક્યનાં ઘણાં કથનો આપણી પ્રણાલીકા માટે ખંડનાત્મક હતાં. આપણે ખંડનના નહીં; પણ મંડનના સંસ્કાર શીખ્યા છીએ અથવા આપણને પાવામાં આવ્યા છે. ચાણક્યને પ્રમાણમાં ઓછો અન્યાય થયો છે, ચાર્વાકને સમ્પુર્ણ અન્યાય કરવામાં આવ્યો છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને પુરી ગીતા સંભળાવ્યા પછી કહે છે કે, ‘‘મેં તને ગુહ્યથી ગુહ્યતમ વાતો સમજાવી છે; પણ હવે તને યોગ્ય લાગે એમ જ કર(યથેચ્છસી કુરુ).’’ અન્ય ધર્મોમાં આ પ્રકારનું વ્યક્તી સ્વાતન્ત્ર્ય ઓછું અથવા નહીંવત્ જોવા મળે છે. આપણા ધર્મગ્રન્થો હમ્મેશાં નીર્વીકલ્પ સત્ય જ કહેતાં હોય એવી ધર્માચાર્યોની પ્રસ્તુતી હોય છે. એમાં ક્યારેક અપવાદ સ્વરુપ વીધાનો પણ મળતાં રહે છે, જે વીતર્કના પ્રાન્તમાં આવે છે. ચાણક્ય કહે છે કે જેને પોતાની બુદ્ધી નથી, એને શાસ્ત્ર પણ શું કરી શકે (યસ્ય નાસ્તી સ્વયમ્ પ્રજ્ઞા શાસ્ત્રમ્ તસ્ય કરોતી કીમ્) ? સન ૬૦૦ની આસપાસ ધર્મકીર્તી નામક દાર્શનીક થઈ ગયા, એમનો એક શ્લોક મહાપંડીત રાહુલ સાંકૃત્યાયને એમના પુસ્તક ‘દોર્જેલીંગ પરીચય’માં મુક્યો છે : ‘વેદને અથવા કોઈ ગ્રન્થને પ્રમાણ માનવો, કોઈ ઈશ્વરને જગતનો સર્જનહાર માનવો, સ્નાનને ધર્મ માનવો, જાતીભેદને માનવો અને પાપમાંથી મુક્તી માટે ઉપવાસ આદી કરવા એ અક્કલ વગરના લોકોની જડતાનાં પાંચ લક્ષણો છે.’ જ્યાં સ્ત્રીઓનો આદર થતો હોય ત્યાં દેવતાઓનો નીવાસ હોય છે, એવું મનુસ્મૃતીમાં લખ્યું છે; પણ ચાણક્યનીતી કહે છે છળ તો સ્ત્રીઓ પાસેથી જ શીખવું (સ્ત્રીભ્ય: શીક્ષેત્ કૈવતમ્) સંસ્કૃત સુભાષીતો ક્યારેક યથાર્થવાદી બની જતાં હોય છે. દૃષ્ટાન્ત રુપે : ‘દૈન્યે, વીસ્મૃતીભોજન:’ એટલે કે દુ:ખી હાલત આવી પડતાં; જે ખાવું–પીવું ભુલી જાય છે એ મુર્ખ છે…
ચાણક્યનીતીના કેટલાય શ્લોકો પ્રવાત બની ગયા છે અને સામાન્ય સ્વીકૃત જનમાન્ય સત્યથી વીપરીત છે. ચાણક્ય કહે છે : ‘કુળના બચાવને માટે એકને, ગામના બચાવને માટે કુળને, દેશના બચાવને માટે ગામને અને પોતાના બચાવને માટે પૃથ્વીને પણ જરુર પડે તો ત્યજી દેવાં. વીદ્યાથી શોભતો હોય એવા દુર્જનનો પણ ત્યાગ કરવો; કારણ કે મણીથી શોભતો નાગ ભયંકર નથી ?… લોભીયાને ધનથી, અક્કડને હાથ જોડીને, મુર્ખને તેની મરજી પ્રમાણે ચાલીને અને પંડીતને યથાર્થપણાથી વશ કરાવા… બહુ લામ્બું ખેંચનારો નાશ પામે છે (દીર્ઘ સુત્રી વીનશ્યતી)… ધન, મીત્ર, પત્ની તથા પૃથ્વી એ બધું ફરીથી મળી શકે છે; પણ શરીર ફરીથી મળતું નથી… લોકો હમ્મેશાં ગતાનુગતીક એટલે એકની પાછળ બીજો એમ ચાલનારા હોય છે, વીચાર કરનારા નથી… રાજા સદાચારી હોય તો પ્રજા સદાચારી હોય છે અને રાજા પાપી હોય તો પ્રજા પાપ કરનારી બને છે. પ્રજા રાજાને જ અનુસરે છે, જેવો રાજા તેવી પ્રજા. (યથા રાજા તથા પ્રજા) !’
વીતર્ક અને ભેદ લગભગ સગોત્ર છે. વીચારભેદ, રુચીભેદ, રસભેદ, મતભેદ, મનભેદ, દૃષ્ટીભેદ જેવા વ્યક્તી અને વ્યક્તીની વચ્ચે ભેદો હોઈ શકે છે અને એ માટે ભારતીય સંસ્કૃતીમાં વ્યક્તીનું હનન કરવામાં આવતું નથી, આવ્યું નથી. મતભેદ છે એટલે આધુનીક લોકશાહી ઉભી છે, મતભેદ જ લોકશાહીની બુનીયાદ છે, લોકશાહીનો મુલાધાર છે. દરેક પ્રશ્નનો એકમાત્ર ઉત્તર જ હોવો જરુરી નથી, વીકલ્પ હોઈ શકે છે. તો જ નવા વીચારો પ્રગટી શકે છે. પશ્ચીમના ગમ્ભીર વીચારકો માને છે કે ઈસ્લામમાં માનનારાઓની 1૦૦ કરોડની આબાદી પૃથ્વી પર છે. મોરોક્કોથી અફઘાનીસ્તાન સુધીના ઈસ્લામી વીશ્વની સમ્પત્તી પુરા વીશ્વની સમ્પત્તી કરતાં વધી શકે છે; પણ એવું થયું નથી અને સૌથી પછાત આ ઈસ્લામી વીશ્વના દેશોના સમાજો છે, અશીક્ષીત, મુફલીસ, શોષીત, દીશાહારા, વસ્તુહારા. સ્ત્રીઓની પરતન્ત્રતા પણ એક પ્રમુખ નકારાત્મક આયામ છે, એવું ચીન્તકો માને છે. લગભગ બધા જ ઈસ્લામી દેશોમાં વીરોધપક્ષો કે વીરોધવીચારો લગભગ નગણ્ય છે. તર્કની સામે વીતર્ક નથી. એકતા છે; પણ અનેકતાને દબાવી દેવામાં આવે છે.
ચાર્વાક વીશે બહુ સાહીત્ય પણ લભ્ય નથી. જ્યારે જ્યારે ચાર્વાકના નામનો ઉલ્લેખ આવે છે ત્યારે એક વાક્ય સાથે સાથે જ બોલાય છે, જે ચાર્વાકે કહ્યું હતું : ‘દેવું કરીને પણ ઘી પીવું !’ ચાર્વાક હેડોનીસ્ટ છે, એપીક્યુરીયન છે, આજની ભાષામાં કહીએ તો અંશત: એક્ઝીસ્ટેન્સીએલીસ્ટ અથવા અસ્તીત્વવાદી છે. જુના સન્દર્ભ પ્રમાણે કહેવું હોય તો સ્થાપીત મુલ્યો સામે નવાં વીપ્લાવક અને ક્રાન્તીકારક મુલ્યોની મશાલ પ્રગટાવનાર વીચારક છે. એ આવતી કાલ કે અનાગતમાં માનતો નથી, એનો અભીગમ જીવનવાદી છે. પ્રાચીન કાળમાં આવા વીચારો પ્રગટ કરતા રહેવાનું દુ:સાહસ ચાર્વાક માટે કુપરીણામ બની ગયું. કીમ્વદન્તી એવી છે કે ચાર્વાકને એના વીચારો માટે જીવતો સળગાવી દેવામાં આવ્યો. એનું સર્જન પણ ખાસ ઉપલબ્ધ નથી. શક્ય છે કે નાશ કરી નાખવામાં આવ્યું હોય; પણ જે પ્રાપ્ત છે એ સ્ફોટક છે. ચાર્વાકના સમય વીશે મતાન્તર છે. ડૉ. રાધાકૃષ્ણનના મતાનુસાર ચાર્વાકનો સમય ઈસા પુર્વ ૩૦૦થી ૨૦૦નો હોવો જોઈએ; પણ કેટલાક વીદ્વાનો આનાથી વીપરીત અભીપ્રાય આપે છે. અનાચાર, કામાચાર, વામાચાર ચાર્વાકના વીચારોમાંથી જન્મેલી વીરાસત છે એવો એક મત છે. ચાર્વાકની ફીલસુફીને સંપુણત: ચરીતાર્થ કરે એવો અતી પ્રસીદ્ધ શ્લોક છે. એ શ્લોકનો ભાવાર્થ : ‘જ્યાં સુધી જીવતા રહો, સુખથી જીવતા રહો. દેવું કરીને પણ ઘી પીઓ; કારણ કે ભસ્મ થઈ ગયેલા દેહનું ફરીથી આગમન કેવી રીતે થઈ શકે ?’ ચાર્વાકના વીચારો આજના યુગમાં પણ ક્રાંતીકારી અને ધારદાર મૌલીક લાગે છે તો એ ૨૨૦૦ કે ૨૩૦૦ વર્ષો પહેલાં કેટલા વીસ્ફોટક લાગતા હશે ?
ચાર્વાકના કેટલાક વીચારોની સુચી એકત્ર થઈ શકી છે : ‘સ્વર્ગ નથી અને નર્ક નથી, પરલોકથી સમ્પર્ક કરી શકે એવો કોઈ આત્મા નથી. વર્ણાશ્રમ સમ્બન્ધીત ક્રીયાઓ પણ ફલપ્રદ નથી. અગ્નીહોત્ર, ત્રણ વેદો, ત્રીદંડ ધારણ કરવું, ભસ્મનો લેપ કરવો, આ બધું બુદ્ધીહીન અને પૌરુષહીન લોકોની આજીવીકા માટેનાં સાધનો છે. જો યજ્ઞમાં મારી નાખેલું પશુ સ્વર્ગમાં જતું હોય તો યજમાન પોતાના પીતાને જ યજ્ઞમાં મારીને સ્વર્ગમાં કેમ મોકલતો નથી ? શ્રાદ્ધ મૃતકોને તૃપ્તી પહોંચાડતું હોય તો બુઝાઈ રહેલા દીપકને કેમ પ્રજ્વલીત કરી શકતું નથી ? અહીં કરેલું દાન જો સ્વર્ગસ્થ વ્યક્તીને મળી શકતું હોય તો મકાનના ભોંયતળીયે અપાયેલું દાન મકાનની અગાશીમાં બેઠેલાને કેમ પહોંચતું નથી ? મૃતકની પાછળ શ્રાદ્ધ એ બ્રાહ્મણોએ પોતાની આજીવીકા માટે ગોઠવેલું આયોજન છે. વેદની અન્દર જ એવું કહેવાયું છે કે અશ્વમેધીય અશ્વ–શીશ્ન યજમાનની પત્ની દ્વારા ગ્રાહ્ય છે.’ આવી ઘણી વાતો કહી છે.
ચાર્વાકનું કહેવું છે કે : ‘પ્રત્યક્ષ એ જ પ્રમાણ છે. આત્મા નથી, શરીર એ જ આત્મા છે, સ્વર્ગ આદી પરલોક નથી. પુણ્ય અને પાપ જેવા શબ્દો પણ માન્ય નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર ઘટકો પુરુષાર્થના નથી. પુરુષાર્થના બે જ ઘટકો છે, અર્થ અને કામ. વીષયસુખ અને મરણ એ બે જ મોક્ષ છે. મન એક જ ઈન્દ્રીય છે. જ્ઞાન પણ તત્વત: એક પ્રકારની ક્રીયા જ છે.’ ચાર્વાકના તત્કાલીન વીચારો આજની અસ્તીત્વવાદી વીચારધારાની બહુ નીકટ આવી જાય છે. ચાર્વાક વીશે આપણી પાસે બહુ માહીતી નથી; પણ એ કદાચ આપણો સોક્રેટીસ હતો… !
: ક્લોઝ અપ:
શક્કર ઘોલે જુઠ કી, ઐસે મીત્ર હજાર,
ઝેર પીલાવે સાંચ કો, એ વીરલા સંસાર
(પ્રાચીન દુહો)
–ચન્દ્રકાન્ત બક્ષી
રવીવાર તા. 19 ફેબ્રુઆરીના 2005ના ‘દીવ્ય ભાસ્કર’ દૈનીકની રવીવારીય પુર્તી ‘રસરંગ’માંથી સાભાર..
આ દૈનીકના પહેલા અંકના પ્રકાશનથી જ બક્ષી બાબુ એના કટાર લેખક છે. આજે તો હવે એમ લખવું પડે છે કે હતા…..
(છેલ્લે છેલ્લે લખાયેલા અને હજી ગ્રંથસ્થ નહીં થવા પામેલા એમના કેટલાક લેખો આપવાની ઉમેદ છે. એક લેખ એટલે જાણે પાસાદાર અણમોલ હીરો ! હવે એમની પાસેથી થોડું કશું કંઈ મળવાનું છે ! જે છે તે જાણીએ–માણીએ..ઉત્તમ ગજ્જર..
‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષ: પહેલું – અંક: 049 –May 16, 2006 ‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
(♦)(♦)(♦)
♦●♦ ‘સન્ડે ઈ–મહેફીલ’ના સમ્પાદકોની પરવાનગીથી સાભાર ….
♦●♦●♦ દર પન્દર દીવસે મોકલાતી ‘સન્ડે ઈ–મહેફીલ’ની પીડીએફ મેળવવા લખો: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
♦●♦●♦●♦ દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ ‘અભીવ્યક્તી’ : http://govindmaru.wordpress.com/
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
-ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 29–12–2011
(●)(●)(●)(●)(●)
માનસીક ઉત્ક્રાન્તીના વીવીધ તબક્કા
–શાન્તીલાલ સંઘવી
અસ્તીત્વમાં આવ્યા પછી માનવજાત હજારો વર્ષ સુધી પ્રકૃતીપુજક રહી. પ્રકૃતીનાં તત્ત્વો જેવાં કે પૃથ્વી, સુર્ય, ચન્દ્ર, અગ્ની, વાયુ, વરસાદ, વીજળી વગેરે તત્ત્વોથી તે ગભરાતો હતો. આ તત્ત્વોને તે સમજી શકતો ન હતો. એને લાગ્યું કે આ તત્ત્વોને પુજવાથી, સ્તુતી કરવાથી, ખુશામતથી, ગુણકીર્તનથી પ્રસન્ન થશે અને તેથી તે બધાના પ્રકોપનો ભોગ નહીં બનવું પડે. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું પ્રથમ પગથીયું.
દરમ્યાન કેટલાક લોકોને અનુભવે લાગ્યું કે આ તત્ત્વોને પુજવાથી કે ગુણકીર્તન કરવાથી પણ આ તત્ત્વોની વર્તણુકમાં કશો જ ફેર પડતો નથી. આ તમામ તત્ત્વો અપ્રતીભાવી તથા માનવ સુખદુ:ખ પ્રત્યે ઉદાસીન છે. આથી તેમણે અનેકવીધ દેવીદેવતાઓની કલ્પના કરી.
માનવકલ્પના મુજબના દેવીદેવતાઓ સક્રીય હતાં, પ્રતીભાવી હતાં, પ્રશંસાથી ખુશ થનારાં અને ઉપેક્ષાથી કુપીત થનારાં હતાં. રાજી થાય તો વરદાન આપે અને નારાજ થાય તો શાપ આપે. ઉપરાન્ત વારતહેવારે માનવજીવનમાં રસ લેનારાં અને ડખલ કરનારાં તથા દેહધારી-રુપધારી હતાં. તેઓ જાતજાતના ભોગ જેવા કે અન્નકુટ, નૈવેદ્ય, પશુબલી, ક્યાંક માનવબલી વગેરે મેળવીને ખુશ થનારાં હતાં. જો એમનો કોપ ઉતરે તો મનુષ્યનું ધનોતપનોત નીકળી જાય એમ મનાવા લાગ્યું. વધુ ઉત્સાહી માણસો માનવા લાગ્યા કે સુર્યમન્ડળમાં ઘુમતા નીર્જીવ ગ્રહો પણ માનવજીવનમાં ડખલ કરે છે અને એ નીર્જીવ પદાર્થોને પણ વીવીધ ક્રીયાકાન્ડ વડે તથા એને ગમતા રંગોવાળી વીંટીઓ પહેરવાથી પણ રાજી કરી શકાય છે. દેવીદેવતાઓ ઉપરાન્ત આ ગ્રહોને પણ પ્રસન્ન રાખવા એ જરુરી ગણાવા લાગ્યું. કરોડો અને અબજો માઈલ દુરના ગ્રહોને રાજી કરવા માટેનું એક આખું શાસ્ત્ર ઘડી કાઢવામાં આવ્યું. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું બીજું પગથીયું.
દરમ્યાન કેટલાક વીચારશીલ લોકોને લાગ્યું કે આ વ્યાયામ પણ નીરર્થક છે. કારણ કે દેવીદેવતાઓ માત્ર કથાવાર્તામાં જ સક્રીય અને પ્રતીભાવી રહ્યાં છે. પરન્તુ વાસ્તવીક જીવનમાં અને વ્યવહારમાં તેઓ બધાં પણ તદ્દન નીષ્ક્રીય અને માનવ પ્રત્યે લેશમાત્ર રસ ધરાવતાં નથી. ગમે તેટલી ખુશામત કરવામાં આવે, જાતજાતના ભોગ ધરાવવામાં આવે; પરન્તુ તેઓ વ્યવહારમાં કશું જ કરતા નથી. જગત તો જેમ ચાલતું હતું તેમ જ ચાલે છે. આથી તેમણે બધાથી વીશેષ શક્તીશાળી એવા ઈશ્વર એટલે કે ભગવાન, પ્રભુ, અલ્લાહ, ગૉડની કલ્પના કરી.
આ ઈશ્વર સર્વશક્તીમાન, સૌનો માલીક, સર્જનહાર, પાલનહાર, તારણહાર, દુ:ખીઓનો બેલી, અનાથનો નાથ, ભક્તવત્સલ, પરવરદીગાર અને કૃપાસીન્ધુ હતો. આ કલ્પના લગભગ બધા જ માનવને ખુબ ગમી. કદાચ એથી આગળની કલ્પના કરવાનું તેમના માટે શક્ય ન હતું. આ ઈશ્વરને શું ગમે અને શું ન ગમે એના જાતજાતના નીયમો ઘડાયા. આ નીયમોમાં એકવાક્યતા ન હતી. સૌ પોતપોતાની બુદ્ધી અને સમજણના આધારે સીદ્ધાન્તો અને નીયમો બનાવતા ગયા. શું અને કેવું વીચારવાથી, વાણીથી, રટણથી અને વર્તનથી આ ભગવાન રાજી થાય અને પરીણામે મનુષ્યને સુખ મળે એનાં પણ વીવીધશાસ્ત્રોની રચના થઈ. લોકોને લાગ્યું કે બસ, હવે મન્જીલ મળી ગઈ. દેવીદેવતાઓના ચમત્કારોથી અનેક ગણા ચડીયાતા ચમત્કારો ભગવાન દ્વારા થયા એવી સંખ્યાબન્ધ કથાઓ અને ઉપકથાઓ ઘડી કાઢવામાં આવી. લોકોને શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું ત્રીજું પગથીયું. આ વ્યવસ્થા ખુબ લાંબો સમય ચાલી.
દરમ્યાન કેટલાક પ્રજ્ઞાવાન મનુષ્યોને લાગ્યું કે જગત તો જેમ ચાલે છે તેમ જ ચાલે છે ! દેવીદેવતાઓને કારણે જગતવ્યવહારમાં કશો જ ફરક નથી પડતો તેમ જ ઈશ્વરને કારણે પણ જગત સંચાલનમાં કશો જ ફેર નથી પડતો; ખુબ સ્તુતી કર્યા પછી અને પ્રાર્થનાઓ કર્યા પછી પણ ઈશ્વરના અસ્તીત્વનું અને તેની કૃપાનું પ્રમાણ મળતું નથી ! કૃત્રીમ કથા– વાર્તાઓ દ્વારા મનુષ્યની શ્રદ્ધાને કેટલો વખત ટકાવી રાખી શકાય ?
ખુબ આત્મનીરીક્ષણ પછી, જગતપરીક્ષણ પછી અને ખુબ મથામણ પછી આ વીશીષ્ટ પ્રજ્ઞાવાન મહાપુરુષોએ જાહેર કર્યું કે, ‘ઈશ્વર જેવું કોઈ તત્ત્વ જ નથી. આ જગત સ્વયમ્ સંચાલીત છે અને પોતાના જ નીયમો મુજબ ચાલે છે.’ તેમણે જાહેર કર્યું કે માત્ર આપણી પૃથ્વી જ નહીં; પરન્તુ સમગ્ર બ્રહ્માંડ સ્વયમ્ સંચાલીત છે. ઈશ્વર હોય તો પણ અને ન હોય તો પણ; જગતના સંચાલનમાં -કુદરતના કાનુનમાં- રજમાત્ર તફાવત પડતો નથી. Law of Nature is unchangeable and unchallengeable. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું ચોથું પગથીયું.
આજે હજુ દુનીયાના કરોડો લોકો ઉત્ક્રાન્તીના પ્રથમ પગથીયે ઉભેલા છે. અન્ય કરોડો લોકો બીજા પગથીયે સ્થીર થયેલા છે અને એ સીવાયના કરોડો લોકો ઉત્ક્રાન્તીના ત્રીજા પગથીયે ઉભા છે. બહુ જ થોડા લોકો ચોથા પગથીયાને સમજી શક્યા છે. ચોથે પગથીયે પહોંચેલા લોકોને અન્ય લોકો નાસ્તીક ગણે છે. તેઓ રુઢ ભાષામાં ભલે નાસ્તીક કહેવાતા હોય; પરન્તુ તેઓ કુદરતના કાનુનમાં પુરેપુરી શ્રદ્ધા ધરાવતા હોય છે અને એ અર્થમાં તેઓ બીજા કરતાં વીશેષ આસ્તીક હોય છે.
હવે આવતા સમયમાં માનવ પોતાની માનસીક ઉત્ક્રાન્તીના પાંચમાં કયા પગથીયે પહોંચે છે એની આપણે રાહ જોઈએ.
આપે નોંધ્યું ? જગતમાં એક એકથી ચડીયાતી અને ભુતકાળમાં સ્વપ્નમાં પણ જેની કલ્પના થઈ શકી નથી, એવી તમામ અદ્ ભુત શોધખોળો કુદરતના કાનુન આધારીત છે; ઈશ્વરકૃપા આધારીત નથી. (‘ભગવાનમાં તાકાત હોય તો એક ત્સુનામી રોકી બતાવે’ : અશોક દવે, ગુજરાત સમાચાર, તા.30/03/2011)
શ્રદ્ધા દેવીદેવતાઓમાં અને ભગવાનમાં નહીં; પણ અફર અને અટલ કુદરતના કાનુનમાં શ્રદ્ધા હોવી જોઈએ.
લેખક–સમ્પર્ક:
શ્રી શાન્તીલાલ સંઘવી, આર.એચ./2, પુણ્યશ્રી એપાર્ટમેન્ટ, કાશીરામ અગ્રવાલ હોલ પાસે, ગુજરાત યુનીવર્સીટી પાસે, અમદાવાદ–15 ફોન નંબર: 079 2630 1729 ઈ–મેઈલ : jagrutisnghv974@gmail.com
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ઓગસ્ટ, 2011ના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
♦●♦ દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ સારુ તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન:ગોવીન્દ મારુ – 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ:એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 22–12–2011
●♦●♦●♦●
સત્યની શોધ અને સ્વીકાર – 1
પ્રકૃતીની વાસ્તવીકતા
–મુરજી ગડા
દુનીયાની બધી જ ધાર્મીક વીચારધારાઓએ સત્યને આગવું મહત્ત્વ આપ્યું છે. ગાંધીજીએ તો ‘સત્ય એ જ ઈશ્વર’ કહ્યું હતું. જ્યારે ધર્મોએ સાચું બોલવું, સાચું કરવું વગેરે પાયાની વાતો કરી છોડી દીધું છે. સાચું બોલવા અને કરવા ઉપરાન્ત સત્યમાં ઘણું વધારે સમાયેલું છે. કોઈએ પણ બધાં ક્ષેત્રોને લગતા સત્યને વીસ્તૃત રીતે આવર્યુ હોય એવું જણાતું નથી.
આનું એક કારણ એ છે કે સત્યની વીસ્તૃત વ્યાખ્યા કરવી અશક્ય કહી શકાય એટલી અઘરી છે. બીજું કારણ એ છે કે સત્ય આપણી ચારેબાજુ મોજુદ હોવા છતાં અદૃશ્ય છે. એ કુદરતના નીયમોના રુપમાં સંતાયેલું છે. એને શોધવું પડે છે. માત્ર આંખોથી નહીં; પણ બધી જ જ્ઞાનેન્દ્રીયોથી જાણવું/ અનુભવવું પડે છે અને બુદ્ધીથી સમજવું – ચકાસવું પડે છે. આ લેખમાળામાં એને શક્ય એટલા વીસ્તારથી સમજવાની કોશીશ કરશું. જ્ઞાનેન્દ્રીયો અને બુદ્ધીથી પર એવા કહેવાતાં સત્યોની પણ ચર્ચા કરશું. આની શરુઆત સાવ સાદા ઉદાહરણથી કરીએ.
શરીરનો કોઈપણ ભાગ અગ્નીને અડતાં બળવા લાગે છે. વધારે બાળીએ તો મૃત્યુ પણ થઈ શકે છે. દરેક વ્યક્તીએ જાતે અનુભવેલું કે બીજાઓના બહોળા અનુભવે સ્વીકારેલું આ એક સત્ય છે. માણસ જ નહીં, પ્રાણીઓને પણ આની ખબર છે. એટલે જ બધાં પ્રાણીઓ અગ્નીથી દુર રહે છે. સજીવોના સામુહીક અનુભવના આધારે મેળવેલું દુનીયાનું આ કદાચ સૌથી પહેલું જ્ઞાન છે જે સત્ય છે. એના વીશે ક્યાં પણ મતભેદ નથી.
બધાં જ સજીવ સહેલાઈથી બળે છે. મૃત સજીવોનાં અવશેષ પણ સહેલાઈથી બળે છે. જ્યારે જુજ અપવાદ બાદ કરતાં મુળભુત નીર્જીવ પદાર્થ સહેલાઈથી બળતા નથી. આની પાછળ કુદરતનો નીયમ છે જે અનાયાસે નહીં; પણ બુદ્ધીથી શોધાયો છે. તે ઉપરાંત શું ધીરે ધીરે બળે છે, શું ભડકો થઈને બળે છે, બળી શકે એવા પદાર્થને નીયન્ત્રણમાં બાળીને આપણા ઉપયોગમાં કેવી રીતે લેવાય વગેરે બધું સારી એવી બુદ્ધી અને મહેનત પછી શોધાયું છે.
આવો જ બીજો દાખલો લઈએ. પાણીમાં પથ્થર ડુબે છે અને લાકડું તરે છે – એ જોઈને આદીમાનવે લાકડાંના ટુકડાઓને સાથે બાંધીને પાણીમાં લાંબુ અન્તર કાપવા તરાપા બનાવ્યા. તરાપાની મર્યાદા સમજાતાં લાકડામાંથી હોડી બનાવી. ત્યારે ધાતુઓ શોધાઈ નહોતી. આજે આપણે જાણીએ છીએ કે લોખંડ પાણીમાં ડુબી જાય છે. પણ એ જ લોખંડના ટુકડાને તગારા જેવા આકારમાં ઘડીએ તો એ પાણી પર તરે છે. એ તગારાને પાણીથી પુરું ભરીએ તો પાછું ડુબી જાય છે.
કઈ વસ્તુ પાણી પર તરી શકે છે, તરે ત્યારે કેટલી અન્દર અને કેટલી બહાર રહે છે, ક્યારે ડુબે છે વગેરે બધું કુદરતના નીયમને આધારે થાય છે. આ બધું શોધી, માણસે એનાં સમીકરણો બનાવ્યાં છે. એના આધારે આજે લોખંડ–ધાતુનાં બનેલાં તોતીંગ જહાજો મહાસાગરોમાં ફરે છે. લોખંડની બનેલી સબમરીન પાણીમાં ડુબકી મારીને પાછી સપાટી પર આવી શકે છે, વગેરે વગેરે…
માણસ પણ પાણીમાં તરતાં શીખી શકે છે, ચત્તો સુઈને શાંત પાણીની સપાટી પર સ્થીર રહી શકે છે; પણ કોઈ માણસ પાસે એવી શક્તી નથી કે તે બાહ્ય સાધન વગર પાણી પર બે પગે ચાલી શકે એમાં કુદરતના નીયમનો ભંગ થાય છે જે શક્ય નથી.
આવી બધી નાની મોટી શોધો વૈજ્ઞાનીક વીચારપદ્ધતીથી થઈ છે. એ જ્ઞાન કહેવાય છે. દરેક જણ આ જોઈ અને અનુભવી શકે છે એટલે એ સત્ય પણ છે. વીજ્ઞાનના વીષયમાં જ્ઞાન અને સત્ય એકરુપ થઈ જાય છે.
શીક્ષીત લોકોમાં પણ વીજ્ઞાન વીશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. એટલે અત્યાર પુરતી વીજ્ઞાનની વાત બાજુ પર રાખીએ. માત્ર એક ચોખવટ કરવી છે કે વીજ્ઞાનના કહેવાતા નીયમો વૈજ્ઞાનીકોએ ‘બનાવ્યા’ નથી. નીયમ તો કુદરતી છે, પહેલેથી જ છે. વૈજ્ઞાનીકોએ એમને ‘શોધ્યા’ –સીદ્ધ કર્યા છે અને આપણી ભાષામાં સમજાવ્યા છે. આ શોધખોળ વણથમ્ભી ચાલી રહી છે.
કુદરતના નીયમોમાં ભેદભાવ નથી કે પક્ષપાત નથી. કોઈની પણ જાતી, વર્ણ, ધર્મ, નૈતીકતા કે ચારીત્ર્યનો એને ફરક પડતો નથી. બધાને તે એકસરખી રીતે લાગુ પડે છે. આ અફર સત્ય છે. આ સત્યનો સ્વીકાર કરવો રહ્યો.
અગ્ની અને પાણી સાથેના આપણા અનુભવ સહેલાઈથી સમજાય એવા છે અને સર્વત્ર સ્વીકારાઈ ગયા છે. એ જ પ્રમાણે પ્રકૃતીનાં કેટલાંક તત્ત્વો સમજવા, પ્રમાણમાં સહેલા છે. જ્યારે અન્ય તત્ત્વો સમજવા અઘરાં છે. એમાંના એક એવી પૃથ્વીની વાત કરીએ.
પૃથ્વી એટલી મોટી છે કે આપણા દૃષ્ટીબીન્દુથી, આપણા વેન્ટેજ પોઈન્ટથી એનું સમ્પુર્ણ કદ દેખાતું નથી. આ મર્યાદીત અવલોકનને લીધે પ્રાચીનકાળમાં બધાએ પોતપોતાની રીતે જે અર્થધટન કર્યું તે અધુરું હતું, એકબીજાથી ઘણું અલગ હતું અને મુળભુત રીતે તો ખોટું જ હતું. બધી જ પ્રાચીન સંસ્કૃતીઓએ બનાવેલા અને આજ સુધી સચવાયેલા પૃથ્વીના (અને આકાશના) નકશા આ વાતના પુરાવા છે. બધાએ પૃથ્વીને સપાટ બતાવી હતી. પોતાના પ્રદેશને પૃથ્વીના કેન્દ્રસ્થાને બતાવ્યા હતા. એમનાં અવલોકનના આધારે એ વાજબી હતું; પણ તે સત્ય નહોતું.
આ બધી માન્યતાઓ ખોટી હોવાનું 400 વરસ પહેલાં બહાર આવ્યું ત્યારે મોટો હોબાળો થયો, જેણે ઘણા લોકોનો ભોગ લીધો. જ્યારે વહાણવટું ખીલવા લાગ્યું અને યુરોપીયનો દુનીયામાં ફેલાવા લાગ્યા ત્યારે પૃથ્વી સપાટ નહીં; પણ ગોળ હોવાનું સ્વીકાર્યા વગર છુટકો નહોતો. કેટલાક સાગર ખેડુઓએ તો વહાણમાં પૃથ્વીની પ્રદક્ષીણા પણ કરી.
ખ્રીસ્તી ધર્મગુરુઓએ આ વીષયમાં જરુરી પીછેહઠ કરી. એમણે પૃથ્વીના ખરા આકાર સાથે અન્ય ખગોળીય સત્યનો પણ સ્વીકાર કર્યો. થોડાં વર્ષો પહેલાં, ચર્ચ દ્વારા ભુતકાળમાં ઘણાને સહન કરવું પડ્યું હતું એ માટે ખ્રીસ્તીઓના વડા પોપે અફસોસ દર્શાવી જાહેરમાં એમની માફી માંગી હતી. હવે જુજ અપવાદ બાદ કરતાં દુનીયાના બધા લોકો ભુગોળ અને ખગોળ વીશેનાં વૈજ્ઞાનીક સત્યો સ્વીકારી રહ્યા છે.
થોડાં વર્ષો પહેલાં પ્રવાસ દરમીયાન એક જૈન ધર્મશાળામાં રહેવાનું થયું હતું. એ ધર્મશાળાના પ્રાંગણમાં જૈન માન્યતા પ્રમાણેની પૃથ્વીનું મોટું મોડલ હતું. થાળી જેવા ગોળ આકારના કુંડની વચ્ચોવચ થાંભલા જેવો એક ઉંચો આકાર બનાવેલો હતો, જેને મેરુ પર્વત કહ્યો હતો. એ સીવાય બીજી કોઈ પર્વતમાળા નહોતી. તે ઉપરાન્ત એકમાત્ર પર્વતના તળીયાની આસપાસ સાત ખંડ અને સાત સમુદ્ર બતાવાયા હતા. એવી જ રીતે વર્ષો પહેલાં પાલીતાણાની તળેટીમાં ‘સાચી ભુગોળ’ નામે અડધા કલાકની એક ફીલ્મ જોઈ હતી. એમાં પણ આ જ પ્રકારની વાતો કહેવાઈ હતી.
જે લોકો હજી પણ પૃથ્વીનું પ્રમાણભુત સ્વરુપ સ્વીકારતા નથી એમને પુછવાનું કે, એમની માન્યતાથી અલગ હોય એવું સત્ય અન્ય કોઈ શોધે, એ સ્વીકારવામાં એમનો અહમ્ આડે આવે છે કે પછી બીજું કંઈ કારણ છે ? વધુ અગત્યની વાત એ છે કે સત્યને અવગણી, અસત્યનો સાથ આપી એનો પ્રચાર કરવામાં કયો ધર્મ પળાય છે ?
આપણી કામની વસ્તુ જ્યારે કામ કરતી અટકી જાય ત્યારે નકામી થયેલી તે ચીજ–વસ્તોનો યોગ્ય નીકાલ કરીએ છીએ. તો પછી કોઈ માહીતી કે માન્યતા ખોટી પુરવાર થતાં એને ભુલી જઈ સત્યને સ્વીકારવામાં શી તકલીફ છે ? મનની સફાઈની વાતો દરેક ધર્મમાં કરેલી છે. એ જ રીતે મગજની સફાઈની પણ જરુર છે. એની વાતો ક્યાંય કરવામાં આવી હોય એમ લાગતું નથી.
આ તો એક નીર્દોષ બાબત છે. આવી એકેડેમીક બાબતોમાં કોણ શું માને છે એથી બીજા કોઈને કંઈ ફરક પડતો નથી. ફરક માત્ર આપણને પડે છે. એમાં આપણી મનોવૃત્તી છતી થાય છે. પોતાને ઉદાર મતવાદી અને પ્રગતીશીલ ગણાવતા આપણે અજ્ઞાની, જડ અને દમ્ભી પુરવાર થઈએ છીએ.
સૌને સમજાય એવું એક સરળ ઉદાહરણ હતું. બાકી ધર્મના નામે, ધર્મની ઓથે, ધર્મના કાર્યક્ષેત્રમાં ન હોય એવા વીષયોમાં ઘણું અગડમ્ – બગડમ્ ફેલાવવામાં આવે છે એની પણ વાતો કરવી છે.
શ્રદ્ધા – અન્ધશ્રદ્ધા વીશે આજ સુધી ઘણું લખાયું છે. વર્ષોની એ ચર્ચાનો સાર ટુંકમાં કહેવો હોય તો એ જ કે, ‘અન્ધશ્રદ્ધા ઓછી કરવા આપણે કોશીશ કરતા રહેવું જોઈએ; પણ શ્રદ્ધાને છોડવી ના જોઈએ.’ વાત તો સાચી છે; પણ શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો ભેદ કોણ નક્કી કરે ? અને કોઈ કરે તોય બીજા એને સ્વીકારશે એવું માની ન લેવાય.
આપણને જે નજર સામે દેખાય છે, અનુભવાય છે એને અવગણીને પરમ્પરાથી ચાલી આવતી કોઈ માન્યતાને પકડી બેઠા રહીએ, એને અન્ધશ્રદ્ધા સીવાય બીજું કંઈ ન કહેવાય. પૃથ્વી વીશેની આગલી ચર્ચા તો અન્ધશ્રદ્ધા કરતાં પણ બદતર છે. ઘણી અન્ધશ્રદ્ધાઓ તાર્કીક રીતે અયોગ્ય હોય તોય; એમને ખોટી પુરવાર કરવી અઘરી હોય છે. પૃથ્વીના કદ, આકાર, પર્વતમાળાઓ, મહાસાગરો વગેરે બધા શંકા કે પ્રશ્નોથી પર છે. એમના અસ્વીકાર માટે અન્ધશ્રદ્ધાથી પણ આકરો શબ્દ શોધવાની જરુર છે.
સત્ય સામે આવીને ઉભું છે. હવે પુરાણી માન્યતાને છોડીએ. ક્રમશ: રસીક ભાગ બીજો 13 જાન્યુઆરી, 2012ને શુક્રવારે…
લેખકસમ્પર્ક:
શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ૨૦૦૯ના ઓગસ્ટ માસના અંકમાં ‘પ્રકૃતીની વાસ્તવીકતા’ વીભાગ અન્તર્ગત પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
♦●♦ દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ સારુ તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન:ગોવીન્દ મારુ – 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ:એરુ એ. સી.– 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 16–12–2011
●♦●♦●♦●
મન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે ?
આજે સવારે છાપામાં સમાચાર વાંચ્યા. ટ્રીપ એડવાઈઝરે હાથ ધરેલ સર્વેક્ષણ કહે છે કે 20થી 30 વર્ષની વયના યુવાવર્ગમાં ધાર્મીક સ્થળોએ જવાનું ચલણ વધતું જ જાય છે. ટ્રાવેલ વેબસાઈટે જે 3800 ભારતીય પ્રવાસીઓનો ઓનલાઈન સર્વે કર્યો, એમાં 20થી 30 વર્ષની વચ્ચેના સીત્તેર ટકા યુવાનોએ કહ્યું કે વરસમાં એક વાર તેઓ ધાર્મીક સ્થળની મુલાકાત લે છે. ઓલરાઈટ. હવે છેલ્લાં બે વરસની અન્દર થયેલાં બીજાં થોડાં સર્વેક્ષણ અને તેનાં તારણો પર પણ એક નજર નાંખી લો:
- મુમ્બઈમાં બહારગામથી ફરવા કે સામાજીક પ્રસંગે હાજરી આપવા માટે આવનારામાં વધુ ને વધુ લોકો સીદ્ધીવીનાયક મન્દીરે જવાનો આગ્રહ રાખતા થઈ ગયા છે. એટલું જ નહીં, મુમ્બઈ આવે ત્યારે ‘ચાલો, શીરડી પણ જઈ આવીએ.’ એવું કહેનારાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. (બાય ધ વે, મુમ્બઈથી શીરડી 350 કી.મી. ના અંતરે છે.)
- જ્વેલરી શોપ્સમાં ગણપતી, ઓમ્ વગેરે ધાર્મીક પ્રતીક ધરાવતા દાગીનાનું વેચાણ વધ્યું છે. દેવીદેવતાઓને આર્ટીસ્ટીક રુપમાં ઉતારતા આર્ટીસ્ટ, ડીઝાઈનરોની ડીમાન્ડ વધી છે.
- અજમેર શરીફની દરગાહે દર્શન માટે જતા બીન–મુસ્લીમ (દા.ત. હીન્દુઓ)ની સંખ્યા પ્રતીવર્ષ વધી રહી છે.
- ગુજરાતના એક શહેરમાં જાણીતા કથાકાર પધારેલા, ત્યારે સ્કુલ–કૉલેજમાં રજા અપાઈ અને કીશોરો–તરુણોએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી.
- બે અઢી વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં હીંગોળગઢ અભ્યારણ્ય ગયેલી, ત્યારે ત્યાં મળેલા એક સરકારી ઉચ્ચ અધીકારીએ આંકડા આપીને કહ્યું કે જુનાગઢમાં ગીરનારની વાર્ષીક પરીક્રમાએ આવતા લોકોમાં પ્રતીવર્ષે એવો જંગી વધારો થતો ચાલ્યો છે કે ત્યાં સ્વચ્છતા અને કાયદો જાળવતાં પ્રશાસનના નાકે દમ આવી જાય છે.
આ બધા સમાચાર એકસાથે વાંચ્યા બાદ જરા વીચારીને કહેજો કે આવી જાતની ધાર્મીક ભાવના વધી છે એ જાણીને તમને ખરેખર ખુશ થવા જેવું લાગે છે ?
ભગવાનમાં શ્રદ્ધા રાખવી, ન રાખવી એ દરેકની અંગત બાબત છે; પણ દરેક દેવ કે દેવીનાં હેડ ક્વાર્ટર્સ ગણાતાં સ્થળે જઈને માથું પછાડવાની – સોરી, નમાવવાની – તાતી જરુરીયાત હવે વધુ ને વધુ લોકોને વર્તાવા લાગી છે. એની પાછળ શ્રદ્ધા કામ કરે છે કે પછી આપણી અન્દર વધતી જતી અસલામતીની ભાવના અને ડર ? અને આ ભયના માર્યા વધુ ને વધુ યુવાનો મન્દીરે જવા લાગે, એ જાણીને ખુશ થવું જોઈએ ?
લોકો ફુરસદ કાઢીને બહાર ફરવા નીકળે એ બહુ સારી વાત છે. કશ્મીરનું કુદરતી સૌન્દર્ય, કર્ણાટકનું અદ્ ભુત શીલ્પ અને સ્થાપત્યકળા… આ બધું ખરેખર માણવા જેવું છે અને કોઈ વાર વળી કોઈ જીજ્ઞાસુને એવોયે વીચાર આવે કે ફલાણા ધર્મસ્થાનક વીશે આટલું સાંભળ્યું છે તો ચાલો, એક વાર ત્યાં જઈને જોઈએ તો ખરાં ! પરન્તુ વારંવાર સીદ્ધીવીનાયક, શીરડી કે તીરુપત્તી જનારા અહીંનું કુદરતી કે માનવસર્જીત સૌન્દર્ય જોવા જાય છે કે ? નો, નો, અહીં વારંવાર ચક્કર મારનારા પાસે તો ડીમાન્ડનું મોટું લીસ્ટ હોય છે ! હે પ્રભુ, મને પરીક્ષામાં પાસ કરી દે, મારી ફીલ્મ હીટ બનાવી દે, મને નોકરીમાં પ્રમોશન અપાવી દે, મારા લગ્ન કરાવી દે…વગેરે વગેરે… આવા યુવાન માગણખોરોનાં ટોળાં ધર્મસ્થળોએ વધતાં જતાં હોય, એ જાણીને હરખાવા જેવું છે ?
આપણને આપણી જાત પર, આપણી મહેનત કરવાની શક્તીમાં ભરોસો ઘટવા લાગ્યો છે ? જુના જમાનામાં લોકો પોતાની બધી કૌટુમ્બીક, સામાજીક ફરજો, પુરી થઈ ગયાનું લાગે ત્યારે યાત્રા કરવા નીકળતા; પણ હવે કૉલેજ કે ઑફીસમાં ખાસ રજા પાડીને, દુર આવેલા તીર્થસ્થળે યુવાનો દોડી જતા હોવાનું કહેવાય છે; તો બેમાંથી કઈ પેઢીને અક્કલવાળી ગણવી ?
કહેવાતા ઍજ્યુકેટેડ, ઈન્ટેલીજન્ટ, ફેમસ યુવાન, યુવતીઓ ન્યુમરોલૉજીસ્ટની સલાહ પ્રમાણે નામના સ્પેલીંગ બદલે છે. ચોક્કસ મોબાઈલ નમ્બર મેળવવાનો આગ્રહ રાખે છે. સહી કરવાની સ્ટાઈલમાં ફેરફાર કરે છે. ફેંગશુઈ એક્સપર્ટની સલાહ લઈને ઘર અને ઑફીસમાં ફર્નીચરની ગોઠવણી કરે છે. અઠવાડીયે એકાદ–બે ઉપવાસ રાખીને, કોઈ ખાસ દેવીદેવતાનાં મન્દીરે જાય છે. આંગળીઓમાં ગ્રહના નંગ ધરાવતી વીંટીઓ પહેરે છે અને પછી કહે છે કે અમે અન્ધશ્રદ્ધાળુ નથી. વૉટ અ જોક ! તમને નથી લાગતું કે હકીકતમાં આ બધું કરવા પાછળ આત્મવીશ્વાસની કમી કામ કરી જાય છે ? આ સાંભળો ત્યારે હસીને તાળી પાડવી જોઈએ ?
દેખાદેખી પણ ઓછો ભાગ નથી ભજવતી. એક જાણીતી, સક્સેસફુલ ફૅશન ડીઝાઈનરે વાતવાતમાં કહ્યું કે ગમે તે થઈ જાય; પણ અઠવાડીયે એક વાર તો એ જુહુ પર આવેલા એક મન્દીરે જાય જ છે. એણે મને પણ સાથે આવવાનો આગ્રહ કર્યો. મેં ઝાઝો રસ ન દાખવ્યો. તો એણે ફીલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું મોટું લીસ્ટ આપીને કહ્યું કે એ બધા ત્યાં જાય છે. એટલે આપણે જવાથી જરુર ફાયદો થશે. એક બ્યુટીફુલ, પ્રૉફેશનલી સક્સેસફુલ યંગ વુમનના મોઢે આવું સાંભળીને ખુશી થવી જોઈએ ?
દર સોમવારની રાતે, મુમ્બઈમાં ઠેકઠેકાણેથી છોકરા-છોકરીઓ, પગપાળા સીદ્ધીવીનાયક જવા ઉપડે છે. એમને જોઈને વીચાર આવે કે એમની આટલી શારીરીક શક્તી, સારા સ્પોર્ટ્સપર્સન બનવામાં વપરાતી હોત તો ? પણ ના, તેન્ડુલકર બનવા માટે બૅટીંગની પ્રૅક્ટીસ કરવી પડે એને બદલે તેંડુલકર કોઈ કોઈ વાર કયા મન્દીરમાં જાય છે, એ જાણી લઈને ત્યાં પહોંચી જવામાં ઓછી મહેનત પડે ને ? ભગવાન ત્યાં આપણી માગણીઓ પુરી કરવા માટે બેઠા જ છે !
આપણને આ શું થઈ ગયું છે ? એક જુના ગીતની પંક્તી હતી: ‘અબ કીસી કો કીસી પે ભરોસા નહીં…’; પણ હવે પોપ્યુલર તીર્થસ્થાનોએ ભીડ જમાવતા યુવાવર્ગને જોઈને કહેવું પડે કે, ‘અબ કીસી કો ખુદા પે ભરોસા નહીં… !’
–વર્ષા પાઠક
‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 16 નવેમ્બર, 2011ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી લેખીકાબહેનની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકાના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રીમતી વર્ષા પાઠક, બોરીવલ્લી (ઈસ્ટ), મુમ્બઈ. ઈ–મેઈલ: viji59@msn.com
♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
♦●♦●♦ વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 08–12–2011
●♦●♦●♦●
વાસ્તુશાસ્ત્રથી નહીં; વસ્તુશાસ્ત્રથી સુખ મળી શકે
– દીનેશ પાંચાલ
વાસ્તુશાસ્ત્રમાં બે શબ્દો– ‘પોઝીટીવ અનર્જી’ અને ‘નેગેટીવ એનર્જી’ ઘણીવાર સાંભળવા મળે છે. એક મીત્રે બીજાને પ્રશ્ન કર્યો, ‘‘પોઝીટીવ એનર્જી અને નેગેટીવ એનર્જીનો અર્થ શો થાય ?’’ બીજાએ મજાકમાં કહ્યું: ‘‘જાજરુનું ટબ દક્ષીણ દીશામાં હોય તો ઘરમાં બધાંને કબજીયાત રહે એમ માનવું તેને નેગેટીવ એનર્જી કહેવાય… અને આહારમાં ફળ, દુધ, લીલાં શાકભાજી વગેરે વધારે લેવાથી કબજીયાત ન થાય એમ માનવું તે પોઝીટીવ એનર્જી ગણાય.’’ તેમણે હસીને ઉમેર્યું: ‘‘કબજીયાત દુર કરવા માટે નબળાં આંતરડાંનો ઔષધીય ઉપાય કરવાને બદલે, સંડાસના ટબની દીશા બદલવી તે એવી ભુલ છે, માનો હૃદયરોગ આવતો અટકાવવા માટે માણસ પલંગ નીચે કાર્ડીયોગ્રામનું મશીન રાખીને સુએ !’’ મીત્રની રમુજને બાદ કરી ગંભીરપણે વીચારીશું તો સમજાશે કે પોઝીટીવ – નેગેટીવ જેવું ખરેખર કાંઈ હોય તો તે બહાર નથી હોતું, માણસની અન્દર હોય છે. કરવો જ હોય તો એનો એવો અર્થ કરી શકાય પોઝીટીવ એનર્જી એટલે સદ્ બુદ્ધી અને નેગેટીવ એનર્જી એટલે દુર્બુદ્ધી… ! સમજો તો ઝટ સમજાય એવી વાત છે. વાસ્તુશાસ્ત્ર કરતાં ‘વસ્તુશાસ્ત્ર’માં માનવીનું વીશેષ કલ્યાણ રહેલું છે. વસ્તુશાસ્ત્ર એટલે ભૌતીકસુખો. અર્થાત્ માણસને રહેવા માટે ઘર મળે તે જરુરી છે. પછી એ ઘરમાં તે પુર્વ તરફ રસોડું રાખે કે પશ્ચીમ તરફ… કોઈ ફરક પડતો નથી. પગમાં પહેરવા માટે પગરખાં મળી રહે તેટલું પુરતું છે. એ પગરખાંને દરવાજાની ડાબી બાજુએ મુકો કે જમણી બાજુએ… કોઈ ફરક પડતો નથી. ઘરમાં લાકડાનું મન્દીર ગમે તે દીશામાં ગોઠવો; પણ દીલમાં રામ ન વસે ત્યાં સુધી તેનો કોઈ ફાયદો નથી. તીજોરી ગમે તે ખુણામાં રાખી હોય; પણ પૈસા કમાવાનો પુરુષાર્થ સાચી દીશામાં નહીં થાય ત્યાં સુધી લક્ષ્મીદેવીને તમારા ઘરનો રસ્તો જડશે નહીં.
ઘર બાંધતી વખતે વાસ્તુશાસ્ત્ર કરતાંય વીજ્ઞાનશાસ્ત્રનો ખ્યાલ રાખવો વધુ હીતાવહ છે. જેમ કે પ્રકાશ, ગરમી, વરસાદ, ઠંડી, પવન, તડકો, ધુળ વગેરેથી ઘરને સુરક્ષીત રાખી શકાય; એ રીતે ઘરનાં બારી–બારણાં, ફર્નીચર, પડદા વગેરે ગોઠવવામાં આવે તે જરુરી છે. પરન્તુ તમે ‘મ્યુઝીકવીન્ડ’ને અગાસીને બદલે માળીયામાં લટકાવશો તો તે મધુર સંગીત આપી શકશે નહીં. મ્યુઝીકવીન્ડ માટે પવન અને પ્રગતી માટે પરીશ્રમ જરુરી હોય છે.
નક્કર સત્ય એ છે કે ‘માથું પુર્વમાં રાખીને સુઓ કે પશ્વીમમાં; પણ માથામાં ‘ભંડોળ’ હોય તો જ સુખી થવાય છે. શયનખંડ ઈશાનમાં હોય કે અગ્નીમાં; પણ નોકરી–ધન્ધા વીનાનો માણસ આળસુ બની ઘરમાં પડી રહેતો હોય તો પત્નીના દીલમાં બારે દહાડા અગ્ની સળગતો રહેશે. સુવાની દીશા બદલવાથી નહીં; પણ વીચારોની દીશા બદલવાથી અવદશા બદલી શકાય છે. તમે ઉત્તરમાં કે દક્ષીણમાં પગ રાખીને બરાબર સુતા હો; પણ એ પગ સવારે નોકરી ધન્ધાની દીશામાં જવાને બદલે દારુ–જુગારના અડ્ડા તરફ જતા હોય, તો વાસ્તુશાસ્ત્ર તમને બચાવી શકશે નહીં.
સન્તાનો સારા માર્ક્સે પાસ થઈ જાય તે માટે તેમનો રીડીંગરુમ કે દફતર અમુક ખુણામાં હોવાં જોઈએ એવું વાસ્તુશાસ્ત્ર કહે છે. પણ દફતર યોગ્ય ખુણામાં ગોઠવ્યા બાદ છોકરાંઓ હમ્મેશાં ટીવીવાળા ખુણામાં ગોઠવાતાં હોય તો ફાયદો થઈ શકતો નથી. સ્ટોરરુમ ગમે ત્યાં હશે તે ચાલશે; પણ તેમાં તેલ–ઘી– અનાજને બદલે બંદુકો, દારુગોળો, હથીયાર, ચરસ, ગાંજો, અફીણ વગેરે ભર્યાં હશે તો ગમે ત્યારે પોલીસ કસ્ટડીના મહેમાન બનવું પડશે. તાત્પર્ય એટલું જ, ઈશાન– અગ્ની– નૈર્ઋત્ય કે વાયવ્યથી નહીં; પણ બુદ્ધી, પરીશ્રમ, પ્લાનીંગ અને કૌશલ્યથી સુખી થઈ શકાય છે. છતાં તમને વાસ્તુશાસ્ત્રમાં વીશ્વાસ હોય તો એક ચકાસણી કરજો. જે વાસ્તુશાસ્ત્રીએ પોતાનું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું હોય તેમના જીવનની કીતાબને બારીકાઈથી તપાસો અને એ માહીતી મેળવો કે શું તેના જીવનમાં કોઈ જ દુ:ખ નથી આવતાં ? શું તે ચોવીસ કલાક સુખશાન્તીમાં જીવન વીતાવે છે ? તેનાં છોકરાં હમ્મેશાં ફર્સ્ટ ક્લાસમાં જ પાસ થાય છે ? તેને ત્યાં ડૉક્ટરોના ખર્ચા નથી થતા ? ઝઘડા નથી થતા ?
વાસ્તુશાસ્ત્રમાં એવું બને છે કે હજારો લોકોનાં રસોડાં તુટે ત્યારે એક જણનો બંગલો બંધાય છે. બીજા શબ્દોમાં કહીએ તો મુડદાંના ગામમાં કફનનો વેપારી ભુખે નથી મરતો. સમાજમાં માણસની ‘શાખ’ અને ‘શાન’ ઠેકાણે હોય તો ઈશાન ખુણો કશું બગાડી શકતો નથી. પરન્તુ માણસ ગેરકાનુની ધન્ધા કરતો હોય, દારુ જુગારના અડ્ડા ચલાવતો હોય, આતન્કવાદીઓ સાથે મળેલો હોય અને વ્યસનોમાં ગળાડુબ રહેતો હોય તો દશે દીશાઓમાંની કોઈ દીશા તેની અવદશા અટકાવી શકશે નહીં. માણસની જબાન કડવી હોય, વર્તણુક ખરાબ હોય, બુદ્ધી અલ્પ હોય અને મહેનત કરવાની વૃત્તી તો જરાયે ના હોય… વધારામાં દેવું કરીને જલસા કરવાની ઉડાવગીરી હોય તો એવા માણસને કોઈ શાસ્ત્ર બચાવી શકતું નથી. શોધવા નીકળશો તો વાસ્તુશાસ્ત્ર વીના પણ સુખી થયેલા લોકો મોટી સંખ્યામાં મળી આવશે. તેમનાં જીવન પર દૃષ્ટીપાત કરીશું તો સમજાશે કે અમુકતમુક દીશામાં સુવા બેસવાથી નહીં; પણ સઘળી દીશામાં પરીશ્રમ કરવાથી તેઓ સુખી થઈ શક્યા છે. અઝીમ પ્રેમજી, મુકેશ અમ્બાણી, અનીલ અમ્બાણી વગેરે એનાં ઉદાહરણો છે.
સુખી થવા માટે થોડાક મુદ્દાઓ અંગે વીચાર કરવા જેવો છે. તમે ભલે પુર્વમાં (એટલે કે ભારતમાં) રહો પણ પશ્વીમી દેશોની જેમ કઠોર પરીશ્રમ કરશો તો વાસ્તુશાસ્ત્ર વીના પણ સમૃદ્ધીની દેવી તમારા ઘરમાં પ્રવેશી શકશે. આજે અનેક વીટમ્બણાઓથી ભરેલા જીવનમાં પાર વીનાના પ્રશ્નો હોય છે. તે સૌનો ઉકેલ ઘરનું ફર્નીચર, તીજોરી કે મન્દીર અમુકતમુક ખુણામાં ગોઠવી દેવાથી આવી જતો નથી. સંસારની સમસ્યાઓ ઉકેલવાની તમારામાં સુઝ સમજ કેટલી છે તેના પર આધાર રહે છે. ગમે તે દીશામાં સુઓ; પણ ભીતરથી જાગતા રહો તો સારા નરસાનો ભેદ પારખીને અવળે માર્ગે જતા અટકશો. રોજેરોજના સાંસારીક કલહથી તમારું જીવન ખરાબે ચડી ગયું હોય તો સ્વભાવ સુધારવો પડે, જીવનશૈલી બદલવી પડે અને શોધી શોધીને દોષો દુર કરવા પડે. યાદ રહે જીવનની સમસ્યાઓ એટલી આસાન હોતી નથી કે અમુક દીશામાં પગ રાખીને સુવાથી તેનો ઉકેલ મળી જાય. માણસ કઈ દીશામાં સુએ તેનાથી નહીં; પણ ઉઠ્યા પછી તે કઈ દીશામાં જાય છે–પ્રવૃત્ત થાય છે તેના પર તેની સુખ–સમૃદ્ધીનો આધાર રહેલો છે.
આ દેશમાં વાસ્તુશાસ્ત્રનું લોકોને ઘેલું લાગ્યું–લગાડ્યું છે. આખેઆખા એપાર્ટમેન્ટો હવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધવામાં આવે છે. સોસાયટીનું બાંધકામ ચાલતું હોય ત્યાં ઘણે ઠેકાણે બોર્ડ હોય છે: ‘આ સોસાયટીના તમામ બંગલાઓનું બાંધકામ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ કરવામાં આવ્યું છે’. આમ જ ચાલ્યું તો ભવીષ્યમાં સ્મશાનો પણ વાસ્તુશાસ્ત્રના નીયમો પ્રમાણે બનાવાશે. (મૃતદેહને અમુકતમુક દીશામાં પગ કે માથું રાખીને બાળશો તો મરનારને સ્વર્ગ મળશે એવો પ્રચાર થશે) બલકે અમુકતમુક દીશામાં માથું રાખીને મડદાને બાળવાથી તેને અપાર માનસીક શાન્તી મળે છે એવું કહેનારાઓ પણ નીકળશે.
મનુષ્યજીવન અનેક વીષમતાઓથી ભરેલું છે. મરવું હોય તો ઝેર મળી શકે; પણ જીવવા માટે થોડાક ઉછીના શ્વાસો પ્રાપ્ત થઈ શકતા નથી. ઑક્સીજનના બાટલા મળી શકે; પણ જીજીવીષાના ઈન્જેક્શનો કોઈ મેડીકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી. વાસ્તુશાસ્ત્રથી જીવનમાં સુખશાન્તી, સમૃદ્ધી અને આર્થીક ઉન્નતી થઈ શકતી હોત તો આપણે ત્યાં દર દશમું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય છે છતાં; અહીં આટલાં દુ:ખો કેમ છે ? અને અમેરીકામાં વાસ્તુશાસ્ત્રનું નામોનીશાન નથી છતાં તેઓ આટલા સુખી કેમ છે ? ગમ્ભીરતાથી વીચારીએ. આપણે અન્ધશ્રદ્ધા સીવાય (અને વાસ્તુશાસ્ત્રીઓએ ધન્ધા સીવાય) કશું ગુમાવવાનું રહેતું નથી.
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 17 ડીસેમ્બર, 2006ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
સંપર્ક:
શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: (02637) 242 098 સેલફોન: 94281 60508
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: – ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટી ના પ્રથમ ગેટ સામે, વીજલપોર.પોષ્ટ: એરુ એ. સી. – 396450 જીલ્લો: નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ – 1– 12 – 2011
♦●♦●♦●♦●♦
સ્પર્ધા જીતવા જ્ઞાનની જરુર છે
‘કૌન બનેગા કરોડપતી’ કાર્યક્રમ લાખો–કરોડો લોકો રસપુર્વક નીહાળી રહ્યા છે. એ કાર્યક્રમને પગલે પગલે દેશભરમાં સામાન્ય જ્ઞાનનાં પુસ્તકો છપાવા માંડ્યાં છે અને લોકો ચપોચપ એ ખરીદી પણ રહ્યા છે. આ કાર્યક્રમના બહાને સામાન્ય જ્ઞાનનું મહત્ત્વ સમજાયું એ એની વીધાયક બાજુ છે. જો કે આનાથી લોકોમાં કરોડપતી બની જવાની એક ઘેલછા ઉભી થઈ અને એક પ્રકારના જુગાર તરફ લોકો આકર્ષાયા એ એનું નકારાત્મક પાસું પણ છે. પણ રેસ, લોટરી કે જુગારની વૃત્તી દુનીયાભરની પ્રજામાં એટલી પ્રબળપણે પડેલી હોય છે કે એને કૃત્રીમ માર્ગો દ્વારા અંકુશમાં લેવાનું કાર્ય હમ્મેશાં મુશ્કેલ જ હોય છે.
જે લોકો આ કાર્યક્રમ ધ્યાનથી જુએ છે, એમને એક વાતનો ખ્યાલ આવ્યો હશે કે અમીતાભ બચ્ચન પ્રશ્ન પુછે ત્યારે ઘણાખરા લોકો આંખો મીંચીને ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે ! કાં તો સ્પર્ધક પોતે પ્રાર્થના કરતો હોય અને કાં એની સાથે આવેલાં એનાં સ્વજનો પ્રાર્થના કરતા હોય. કોઈ યુવાન આવી ગયો હોય તો સામે પ્રેક્ષકોમાં બેઠેલી એની મા આંખો બંધ કરીને પ્રાર્થનામાં ડુબી ગઈ હોય અને કાં તો કોઈની પત્ની કે પતી આવ્યાં હોય અને એ લોકો પ્રાર્થના કરી રહ્યાં હોય.
આ રીતે એક યુવક આ હરીફાઈમાં ભાગ લેવા આવ્યો અને એને પ્રશ્ન પુછવામાં આવ્યો કે ત્રીપુરાનું પાટનગર કયું છે ? પેલો યુવક અચાનક પ્રાર્થનામાં લીન થઈ ગયો અને હોઠ હલાવવા લાગ્યો. પ્રશ્ન એ છે કે સવાલ સામાન્ય જ્ઞાનને લગતો હોય અને જેને માટે પુસ્તક કે અખબારો વાંચવા જરુરી હોય, એમાં પ્રાર્થના કેટલી ઉપયોગી ? ત્રીપુરાની રાજધાની અગરતલા છે એ માહીતી તો સામાન્ય જ્ઞાનના કોઈ પણ પુસ્તકમાંથી મળી આવે અથવા મોઢે હોય. આ જાણકારી માટે કોઈ દૈવી શક્તીના ચમત્કારની જરુર જ નથી.
વાસ્તવમાં, આપણી પ્રજા અતીધાર્મીક બની ગઈ અને ધર્મના મુળભુત સીદ્ધાન્તોને સમજીને જીવનમાં ઉતારવાને બદલે ક્રીયાકાંડો અને ચમત્કારોમાં ખોવાઈ ગઈ એનું આ પરીણામ છે. એમાં પણ નવી પેઢીમાંથી આવતો કોઈ યુવક પ્રાર્થનામાં સરી પડે અને આ પ્રશ્નનો જવાબ પ્રાર્થનાથી નહીં; પણ સામાન્ય જ્ઞાન સુધારવાથી મળે એટલી સીધી–સાદી વાત ન સમજી શકે, એ અત્યન્ત ચીન્તાજનક અને વીચારવા લાયક બાબત ગણાય. દર વર્ષે પરીક્ષામાં બેસતા હજારો વીદ્યાર્થીઓમાંથી ઘણા આ રીતે જ એમને પ્રશ્નપત્ર આપવામાં આવે એ પહેલાં પ્રાર્થના કરતાં હોય છે અને ઘણા તો ઉત્તરવહી ઉપર પ્રથમ પોતાના ઈષ્ટદેવનું નામ પણ લખતા હોય છે.
એ બતાવે છે કે ધર્મના હાર્દને સમજ્યા વીના એના કોઈ મુદ્દા ઉપર વધુ પડતો ભાર મુકવામાં આવે ત્યારે એનું આવું પરીણામ આવે. જે વીદ્યાર્થી એમ સમજે છે કે ઈશ્વર કે ખુદાને પ્રાર્થના કરવાથી કે કોઈ માનતા માનવાથી પરીક્ષામાં પાસ થઈ જવાશે કે પછી કરોડપતી બની જવાશે, એ વીદ્યાર્થી પુરુષાર્થનો મર્મ નહીં જ સમજે. એના મનમાં એવો વીચાર નહીં આવે કે આખું વર્ષ વર્ગમાં હાજર રહીને નીષ્ઠાથી ભણીએ તો પરીક્ષા સારી જ જાય અને ગુણ પણ સારા આવે. આમ, પુરુષાર્થને બદલે એ વીદ્યાર્થી પ્રારબ્ધવાદી બની જાય અને સમગ્ર જીવન પ્રત્યે એનો દૃષ્ટીકોણ પણ પ્રારબ્ધવાદી જ બની રહે. પરીણામે પરીક્ષામાં પાસ થવાનું હોય કે પછી વેપાર કે નોકરીમાં સફળતા મેળવવાની હોય, એ તો પ્રાર્થના અને માનતાઓ જ કરતા રહેશે !
આપણે ત્યાં વર્ષોથી શાળામાં સવારમાં વીદ્યાર્થીઓ પાસે પ્રાર્થના કરાવવાની પરમ્પરા ચાલી આવે છે. એમાં મુળ તો ‘અસત્યો માંહેથી પરમ સત્ય તરફ જવાની અને ઉંડા અન્ધારામાંથી પરમ તેજ તરફ ગતી કરવાની’ જ વાત હોય છે. બાળપણમાં કે કીશોરાવસ્થામાં વ્યક્તી રાગદ્વેષ, ખટરાગ કે હીંસા જેવી વૃત્તીઓ છોડે તો એ આગળ જતાં સારો નાગરીક બને એવી ભાવના એની પાછળ હોય એ સમજી શકાય તેમ છે; પણ આપણે જોઈએ છીએ કે એ જ વીદ્યાર્થી જ્યારે મોટો થઈને જીવનમાં પ્રવેશે ત્યારે જો વેપારી બને તો કરચોરી કરે છે, સંઘરો કરે છે અને ભળસેળ પણ કરે છે. નોકરીમાં જાય તો કામચોરી કરે છે અને હળતાળો પણ પાડે છે. જો પ્રાર્થનાનું સારું ફળ મળતું હોય તો આપણા દેશમાં આટલી હદે ભ્રષ્ટાચાર, કરચોરી અને ભેળસેળ જેવાં દુષણો જ જોવા ન મળવાં જોઈએ ! પણ વ્યવહારમાં બને છે તો એનાથી ઉલટું જ. કદાચ સ્વામી વીવેકાનન્દ આપણા નાગરીકોની આ વાત જાણી ગયા હશે, એટલે જ એમણે કહ્યું કે, ‘પ્રાર્થના માટે લમ્બાયેલા બે હાથ કરતાં કોઈની મદદ માટે લમ્બાયેલો એક હાથ વધુ સારો છે.’ પ્રાર્થના અન્તે તો માણસને સ્વકેન્દ્રી જ બનાવે છે. મોટે ભાગે માણસ પ્રાર્થનામાં પોતાને માટે જ કશુંક માંગતો હોય છે. સમાજ કે દેશના હીત માટે પ્રાર્થના કરનારા લોકો કેટલા ? ‘મને ખુબ પૈસા મળે કે નોકરીમાં મને પ્રમોશન મળે કે મેં લોટરી ખરીદી હોય એમાં મને ઈનામ લાગે’ એવી પ્રાર્થના કરવામાં આવે તો પ્રાર્થનાનો મુળભુત હેતુ જ માર્યો જાય છે.
ક્યારેક તો આપણને કોઈની સામે વાંધો હોય અને ઝઘડો ચાલતો હોય ત્યારે એ ઝઘડામાં આપણો જ વીજય થાય એવી પ્રાર્થના આપણે કરીએ છીએ. પ્રશ્ન એ છે કે સામેનો હરીફ પણ આ જ રીતે પ્રાર્થના કરતો હોય તો ઈશ્વર કોની પ્રાર્થના સ્વીકારે ? અત્યારે આધુનીક યુગ એક મોટી પ્રતીસ્પર્ધામાં ફેરવાઈ ગયો છે. કોઈ પરીક્ષામાં કોઈ વીદ્યાર્થી પ્રથમ ક્રમે આવે એનો અર્થ જ એ કે બીજા લોકોને પાછળ રાખીને એ આગળ આવ્યો છે. તો બીજા બધા મારાથી પાછળ રહે એવી પ્રાર્થના કરવામાં કયો તર્ક, કેટલી નૈતીકતા અને કેટલી સચ્ચાઈ ? કોઈ અદાલતમાં કોઈ કેસ ચાલતો હોય અને બન્ને પક્ષકારો કોઈ દેવીદેવતા કે પીર– ઓલીયાની માનતા માને ત્યારે કોની માનતા ફળે ?
એને બદલે માણસ પોતે વધુ સારો માણસ બને, સારા નાગરીક તરીકે એ જીવન જીવે, કોઈને ઉપયોગી થવાનું એનામાં બળ આવે, એનાથી કોઈના જીવનમાં પરીવર્તન આવે એ અર્થની પ્રાર્થના વધુ સાર્થક અને માનનીય ગણાય. જો કે મક્કમ મનોબળ કે આત્મવીશ્વાસ ધરાવતા માણસને તો એવી પ્રાર્થનાની પણ જરુર હોતી નથી. એકવાર એ મનમાં સમાજને ઉપયોગી થવાનો નીશ્ચય કરી લે એટલે એની સામે અનેક રસ્તા આપોઆપ ખુલી જાય છે, પણ મનોબળ જેમ નબળું એમ માણસ વધુને વધુ પાંગળો બનતો જાય છે, પ્રાર્થનાવાદી થતો જાય છે અને પછી એની એ મનોદશાનો લાભ કે ગેરલાભ સંગઠીત ધર્મોના બની બેઠેલા રક્ષકો ઉઠાવે છે. એને એવો તો પંગુ બનાવી દે છે કે જીવનભર એ માનતાઓ જ માનતો રહે છે અને પોતાની સફળતા કે નીષ્ફળતા માટે દૈવી શક્તીઓને યશ કે અપયશ આપતો રહે છે. આ મનોદશામાંથી એ બહાર આવીને સ્વતન્ત્ર બુદ્ધીથી વીચાર કરતો થાય પછી આવાં બધાં વળગણો ખરી પડે છે અને એનું વ્યક્તીત્વ ખરા અર્થમાં સ્વતન્ત્ર બને છે. એ સીવાય તો એ પોતાના મનોબળની બહારની દુનીયાની જાતજાતની શક્તીઓને જ આધીન હોય છે.
પ્રાર્થના જેવી જ પરીસ્થીતી ધ્યાનની છે. આ બન્નેનો હેતુ માણસ બધી વૈચારીક ગડમથલ છોડીને એક જ મુદ્દા પર મન કેન્દ્રીત કરી મનની શાન્તી મેળવે એ છે. પણ મનોવૈજ્ઞાનીકો કહે છે કે માણસનું મગજ ક્યારેય વીચારોથી ખાલી હોતું જ નથી, થઈ શકતું પણ નથી. દરેક પળે એ મગજ તો સક્રીય જ હોય છે અને કશાક વીચાર કરતું હોય છે. આથી, વીચારમુક્ત કે વીચારશુન્ય બનવાની વાત પણ મુળભુત રીતે પ્રકૃતીથી વીરુદ્ધ છે. માણસ સતત કામ કરે અને કામ બદલે એ જ આરામ છે, તેમ માણસ પોતે પોતાની ફરજ નીષ્ઠાથી બજાવે એ જ એનું ધ્યાન, એ જ એની સમાધી છે અને એ જ એની પ્રાર્થના–બંદગી છે. એને બદલે જાતજાતની શીબીરોમાં જઈને ધ્યાનના અને વીચારશૂન્યતાના પ્રયોગો કરવાથી માણસનું મગજ અને એની સક્રીયતા નબળી પડી જવાની પણ પુરી શક્યતા રહેલી છે. આત્મપ્રતીતીથી વધુ મોટી કોઈ ચીજ નથી. તમે જે કરી રહ્યા છો, એ અંગે તમારી જાતને પુરી વીશ્વાસમાં લઈ શકો પછી કોઈ બાહ્ય ઉપચારની જરુર જ ક્યાં રહે છે ? આપણે પોતે સાચા માર્ગથી ફંટાઈ ગયા હોઈએ તો કોઈ ગુરુ કે બાહ્ય માર્ગદર્શનની જરુર રહે.
આમ મુળ મર્મ સમજવાને બદલે જો લોકો મહેનત કરવાની, વાંચવાની, અભ્યાસ કરવાની વૃત્તી જ છોડી દે અને પોતાનું કામ કોઈ બાહ્ય શક્તી કરી આપે એની પ્રાર્થના કરતા રહે તો એનો ઉદ્ધાર કઈ રીતે થાય ? દેશ અને દુનીયાને લગતી કોઈપણ માહીતી આજે તો ઈન્ટરનેટ જેવા માધ્યમો વડે બીલકુલ સહેલાઈથી પ્રાપ્ત છે. ઈન્ટરનેટ ઉપર બેસો એટલે કલાકો સુધી એમાં જ ખોવાઈ જશો. એ ધ્યાન અને એ સમાધી એવી છે જે દુનીયાભરની માહીતી આપીને તમને જ્ઞાન અને શાણપણની ઉંચાઈએ લઈ જશે. પ્રાર્થના કે ધ્યાનનું ભયસ્થાન જ આ છે. બાળપણથી જ બાળકના મનમાં ઠસી જાય કે જીવનમાં ગમે તે સમયે એ મહેનત કર્યા વીના કોઈ બાહ્ય શક્તીને રીઝવવાથી કે એને પ્રાર્થના કરવાથી સફળતા મેળવી શકાશે, ત્યારે સમજવાનું છે કે બાળકનો ભવીષ્યનો રસ્તો કુંઠીત બની જવાનો છે. જે બાળક સવારમાં પ્રાર્થના કરે છે એ જ બાળક પરીક્ષા સમયે કોઈ જાતના ડર વીના ચોરી કરે તો શું સમજવું ? ધર્મ કે પ્રાર્થના જેવાં ઉપકરણો એની સ્વતન્ત્ર વીચારશક્તી કે વીવેકબુદ્ધી ન ખીલવી શકે તો એના ઉપર ફરીથી વીચાર કરવો જ રહ્યો.
કોઈ વેપારી કે ઉદ્યોગપતીને પુછો કે ‘ધન્ધા–રોજગાર કેમ ચાલે છે ?’ તો જવાબમાં મોટે ભાગે તો એ આકાશ તરફ હાથ ધરીને કહે છે કે, ‘ઉપરવાળાની કૃપા છે’. ભાગ્યે જ કોઈ વેપારી કહેશે કે મેં મારા પુરુષાર્થથી ધન્ધો વીકસાવ્યો છે. ઘણીવાર તો એવું પણ બને કે એણે કરચોરી કરી હોય, સંઘરાખોરી અને કાળાબજાર પણ કર્યાં હોય, એ પછી જો એ પોતાની ‘પ્રગતી’નો યશ ઉપરવાળાને આપે તો વાસ્તવમાં એ યશ નહીં; પણ ‘ઉપરવાળા’ને અપયશ આપી રહ્યો છે. આપણે ત્યાં તો ધાર્મીકતાનો હાહાકાર એટલો છે કે દાણચોરો અને ભાડુતી હત્યારાઓ પણ પુજાપાઠ કરતા હોય છે અને ધાર્મીક ક્રીયાકાંડોમાં રાચતા હોય છે.
‘કૌન બનેગા કરોડ પતી’ તો એક પ્રકારનો જુગારનો કાર્યક્રમ છે. એમાં કંઈક જીતવાની સાથે મેળવેલી રકમ હારવાની પણ જોગવાઈ છે. આવા જુગારમાં જીત મેળવવા માટે પણ જો લોકો આંખો મીચીને પ્રાર્થના કરતા હોય તો લાગે છે કે પ્રાર્થના કે ધ્યાન કે ચીત્તની એકાગ્રતા જેવી બાબતનો અર્થ જ આપણે સમજ્યા નથી.
-યાસીન દલાલ
‘ગુજરાત સમાચાર’, દૈનીકના તા. 5 નવેમ્બર, 2011ના અંકમાંથી લેખકના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…
(‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીનભાઈની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે..)
સંપર્ક:
શ્રી યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281-257 5327) ઈ.મેઈલ: yasindalal@gmail.com
ડૉ. યાસીનભાઈએ અહીં ‘ધ્યાન’ની વાત પણ છેડી છે. ‘દીવ્ય ભાસ્કર’ની પુર્તી ‘સન્ડે’માં એક કૉલમ આવે છે ‘સન્ડેકી પાઠશાળા’. તા. ૧૩ નવેમ્બર ૨૦૧૧ના અંકમાં આવેલી તેમાંની એક વાત અહીં લખવા મન લલચાયું તેથી નીચે તે લખું છું. –ગોવીન્દ મારુ..
‘વરસો પહેલાંની વાત છે. સંતનગરમાં એક પ્રસીદ્ધ મહાત્મા સંત જ્ઞાનેશ્વર પોતાનો આશ્રમ બાંધીને રહેતા હતા. એક દીવસ સવારે પુજાપાઠ કર્યા બાદ તેઓ આશ્રમની સામે જ વહેતી નદીકીનારે ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક તેમને બાળકની ચીસો સમ્ભળાવા લાગી. જ્ઞાનેશ્વરની નજર નદીમાં ડુબતા બાળક પર પડી. તેમણે ક્ષણભરનોયે વીચાર કર્યા વગર નદીમાં ઝમ્પલાવ્યું. બાળકને બચાવીને જ્યારે તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે નદીકીનારે એક સાધુ ધ્યાનમાં મગ્ન બેઠા હતા. મહાત્માએ તે સાધુને બોલાવ્યો, સાધુએ આંખો ખોલી અને મહાત્મા જ્ઞાનેશ્વરની નજર સમક્ષ જોઈને તરત પ્રણામ કર્યા. મહાત્માએ સાધુ ને પુછ્યું, ‘‘ વત્સ, તું અહીં શું કરી રહ્યો છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહારાજ, હું ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’ મહાત્માએ પુછ્યું, ‘‘શું તારું મન એમાં લાગે છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહાત્માજી, ધ્યાનમાં મન તો નહોતું લાગતું. મન તો અહીંતહીં ભટકતું હતું !’’ સંતે પુછ્યું, ‘‘તને આ બાળકની ચીસો સમ્ભળાઈ હતી ?’’ ‘‘હા મહારાજ, પણ ત્યારે તો હું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’
સાધુની વાત સાંભળી સંત જ્ઞાનેશ્વરે તેને સમજાવતાં કહ્યું, ‘‘વત્સ, તું ધ્યાનમાં કેવી રીતે સફળ થઈ શકે ? ભગવાને તને કોઈની સેવા કરવાની તક આપી અને એ જ તો તારું પહેલું કર્તવ્ય હતું. જો તેં આ કર્તવ્યનું પાલન કર્યું હોત તો ધ્યાનમાં કદાચ મન લાગી જાત. ભગવાને રચેલી સૃષ્ટીરુપી બગીચો બગડી રહ્યો છે. સૃષ્ટીનો આનંદ માણવો હોય તો પહેલા આ બગીચાને સજાવતાં શીખો.’’ સાધુએ મહાત્માના પગ પકડી લીધા અને કહ્યું, ‘‘મહારાજ, તમે મને જીવનનું રહસ્ય કહી દીધું.’’
બોધ:
જો તમે માનવમાત્રની સેવા નથી કરી શકતા તો પુજાપાઠ વ્યર્થ છે. દરેક મનુષ્ય ભગવાનની જ છબી છે. માટે મનુષ્યની સેવા જ ભગવાનની સાચી સેવા છે. (લેખકનું નામ આપ્યું નથી.) લીંક –
●♦●♦●♦●
♦●♦●♦ દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com/
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ‘રૅશનલ–વીચારયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા, ચર્ચાયેલા, વાગોળાયેલા અને જીવનમાં વણાયેલા સારા એમ મને લાગે છે.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી સેલફોન: 99740 62600 ઈ મેઈલ: govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર: uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ: 23–11–2011
●●●●●●●
